JETPUR EXAM BOYCOTT
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી સર્વ શિક્ષા, ભણે ગુજરાત આગળ વધે ગુજરાત ના નારા લગાવવા માં આવે છે, પરંતુ બોલવા માં અને કામ કરવા માં વિરોધાભાષ જોવા મળી રહેલ છે, જેતપુર તાલુકા ના દેવકીગાલોળ ગામ માં અભ્યાસ કરતા 150 જેટલા વિધાર્થી ઓ નું ભાવિ અધર તાલ થઇ ગયું છે, ધોરણ 10 ના વિદ્યાર્થી ઓ ને 50 કિમિ દૂર પરીક્ષા કેન્દ્ર આપતા આ વિદ્યાર્થી ઓ એ પરીક્ષા ના બહિષ્કાર ની ચીમકી આપી છે
જેતપુર તાલુકા નું છેલ્લું અને અમરેલી જૂનગાઢ જિલ્લા ની બોર્ડર પર આવેલ દેવકી ગાલોળ ગામ ના ધોરણ 10 ના વિધાર્થી ઓ હાલ મોટી મુશ્કેલી માં છે, અહીં આસ પાસ ના ઘંટીયાળ , રાંધીયા, ધારી ગુંદાળી વગેરે ગામો ના 150 જેટલા વિધાર્થી અને વિધાર્થીની ઓ અભ્યાસ કરે છે , આ વર્ષે તેવો ને ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેર માં કેન્દ્ર આપવા માં આવેલ છે, પહેલા તેવો ને ગામ ની બાજુમાં જ માત્ર 10 કિલોમીટર માં જ કેન્દ્ર હતું , જે જેતપુર માં આપતા હવે આ ગામો ના વિદ્યાર્થી ઓ ને 50 કિલોમીટર જેટલું દૂર પડી રહેલ છે, ત્યારે પરીક્ષા નો સમય સવાર નો હોય સવાર માં કોઈ ST બસ કે ખાનગી વાહનો નહિ મળી શકે તેમ હોય વિદ્યાર્થી ઓ હેરાન થવા ની શક્યતા છે. કારણ કે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે 4-4 કલાક ની મુસાફરી અને પછી પરીક્ષા જેને લઇ ને વિધાર્થી ઓ રોષે ભરાયા છે
બહિષ્કાર કરી રહેલ 150 જેટલા વિદ્યાર્થી ઓ માં 50 % જેટલી તો દીકરી ઓ જ છે, અને આ વિધાર્થીની ઓ પણ રોષે ભરાય છે અને સરકાર અને તંત્ર ને પ્રશ્ન પૂછી રહેલ છે, આ કેવી કન્યા કેળવણી કે જ્યાં દીકરી ઓ ને પરીક્ષા આપવા માટે 50 – 50 કિલોમીટર ની મુસાફરી કરી ને જવું પડે, નજીક માં જ પરીક્ષા કેદ્ર હોવ છતાં તંત્ર ની બેદરકારી ને લઇ ને દીકરી ઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડે, તેવો ની માંગણી છે કે તાત્કાલિક ધોરણે તેવો ને નજીક માં જ પરીક્ષા કેદ્ર આપવા માં આવે નહીં તો ઉપવાસ આંદોલન સુધી ની ચીમીક આપેલ છે
પરીક્ષા કેન્દ્ર રદ થતા વિધાર્થી નો ના વાલી ઓ પણ ચિંતતી છે અને તેવો ના સંતાનો ને પરીક્ષા કેમ અપાવવી તેની ચિંતા થઇ રહી છે, જયારે આ બાબતે વિધાર્થી ઓ ના વાલી ઓ અને ગ્રામ પંચાયત દ્વારા પરીક્ષા કેન્દ્ર નજીક માં આપવા ની રજૂઆત નું કોઈ નક્કર પરિણામ ના આવતા તેવો આંદોલન પણ કરશે
પરીક્ષા નો બહિષ્કાર ની ચીમકી આપી રહેલા વિદ્યાર્થી ઓ બાબતે શાળા ના આચાર્ય ને પૂછતાં તેવો એ પણ વિદ્યાર્થી ઓ ની સમસ્યા ને સમર્થન આપ્યું હતું અને આ બાબતે તેવો એ વારંવાર સરકાર ના તમામ જગ્યા એ રજૂઆત કરી છે, જૂનગાઢ જિલ્લા ની બોર્ડર ઉપર હોય અહીં જૂનાગઢ જિલ્લા નું પરીક્ષા કેન્દ્ર માત્ર 10 કિલોમીટર હોય છતાં પણ બોર્ડ અને સરકાર દ્વારા બેદરકારી થી 50 કિમિ દૂર આવેલ હોય આ ઘટના બની છે
સરકાર ની બેદરકારી ને લઇ ને હાલ તો આ 150 જેટલા વિધાર્થી ઓ નું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે, ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇ ને આ વિધાર્થી ઓ ની સમસ્યા હાલ કરે તે જરૂરી છે
હરેશ ભાલીયા જેતપુર