લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શાસક પક્ષ દ્વારા ગુજરાત માં નવા ચહેરાઓ ને ભાજપ મેદાન માં ઉતારે તો નવાઇ નહી..ગુજરાત ના નવસારી સાંસદ ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ અભૂત પૂર્વ ફેરફારો એક ચક્રી સ્વભાવગત સંગઠન નું શાશન પોતાના પૂજારી સંગઠન ના હોદ્દાઓ આપી સંગઠન ચલાવવામાં સી.આર પાટીલ સફળ રહ્યા છે અને મોટાભાગના નવા નિશાળિયા ઓને હોદ્દાઓ આપી કમલમ આજે પણ ચાલીરહ્યું છે
.સંગઠન માં જાણે સરમુખત્યાર શાશન હોય અને જાણે મોદીજી ને પાટીલ એમ કહી રહ્યા હોય કે તમારે રીઝલ્ટ થી મતલબ રાખો અને હું જેમ ચલાવું ચલાવવા દો અને કેન્દ્રીય નેતાગીરી એ જાણે છૂટો દોર આપ્યો હોયતેમ પરિણામ લક્ષી સરમુખત્યાર શાહી પાટીલ જી એ ચલાવી ગુજરાત ભાજપ માં અહીતિહાસિક જીત નો નો વિક્રમ તોડી બતાવ્યો છે.. એક પણ દિવસ ફ્રી બેઠા વિના પાટીલ સુરતના તેમજ સાઉથ ગુજરાતના જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં મુલાકાતો ગોઠવી નાના મોટા કાર્યક્રમો માં હાજર રહીને સતત જાગૃત રહેતા પણ ભાજપના તમામ લોકોને જોવા મળે છે અને સતત કાર્યશીલતા તે ઉડીને તેમની આંખે પણ વળગે તેવી છે તેવી સતત મીડિયા પ્રસિદ્ધિ ઉપરથી પણ ઉચ્ચકક્ષાએ નોંધ લેવાય છે.156 સીટ ની અભૂતપૂર્વ સિદ્ધિ કોઈ નાની સુની ઘટના નથી… માસ્તર મારે નહીં અને ભણાવે નહીં તેવા કેટલાક કહ્યાગરા લોકોને માત્ર શોભાના ગાંઠિયા ની જેમ સંગઠનમાં ગોઠવીને માત્ર પક્ષની વેશભૂષામાં કાર્યક્રમોમાં હાજર રહેવાથી બીજી કોઈપણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવતી નથી. તેવી જ રીતે મોદીજી એ ડબલ એન્જિનની સરકાર નામ આપ્યા પછી સતત મુખ્યમંત્રી ના સંપર્કમાં રહીને પાટીલ સંગઠનનું તેમજ સરકારનું ઘણું બધું સંભાળી રહેલા પણ જોવા મળે છે.જરૂર પડે સંગઠન ના લોકો ને વિવાદ થતાં કાઢી મૂકતા પણ પાટીલ અચકાતા નથી.આમ પોઠયાગીરી ભાજપ ને કોઠે પડી ગઈ છે પરિણામે તટસ્થ સ્વ સ્વભાવ થી રાજકારણ મા રહેવા ટેવાયેલ અને બોલકા લોકો ને આ ભાજપ સંગઠન માં કોઈ અવકાશ નથી તેવું ઘણા લાંબા સમય થી દેખાઈ રહ્યું છે .કેમકે ભાજપ ના પાયા માં રહેલા આજે પણ ઘણા લોકો વર્ષોથી ભાજપ શાશન માં હીંચકે ઝુલી રહ્યા છે.
પાટીલની વધુ પડતી લોકપ્રિયતા ના કારણે સંગઠનમાં આંતરિક ચરુ ઉકળતો જોવા મળતા ઘણા લોકોએ આદિવાસી સમાજના ગણપત વસાવા તેમજ સાંસદ મનસુખ વસાવા ના નામો પણ પાટીલ વિરોધી પત્રિકા કાંડમાં ઉછળ્યા છે પરંતુ સંગઠને ઘીના ઠામમાં ઘી ઠારી દીધેલું હાલમાં જોવા મળે છે.
