ભારતીય જનતા પાર્ટી એ જ્યારથી કેન્દ્રમાં શાસનની ધુરાં સંભાળી ત્યારથી સમગ્ર ભારતના તમામ રાજ્યોની શાસક સરકારો અને તેના રાજનેતાઓનો અભ્યાસ કરીને તેમાં કંઈક રાજકીય બદલાવ લાઈને ભાજપનું શાસન અને સત્તા તમામ જગ્યાએ કેવી રીતે મેળવી શકાય છે તેનો મોદીજીએ અભ્યાસ કરીને એક નવી પ્રકારની રાજનીતિ નો દેશને અનુભવ કરાવ્યો છે.
ભાજપ એ તમામ વિપક્ષી રાજકીય પક્ષોના સત્તાધીશોમાં બે કે ત્રણ ભાગ કેવી રીતે પડે અને તેમની બહુમત કેવી રીતે તૂટી જાય તે પ્રમાણેની રાજનીતિ અપનાવી છે અને પ્રથમ શરૂઆત તો મહારાષ્ટ્રમાં શિવસેનાથી કરવામાં આવી હતી કે બાલા સાહેબ ઠાકરે અને તેમના બંને પુત્રો એકબીજાની સામસામે આવીને પોતપોતાની રાજકીય પાર્ટીઓ શિવસેનાના ખભે ઊભી કરીને સત્તા મેળવવા વલખા મારી રહ્યા છે. ત્યારે ભાજપ ઠાકરે પરિવારને સત્તા અપાવવામાં આશીર્વાદરૂપ નીવડી છે અને આ દરમિયાન જે કોઈ રાજકીય ગુનાઓ હતા અને જેની સામે ભારતીય જનતા પાર્ટી હતી તે અત્યારે જ્યારે ભાજપને ટેકો આપી રહી છે પાર્ટી ત્યારે અને ભાજપમાં જે લોકો સમય ગયા છે ત્યારે તેઓના ગુનાઓ ભુલાઈ જવામાં આવે છે તેવું દેખાઈ રહ્યું છે. તેવી જ રીતે એનસીપી શરદ પવાર ના પરિવારમાં પણ કેવી રીતે બે ભાગલા પડીને કોને કેવી રીતે ટેકો આપીને ભાજપ પોતાના હાથ નીચે રાખીને સત્તા મેળવવામાં સફળ નીવડે છે તે રાજનીતિનો પણ દેશ અનુભવ કરી રહ્યો છે.
એવી જ રીતે આમ આદમી પાર્ટી ની અંદર પણ લાવી શકાય તેટલા ને ભાજપ.માં લાવવાનો પ્રયત્ન કર્યો અને બાકીના દિલ્હીમાં સત્તા ભોગવી રહેલા લોકો એને કેન પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિમાં આવતા અપ્રમાણસાર મિલકતના કેસો થતા અત્યારે દિલ્હીના મંત્રી કક્ષાના અને નાયબ મુખ્યપ્રધાન કક્ષાના પણ જેલવાસ ભોગવી રહ્યા છે જે પણ સત્તાના શાસનમાં જ શાસક સરકારે બતાવી દીધું છે.અને ઈ ડી.સી.બી.આઇ તેના પરિણામો આદેશ અને કાયદ અનુસાર પ્રજાને બતાવી રહી છે…કેટલીક ઉચ્ચ સત્તાવાળાઓ એ પણ જાહેર કર્યું કે ઈ ડી અને સી.બી.આઇ ની સત્તાઓ જોખમી નુકશાનકારક સાબિત થતાં તેમાં ફેરફાર પણ કરવો જોઈએ પરંતુ સત્તા આગળ તેમના શાણપણ પણ ફેલ સાબિત થયા…અનેક જુઠ્ઠાણાં પણ સાચા સાબિત પુરાવાઓ નાશ થતા ગયા તેમ થતાં ગયા…
ગુજરાતમાં પણ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસક સરકારની અંદર પણ વિપક્ષી કોંગ્રેસના ઘણા બધા મોટા માથાઓને ભાજપમાં લાવીને પણ ભાજપે પોતાની સત્તા ટકાવી રાખી છે અને વિપક્ષી નેતાઓને ભાજપમાં લાવ્યા બાદ તેમને આપેલા વચનો પણ પુરા કરવા માટે તેમને મંત્રી પદો અને તે સિવાયના પણ ઘણા ઉચ્ચ પદો આપીને સારી એવી રાજકીય લહાણી કરીને નવીન પ્રકારની રાજનીતિ ભાજપે ગુજરાતમાં પણ બતાવી છે. અને શાસક સરકારમાં અને વિપક્ષમાં આવા જે કંઈ લોકો હતા તે લોકો ભાજપને તાબે થતા તેઓએ કરેલા ગુનાઓને પણ કેવી રીતે ભાજપ ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા નબળા પાડીને બધું શાંત કરીને તેમની છબીઓ પણ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે જેનો પણ અનુભવ ગુજરાતની જનતા જોઈ અને કરી રહી છે કે જેઓ એવા ગુનેગાર હતા કે જેની સામે ભાજપની આખી સરકાર પડી હતી અને અસંખ્ય કેશો કરેલા હતા તેમ છતાં પણ તેવા વ્યક્તિઓને આજે ભાજપમાં ભેળવીને ધારાસભ્ય બનાવીને આ બધા જ ગુનાઓ એક પછી એક માફ કેવી રીતે થઈ શકે તેવી રાજનીતિ મોદી સરકાર બતાવી રહી છે.ભાજપ ના સાંસદ.ધારાસભ્ય.મંત્રીઓ જિલ્લા પ્રમુખ બીજા હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પણ બીભત્સ ભાષા પ્રયોગ.નશા માં ધૂત..ગેર કાનુની માં સંડોવાયેલ.ભાગેડુ બાદ હાજર કરી દૂધે ધોયેલા ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા પુરાવાઓ નાશ કરીને પણ કાયદાકીય રક્ષણ.લડત દ્વારા બચાવી પાછા આજે ટોપી અને પટ્ટા પહેરી કાર્યક્રમ મા જોવા મળે છે..અને હાજર રાખવામાં આવે છે . છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી મોટાભાગનો યુવા વર્ગ એવો છે કે જેને પૂર્વના શાસનની ખાલી વાતો સાંભળી છે અને હકીકતો તપાસવાનો પ્રયત્ન પણ કર્યો નથી પણ આધુનિક રાજનીતિના રંગે રંગાઈને ભાજપ ભાજપ કરીને ટોપી અને પટ્ટો પહેરીને કાર્યક્રમોમાં પોતાની શોભાઓ વધારીને મોટી વોટબેંક ભાજપ તેને બતાવી રહી છે.
બ્રીજભૂષણ જેવા સાંસદ ને બળાત્કારી પુરાવાઓ પોલીસ કબૂલી રહી હોવ છતાં કેટલા લાંબા સમય થી એક માત્ર વોટ બેંક ની ભીખ ખાતર તેને બચાવવાના અનેક પ્રયત્નો શાસક સરકાર આંતરિક કરી રહી હોવા છતાં ઉપર થી દેખાવ એવો કરે કે ફરિયાદી ને સરકાર ન્યાય અપાવશે….અનેક મોટા નેતાઓ.સંસ્થાઓ ફરિયાદી ની વહારે આવવા છતાં સરકાર આજે પણ બ્રીજભુષણ ને સંપૂર્ણ રક્ષણ કેવી રીતે મળે તે દિશામાં છે….સાથે સાથે ભાજપ શાશન માં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ને પણ ક્યારેય ના થયો હોય તેવો અનુભવ થયો છે કે કોઈપણ ભાજપ ના નેતા મીડિયા ના વ્યક્તિ સાથે ગમે તેમ એલ ફેલ વર્તન તેને પ્રશ્નો પૂછવામાં આવતા કરી શકે છે..અને સરકાર દ્વારા કોઈપણ પ્રકાર થી તટસ્થ મીડિયા ને ગોદી મીડિયા બનાવવામાં આવ્યા છે અને તટસ્થ મીડિયા કર્મી ભાજપ શાશન માં પોતાની અનુભવી ભૂમિકા અદા કરી શક્યો નથી જેનો અનુભવ ડગલે અને પગલે થઈ રહ્યો છે જેથી બિન અનુભવી પોપટ પ્રવક્તા ભાજપે નિમણુક કરીને માત્ર ભાજપ દ્વારા નક્કી કરાયા મુજબ માહિતી મીડિયા માં આવે તેવો બાલિશ પ્રયત્ન થઈ રહ્યો છે…મોટા ભાગના મીડિયા ને ભાજપ પોતાની રીત રસમ માં આર્થિક અને સરકારી કાયદાના જોરે તાબે કરી ચૂક્યું છે(અપવાદ janfariyafnews.& all our media)
ભાજપની સામે પડેલા સમગ્ર ભારતના જુદા જુદા રાજકીય પક્ષોમાં પૂર્વ મુખ્યમંત્રીઓ રહી ચૂકેલા પૂર્વ મંત્રીઓ,સાંસદ,ધારાસભ્યો રહી ચૂકેલા ને પણ ભાજપમાં કેવી રીતે ભેળવી શકાય અને તેમના ગુનાઓ કેવી રીતે માફ કરી શકાય અને કર્યા છે તેની રાજનીતિ પણ દેશની જનતા અનુભવ કરી રહી છે.
આમ કહી શકાય કે બધા જ કારણોમાં રાજકારણ એટલી નીચી કક્ષાનું ઊતરી ગયું છે કે જે કોઈ ભાજપમાં ભળે તેના બધા જ ગુનાઓ માફ કરીને તેને દૂધે ધોયેલા જાહેર કરીને ફરી પાછો તેનો વરઘોડો કાઢીને ભાજપ સત્તામાં પણ ભેળવીને બતાવે છે આમ સત્તા આગળ શાણપણ નકામું તેનો અનુભવ દેશની તમામ રાજ્યોની પ્રબુદ્ધ શિક્ષિત જનતા પણ કરી રહી છે.એટલે તો દેશ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ,ડોકટર,વકીલો,શિક્ષણવિદો પણ આ નવીન પ્રકાર ની રાજનીતિ નો અભ્યાસ કરી પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા વ્યવસાઇક રાજકીય ટેકો આપી રહ્યા છે જેમના પાર્ટી તરફથી જુદા જુદ સેલ બનાવી તેના ચેરમેન પણ જાણે ધારાસભ્ય હોય તેમ બનાવવામાં આવ્યા છે અને થવા વર્ગ ને ભાજપ પોતાની રીત રસમ માં ભેળવવામાં સફળ રહ્યો છે.
હાલમાં જ્યાં પણ ભાજપનું શાસન નથી એટલે કે આમ તો જોવા જઈએ તો આખા ભારતમાં માત્ર બે જ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી છે ચાર કે પાંચ રાજ્યોમાં તો ટેકા વાળી સરકાર છે અને બાકીના 15 થી વધારે રાજ્યોની અંદર તો ક્યાંય પણ ભાજપ ચિત્રમાં નથી તેવું જોઈ શકાય છે તેમ છતાં ટેકાઓ દ્વારા લોકસભા માં બહુમત દ્વારા કેન્દ્રમાં ભાજપનું શાસન છે અને 2024 ની જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિપક્ષો પણ બધા એકત્ર થઈને જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપની સત્તામાં પલટો લાવી શકાય.જેના માટે વિપક્ષો પણ તેમણે કરેલ ભૂલો ની સમીક્ષા કરવા અને એકજૂથ થઈ મોદીજી સામે લડવા અનેક બેઠકો કરી રહ્યા છે..જોકે અમુક પીઠ નેતાઓ ઉંમરલાયક થઈ ગયા હોવાથી તેમના વંશજો પણ એટલા તૈયાર કરી નથી શક્યા કે તેઓ પૂરતો રાજકીય સામનો કરી શકે….
એક બાજુ ભાજપ કોંગ્રેસ અને બીજા અન્ય લોકો ઉપર કાયદાકીય બદનક્ષી ના જુદા જુદા રાજ્યો મા પોતાના કાર્યકરો દ્વારા કેસ મુકાવી તેમને દોડાવી તેમને આ કોર્ટ થી પેલી કોર્ટ માં દોડાવી રહ્યા છે..
તાજેતરમાં તો જોઈ શકાય છે કે ગુજરાત સુરતમાં થયેલા સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા જે મોદી જ્ઞાતિ ઉપર રાહુલ ગાંધીની ટિપ્પણી વિષયક કેસ કરીને નીચલી અદાલતે તેમને બે વર્ષની સજા નો પણ હુકમ કર્યો અને જ્યારે રાહુલ ગાંધીએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો ત્યારે હાઇકોર્ટે પણ સ્ટે ના આપીને નીચલી કોર્ટની બે વર્ષની સજા નો હુકમ કાયમ રાખ્યો અને હવે તો જો રાહુલ ગાંધી હાઇકોર્ટની સામે સુપ્રીમમાં જાય તો તે પહેલાં પણ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સુપ્રીમમાં પણ અરજી કરી છે કે રાહુલ ગાંધી ને સજા સામે કોઈપણ સ્ટે આપતા પહેલા અમને સાંભળવામાં આવે તેવી કેવીએટ પણ દાખલ કરીને કોઈપણ ભોગે રાહુલ ગાંધી સાંસદ રહી ના શકે અને 2024 માં ચૂંટણી પણ લડી ના શકે તેવી આ પણ એક નવીન પ્રકારની કાયદાકીય રાજનીતિનો અનુભવ પ્રજા કરી રહી છે.અને કોર્ટ ના ન્યાયાધીશ દ્વારા પણ અનેક ક્લીન ચીટ પૂર્વ ના વિવાદિત ગુનાઓમાં પુરાવા ના અભાવે આપેલી છે…ગુજરાત ની જનતાએ કચ્છ ના માંડવી બીચ ઉપર થયેલ રાજકીય રાસલીલા જેવી પ્રેમ લીલા અને તેની પાછળ છુપાયેલ જાસૂસી કાંડ હનુમાન ની ભૂમિકા અને ત્યાર બાદ જાશુશી કાંડ સુપ્રીમો ને આપેલ રાજકીય પ્રમોશન ને જનતા આજે પણ જોઈ રહી છે જેની વિડિયો ક્લિપ અને પુરાવા દિલ્હી વિધાનસભા માં રજૂ કરવામાં આવ્યા હતા..ખેર..પુરાવાઓ હવે તો નાશ કરવામાં આવ્યા હશે….
.અત્રે એ પણ યાદ રહે કે ભાજપ ના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ ડાયમંડ જ્યુબિલિ બેંક કૌભાંડ માં જેલ વાસ ભોગવેલો છે અને 19 થી વધારે કેસ તેમની ઉપર થયેલા હતા…કેટલા માં જામીન અને હલ માં તમામ કેસ ની શું સ્થિતિ છે તે તો તેમના સ્થાનિક ગૃહ મંત્રી જ જાણતા હશે. રીતે પ્રથમ વાર ચૂંટાયેલ ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપર પણ તેમની જ્ઞાતિ ના મુખ્યમંત્રી દ્વારા સરકાર હિત માં અનેક કેસ કરી અમુક જિલ્લામાં તડીપાર કરવામાં આવેલ અને ગંભીર કેસ પણ ચલાવવામાં આવેલા પણ હાલમાં તેઓને ભાજપ માં ભળતાં દૂધે ધોયેલા સાબિત કરાશે………ને લોકો ભાજપ ને તાબે ના થયા અને તટસ્થ રાજકારણ બતાવવાનો પ્રયાસ કર્યો તેમાંના કેટલાક સ્વર્ગે સિધાવ્યા અને કેટલાક આજે પણ કહેવાતા ભાજપ ના તેવા પરિવારો માં કેટલાક ભાજપ ના તાબે થયા અને કેટલાક સાઈડ મા રહી ગયા છે જેમનો ભાવ પૂછવામાં આવતો નથી. હરેન પંડ્યા જેવા ના રાજકીય ખૂન થયા….તેમની પત્ની ને પણ અનેક લડત બાદ ન્યાય ના મળવાનો અહેસ કરતા આખરે ભાજપ માં વિલીન થયા…
વિપક્ષ માંથી ભાજપ માં આવતા લોકો ને સીધા મંત્રી કે ચેરમેન બનાવી તેમની કુનેહ અને તેમની મત બેંક નો ભાજપ ઉપયોગ કરી સત્તા ટકાવી રાખવામાં સફળ થતો ગયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની પણ પોલીસ ધરપકડ થયેલી અને જેલમાં લઈ જવામાં આવેલા…ગુજરાત હાઇકોર્ટ પણ એક વાર 16 એટલે કે તમામ એન્કાઉન્ટર ને નકલી નો ચુકાદો આપવામાં આવેલ અને રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓ ને પણ જેલ મા નાખવામાં આવેલા.. પરંતુ દિલ્હી મા ભાજપ સરકાર આવતા સુપ્રીમ માં કેસ આગળ વધતા પુરાવા ન અભાવે મોટા ભાગના એન્કાઉન્ટર નકલી માંથી અસલી થઈ ચૂકાદો આવતા ગુજરાત ના તમામ કાંડ માં ભાજપ ના લોકો ની ભૂમિકા આખી ક્લીન ચીટ થઈ ગઈ અને કહેવાતા હિન્દુ શાશન માં 28 વર્ષે પણ ગુનેગારો દૂધે ધોયેલા સાબિત થઈ તમામ ને કોર્ટ દ્વારા છોડી મુકાયા…એટલુજ નહિ પણ આજીવન સજા પણ માફ કરી મુક્ત કરવામાં આવ્યા…આઇપીએસ પોલીસ કર્મી ને પણ નવ વરસ નો જેલવાસ ભોગવ્યા બાદ ટ્રાન્સફર જેલ કરાવી કેસ ચલાવી પુરાવા અભાવે મુક્ત કરવામાં આવ્યા સાથે બીજા પોલીસ વાળા ને પણ મુક્ત કરવામાં આવ્યા…આ બધા નિવૃત્ત પણ જેલમાં થતાં તેમને ગુનાખોરી ના બલિદાન ગણાવી તેમને શક્ય તેટલા સરકારી લાભો પણ પ્રાપ્ત થયા….અને આ ગુજરાત ના જગ વિખ્યાત કાંડો માં જેમને જાન ગુમાવ્યા તેવા પરિવારો ને ભાજપ દ્વારા આ નવીન પ્રકાર ની રાજનીતિ નો અનુભવ કરાવી રાજકીય શ્રધ્ધાંજલિ અર્પી છે જેને દેશ અને દુનિયા ના લોકો જોઈ રહ્યા છે..
જ્યારે એક બાજુ દેશના તમામ રાજ્યોનો એક પ્રબુદ્ધ યુવા વર્ગ અને આજનો યુવાન પણ જોઈ રહ્યો છે કે મોદી સરકારના આવ્યા પછીનો વિકાસ અને તે પૂર્વેની સરકારોના વિકાસમાં કેટલો તફાવત છે અને દેશ દુનિયાની વચ્ચે ભારતને મોદીજી કયા સ્થાન પર લઈ જઈ રહ્યા છે તેનો પણ અભ્યાસ કરી રહી છે એટલે યુવા વર્ગ મોટેભાગે જોવા જઈએ તો મોદીજી એ કરેલા વિકાસના કામો ને વધુ પ્રાધાન્ય આપતો હોય તેવું જોવા મળે છે તેમજ વિદેશોમાં જઈને મોદીજીએ જે કંઈ ભારતનો વિકાસ બતાવ્યો છે અને વિદેશમાં વસતા ભારતીય લોકોને પણ રક્ષણ કેવી રીતે મળી રહે તે દિશામાં પણ ભારત સરકારે જે પ્રયત્નો કર્યા છે તે બાબતે જોતા એવું લાગે છે કે દેશનો મુખ્યત્વે યુવા વર્ગ પણ મોદીજીની તરફેણમાં હોય અને તેમની ગમે તેવી રાજનીતિને પણ સ્વીકારે તેવું દેખાઈ આવે છે.હવે 2024 લોકસભા ની ચૂંટણી માં ભાજપ કેવા નવા રાજકીય દાવ બતાવી 300 થી વધારે સાંસદ ચૂતાવી બહુમત બતાવે તે જોવાનું રહ્યું….
ખેડૂત. મટી મજૂર બનતા ગુજરાત ને ભાજપ ગુજરાત મોડેલ તરીકે દેશ વિદેશ માં ચીતરી રહ્યું છે.. ગુજરાત ના ગુજરાત વિધાનસભા દ્વારા બહાર પડાયેલા ધારાસભ્યો કેટલું ભણેલા.છે..કેટલી મિલકત બતાવી છે…ધારાસભ્ય બનયા પહેલા શું હતું..પછીના વર્ષો.માં.કેટલું શું વધ્યું.ક્યાંથી આવ્યું..શિક્ષણ કેટલું…આ બધા નો.અભ્યાસ શું ભાજપ.કરે છે? શું સાચી હકીકતો પ્રજાને દર્શાવવામાં આવે છે?
ભાજપ ના પ્રથમ શાશન વખતે જે નેતાઓ.સ્કૂટર લઈને બસમાં ગાંધીનગર આવતા તેઓ આજે ઓડી અને મોંઘી દાટ ગાડીઓ માં ફરે.વિશાળકાય બંગલામાં રહે અને.દેશ વિદેશ માં.સંતાનો ભણે,રહે અને ત્યાં મિલકતો વસાવે…. આમાંના ઘણા તો એવા છે કે પહેલા પણ કશું નહોતા કાર્ય અને આજે પણ કશું નથી કરતા તો આ બધો વૈભવ આવ્યો ક્યાંથી?….કોણ કોની પાછળ.પડે?
તંત્રી : પ્રદીપ રાવલ
*********************†********************
નોધ: અહીંયા કોઈપણ રાગ દ્વેષ વિના સમાચારો અને ફોટાઓ સોશિયલ મીડિયા તેમજ મીડિયાના માધ્યમોથી પ્રાપ્ત થયેલ જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ કોઈ નુકસાન કરતા કે વાંધાજનક પોસ્ટ લાગે તો તંત્રીનું ધ્યાન દોરીને આવા સમાચારો અહીંથી દૂર કરાવી શકે છે. તંત્રી