સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..* સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન સંત હશે તેમા કોઈ શંકા નથી પરંતુ આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. અલબત્ત સહજાનંદ સ્વામીએ પોતે પણ ખુદને ભગવાન તરીકે પ્રસ્તુત કર્યા નહતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સહજાનંદ સ્વામીને ભગવાન બનાવ્યા અને આ માટે તેમણે અન્ય ભગવાનને નિમ્ન બતાવી સહજાનંદ સ્વામીને મહાન દર્શાવ્યા. સહજાનંદ સ્વામીની લીટી મોટી કરવા અન્ય ભગવાનની લીટી નાની કરી. વાસ્તવમાં સ્વામીઓ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ સહજાનંદ સ્વામી ભગવાન બની જવાના નથી.
* સહજાનંદ સ્વામીના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓએ દેશ અને સમાજના ઉદ્ધાર માટે ઓછું કાર્ય કર્યું છે અને અંધશ્રદ્ધા ફેલાવી પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો છે. સહજાનંદ સ્વામીના નામને ચરી ખાઈ તેમનો ધ્યેય વધુને વધુ સંપત્તિ અને સત્તા પ્રાપ્ત કરવાનો દેખાઈ રહ્યો છે. તેઓ દેશ-વિદેશમાં જમીનો ખરીદતા રહે છે, પોલિટિક્સ, ફૂડ, હેલ્થ, એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ જમાવતા જાય છે. તેમનામાં રહેલી અભિમાનવૃત્તિ તેમને સાંભળી કે જોઈને જ આરામથી અનુભવી શકાય છે. તેમનું સાધુસંતપણું ધાર્મિક – આધ્યાત્મિક ઓછું અને ભૌતિક વધુ માલૂમ પડે છે.
* સુંદર બાંધકામ અને વિશાળ પરિસર એ બાબતની સાબિતી નથી કે તે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ છે. આ એક પ્રકારની બનાવટ છે, છળ-કપટ છે. ધ્યાનથી જોશો તો તેમાનું ઘણુંબધું મસ્જિદ અને મુસ્લિમ ધર્મને મળતું આવશે. તેમના દરેક શિલ્પ, સાહિત્ય, પ્રવચન પાછળ એક પ્રોપોગેન્ડા જોવા મળશે. તેઓ કઈપણ કરશે તેમાં ક્યાંક ઊંડે કોઈ ચાલ દેખાશે. મોક્ષ અને કર્મના નામ પર તેઓ નિર્દોષ અને ભોળી પ્રજાને મૂરખ બનાવતા આવ્યા છે. તેઓ પોતાના ગુરુને ભગવાનનું સ્વરૂપ કહીને સ્થાપિત કરી રહ્યા છે. ગુરુને ભગવાન બનાવી ભગવાનના નામે અંધભક્તો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે.
* સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ સમજી વિચારીને ભગવો રંગ પસંદ કર્યો છે પણ તેમની જીવનશૈલી તેનાથી તદ્દન વિપરીત છે. તેઓ મીઠાઈ – ડ્રાયફ્રૂટ ખાઈ છે, મોંઘાદાટ મોબાઈલ – લેપટોપ – કાર વાપરે છે, પ્લેનમાં ફરે છે અને એ.સી.માં બેસે છે. બીજાને સંન્યાસની દીક્ષા આપે છે પણ તેમના પરિવારમાંથી કોઈ સંન્યાસી બનતું નથી. તેઓ પોતાની સેવા કરાવવા માટે સામાન્ય માણસોને સંન્યાસી બનાવે છે. જીવનભર હરિભક્તો પાસેથી મફતમાં સેવા-મેવા મેળવતા રહે છે. માત્ર તેમના બનાવેલા કથિત ભગવાનના નામ પર..
