NG-289 -8-8-2023 pdf NG-290- 9-8-2023 pdf NG-291-10-8-2023 pdf
આજકાલ સીમા હૈદર સમાચારોમાં વધુ ચમકેલા જોવા મળે છે અને ભારત સરકાર પણ તેમની નાગરિકતા બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરેલી નથી. મળતી માહિતી અનુસાર તેર મેના રોજ સીમા હૈદરે ચોક્કસ પ્લાનિંગ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને સચિન મીણા નામના વ્યક્તિ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને તેની જ સાથે અત્યારે તેઓ સમાજિક રીતે રહે છે. રુબુપુરા ગામમાં સીમા હૈદર સચિન મીણા સાથે પોતાનું સામાજિક જીવન વિતાવી રહ્યા હોય તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. સીમા હૈદર એ જ્યારે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી લીધો ત્યારબાદ ભારતીય ઇમીગ્રેશન વિભાગે તેમ જ અન્ય એજન્સીઓએ તેમની અસંખ્ય વાર પૂછપરછ કર્યા બાદ કોઈપણ જાતના ઘેર વર્તણુક કે ગુનેગારીના કોઈપણ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી કે તેવા કોઈ સમાચારો પણ મીડિયાને પ્રાપ્ત થયા નથી તેમ છતાં હજુ સુધી ભારતના ઈમીગ્રેશન વિભાગે તેમની નાગરિકતા બાબતે કોઈપણ સ્પષ્ટતા પણ કરેલી નથી. સીમા હૈદર ને પહેલા પણ ચાર સંતાનો છે તેમ જ હાલમાં પણ તેઓ ગર્ભવતી હોય તેવા સમાચારો જાણવા મળ્યા છે. 2004 પહેલા ભારતીય કાયદા પ્રમાણે દંપત્તિ ને સંતાન હોય તો તેમને નાગરિકતા મળતી હતી પણ તે પછી કાયદામાં સુધારા કર્યા બાદ હજુ સુધી તે બાબતે કોઈપણ સ્પષ્ટતા કરીને સીમા હૈદર ની નાગરિકતા બાબતે પ્રશ્નો ઊભા જ છે અને સમાચારોમાં વારે ઘડીએ તેમના અવનવા સમાચારો સાંભળવા મળે છે.
હવે તો એટલે સુધી સંભળાયું છે કે સીમા હૈદર ને ભારતીય જનતા પાર્ટીના એનડીએ ના ભાગરૂપી એક રાજકીય પક્ષ એટલે કે રામદાસ આઠવલેના રિપબ્લિક પક્ષ દ્વારા સાંસદ તરીકે ચૂંટણી લડાવવાની ઓફર પણ કરવામાં આવી છે.
હવે એ જોવાનું રહ્યું કે સીમા હૈદર ને જો રાજકારણની અંદર પ્રવેશ આપવામાં આવે તો પછી તેમને કાયદાકીય રક્ષણ મળશે કે કેમ અને હજુ સુધી જો નાગરિકતા બાબતે ભારતીય ઈમીગ્રેશન વિભાગે સ્પષ્ટતા કરી નથી તો તેમને ચૂંટણી લડવા માટેની પણ પરમિશન આપવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
શું સીમા હૈદર ને આ બાબતે રાજકીય રંગે રંગાવીને રાજકારણમાં ગરમાવો લાવીને તેમને નાગરિકતા આપીને અથવા તો તેમના પૂર્વના ચાર પુત્રોને પણ નાગરિકતા આપીને કોઈ નવો વળાંક આવીને સમાચારોમાં ચમકશે કે કેમ તે જોવાનું રહ્યું. ભૂતકાળમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યુસુફ ખાન પઠાણ એટલે કે દિલીપકુમાર અભિનેતા (કે જેઓ ની પકાઇસ્તન માં પ્રોપર્ટી હતી અને અનેક વિવાદો સાંભળવા પણ મળેલા ,t3mnu ભારતીય નાગરિકત્વ હતું , અંધારી આલમના ડોન એટલે કે દાઉદ ઈબ્રાહીમ કાસકર પરિવાર પણ મુંબઈનો હતો અને અનેક પ્રોપર્ટીઓ મુંબઈમાં હતી અને વર્ષોથી તેઓ ગુનેગારીના વ્યવસાય સાથે સંકળાયેલા પાકિસ્તાન રહેલા ના સમાચારો કાયમી જાણવા મળે છે.તેમજ અનેક પાકિસ્તાની અભિનેત્રીઓ ભારતના મુંબઈના અનેક લોકો સાથે ફિલ્મના સંબંધો બનાવી ચૂકી છે તેમાંના કેટલા લોકોને કયા કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી કે કેમ તે બાબતેના પણ કોઈ સમાચારો જાણવા મળી શકતા નથી અને નવી પોલીસી પણ શું છે તે પણ હજુ સુધી ભારતીય ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટતા કરી નથી.
************************************
મંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજી ને દેશી દારૂ પી ગયા..(આદિવાસી વોટબેંક નું રાજકારણ)
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરપ્રાઇઝ સ્કૂલ વિઝિટ*
*Gnanvatsal Swami motivational speach*
*વટવા જૈન દેરાસર ઘરડાઘરમાં વડીલો નું દુઃખ હળવું કરવા હસી ખુશી હાસ્ય કાર્યક્રમ સ ભોજન આનંદ..વિકલાંગ સહાયક સેવા કેન્દ્ર.બાબુભાઈ*
*નોધ: આપની આસપાસ બનતી ઘટનાઓ.સમાચાર પાટનગર ના એકમાત્ર તટસ્થ મીડિયામાં પ્રસિદ્ધિ માટે અમોને અમારા વોટ્સ અપ 9824653073 ઉપર મોકલી આપો.*
****************************************
અહીં કોઈપણ રાગ દ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થઈ અને ફોટોગ્રાફ પ્રાપ્ત થાય જનજાગૃતિના ભાગરૂપે માત્ર પ્રસિદ્ધિ આપવા માટે ચોથી જહાંગીરના નિયમ મુજબ સમાચારો મૂકવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચારોની ખરાઈ કરીને તેવા સમાચારો અહીંથી દૂર કરી શકાશે. તંત્રી