વિશ્વ રંગમંચ દિવસે વિસરાતી યાદે લુપ્ત થતી કલા ને બચાવવા ભિષ્મપ્રતિજ્ઞા લઈએ… વર્ષો પહેલાં ની વાત છે જયારે નાના હતા ત્યારે ગામ માં ભવાયા આવ્યા છે એ સાંભળી દોસ્તારો ભેગા થઈ .રાતે મોડા સુધી એમની ભવાઇ અને નાટ્યકલા નો આનંદ મેળવવા જતા.એ અરસા માં ૫૦ વર્ષ પહેલાં નાયક જ્ઞાતિ નો નાટ્ય કલા અંગે સ્ટેજ નો સિતારો હતો .ઇડર તાલુકાના કાનપુર ગામ ના નાયક ના ટીમ લીડર એટલે નાથાદાદા નાયક.બાબુલાલ નાયક જેસલ ના પાત્ર માં મે જોયેલા છે.એમની કલાકાર એવી દાદ માગી લે તેવી હતી અત્યારે કલાકારો હયાત નથી. નેવું વર્ષ ના નાથા દાદા તેમનું પાત્ર ભજવવાનો વાળો આવે એટલે હાર્મોનિયમ કે તબલા વગાડતા વગાડતા હફ કરી ઉભા થઈ તેમનું પાત્ર પડછંદ આવાજ સાથે ભજવતા.અને અને એને તાળીઓ પાડી વધાવતા..જેસલ તોરલ,સતી જસમા ઓડણ,કુંવર બઈનું મામેરું. વિગેરે નાટકો જોયેલા .અને વચ્ચે મધ્યાંતર માં ફિલ્મ ગીતો પર ગીતો બે રૂપિયા માટે કોઈની બાયડી બની નાચવા માટે મજબૂરી નો રોટલો હતો. લોકો સવાર નું સાંજનું સીધું પાણી ની વ્યવસ્થા પણ થઈ જતી.હવે એ ધંધામાં કોઈ બરકત નથી એ સમયે ભવાઇ અને ભવૈયા ની પ્રતિષ્ઠા હતી.હવે તો ઇન્ટર નેટ ,સિનેમા ,ટીવી આવતા ભવાઇ લુપ્ત થતી જાય છે.આજે વિશ્વ રંગ મંચ દિવસે ખુબ જ દુઃખ સાથે જણાવતા થાય છે કે ધીમે ધીમે કલા ક્ષેત્રે રંગ ભૂમિ ની રોનક,કલાકારો ની અદા, છટા,વિગેરે કલા ભવાઇ ની ભૂંગળ સાથે નેસ્ત નાબૂદ થતી જાય છે.ગુજરાત ના અનેક આમ આદમી કલાકારો ની રોજી રોટી પાપી પેટ કા સવાલ માટે ફાંફા મારવા પડે તેવી ભવ ભવ ની ભવાઇ ની અને નાટ્ય સ્ટેજ ના આમ આદમી કલાવૃંદો ની વિરાસત ને બચાવવા માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજના હેઠળ ચાલતી પ્રવૃત્તિ વેગવંતી બનાવવા શેરી નાટકો બેટી બચાવો બેટી પઢાઓ,સાક્ષરતા અભ્યાન,અંધ શ્રદ્ધા નિવારણ,મતદાર જાગૃતિ,કોરોના જાગૃતિ,દહેજ પ્રથા,વિગેરે માં કલાકારો દ્વારા કાર્યક્રમો યોજી પ્રોત્સાહિત કરી પ્રલોભન આપે તો આપણી વિસરાઈ ગયેલી સંસ્કૃતિ ને પુનઃ જાગૃત કરી વેગવંતી કરી શકાય.હાર્મોનિયમ,તબલા ભૂંગળ,મંજીરા , વાજા પેટી,વિગેરે ગુજરાતી નાટકો અને ભવાઇ ની ગંગોત્રી છે .આધુનિક સમય માં ગાંધીજીને સત્યના પ્રયોગો નું લેખન રાજા હરિશ્ચંદ્ર નાટક જોઈ ને જ મળી હતી .આજે પણ મારા જન્મ પહેલાં ના સંસ્મરણો જે મારા પિતાશ્રીના નાના સ્વ. ભવાનીશંકર ઠાકર જે માનવપતિ મુંજ અદના કલાકાર તરીકે એ વખતે માઇક પણ ન હતા પડછંદ અવાજ ભાવવાહી સાથે નાટક ભજવતા.એનું જૂના ફોટો હાથ આવતા મુકેલ છે.જિંદગી એક નાટક છે જિંદગી ના આ નાત્ય મંચ પર આપણે વિવિધ વેશભૂષા સાથે અને સ્વરૂપે હાવ ભાવથી આપતા હોઈએ છીએ.વાસ્તવિક જિંદગીમાં આપણે સન્માનિત કરતા હોઈએ ..તો આ તો ખરેખર નાટ્ય સ્ટેજ ના આબેહૂબ પાત્ર ભજવી નાટ્ય કલાકારો ઉમદા સ્ટેજ પ્રોગ્રામ આપે છે..fb પર ના કેટલાય મિત્રો એ પોત પોતાની રીતે ખૂબ જ સુંદર ,વાસ્તવિક અને સરાહનીય આલેખન કરી ૨૭મી માર્ચ વિશ્વ રંગ મચ દિવસ ની શુભકામના સાથે રજૂઆત કરેલ છે આ કંઈ હોળી ધુળેટી નો રંગ નહિ પણ જીવનનો આનંદ ઉત્સાહ વધારતા નાટ્ય રંગ મંચ ની વાત છે. જે ને ગૌરવભેર સાથ આપુ છું.આજ ની યુવા પેઢી પણ વેશભૂશા પરિધાન થઈ લગન પ્રસંગે પોતાની આગવી છટાથી પ્રદર્શિત કરે છે.વિશેષ તો ઈશ્વરે સ્ત્રી ને જિંદગીના મંચ પર વિવિધ પાત્ર સ્વરૂપે ભજવી શકે છે એ પણ કોઈપણ જાત ની તાલીમ કે રિહર્સલ વગર ભજવી શકે છે..આજ ના રંગભૂમિ દિવસે બાળ કલાકાર થી કલાકાર સુધી ના તેમજ સ્ત્રી કલાકાર ને જેને માં ,બહેન, પત્ની, સાસુ, વિગેરે પાત્રો ભજવી જિંદગીના રંગમંચ પર ભજવી સન્માનિત થયા છે તેઓને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા..આજના દિને વાંચક વર્ગ ને નવી પેઢી ને ભાષા,સાહિત્ય,સંગીત,સંસ્કૃતિનું રંગ મંચ પર જતન કરતા કલાકારો વિસરાતી વિરાસત ને પુનઃ જાગૃત કરી કલકારો ને ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે તેવા આપણે સહિયારો પ્રયાસ કરી સાંસ્કૃતિ નાટકો અને ભવાઇ ને સ્ટેજ પર ધમ ધમતા કરીએ એવી લાગણી સાથે હૃદયપૂર્વકની શુભેચ્છા.અસ્તુ..ભાસ્કર શુક્લ અમદાવાદ
******************************************
પોતીકી કલા,અભિનય ના ઓજસ દ્વારા આત્મ વિશ્વાસ માં વધારો થાય અને અહીતિહાસિક ઘટનાઓ ના પાત્રો જ્યારે પોતે ભજવી ને સ્વ મુખે બોલાયેલ ડાયલોગ થી આત્મ વિશ્વાસ માં વધારો થાય…જેમ સ્વ મુખે ગીતો ગાઈ આજે આનંદ મેળવીએ છીએ,હવે તો કરોકે દ્વારા મ્યુઝિક સાથે પણ ગાઈ શકાય છે…કહેવાય છે કે તેનાથી મન પ્રફુલ્લિત રહેતા આરોગ્યમાં પણ ફરક પડે છે…
******************************************