* ઘનશ્યામ પાંડેને એક દેહધારી મહાપુરુષ કહી શકાય પણ તેમના અનુયાયીઓને તેમને ભગવાન બનાવવાનું ભૂત વળગ્યું અને આમ એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. સનાતન ધર્મમાં સંપ્રદાય, પંથ, વાડા, જૂના મંદિર, નવા મંદિરના નામે વિભાજનની શરૂઆત કહી શકાય કે, આ કોઈ હિંદુ સંપ્રદાય નથી. સંનાતનમાંથી અલગ થયેલાઓનો એક સમૂહ છે. તેમની માન્યતાઓ, આચરણ, પૂજા, પુસ્તકો વગેરેને કારણે તેમને હિંદુ કહેવું જરા પણ યોગ્ય નથી.
* શ્રી કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર લઈ કોઈપણ પાજીપલાવ જન્મે છે અને તેમના અનુયાયીઓ તેને ભગવાનથી પણ મહાન ગણાવી નવા સંપ્રદાયની સ્થાપના કરે છે. ધ્યાનથી સમજશો તો તેમની વૃત્તિ-પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્રને માત્ર પોતાના વ્યક્તિઓ-વિચારોનું સ્થાપન કરી સ્વયંનો સ્વાર્થ સંતોષવાનો જ હોય છે. તેઓ એટલું સમજી શકતા નથી કે, ઘનશ્યામ પાંડેજી પોતે સો વર્ષ જીવી ન શક્યા અને બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે તો તેઓ બીજાને અક્ષરધામમાં કેવી રીતે લઈ જઈ શકે? ઘનશ્યામ પાંડેની શૈક્ષણિક લાયકાતનો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. તેઓએ વેદ, ઉપનિષદ, તત્વજ્ઞાન વગેરે ધાર્મિક ગ્રંથો વાંચ્યા કે સાંભળ્યા પણ નથી. સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી.
* સનાતનમાંથી જ ઈસ્કોન, ડેરા સચ્ચા સૌદા, આશુતોષ મહારાજ, સાંઈબાબા, સત્યસાંઈ, નિરંકારી, જયગુરુજી, રામકૃષ્ણ મિશન, સ્વામીનારાયણ, ગાયત્રી પરિવાર વગેરે છૂટા પડ્યા છે. આ તમામ કલ્ટ કોર્પોરેટ કંપનીઓ જેવા છે, જેની કમાણી પર માત્રને માત્ર તેમના સંચાલકોનો ઈજારો છે. અને તેમની કમાણી થાય છે ક્યાંથી? આપણા જેવા સનાતનીઓના ખિસ્સા ખંખેરી. ભક્તોને જરૂર પડે તેઓ લોન આપવા બેઠા નથી, ભક્તો પાસેથી લઈ બધું લેવા હાજરાહાજુર છે. જો ધ્યાનથી સમજશો તો શંકરાચાર્યજી દ્વારા કલ્પના કરાયેલા વાસ્તવિક હિંદુ ધર્મે જ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત કરી હતી, પરંતુ ગુરુઘંટાલોને કારણે આ ભક્તિકાળ લગભગ લુપ્ત થઈ ગયો. અને જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા તેમની પર બાળકો – મહિલાઓના શોષણથી લઈ મનીલોન્ડરિંગ સુધીના આરોપ લાગતા આવ્યા છે. તેઓ અંદરોઅંદર પણ ઝગડતા રહે છે. ખાનગીમાં ગરીબ-પીડિતને છેતરતા રહે અને જાહેરમાં સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે. તેમાના કોઈ દૂધે ધોયેલા નથી. આ મામલે આપણે જ દુર્બુદ્ધિ દૂર કરી સદ્દબુદ્ધિ કેળવવાની જરૂર છે. ત્રિદેવ ક્યાં ટૂંકા પડે છે કે આપણે તિલકવાળાને શરણે જવું પડે છે?
* સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે. બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે. જો ભવિષ્યમાં પણ સ્વામિનારાયણ જેવા સંપ્રદાયનો આ રીતે જ પ્રચાર-પ્રસાર થતો રહેશે તો એક દિવસ સનાતનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..
* સ્વામી નારાયણ સંપ્રદાયની ક્યારેય માનવામાં ન આવે તેવી માન્યતાઓ
• સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે. હજારો બ્રહ્માના, હજારો શિવના, હજારો બ્રહ્માંડો છે, તે બધા એક માત્ર શ્રીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ના નિયંત્રણ હેઠળ છે. અનંતકોટી બ્રહ્માંડના સર્જક અને સંચાલક ઘનશ્યામ પાંડે છે!
• જેઓ સ્વામિનારાયણ ભવન અક્ષરધામ ધામને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય ભૌતિક જગતમાં પાછા ફરતા નથી, પરંતુ જેઓ ભગવાન કૃષ્ણ (ગોલોકધામ) અને ભગવાન રામ (વૈકુથધામ) પ્રાપ્ત કરે છે તેઓને પૃથ્વી પર આવવું પડે છે અને તેઓ ક્યારેય જન્મ-મરણ ફેરામાંથી મુક્ત થતા નથી.
• જ્યારે સહજાનંદ સ્વામીના ભક્ત મૃત્યુની નજીક હોય છે ત્યારે સહજાનંદ સ્વામી પોતે તેમના પ્રિય ભક્તને અક્ષરધામ (ભગવાનના નિવાસસ્થાન) લઈ જવા માટે આવે છે અને જ્યારે શ્રી કૃષ્ણ, શીવજી કે રામજી પોતાના ભક્તોને મૃત્યુ સમયે તેમના નિવાસ સ્થાને લેવા માટે આવતા નથી. હરિ.. હરિ..
– ભવ્ય રાવલ (રાજકોટ)લેખક.પત્રકાર
https://youtu.be/On_FR5RXnj0?si=s8_HGGzB0ZlsYYHm
)https://youtu.be/On_FR5RXnj0?si=s8_HGGzB0ZlsYYHm
https://www.youtube.com/live/T2ERKGYDceo?si=3GZmRBZ3d8u4AfOi
https://youtu.be/g30ahqlAnB8?si=-P98WepE2y4dYjby
https://www.youtube.com/live/M6T17LOUgTw?si=rsMXxj99V-gil650
https://youtu.be/z1xQBQSx2ts?si=uUuRO0XnexYRlbP-
https://youtu.be/bPwKTERoE6Y?si=H59Qr5rxYRSCGgnB
અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચાર.વિડિયો.ફોટા જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમછતાં કોઈ ને કાઈ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરી તેવા સમાચાર.વિડિયો.ફોટા અહીથી હટાવી શકે છે..તંત્રી
************************************
સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચના કરવાનું શું કારણ છે?
કેટલાંક મિત્રોએ સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચનામાં સમય બગાડવો ન જોઈએ તેવી સલાહ મને આપી તો કેટલાંક સત્સંગી ભક્તોએ પણ રજૂઆત કરી છે :
[1] તમને સ્વામિનારાયણ મંદિરમાં સારો ઉતારો મળ્યો નહીં હોય કે ભોજન મળ્યું નહીં હોય કે મહત્વ મળ્યું નહીં હોય એટલે દ્વેષથી તમે ટીકા કરો છો !
[2] તમે ધર્મમાં માનતા નથી એટલે ધાર્મિક વિવાદમાં પડવું ન જોઈએ. માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ લખો છો, અન્ય સંપ્રદાયો વિશે કેમ લખતા નથી ?
[3] સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતની સાધુઓ કથાકારો બધાં સરખા છે. ક્યાં તર્કને કોઈ સ્થાન નથી; રેશનાલિઝમને કોઈ સ્થાન નથી; એટલે ટીકા-ટિપ્પણીમાં સમય બગાડવાનો અર્થ નથી.
સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિવાદ તેમનો અંગત છે, તેથી વિવાદથી દૂર રહેવું જોઈએ.
થોડી સ્પષ્ટતા :
[1] હું ઘણા સ્વામિનારાયણ સંતોને નજીકથી ઓળખું છું. તેમાના કેટલાંક સંતોને પોલીસ સર્વિસ દરમિયાન મેં મદદ કરેલી છે. અસામાજિક તત્વોના ત્રાસ દૂર કરવા મદદ કરી છે. સરકારી કાર્યક્રમ કે બંદોબસ્ત દરમિયાન પ્રમુખસ્વામીને અનેક વખત મળેલો છું. ચર્ચા કરી છે. તેમની સાથે મંચ ઉપર બેઠો છું.સરકારી કામે કે મહેમાનો સાથે અક્ષરધામ ગાંધીનગર-દિલ્હી/ વડતાળ/ ગઢડા/ જૂનાગઢ/નડિયાદ/ધોલેરા/ભૂજ/આટકોટ/ અમદાવાદ/ સાળંગપુર વગેરે સ્થળે મેં સ્વામિનારાયણ મંદિરોની મુલાકાતો લીધી છે,
ત્યારે મૂર્તિઓને ધરાવેલ ફૂલહારથી અમારું સન્માન કરવામાં આવ્યું છે. સ્વામિઓ મીઠાઈ લઈને મળવા આવે એટલે ઉતારો ન મળ્યો/ ભોજન કે મહત્વ ન મળ્યું તે કારણે હું સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચના કરું છું તેમાં તથ્ય નથી.
સ્વામિનારાયણના સ્વામીઓ હંમેશા પોલીસ/રેવન્યૂ અધિકારી / જજ/ સત્તાપક્ષના નેતાઓનું ઉમળકાથી સ્વાગત કરતા હોય છે. ત્યાં ગરીબ/વંચિત સત્સંગીને મહત્વ મળતું નથી તે મેં જોયું છે.
આ સંપ્રદાયની આલોચના કરવાનું કારણ એ છે કે તેમના તમામ ફિરકાઓ લોકોને મૂર્ખ બનાવે છે, છેતરે ઠગે છે. તેમનું સાહિત્ય પરચા/ ચમત્કારોથી ઠસોઠસ ભરેલું છે;
તે કોણીએ ગોળ લગાડવાની યુક્તિ છે. અક્ષરધામના નામે લોકો ને ઠગે છે. મોક્ષ અપાવવાની વાત કરી ભક્તોનું ધન હરી લે છે. સાધનશુદ્ધિનો બિલકુલ આગ્રહ હોતો નથી !
[2] એવા કોઈ ધર્મ/સંપ્રદાયમાં હું માનતો નથી જેમાં નૈતિકતા/ વસુધૈવ કુટુમ્બકમને સ્થાન ન હોય. માત્ર ટીલાંટપકાં/બાહ્યાચાર માં હું માનતો નથી. ધર્મના વિવાદમાં એટલે પડવું જરુરી છે કે ધર્મ/સંપ્રદાયો પ્રગતિશીલતાને અવરોધે છે.
સમાજમાં અસમાનતા/ શોષણ/ અન્યાય ટકી રહે તેવા વિચારો ફેલાવે છે. સમાજમાં નાગરિક ઘડતરને બદલે ભક્તઘડતરને મહત્વ આપે છે. જન્મગત વર્ણવ્યવસ્થાને/ અસ્પૃશ્યતાને ટકાવી રાખે છે. વિધવા વિવાહનો વિરોધ કરે છે. મહિલાઓને અછૂત ગણે છે. સંપ્રદાયમાં કે સંગઠિત ધર્મમાં ભલે માનતા ન હોઈએ પણ ધર્મના નામે થતાં શોષણ/ ઠગાઈ/ અન્યાયનો વિરોધ કરવો તે નાગરિક ધર્મ છે.
માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધ લખું છું.એવું નથી, બીજા સંપ્રદાયોના પાખંડ વિશે લખ્યું છે. જે સંપ્રદાયોને નજીક થી જાણતા હોઈએ તેના વિશે ન લખીએ અને જેના વિશે જાણતા ન હોઈએ તેના વિશે લખીએ તે ઉચિત કહી શકાય નહીં
[3] ‘સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિવાદ તેમનો અંગત છે, તેથી વિવાદથી દૂર રહેવું જોઈએ.’ આ દલીલ સારી લાગે છે, પણ ખતરનાક છે. કોઈ પણ વિવાદ થાય તો તેમાં સત્યને પડખે ઊભા રહેવું તે આપણો નાગરિક ધર્મ છે. સનાતની સાધુ/ સંતો ખોટું કરતા હોય તો તેનો પણ વિરોધ થવો જોઈએ.
પરંતુ સાળંગપુર હનુમાનજીની મૂર્તિનો વિરોધ થવાનું કારણ 2014 પછી સ્વામિનારાયણ સંતોનો વાણી વિલાસ બહુ વધી ગયો હતો, એકલદોકલ ઊહાપોહ થતો હતો, પરંતુ હનુમાનજી ની મૂર્તિને ચાકર તરીકે રજૂ કરી તેથી આક્રોશ ભભૂકી ઊઠ્યો છે
ઉપરાંત તેમના સાધુઓની કામલીલાઓના કિસ્સાઓ બન્યા કરે છે. તેમના સાહિત્યમાં એવું લખેલ છે કે “સહજાનંદજી ‘સર્વોચ્ચ ઈશ્વર’ છે. રામ/કૃષ્ણ/ શિવ કરતા પણ ચડિયાતા છે !” ત્યારે કરોડો લોકોની આસ્થા સાથેની આ ગંદી રમતનો પર્દાફાશ કરવો જરુરી બને છે.
પાખંડથી/ પરચાથી ‘સર્વોચ્ચ ભગવાન’ બની શ્રદ્ધાળુ લોકોના ધનહરણનો દુષ્ટ ઈરાદો જો ધર્મ-સંપ્રદાયો રાખે, તે માટે જૂઠ્ઠું સાહિત્ય ઊભું કરે, તો તેનો વિરોધ થવો જ જોઈએ. આવા સ્વાર્થી અને જૂઠા સંપ્રદાયોને મોકળું મેદાન આપવાથી સમાજને મોટું નુકસાન થાય છે.
પાખંડીઓના કારણે જ સમાજમાં જાતજાતની સમસ્યાઓ ટકી રહી છે. કોઈ પણ વ્યક્તિ, કોઈપણ પથ્થરને સર્વોચ્ચ ઈશ્વર માને તે સામે વાંધો હોઈ શકે નહીં; પરંતુ જ્યારે તે વ્યક્તિ એવું સાહિત્ય ઊભું કરે કે મારો ‘પથ્થરવાળો સર્વોચ્ય ઈશ્વર’ રામ/કૃષ્ણ/ ઈશુ કરતા મહાન છે તો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રશ્ન ઊભો થાય છે, જે ચલાવી શકાય નહીં.
ધર્મના નામે પણ જૂઠાણાં ફેલાવવા તે ગુનો છે, અનૈતિક કૃત્ય છે પાખંડની આલોચના કરવાથી વૈજ્ઞાનિક અભિગમનો રસ્તો સરળ બને છે. પાખંડની ટીકા-ટિપ્પણીથી લોકો શોષણનો ભોગ બનતાં અટકે છે.
આ સંપ્રદાયનું પરચા સાહિત્ય સાળંગપુરના ભીંતચીત્રો જેવું જ છે; કેટકેટલું કઢાવશો? પ્રતિબંધિત કરશો? પરચા સાહિત્ય વૈજ્ઞાનિક અભિગમની હત્યા કરે છે; એટલે આલોચના પ્રાસંગિક બની જાય છે.
સૌથી મોટો સવાલ એ છે કે જૂઠાણાં ફેલાવી પંથને મોટો કરનારા ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ સ્વામીઓ’ સમાજમાં નૈતિકતા દ્રઢ કરી શકે?rs
[ફોટો : સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, ભાગ-1, પેજ-109. પ્રકાશક : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન]