છતીસગઢના પ્રવાસ બાદ અમિત શાહ સીધા PM આવાસે ગયા: મોડીરાત્રી સુધી મોદીજી સાથે બેઠક….
આગામી તા.19થી પ્રારંભ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પુર્વે કેન્દ્રીય કેબીનેટમાં ફેરફારના શરૂ થયેલા કાઉન્ટડાઉનમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ-ફાઈવ-કેબીનેટ પોર્ટફોલિયોમાં પ્રથમ વખત નાણામંત્રાલયમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યા હોવાના સંકેત છે. પાટનગરના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ કેબીનેટ ફેરફાર રાજય કક્ષાએ અને વ્યાપક હશે અને બે-ત્રણ કેબીનેટ મંત્રીઓને પણ ‘સંગઠન’ના કામ માટે રજા અપાશે.
► મોદી સરકારની કેબીનેટ પુન:રચનાને ‘આખરી ઓપ’ અપાયો: નિર્મલા સીતારામનને હવે તામિલનાડું પર ફોકસ કરવા જણાવાઈ શકે
ગઈકાલે છતીસગઢના પ્રવાસેથી પરત આવીને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ એરપોર્ટથી સીધા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિવાસે પહોંચી ગયા હતા અને બન્નેએ વન-ટુ-વન-લાંબી ચર્ચા કરી અને મધરાત બાદ શ્રી શાહ પરત જવા રવાના થયા હતા અને માનવામાં આવે છે કે બન્નેએ સંગઠન-સરકારની પુન:રચનાને આખરી સ્વરૂપ આપી દીધુ છે અને આજે મોદી રાજસ્થાન, છતીસગઢ સહિતના રાજયના પ્રવાસે છે અને આજે ગુજરાત સહિતના રાજયોના પ્રદેશ પ્રમુખ તથા મુખ્યમંત્રી પણ સાંજે દિલ્હીમાં છે તેથી શ્રી શાહ સાથે બેઠકમાં ગુજરાતના રાજયસભાના ઉમેદવાર નવા પ્રદેશ પ્રમુખ વિ. મુદે પણ નિર્ણય લઈ શકે છે.
વિદેશની જેમ ફાયનાન્સમાં પણ પ્રોફેશનલ-અર્થશાસ્ત્રીનો પ્રયોગ કરાશે: રાજયકક્ષાના મંત્રીઓમાં અનેકને વિદાય: સંગઠનની આવશ્યકતા મુજબ કેબીનેટમંત્રી માંડવીયા સહિતના નામો પણ ચર્ચામાં: સન્ડે ‘બીગ-ડે’ બને તેવા સંકેત
સૂત્રોના જણાવ્યા મુજબ કેબીનેટ ફેરફાર હવે આ વચ્ચે નાણા વિભાગમાં વિદેશ મંત્રાલયની જેમ કોઈ પ્રોફેશનલ ઈકોનોમીસ્ટને લાવીને તેને હવાલો સોપી શકાય છે તો બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારામનને તામિલનાડુમાં ફોકસ કરીને આગામી લોકસભા ચૂંટણી મદુરાઈ કે તેવી ભાજપ માટે થોડી સલામત ગણાતી બેઠકમાં ચુંટણી લડવા જણાવાયુ તેવી ધારણા છે. જયલલીતાની વિદાય બાદ તામિલનાડુમાં જે મહિલા ફેકટર છે તેનો અભાવ છે. જેમાં સિતારામનનો ચહેરો વ્યાપક બની શકે છે. અને તેઓને આ માટે ખાસ જવાબદારી સોપાઈ શકે છે. બીજા નામોમાં અર્જુનરામ મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, જનરલ વી.કે.સિંઘ, કિરણ રિત્જુ, એસ.વી.બધેલનો સમાવેશ થાય છે અને તેમાં હવે આ વિક એન્ડ મહત્વનો બની રહેશે.
સુરેશ વાઢેર
******************************************
મહારાષ્ટ્ર માં એનસીપી માં રાજકીય બે ફાડિયા નો અખતરો સીધો જો ઉતરે તો કેન્દ્રીય મંત્રી મંડળ માં ફડણવીસ અને પ્રફુલ પટેલ ને સમાવી નવી રાજનીતિ નો મોદીજી પ્રારંભ કરી શકે છે..
કોંગ્રેસ માં રાહુલ ગાંધી હવે 2024 માં ચૂંટણી લાદી ના શકે અને સહાનુભૂતિ ની વોટ બેંક ઊભી ના થાય તે માટે મોદી સરકાર તખ્તો તૈયાર કરી દિધો છે.
જ્યારે મોદીજી ને સાથે સાથે એ પણ ખબર છે કે હાલમાં સમગ્ર ભારત માં માત્ર બે રાજ્ય મા ભાજપ સ્પષ્ટ બહુમત માં છે અને ચાર રાજ્યો માં ગઠબંધન સરકાર છે જ્યારે 15 રાજ્યોમાં એન્ટી ભાજપ સરકાર છે..લગભગ સાઉથ ભાજપ માં ભાજપ નું વાતાવરણ નથી તે મોદીજી સારી રીતે જાણે છે..ધાર્મિક સ્થાનો ને ડેવલપ કરવામાં કેન્દ્રીય સહાય નો ઢગલો કરી સહાનુભૂતિ ની વોટ બેંક ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.ત્યારબાદ જ્યા ભાજપ નું.મોજું નથી ત્યાં પણ નવા ઘડાયેલ તૈયાર કરેલ ચહેરા ને જે તે રાજ્ય મા મૂકવાનો તખ્તો મોદી શાહ નક્કી કરી રહ્યા છે.
આગામી તેલંગાણા,મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાન મા વિધાનસભા ની ચુંટણી આવી રહી છે.જેથી હાલમાં ચારેય રાજ્યો માં વિધાનસભા ચુનાવ ના પ્રભારી,સહ પ્રભારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મુકવામાં આવ્યા છે.જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ને છત્તીસગઢ ના સહ પ્રભારી તેમજ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને રાજસ્થાન સહ પ્રભારી બનાવાયા છે.જ્યારે Rajasthan મુખ્ય પ્રભારી તરીકે પ્રહલાદ જોષી ને મૂકવામાં આવ્યા છે.
આવા સંજોગો મા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ..તેમજ મહારાષ્ટ્ર ના નેતાઓ ના ત્યાં ઇડી ની તપાસ.દરોડા નું વાતાવરણ ચાલી રહ્યું છે..
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને પણ અહિતિહસિક 156 સીટ ગુજરાત માં જીત અપાવ્યા ના પરિણામ ના ભાગ રૂપે કેન્દ્ર માં લઈ જવામાં આવે ક્યા તો હમણાં રાજ્યસભા ચૂંટણી બાદ પણ તેમજ માટે કોઈ ફેરફાર કરવામાં આવે તેવું મનાય છે..
રાજ્યસભા ની ખાલી પડેલ જગ્યા ની ચૂંટણી.બાદ નવાજૂની ના એંધાણ.દેખાશે..
હવે સન્ડે બિગ ડે..શું નવા ન્યૂઝ મોદીજી આપે છે તે જોવાનું રહ્યું.
સંપાદક: પ્રદીપ રાવલ
નોધ : અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચાર.પ્રસિદ્ધ થાય છે.સમાચાર પ્રાપ્ત થયા બાદ.જન જાગૃતિ ના ભાગ.રૂપે.સમાચારો પ્રસિદ્ધ થાય છે.તેમ છતાં કોઈને પણ કંઇપણ સમાચાર વાંધાજનક લાગે તો તંત્રી નું ધ્યાન.દોરી.તેવા સમાચાર અહીથી.દૂર કરાવી શકે.છે.તંત્રી