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખુદ જિલ્લા પ્રમુખ દારૂ અને જુગારની રેડમાં પકડાયા જોવા મળે છે તેમજ ગુનેગારી માં પણ નામ ઉછળતા સંગઠનના ઘણા લોકો ના નામો બહાર આવે છે આવા સંજોગોમાં પણ કમલમથી પાટીલ ડેમેજ કંટ્રોલ ટીમને કાર્યરત કરતા ઘીના ઠામમાં ઘી ઠારી રહેલા સતત જોવા મળ્યા છે.
તાજેતરમાં જ પાટીલ વિરુદ્ધ પત્રિકા કાંડ તેમજ જામનગરના સંગઠનના જ સાંસદ અને ધારાસભ્ય અને મેયર મહિલાઓના આંતરિક મતભેદો ચરમશીમાએ પહોંચતા મામલો કમલમ પહોંચતા સંગઠનની જવાબદારી સ્વકરી પાટીલ સક્રિય થઈ ત્રણેય મહિલાઓ ને શાંત પાડેલું યુદ્ધ સમગ્ર જનતાએ જોયું છે..અને મહિલાઓ ના સંગઠન ના કહેવાથી નિવેદનો પણ આપેલા છે..
એક બાજુ ગુજરાતની દારૂબંધી તેમજ સર્વોચ્ચ જાણે સાઉથ ગુજરાતમાં મોટાભાગે દારૂની રેલમછેલ હોય અને બુટલેગરો ગેલમાં હોય અને પોલીસ અને બુટલેગરની આંતરિક જૂથ બંધી થી બધું હેમ ખેમ ચાલ્યા કરે છે. સુરતના ધારાસભ્ય જ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હોવા છતાં પણ ગુજરાતમાં બનતી અનેક ગુનાખોરીની ઘટનાઓ તેમજ પોલીસની ધરપકડ અને ગુનાખોરીમાં સંડેવાયેલી ની વાત ને કડક હાથે કામ લેવામાં સતત નિષ્ફળ રહ્યા હોવા છતાં પણ પાટીલજી તેમને સંભાળીને એમ કેમ રીતે સરકાર અને સંગઠન નિભાવી રહ્યા છે.
આવા સંજોગોમાં ભાજપની કેન્દ્ર નેતાગીરીએ ગુજરાતના એક પણ સંગઠનના વ્યક્તિને કેન્દ્રની નેતાગીરીમાં સ્થાન નહીં આપીને ચોકી ઉઠવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે અને ગુજરાતના સંગઠનના તમામ લોકોને ગર્ભિત એવી ચીમકી પણ આપી છે કે સત્તાના મધમા હજુ બહેકી જશો નહીં હજુ આપણે ખૂબ આગળ વધીને સમગ્ર ભારત કવર કરવાનું છે.
આવા સંજોગોની અંદર જેમ મહારાષ્ટ્રમાં રાજકીય તોડફોડ કરીને ભાજપ તેનું સ્થાન સાચવી રાખવામાં સફળ રહી છે તેવી રીતે ગુજરાતના પણ સી આર પાટીલને કેન્દ્રનેતાગીરીમાં ક્યાંય સમાવે તો નવાઈ નહીં અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનો નવો ચહેરો પણ લાવીને ગુજરાતના સંગઠનને નવી દિશા આપે તેવું ચર્ચા રહેલું છે. બીજા સાંસદોમાં ઘણા લાંબા સમયથી સુરતના દર્શના જરદોશ ને કેન્દ્રીય મંત્રી પદ પણ આપવામાં આવ્યું છે તેમજ સંગઠનમાં પણ તેઓ ઘણી બધી જગ્યાએ વાદવિવાદ હોવા છતાં પણ તેમની સતત હાજરી અને સંગઠન સાથે ની કામગીરી લોકપ્રિયતા બની છે તેમ છતાં તેમને પણ કેન્દ્રીય કોઈ મહિલા કક્ષાએ ઉચ્ચ સ્થાન આપે તો નવાઈ નહીં અને અહીંયા નવો ચહેરો પણ ભાજપ મૂકી શકે છે.
ભરૂચના આદિવાસી નેતા એવા મનસુખ વસાવા પણ આદિવાસી સમાજમાં ભાજપમાં આંતરિક ઊકળતો ચરું તેને ઠાલવવામાં સફળ રહ્યા હોવાથી ઘણા બધા અધિકારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હોય અને વિભસ્થ વર્તન કરીને બીબસ્ત ભાષામાં વાતો કરતા વિડીયો પણ વાયરલ થયા હોય તેમ છતાં આદિવાસી સમાજનું એક સારું નેતૃત્વ ટકાવી રાખવામાં ભાજપ મનસુખ વસાવાને પણ ક્યાંક સંગઠનની અથવા તો મોટી જવાબદારી આપીને તેમના સ્થાને બીજા કોઈને મૂકી શકે છે.
તેવી રીતે અમદાવાદમાં એકદમ મુક સાંસદ પ્રતિનિધિ છાપ ધરાવતા કહ્યાગરા એવા સાંસદ કિરીટ સોલંકી છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાયા છે અને કોઈપણ વાદ વિવાદની અંદર ફસાયા વિના તેમણે પણ તેમની પ્રતિષ્ઠા જાળવીને મહાનગરના સાંસદ તરીકેની છાપ ઊભી કરી છે જેથી તેમને પણ ક્યાંક સંગઠનમાં મુખ્ય જવાબદારીમાં ભાજપ મૂકીને સંગઠનને આંચકો આપે તો નવાઈ નહીં.
મોદીજી ની લોકપ્રિયતા ગુજરાત બહાર કેન્દ્રમાં તેમજ ભારતના ઘણા બધા રાજ્યના પ્રજાજનોમાં વધતી જતી હોવાથી વિપક્ષી સંગઠનને જોઈએ તેટલો લાભ પ્રજા મતમાં મળતો નથી જેનો ફાયદો ઉઠાવી ભાજપ કેન્દ્રીય નેતાગીરી આંતરિક મોટા ફેરફારો કરીને પણ બદલાવ લાવવા માંગે છે તેવી જ રીતે વિદેશોની અંદર પણ મોદીની કામગીરી ની સરાહના થાય છે તેમજ વિદેશના કાર્યક્રમોની અંદર પણ મોદીજીની એક ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય છે વિશ્વ મા NRI મોદીજી ના ભારત બદલાવ માં સાથ આપી ખભે ખભા મિલાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી કોઈપણ અખતરો કર્યા વિના ગુજરાતના સાંસદોમાં બદલાવ લાવીને પણ એક ગુજરાત મોડેલ જે નામ આપ્યું છે તેને સાચવી રાખવા કટિબદ્ધ છે.જેમ હમણાં રાજયકક્ષા ના સાંસદ માં જેના નામો આગળ હતા તેમાંથી એક પણ નામ નહિ અને ચોંકાવી દે તેવા નામો જાહેર કરી ગુજરત સંગઠન ને મોટો હાચકો આપ્યો..અને નિરીક્ષક ડ્રામા ખુલ્લો પડી ગયો..
ગુજરાતની વિપક્ષની નેતાગીરી ની અંદર પણ જે રીતે કોંગ્રેસમાં બદલાવ લાવીને સાંસદ એવા શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાયા છે તેવી જ રીતે આમ આદમી પાર્ટી એ પણ યુવા ચહેરા અને મીડિયાના જુના જાણીતા તેવા ઈશુદાન ગઢવી ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે ત્યારે વિપક્ષોની અંદરથી પણ કોઈપણ જાતનો મુદ્દો ઊભો કરવામાં આવે તેને ભાજપ સંગઠન પૂરેપૂરી તાકાતથી સામનો કરીને પ્રજાને સાચી ઓળખ આપવામાં ક્યાંય ઊણું ઊતર્યું નથી.
