जो लोग जवान मूवी देखने जा रहे है वो जाने से पहले ये वीडियो देखले आपको शायद पता ना जवान मूवी के सारे राइट सनातन विरोधी उदयनिधि स्टॅलिन के पास है वो हामी से पैसा कमायेगा और हमे ही गाली देता है
તામિલનાડુના દ્રમુક નેતા ઉધયનીધી સ્ટેલિંન નો મૂછ નો દોરો ફૂટ્યો ના હોય અને વંશીય રાજકીય યુવા વયે પ્રવેશ મેળવી સત્તાના નશામાં છકી ગયા હોય તેવું લાગે છે. તેમણે તમિલનાડુના સ્થાનિક એક રાજકીય સમારંભમાં ઉપસ્થિત રહીને એવો બફાટ કર્યો કે સનાતન ધર્મને કોરોના મેલેરિયા અને ડેન્ગ્યુ ની જેમ દામી દઈને નષ્ટ કરવો જોઈએ. જોકે આ નિવેદન દેશના વિરોધ પક્ષની અંદર ઇન્ડિયા નામનું એક જૂથ જેમ મોદીજીની સરકાર સામે પડવા માટે તૈયાર થયું છે તેમાંનો આ એક ભાગ હોય અને જાણે જાણી જોઈને આવું નિવેદન કરાવ્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. કેમકે ઇન્ડિયા નામના આ વિરોધ પક્ષના જૂથના લોકો પણ જુદા જુદા નિવેદનો આપે છે જ્યાં વિરોધ પક્ષની સરકારો છે ત્યાં પણ આ બાબતે કોઈ પણ કડક વલણ અપનાવ્યું હોય તેવું દેખાતું નથી.
દેશના પ્રવૃત્તિ 264 પ્રતિષ્ઠિત જેવા લોકોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબને પત્ર લખીને સુવો મોટોની કાર્યવાહી કરવા પણ કહ્યું છે અને આ બધી જ સેલિબ્રિટીઓ દ્રમુક નેતા ઉદયનિધિષ્ઠ સ્ટેલીનની સામે લડી લેવા માટે પણ કટિબદ્ધ છે.
આવા નિવેદનથી અયોધ્યાના અને ઉત્તર પ્રદેશના સનાતનની સાધુ સંતોમાં રોશની લાગણી ફાટી નીકળી છે અને અયોધ્યાના એક મહામંડલેશ્વર સંતે તો ઉદયનિધિ સ્ટેલિંન નું માથું કાપીને લાવવાની સામે દસ કરોડનું ઇનામ પણ જાહેર કર્યું છે અને જો કોઈ આ માથું કાપીને નહીં લાવે તો હું જાતે જઈને તલવારથી તેનો વધ કરીશ તેવું પણ તેમણે જાહેરમાં મીડિયા સમક્ષ ઉચ્ચારણ કર્યું છે.સમગ્ર દેશના સનાતની સાધુ સંતો માં ધર્મ નું લાગણી દુભાયા નો ભરેલા અગ્નિ જેવો અસંતોષ જોવા મળે છે..
જ્યારે દેશ ના પ્રધાન મંત્રી મોદીજી એ પણ તેમના મંત્રીમંડળ ને સૂચના આપીને જણાવ્યું છે કે આ નિવેદન ના તથ્યો તપાસી સનાતન ધર્મ ના અપમાન નો યોગ્ય જવાબો આપવા જોઈએ..જોકે ઇન્ડિયા કે ભારત જેવા નામો ઉપર કોઈપણ ટિપ્પણી ના કરવાનો ગર્ભિત રાજકીય ઈશારો પણ કર્યો છે.
જોકે અત્યારે કહેવાતી હિન્દુ પ્રેમી સરકાર માં અત્યારે દેશ ની ૮૦% સનાતની ધર્મ હિન્દુ વોટ બેંક હોવાથી સર્વ સમાજ ની વોટ બેંક મા કોઈ આક્રોશ ફાટી નીકળે નહિ અને પોતાની વિત બેંક ને નુકશાન થાય નહિ તેનું ધ્યાન શાશક સરકાર કડક રીતે રાખી ને કોઈ પણ વિવાદ મા જાણી જોઈ પગલું ભરી રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે કેમકે હાલમાં ગુજરાત માં સાળંગપુર ખાતે હનુમાનજી ના અપમાન જનક ભીત ચિત્રો બાબત સનાતન ધર્મી જનતાનો આક્રોશ ફાટી નીકળતા ગુજરાત ના ગણ્યા ગાથ્યા સાધુ સંતો અને ધર્મ પ્રેમી જનતા એ વિરોધ વ્યકત કર્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના સાળંગપુર મંદિર સંસ્થાપક લોકો ને દોડતા કરી દીધા હતા અને ક્ષત્રિય સનગઠન દ્વારા આ ભીત ચિત્રો હટાવવા જાતે એક વ્યક્તિ દ્વારા પહેલ કરતા કાયદો અન ન્યાય ની પરિસ્થિતિ વણસી હતી ત્યારે આ સંપ્રદાય દ્વારા મુખ્યમંત્રી ને મળી ને રક્ષણ આપવા તાકીદ કરી હતી.અને અંતે અધકચરી રીતે એવું એકપક્ષીય સમાધાન સરકાર મધ્યસ્થી બનતા થયું હતું કે રાતોરાત ભીત ચિત્રો સાળંગપુર મંદિર માંથી હટાવી લેવા અને રાતોરાત હટાવવાની કામગીરી થઇ હતી… તેમ છતાં અગાઉથી સનાતન ધર્મ ના સાધુ સંતોએ નક્કી કર્યા પ્રમાણે લીમડી ખાતે આ સનાતન ધર્મનો અપમાનનો બદલો લેવા માટેની એક તાકીદ ની બેઠક મળી હતી જેમાં થોડા ઘણા સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ગુજરાતના જાણીતા કથાકારો તેમજ શિવપ્રેમી સાધુ સંતોએ આવવાનું ટાળ્યું હતું પરંતુ ઘીના ધામમાં ઘી ઢળે તે રીતે સરકાર દ્વારા સાપ મરેલી અને લાકડી તૂટે નહીં અને કોઈ વિવાદ લાંબો જાગીને ભારતીય જનતા પાર્ટીની સ્વામિનારાયણ સંપ્રદાયની વોટબેંકને નુકસાન થાય નહીં તે રીતે વચ્ચેનું એક સમાધાનકારી વલણ એટલે કે સાળંગપુર મંદિરમાંથી ભીંત ચિત્રો હટાવી લેવા તેવું સંતો સાથે નક્કી થયું હતું પરંતુ લીમડીને બેઠકના સનાતનની ધર્મના સાધુ-સંતોને પૂર્ણ સંતોષ થયો નહોતો કેમકે તેમને આવી કોઈ પણ જાતની લેખિત બાંહેધરી આપવામાં આવી નહોતી જેથી હજુ પણ આ ભારેલો અગ્નિ સનાતન ધર્મની અંદર એમનો એમ છે કોઈપણ જાતનું સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સમાધાન થયું હોય તેવું લાગતું નથી.
સાળંગપુર ધ કિંગ ઓફ હનુમાનની મૂર્તિનું અનાવરણ ગાંધીનગર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને અમિત શાહ પોતે આ હનુમાનજીની પ્રતિમાની પ્રદક્ષિણા પણ કરી હતી અને તેમણે પણ ભીંત ચિત્રો નિહાળ્યા હતા પરંતુ તેમણે કોઈક રીતે આ બાબતે મૌન ટાળીને અથવા તો સૂચનાને આધારિત માત્ર અનાવર કરીને તેઓ જતા રહ્યા હતા અને આ આવડા મોટા વિવાદની અંદર પણ ગુજરાતની કહેવાથી ડબલ એન્જિન સરકાર એટલે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ ભાજપના અને સાંસદ એવા પાટીલ તેમજ સમગ્ર મંત્રીમંડળ અને સમગ્ર ભાજપના ધારાસભ્યો કે કોંગ્રેસના ધારાસભ્યોએ મૌન ધારણ કર્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાવી આવ્યું હતું અને આ બાબતે પણ સનાતન ધર્મિ જનતાની અંદર પણ જાતજાતની ચર્ચાઓ જોવા મળતી હતી કે સનાતન ધર્મનો હવે માત્રને માત્ર રાજકીય ઉપયોગ જાણે શાસક સરકાર વોટ બેન્ક માટે કરી રહ્યું હતું અને સનાતન ધર્મના અપમાનને પણ સહન કરીને કોઈ પણ જાતનો ન્યાય સનાતન ધર્મની જનતાને મળે તે તરફ તેમનું કોઈ પણ પગલું પણ જોવામાં આવ્યું નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા 200 થી અઢીસો વર્ષની અંદર એક સૌથી મોટું દેશ વિદેશનું કોર્પોરેટ ક્ષેત્ર ઉભું કરીને સનાતન ધર્મના દેવી દેવતાઓને ખોટી રીતે તેમના શાસ્ત્રોની અંદર ચીતરીને ભારોભાર અપમાન કર્યાના દાખલા અને સાબિતી હોવા છતાં પણ કોઈપણ ન્યાયતંત્રની કાર્યવાહી આ બાબતે થઈ નથી કે કોઈપણ સરકારે પણ આ બાબતે કોઈ પણ પગલું લીધું હોય તેવું દેખાતું નથી જેથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે કહેવાથી ભારતીય જનતા પાર્ટીની હિન્દુ સરકારે માત્રને માત્ર તેમની વોટબેંકની ભીખ ખાતર સનાતન ધર્મનું અપમાન કરનારા લોકોને જાણી જોઈને જાણે ટેકો આપ્યો હોય તેવું દેખાય રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દેવાથી દેવ શિવજી પાર્વતીજી બ્રહ્માજી કૃષ્ણ હનુમાનજી જેવા નું અપમાન આજે પણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે તેમની કોઈપણ પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે પૂજા અર્ચના આ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં થતી નથી હિન્દુ દેવી-દેવતાઓના નામે ઉત્સવો કરીને માત્રને માત્ર પૈસો કેમ ભેગો કરવો અને તેને વિદેશ કેવી રીતે સેટલ કરવો તેવી જ પ્રવૃત્તિઓ દેખાઈ રહી છે જેની સામે સરકારનું અને ન્યાયતંત્રનું ભેદી મૌન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ જાહેરમાં તેમના હરિભક્તોની આગળ હિન્દુ દેવી-દેવતાઓના અપમાનજનક અનેક ભાષણો કર્યા છે જે ભાષાનો આજે પણ વાયરલ થઈ રહ્યા છે તેમ છતાં તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને સનાતન ધર્મના સાધુ-સંતો કહે છે કે અમારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી કોઈ અધિક સંપત્તિ નથી કે અમે એમની જેમ વર્તન કરીને આધુનિક રીતે સનાતન ધર્મને ચલાવી શકીએ.
ગુજરાતના સાધુ સંતો પણ અમુક શાસક સરકારના રાજકીય પ્રેરિત હોય તેવું દેખાઈ આવ્યું છે કેમકે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ ગુજરાતના નૌતમ સ્વામીને તેમની વિવાદાસ્પદ સનાતન ધર્મની ટિપ્પણી તેમજ ભૂતકાળ મા તેઓ તેમના ભક્ત સાથે કરેલા સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્ય થી પંકાઈ ગયેલ બાબતો જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક દ્વારા તેમને કરતૂતો બહાર પાડવામાં આવતા બાબતે તાત્કાલિક અસરથી તેમને પદભ્રષ્ટ કરી નાખવામાં આવ્યા હતા અને તેઓ રાતો રાત અમેરિકા જતા રહ્યા પણ તેમને કોઈ રોકી શક્યું નહીં અને આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને સારસા ના ગાદીપતિ અવિચલદાસજીએ પણ મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું કે નવતમ સ્વામીએ અમારા સંગઠન અને ગુજરાતની અંદર ખૂબ જ સારી એવી પ્રગતિ કરી છે આ તો કોક કારણસર અમારે તેમને અહીંયાથી હટાવવા પડ્યા એમ કરીને તેમણે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભારોભાર સહયોગ કર્યો હતો અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે આ અમારા હિન્દુ સંગઠનનો સ્વામિનારાયણ સંપ્રદાય એક ભાગ છે જેથી સનાતન ધર્મની જનતાઓની અંદર અને મીડિયામાં એવું સ્પષ્ટ ચર્ચા કરી રહ્યું છે કે આ આખું સંગઠન અને તેના અધ્યક્ષ રાષ્ટ્રીય પણ સારસાપુરીના ગાદીપતિ અને આ નવતન સ્વામી પણ ગુજરાતના અધ્યક્ષ એટલે આ એક રાજકીય શાશક સરકાર ને સહયોગી થવા બનેલું આ એક ધાર્મિક સંગઠન છે જેની ઉપર સમગ્ર સનાતન ધર્મના લોકોએ વિશ્વાસ મૂકવો જોઈએ નહીં એવું મારું પણ એક મીડિયા વ્યક્તિ તરીકે માનવું છે.
હજુ પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક થી માંડી અત્યાર સુધી ના 8 થી વધારે ફાંટાઓ દેશ વિદેશ માં આર્થિક મોટો વેપાર કરીને ફૂલ્યા ફાલ્યા છે અને સનાતન ધર્મ ને પારાવાર નુકશાન દેશ વિદેશ માં સ્વામીનારાયણ સર્વોપરી ભગવાન છે તેવો અપ પ્રચાર તેમના મંદિરો મા જુઠા ખોટા શાસ્ત્રો દ્વારા અને પ્રવચનો અને નાની ફિલ્મો બનાવી ને કરી રહ્યા છે.ને બેરોકટોક પ્રવૃત્તિ શાશક સરકાર ના સ્માપુરન ધ્યાન માં હોવા છતાં ચાલી રહી છે..છેલ્લા ચાર પાંચ દાયકા થી આ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ પણ તેમજ મંદિરો મા સ્થાપિત કરીને તેની પૂજા અર્ચના સર્વ હિન્દુઓ ને પોતાના ધર્મ મા સાંકળવા માટે કરી છે જેથી અન્ય હિન્દુ જાતિ ના લોકો પણ આધુનિક રીતે જીવવા ટેવાઈ ગયા અને સંપૂર્ણ સુખ સાહ્યબી આ સંપ્રદાય માં મળતા પોતાના ઇષ્ટદેવ,કુળદેવી છોડીને સ્વામીનારાયણ ધર્મ અપનાવી તેમના સંતોના કહેવા પ્રમાણે સમાજિક અને વ્યવસાઇક આચરણ કરી રહ્યા છે….આટલા ટૂંકા સમય માં આધુનિક રીતે જાણે ધર્મ ને વેપાર બનાવ્યો હોય તેમ હિન્દુ દેવી દેવતા ના ઉપયોગ થઈ રહ્યા છે અને પ્રજાને મુરખ બનાવવામાં આવી રહી છે..સાળંગપુર માં કસ્તભંજન હનુમાનજી ના નામે કરોડો રૂપિયાની આવકો આ સંપ્રદાય ઉઘરાવી રહ્યું છે.જે તે સમય ની શાશક સરકારો પણ આ સંપ્રદાય ને સરકારી જમીનો ની ટોકન ભાવે લહાણી પ્રદર્શન હેતુથી આપેલી છે જે આજે પણ પ્રદર્શન માં તેમના પૂર્વજ રૂપી સાધુઓ ની પ્રતિમાઓ મૂકી તેને ભગવાન તરીકે સ્થાપીત કર્યા છે…
ચારેય પીઠ ના જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા પણ આ બાબતે વિરોધ કર્યો હોવા છતાં આ સંપ્રદાય સરકાર ના અને વિદેશી સંપત્તિ ના જોરે સનાતન ધર્મ નું પારાવાર નુકશાન કરી રહ્યો છે..દેશ ના રાજકીય નેતાઓ પણ વોટ બેંક ની ભીખ ખાતર આ સંપ્રદાય ના વૈભવ થી પ્રભાવિત થઈ ને આ ધર્મ ને હિન્દુ ધર્મ ના સૌથી મોટા પ્રચારક તરીકે ગણાવી રહ્યા છે જે સદંતર જૂઠ અને ખોટું છે .આ સંપ્રદાય દ્વારા સમગ્ર દેશ વિદેશ ના કોર્પોરેટ સેક્ટર ને સંપૂર્ણ આધુનિક રીતે ચલાવા શિક્ષિત સાધુઓ ની ભરતી કરીને ધર્મ ના ઓથાર હેઠળ ચલાવી રહ્યા છે અને દેશ ના જે કોઈ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય તેમની પાસે પણ દસ ટકા ફી લઈને તેમને ધર્મ સ્થાન માં આશ્રય આપી તેમના માં બાપ અને ઉદ્ધારક સ્વામિનારાયણ ભગવાન છે તેવું ભાવી પેઢી ના મગજ માં ખોટું જ્ઞાન આપવામાં આવે છે જેથી આંખ મા બાપ આજે પણ પોતાના પુત્ર વિના ટળવળી રહ્યા છે જેઓ વર્ષોથી વિદેશ માં ભણી ને આ સંપ્રદાય ની સેવા કરી રહ્યા છે..અનેક ભારત સ્થિત માં બાપ ની ફરિયાદ છે કે અમારા છોકરાઓ ને ભરમાવી અમારાથી અલગ કરીને આ સંપ્રદાય એમને વંશજ વિનાના કરી નાખ્યાં છે..
જેથી ગુજરાત ના આ વૈભવશાળી સંપ્રદાય થી આખી ભાજપ સરકાર ને તેમના કોર્પોરેટ ક્ષેત્ર થી આંજી દેવામાં આવી છે જેથી કહી સરકાર કે તેં કોઈ મુખ્ય આ સંપ્રદાય નો વિરોધ કરે નહિ કેમકે ભાજપ સરકાર ના મોટા ભાગના લોકો આ સંપ્રદાય નો દેશ વિદેશ માં મોટા ભગ નો ઉપયોગ કરી રહ્યા છે અને સરકાર બનાવતા પણ કર્યો છે..આ સંપ્રદાય ગુજરાત ની મોટા ભગ ની પાટીદાર લોબી ને પોતાના બનાવી તેમના હાથ માં મોટા ભાગનો વહીવટ સોંપી દીધો છે જેથી સરકારી કોઈપણ રીતે આ સંપ્રદાય ની આડે આવે નહિ..
જેથી સનાતન ધર્મ નું સૌથી મોટું જો કોઈ નુકશાન કર્યું હોય તો તેની જવાબદાર શાશક સરકાર છે અને આધુનિક ધર્મિક અને સામાજિક સંગઠનો અને તેના મુખ્યા છે….સનાતન ધર્મ નો બેરોકટોક અપમાન કરીને શાશક સરકાર ફાયદો લઈ રહી છે…
હાલમાં દ્રમુક નેતા ઉધાયનિધી સ્ટેલિંન ના નિવેદન ઉપર ગુજરાત ના તમામ રાજકીય.સમાજિક અને ધાર્મિક સંગઠન ના લોકો ભેદી મૌન ધારણ કર્યું છે…ગુજરાત માં જાણે સંપૂર્ણ સરમુખત્યાર ડબલ એન્જિન નું શાશન હોય તેવું ઘણા લાંબા સમય થી દેખાઈ.અનુભવાઈ રહ્યું છે..સનાતન ધર્મ બાબતે ડબલ એન્જિન સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કશું મીડિયા ને કહેવા તૈયાર નથી…માત્ર આવી રહેલી ચૂંટણીઓ બાબતે તેઓ પ્રેસ મીડિયા ને બોલાવી પોતાનો પ્રચાર કરે છે પરંતુ તેમને પ્રજાકીય કોઈ પ્રશ્નો કે વિવાદો નો જવાબ આપવો નથી..
મારા માનવા પ્રમાણે આ રાજકીય પ્રેરિત અખિલ ભારતીય સનત સમિતિ ના બનાવેલ સંગઠન ને વિખેરી નાખવું જોઈએ કેમકે તે પોતે સ્વામીનારાયણ સંપ્રદાયના ટેકા રૂપી સંગઠન છે અને કોઈપણ વિવાદ મા આ સંગઠન તેમને બચાવવાની કામગીરી કરતી આવ્યું છે..ગુજરાત ની સનાતન પ્રેમી જનતા,સાધુ સંતો ને મારી નમ્ર અપીલ છે કે આ સંગઠન ને કોઈ ટેકો આપવો જોઈએ નહિ .આ સંગઠન આંતરિક રીતે સનાતન ધર્મ વિરુદ્ધ છે અને આ સંગઠન તેમના લોકો ના સંપ્રદાય ની પેઢીઓ ચલાવવા જાણે બન્યું હોય તેવું લાગે છે .
સાથે સાથે શાશક સરકાર પણ સનાતન ધર્મ ના દેવી દેવતાનું અપમાન થાય તેવા લેખકો.સાહિત્ય ને જાણે ટેકો આપી રહી હોય તેવું લાગે છે. તારીખ 20/8/2023 ના ગુજરાત સમાચાર ની રવી પૂર્તિ માં દેવાધી દેવ મહાદેવ અને પાર્વતીજી માટે એક અપરણિત કહેવાતા સમાજિક મોટીવેશનલ પોતાની જાતે સ્પીકર બનેલા લેખક જય વસાવડા દ્વારા નિમ્ન અને હલકી ભાષામાં લેખ લખવામાં આવ્યો જેની પેપર નિંકોપી સાથે એક જાગૃત નાગરિક.પત્રકાર.દૈનિક તંત્રી તરીકે મે પ્રદીપ રાવલે ગાંધીનગર ના સેક્ટર 7 પોલીસ સ્ટેશન માં આ લેખક સામે ગુનો નોંધવા તારિખ 23/8/2023 જાણવા જોગ અરજી આપવામાં આવી હતી…ત્યારબાદ આ બાબતે જિલ્લા ના એસ.પી અને આઇ.જી ને રૂબરૂ મળી રજૂવાત કરી ગુનો નોંધવા આજીજી કરી હોવા છતાં તેઓ કોઈક આદેશાનુસાર ગુનો નોંધાતા નથી અને એવો જવાબ આપે છે કે અમો શા શોધન કરી રહ્યા છીએ કે ગુનો બાને છે કે નહિ.. કે આ બાબતે લેખિત Reminder કર્યા છતાં બંને આઇપીએસ નું પેટ નું પાણી હાલતું નથી અને શ્રાવણ માસ મા શિવજી નું જાણે સરકાર અપમાન સહન કરવાની તરફેણ માં હોય તેવું લાગી રહ્યું છે …આ બાબતે મને કોઈ લેખિત જવાબ પણ આપતા નથી કે ગુનો નોંધવામાં આવશે કે નહિ.કે જેથી હું કાયદાકીય નામદાર કોર્ટ માં ગુનો નોંધાવા અરજી કરી શકું.
હવે આમાં ક્યાંથી ગુજરાત માં સનાતન ધર્મ પ્રેમી જનતાને ન્યાય મળે કે ઉધાયનીધી સ્ટેલિંન વિરુદ્ધ ગુજરાત ની રાજકીય.કે સમાજિક જનતા વિરોધ કરે…જ્યા વાડ જ ચીભડાં ગળતી હોય ત્યાં કોને શું કહેવું….?
પ્રદીપ રાવલ..બ્રહ્મ મીડિયા સેવક…તંત્રી: ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક નોધ : ગુજરાતમાં સનાતન ધર્મની જાળવણી બાબતે જે રીતે સરકારનું વલણ છે અને જે રીતે સામાજિક સંગઠનોનું વલણ છે અને ધાર્મિક સંગઠનો પણ વલણ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સુવા કહેવાથી હિન્દુ ની ભાજપ સરકાર ભારતના અન્ય રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી શૂન્યવકાશરૂપે છે ત્યાં આ સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાયના મોટા મંદિરો બનાવીને આ સંપ્રદાયને રાજકીય કોઈ રૂપ આપીને તેમાંના લોકોને ઉભા કરીને પોતાની ભાવિ સત્તા ટકાવીને હિન્દુ રાષ્ટ્ર શાસક સરકારમાં લાવવા કોઈ પ્રયત્ન તો નથી કરી રહ્યું ને? કેમકે ભારતીય જનતા પાર્ટી એ સાધુઓને પણ ધારાસભ્યમાં ઉભા રાખીને જીત હાંસલ કરી છે તે જોતા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ એવી વાતો ચર્ચા રહી છે કે હવે આપણે પણ રાજકીય ક્ષેત્રે આગળ વધવું જોઈએ જેથી ભવિષ્યની અંદર આપણા સંપ્રદાયને કોઈપણ રાજકીય કનડગત થાય નહીં જે સનાતન ધર્મ માટે ખતરા રૂપ છે જો હજુ પણ સનાતન ધર્મના પ્રેમીઓ સામાજિકનો અને રાષ્ટ્રીય ધાર્મિક સંગઠનો જાગશે નહીં તો આ રાજકારણ જ સનાતન ધર્મને સમાપ્ત કરશે તેવું હાલના વાતાવરણ ઉપરથી દેખાઈ આવે છે
પ્રદીપ રાવલ.(ગાંધીનગર)9824653073
*****************************************
અહી કોઈપણ જાતના રાગ દ્વેષ વિના કોઈપણ સમાચાર જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક કોઈ સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરવાની તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી