હવે #અમરેલી ભાજપમાં ભયાનક ભડકો!
સાબરકાંઠાની ગાળાગાળી બાદ અમરેલીમાં મારામારી!
ગઈકાલે રાત્રે ભુપેન્દ્રસિંહ ચુડાસમા આગળ રજુઆત બાદ કાછડિયા અને વેકરિયાના સમર્થકો વચ્ચે રીતસર ગેંગવોર સ્ટાઇલમાં મારામારી થતા ઘણા ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
હોસ્પિટલ બહાર ટોળે ટોળા ભેગા થતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હાઇ વોલ્ટેજ ડ્રામા જેવો ઘાટ સર્જાયો છે.
હજુ તો રાજકોટ-જામનગરમાં રૂપાલાના વિરોધની આગ શાંત પડતી નથી ત્યાં અમરેલીનો કકળાટ હવે ભયંકર બબાલમાં ફેરવાઈ ગયો છે.
ભાજપ, ગોદી મીડિયા અને ભેદી સંધી મીડિયા માટે આ વખતે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.
સત્તાના મદમાં રાચતા મોદી-શાહના ખોટા નિર્ણયો ભાજપ માટે આંતરિક કલહ કરાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
આ બધું જનતા જોઈ રહી છે અને સમજી રહી છે કે મોદીના નામે ગધેડા/કૂતરા/પથરા પણ જીતી જાય એ સોચ સાથે દર વખતે માથે થોપી દેવાતા ઉમેદવારોએ જનતાનું અપમાન સમાન જ છે! આભાર. ~@મૌલિનશાહ૯
#ભાજપ_પતન #ભાજપ_તૂટે_છે #GujaratBJPBurning #GujaratBJP #Amreli #Rajkot #Jamnagar #Sabarkantha #Vadodara #કોંગ્રેસયુક્તભાજપ
ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આંતરિક બળવાનાં એંધાણ મંડાઇ ચૂક્યા છે હવામાં 5 લાખ ની લીડ તો અસ્થાને છે પરંતુ ઉમેદવારો સ્થાનિક ન હોવાથી આયાતી જેવા હોવાથી ભાજપના લોકોને ગમતા ન હોવાથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રૂપાલા ખુદ અત્યારે ક્ષત્રિય સમાજ માટે એક કાર્યક્રમમાં ઘસાતું બોલ્યા જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની મહિલાઓ અત્યારે મેદાને પડી છે અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ ચારે બાજુ અત્યારે રૂપાલા નો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે એવામાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના લોકોને નીચું જોવાનો વારો આવ્યો છે અને તે લોકો પણ પુષ્કળ કટોકટીનો સામનો કરી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં પુરુષોત્તમ રૂપાલા એ ખરેખર જાતે ન લડવાનો નિર્ણય કરવો જોઈએ તેવું આંતરિક વર્તુળો તરફથી જાણવા મળે છે પરંતુ કોના આદેશની રાહ જુએ છે અને પછી જાહેર કરશે અથવા તો એમની હકાલ પટ્ટી થાય નહીં ત્યાં સુધી બેસી રહેશે તે આવનારો સમય જ બતાવશે.
એવી રીતે સુરેન્દ્રનગરમાં પણ તળપદા કોળી સમાજનો સ્થાનિક સિનિયર ઉમેદવાર માટે ભયંકર વિરોધ જોવા મળી રહ્યો છે અને જો ઉમેદવાર ભાજપ તરફથી બદલવામાં નહીં આવે તો કોંગ્રેસને સીધું સમર્થન જાહેર કરવાના આજે પોસ્ટરો પણ જોવા મળે છે અને ઠેર ઠેર સભાઓની અંદર પણ આક્રોશ જોવા મળે છે.
સાબરકાંઠા ની અંદર પણ અત્યારે ભાજપના ઉમેદવાર જે જાહેર કર્યા છે જે કોંગ્રેસ મૂળના ગોત્રના મહેન્દ્ર બારૈયા ના પત્ની છે તેની સામે પણ ભાજપના સિનિયર લોકોનો પુષ્કળ આંતરિક બળવો છે અને ત્યાં પણ ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે એવામાં જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો ભાજપે ઘેર આવવાનો વારો આવે એમ છે.
ભાજપના આ જુનિયર લોકોની અંદર જ્યારે આખો મોટાભાગનું પ્રદેશ સંગઠન ચાલી રહ્યું હોય અને પાટીલ તો અત્યારે પાંચ લાખની લીડના પ્રચારમાં વ્યસ્ત છે અને ભાજપના કાર્યાલયોના ઉદ્ઘાટનોમાં વ્યસ્ત છે પરંતુ સિનિયર લોકોની બાદબાકી એ નજરે જોઈ શકાય છે અને સ્થાનિક લોકોને ઉમેદવારી આપી નથી તેનો આક્રોશ પણ ઠાલવ્યો છે ઓબ્ઝર્વર અને પ્રભારીઓ પણ જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવી વાતો ઠેર ઠેર જાણવા મળે છે.
આવામાં જેનીબેન ઠુમ્મર અને ગેનીબેં ઠાકોર ભાજપના ઉકલતા ચરૂમાં મેદાન મારી જાય તો નવાઈ નહી તેવું સાંભળવા મળે છે.
જુનાગઢમાં પણ ડોક્ટર ચગ ની હત્યામાં નામ ઉછલેલા ને રીપિત કરી ફરી ટિકિટ આપતા આંતરિક વિરોધ જોવા મળે છે.. આવા સંજોગોમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસના જે લોકો ભાજપમાં ગયા છે તેમના બુરા હાલ થયેલા જોવા મળે છે અને જે કોંગ્રેસના ભાજપમાં ગયેલા ને હમણાં ટિકિટ ફાળવવામાં આવી છે તેમને પણ જીતવાના ફાંફા પડે એવી ખરાબ પરિસ્થિતિનું સર્જન પણ થઈ શકે છે.
ભાજપમાં આટલો મોટો ભડકો હોવા છતાં પણ અમિત શાહ ની વારે ઘડીએ ગુજરાતની મુલાકાત થતી હોવા છતાં પણ મગનું નામ મરી નથી પાડતા કે કોઈપણ પ્રેસ કોન્ફરન્સ કરીને સાચી હકીકતો દર્શાવતા નથી કે મીડિયાની સામે પણ આવતા જાણે ડર લાગતો હોય તેવું વાતાવરણ જોઈ રહ્યા છીએ.
સમગ્ર ગુજરાતમાં અત્યારે એકમાત્ર રાજકીય ચૂંટણીને લઈને સમગ્ર સમાજની અંદર વૈમનસ્વ ફેલાયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને સિનિયર રાજકીય નેતાઓ પણ આ બધા ખેલ જોઈને કહી રહ્યા છે કે જુનિયર ના હાથની અંદર જ્યારે સત્તા આપવામાં આવે ત્યારે સિનિયારોના ટેકેદારો દ્વારા આવા વિરોધ થતા જોવા મળ્યા છે અને તેમાં પાર્ટીએ ઘણું બધું ભોગવવું પડે છે અને ઘણીવાર તો ઘેર પણ આવવાના બનાવો બન્યા છે જેમ કે કોંગ્રેસ પાર્ટી એ મોટા ભાગની ખતમ થઈ ગઈ તેનું કારણ પણ આ જ છે કે તેઓ પણ સમય અંતરે પરિવર્તન કરી શક્યા નથી જેનું આજે તેઓ પણ ભોગવી રહ્યા છે.
બીજું બાજુ એકમાત્ર સીડી અને ઇડી દ્વારા આમ આદમી પાર્ટીના સુપ્રીમો એવા અરવિંદ ક્રેજરીવાલ અને તેમના નેતાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને જાણે આખી સરકાર એમની પાછળ પડી ગઈ હોય અને જાણે આમ આદમી પાર્ટી એ ભાજપને ખૂંચતી હોય તેવું પણ લોકોના મુખે જાણવા મળે છે આવા સંજોગોની અંદર પણ ક્યાંક ક્યાંક સહાનુભૂતિ ના વોટથી આમ આદમીના ઉભા રહેલા કાર્યકરો પણ જીતી જાય તો નવાઈ નહીં જેમ કે એક સમયે સુરત મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીના 25 કાર્યકરો જીતી ગયા હતા અને ભાજપને ભારે હાચકો આપ્યો હતો જે સુરતને ભાજપનું ડાયમંડ હબ કહેવામાં આવે તેવામાં પણ એક મોટો ભાંગરો ભાજપ ધારા વીંટાઈ ગયો છે જે બધાની જાણકારી માટે છે જ.
તંત્રી ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ ન્યુઝ ચેનલ ગાંધીનગર
અહીંયા કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થઈ પ્રસિધ્ધિ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રી નો સંપર્કસાધીને તેવા સમાચારો કરાઈ કરીને અહીંથી દૂર કરી શકાશે. તંત્રી
Comments 1