સી આર પાટીલ દ્વારા જાહેરમાં ગર્ભિત રીતે આંતરિક રીતે કે રૂબરૂ બોલાવીને પણ ગુનાગીરી સાથે સંકળાયેલા ભાજપના લોકોને એકદમ કડક રીતે ડામી દેવા કવાયત હાથ ધરવામાં આવી છે તેમજ જે કોઈ પોલીસ કેસો ચાલી રહ્યા છે તેની અંદર પણ કાયદાકીય રીતે હસ્તક્ષેપ કરીને તેને પણ શાંત રાખીને કોઈપણ નવા પ્રશ્નો પ્રજામાં ઊભા ન થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.
તેમ છતાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથડેલી હોય તેવું જોવા મળે છે પોલીસના નીચેના લેવલના કર્મચારીથી ઉચ્ચકક્ષા સુધી પણ હપ્તાખોરી અને ભ્રષ્ટાચારની વાતો પણ ઠેક્ ઠેકાણે સાંભળવા મળે છે તેને અંકુશમાં લાવવા ડબલ એન્જિનની સરકાર હજુ આજે પણ ફેલ હોય તેવું જોવા મળે છે અને પોલીસ કર્મચારીઓ પણ આજે ગુનાગીરીની અંદર પકડાય છે તેમજ લાંચ-રુશ્વત ખાતાની અંદર પણ પકડીને અધિકારીઓને જાહેર કરવામાં આવે છે જેને આ ડબલ એન્જિનની સરકાર હજુ પણ અંકુશ લાવી શકી નથી તેવું કહી શકાય.
આમ ગુજરાત લોકસભામાં ઉપરોક્ત તસવીરમાં દેખાતા ચારેય સાંસદોને ભાજપની કેન્દ્રીય નેતાગીરી મોટા ફેરફારો કરીને તેમની કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને કોઈ મહત્વના હોદ્દાઓ આપીને ગુજરાતના સંગઠનને નવી દિશા આપી શકે છે તેવું લોક ચર્ચામાં તેમ જ રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે. જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનના લોકોની ધારણાથી વિરુદ્ધ જ ટિકિટો ફાળવીને જે રીતે ભાજપ 156 ની બહુમત લાવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે રીતે લોકસભાની અંદર પણ નવા ચહેરાઓ મૂકીને સંગઠનની નવી દિશા નક્કી થાય તો નવાઈ નહીં. તેવી જ રીતે ભ્રષ્ટાચાર ની ફરિયાદો ચર્મ સીમાએ પહોંચતા ભાજપ ઈજ્જત બચાવવા જેમ રૂપાણી સરકારના તમામ મંત્રીઓને મુખ્યમંત્રી સહિત બદલાવ કરીને આખી નવી સરકાર મૂકીને પણ ભાજપે સત્તા પ્રતિષ્ઠા સાથે જાળવી રાખી છે તે કિસ્સો સંગઠનના તમામ લોકોએ ધ્યાનમાં લીધો છે કે ભાજપની ઉચ્ચ નેતાગીરી ક્યારે પણ કંઈ પણ કરી શકે. (અપવાદ ભ્રષ્ટ રાજકીય લોકો સંપત્તિ બનાવવામાં સફળ થયા છે તેમજ પરિવારજનો ને વિદેશ સ્થિત સંપત્તિ સાથે ગોઠવવામાં સફળ રહ્યા છે સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ ને પણ આંતરિક બદલાવ કરી સાચવી લેવાયા ના કિસ્સા નજર સમક્ષ છે.કાયદો વ્યવસ્થા સાથે શિક્ષણ ની પણ કથળેલી સ્થિતિ ડામાડોળ છે.આમ પૂર્ણ બહુમત નો પણ કાયદાકીય અને સત્તા ના ઓથાર હેઠળ મીડિયા અંકુશ કરી પૂર્ણ ફાયદો પણ ડબલ એન્જિન ની સરકાર લઈ રહી છે)
નોધ : અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ કોઈપણ જાતના રાગ દ્વેષ વિના પ્રાપ્ત થઈ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ કોઈ પણ વાંધાજનક સમાચારો કે ફોટાઓ લાગે તો તંત્રીનું ધ્યાન દોરીને અહીંથી દૂર કરી શકાશે. તંત્રી
******************************************