[7/9, 3:05 AM] Muktida Oza.MeM: NogNo-106
Nog સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય-દોસ્તી
શીર્ષક-“પ્રેમ*પ્રેમ*પ્રેમ”
શબ્દ-350
પ્રકાર-ગદ્ય
—————-
જેની વાતની શરૂઆત “ગાળ”થી થાય.‘ગાળ’ બોલવામાં “ગળ્યાશ અમૃત”ની હોય!
સાંજે, ટપ્પા-ટોળી!
રાહ જોવાની,
અર્ધી-અર્ધી ચાની મઝા લેવાની” એતો જે આનંદ અનેરો છે.જેણે અનુભવ્યો હોય,તેને ખબર પડે.
મિત્ર સાથે “ગણતરી” શાની?તારું-મારું, નાનું-મોટું,ગરીબ-તવંગર, એવી ગણતરી કરીએ! તો દોસ્તી શા કામની? એતો વેપાર કહેવાય!? નાનપણમાં,કોલેજ સામેની,રેકડીવાળા પાસે,ઊભા રહી,પચ્ચાસ“દાબેલી” જાપટી,બિચારા રેકડીવાળાને,ઉલ્લુ બનાવી,ત્રીસદાબેલીના પૈસા આપતા! એ દાબેલીમાની“એક દાબેલીના પૈસા(એજમાનાનો એક રૂપીયો!)..“હજુ,તેં મને નથી આપ્યા!” આવી મસ્તી કરતા આપણે..જો મિત્ર બિમાર થયાના સમાચાર મળે તો…’લાખો’ ખર્ચતાં શરમાય નહિ! તે મિત્ર.
વોટ્સેપ પર ફરતાં..થયું, ‘વોટ્સેપ’, આ’ફેસબુક’એટલે મિત્રોની ‘જમાત’.
એક પ્રશ્નનો જવાબ, આપવા માટે હજાર લોકો તૈયાર થઈ જાશે! હું તો વોટ્સેપફેસબુક મિત્રોનો દિલથી આભાર માનું.મને આ મિત્રો દિલથી પ્રેમ કરે, હું પણ વોટ્સેપફેસબુક વગર રહી નથી શક્તિ! આવા”મિત્ર”ના હોત,તો દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત!ઓયે!વોટસેપ મિત્રો,ફેસબુક મિત્રો! ”મિત્ર” જૂનો નથી થાતો,મિત્ર થકી જિંદગીમાં અજવાળું જ અજવાળું,આનંદ,આનંદ ..તમારા જેવા દિલદાર દોસ્ત હોય,તો કાયમ ઉજાસ “..
‘મિત્ર’ક્યાં,કેવીરીતે,કયાં સ્વરૂપે,તમારું’ધ્યાન’રાખતો હોય, કહી ન શકાય! સુદામાના-‘તાંદુલ’ની,વાત જગ જાહેર છે! એણે,પોતાની જાત ઉપર ‘ગરીબીવહોરી’એનું કારણ પણ”દોસ્તી”જ છે.ઋષિનાઆશ્રમમાં,જંગલમાં લાકડાં લેવા મોકલતાં,’ગુરૂમા’એ આપેલા ફળમાંથી એક ફળ,જે ખાતાં ‘ગરીબી’ આવશે! (આ વાત સુદમાને જાણ થઈ ગઈ હતી.)એટલે એમણે ‘એજ-ફ્ળ’ ખાઈ લીધું.જેથી “પ્રિયસખાકૃષ્ણ”ને જાહોજલાલી મળે!! કૃષ્ણ સાથે સુદામા હંમેશાં”શૂન્ય”બનીને જ રહ્યા!
દોસ્તીથી ‘સિગારેટ’નારવાડે ચઢી જઈએ, એવું નથી,
સિસ્ટર નિવેદિતા/સ્વામીવિવેકાનંદની દોસ્તીનીજેમ’સેવા’માં લાગી જઈએ.!! કેવા મિત્રના રવાડે ચઢો છો? તે બહુજ મહત્વનું છે.સારો મિત્ર તમારી ઢાલ બનીને ઊભો રહેશે! કેટલીકવાર”કેમછો”પૂછવાથી કેટલું બધું સારું લાગે !
जो हमने दासताँ अपनी सुनाई आप क्यूँ रोये?
દુઃખી અથવાસુખી-મિત્ર થતો હોય! એનાં સુખ-દુખનો અનુભવ પણ મિત્ર કરતો હોય!
**સાચું ઉદાહરણ-મારા દિકરાના બાળપણનું.(આ વાત શિક્ષકે મને સન્માન સહિત ગૌરવભેર કહી).જે આજે,લખીરહી છું.વર્ગમાં,મસ્તી કોઈ બીજા વિદ્યાર્થીએ કરેલી,કોઈ વિદ્યાર્થી કબૂલવા તૈયાર નહોતા!છેવટે,શિક્ષકનું માનસિક દુ:ખ જોયું તથા, મિત્રને “સજા”થી બચાવવા માટે,શ્રેયસે વર્ગમાં ઊભા થઈ કહી દીધું “ટીચર-‘હું હતો’!! પણ શિક્ષક જાણતા હતા.કોઈ પણ સંજોગોમાં “શ્રેયસ્ આવી મસ્તી” ના કરે”. दोस्ती के लिए हम कुछ भी કરેંગે
મિત્ર ખુશ રહેવો જોઈએ,કોઈ પણ સંજોગોમાં!મિત્ર તમને સામાજિક,માનસિક આર્થિક પડવા નહિ દે.
દોસ્તી વગરની જીંદગી,ખાંડ વગરની ચા જેવી છે.મોજ કરો,હરઘડી, હરપળ આનંદ ,મિત્રનું બીજુંનામ.
મિત્રના મળવાથી, શક્તિ વધે, તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, દુનિયાના દુઃખ-દર્દ ભૂલી જવાય!
દરેક તકલીફની એક જ દવા છે,મનગમતી વ્યક્તિ સાથે વાતો,મનગમતી વ્યક્તિ મિત્ર હોઈ શકે,
“દિલ ખોલકે દેખો,દુનિયા બદલ જાયેગી”
પારકા,પોતાનાથી વધારે પ્રેમ કરી શકે.મિત્રતા એટલે એવી લાગણી,જ્યાં હિસાબનથી,
માત્ર પ્રેમ..એવી લાગણી અવ્યક્ત છે….
ભલે બીજા લોકો ભાડમાં જાય! પણ તમે “ભીડભાડ”માં ના જાશો….
[7/9, 11:18 AM] Varshaben Desai.MEM.Baroda: NOG SS. NO. 0097
વિષય:મિત્રતાનો સંવાદ
પ્રકાર:ગદ્ય
શીર્ષક : ઋણાનુબંધ
વાત છે બે મિત્રોના ઋણાનુબંધની.ફક્ત દસ બંગલાની સોસાયટી. એમાં બધા સરખી ઉંમરના અને નાની નાની ફેકટરી માલિકો રહે.સપન દોશીના હાઉસ કવોટરમાં મગનભાઈનો પરિવાર રહે. મગનભાઈ ઓફિસકામ સાથે ડ્રાયવિંગ કરે અને જમનાબેન ઘરકામ કરે. દીકરી સરલા અને દીકરો મહેશ સરકારી નિશાળમાં અભ્યાસ સાથે સપન શેઠના ઘરના દરેક ચીંધ્યા કામ પણ કરે.
શેઠનો દીકરો રોનક અને દીકરી ડોલી ભણવામાં સામાન્ય. ડોલી હોમ સાયનસ પાસ થઈ. રોનક ૧૨ સાયનસ પાસ થયો. ગમે તેટલું ડોનેશન આપીને રોનકને મેડીકલમાં મોકલવાની શેઠની ઇચ્છા.મહેશ ખુબ સારા ટકાથી ૧૨ સાયનસ પાસ થયો. વેકેશનથી શેઠની ફેકટરીમાં કામ કરતો હતો. શેઠે મગનને કહી દીધું. મહેશનો પગાર વધારીને કાયમ કરી દઉં છું. ઘરમાં બધા ખુશ થયા. મગને બે વરસ પછી દીકરીને પરણાવવી હતી.મહેશે તો કશું બોલવાનું હતું જ નહીં. રોનક રોજ મહેશ સાથે વેલીબોલ રમતો હતો. એનો જીગરી બની ગયો હતો. બંને વચ્ચે ખુબ વાતો થતી. મહેશના ડોકટર બનવાના સપનાનો સાક્ષી રોનક મહેશની પગાર વધારા સાથેની નોકરીથી વ્યથિત થયો. એને મગનકાકાની પરિસ્થિતિનો ખ્યાલ હતો. ખુબ મનોમંથનને અંતે પિતાને પોતાનો નિર્ણય જણાવ્યો,” પપા.માફ કરજો. પણ હું ડોકટર બની શકું એટલો હોંશીયાર નથી.અને મને રસ પણ નથી. હું બીબીએ અને એમબીએ થઈને આપણો ધંધો સંભાળીશ અને વધારીશ. મને એમાં ખુબ રસ છે.
બીજી વાત આપણો મહેશ હોંશીયાર છે. એને ડોકટર બનવું છે. વગર ડોનેશને આપણે ત્યાં એડમીશન મળે એટલા સરસ મારકસ આવ્યા છે.તો આપણે એને જ ડોકટર બનાવીએ તો કેવું?” શેઠને આંચકો લાગ્યો. દુ:ખ પણ થયું.પરંતુ વિચારતા,રોનકની વાત યોગ્ય લાગી અને સહર્ષ સ્વીકારી લીધી. મહેશને અને મગનકાકાને બોલાવીને જણાવી દીધું કે- મહેશ ડોકટર બંને ત્યાં સુધીની બધી નાની મોટી ભણતરની જવાબદારી અમે ઉઠાવીશું.અને દીકરીના લગ્નમાં પણ ખૂટતી મદદ કરીશું.
મહેશ અને મગનકાકાની ખુશીનો પાર ન રહ્યો. બંને શેઠના પગમાં પડયા.અને આશીર્વાદ આપ્યા.
ખરેખર કંઈક ઋણાનુંબંધ હોય તો જ નોકરને કે ડ્રાઇવરને આ રીતે ઉપયોગી થવાનો વિચાર આવે અને તે અમલમાં પણ મૂકાય.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-ઓસટ્રેલિયા
[7/9, 1:55 PM] Bhavana R.MeM: NOG SS NO. 116
વિષય: મિત્રતામાં સંવાદ
વિભાગ: ગદ્ય/લેખ
શબ્દ સંખ્યા: ૨૭૭
શીર્ષક: મિત્રતા – એક અનુભૂતિ
સંવાદ એટલે સમ વાદ , વિચારોમાં સામ્યતા. પછી તે મનુષ્ય અને કુદરત વચ્ચે હોય કે આસપાસનાં વાતાવરણ વચ્ચે.આપણે જે રાષ્ટ્ર, સમાજ, કુટુંબ વચ્ચે રહીએ છીએ, તે દરેક વચ્ચે સંવાદ હોવો જરૂરી છે. ચાલો, આપણે મિત્રતાની વાત કરીએ.
મિત્રતા બે વ્યક્તિ વચ્ચે હોય, કોઈપણ બે જીવ વચ્ચે હોય. સંવાદથી જ જગતની વ્યવસ્થા સુમેળ સાથે ચાલેછે.જો બ્રહ્માંડના તત્વોમાં સુમેળ ન હોય તો, કલ્પના કરો બ્રહ્માંડની શું હાલત થાય? બે મિત્રો, દંપતી કે માતા-પિતાનો પોતાનાં બાળકો કે કુટુંબના દરેક સભ્યો વચ્ચે સંવાદ હોવો જરૂરી છે. બે વ્યક્તિ મિત્ર ત્યારેજ બનેછે, જ્યારે બંનેની પસંદ – નાપસંદ ઘણે ભાગે સરખી હોય, નહિંતર મિત્રતા હોવી અશક્ય છે. તે વિનાનાં બધાં સંબંધ કહેવાય.
મિત્રો સાથે આપણે સુખ – દુઃખ , અનુભવો કે આપણી અંગત વાત દિલ ખોલીને કરી શકીએ છીએ કારણકે આપણને ખાત્રી છે કે તે આપણી વાત સમજી શકશે અને લાગણીથી સહભાગી થશે. મિત્રતા કરી અને નિભાવવા માટે ઊંડી સમજણ જરૂરી છે. એકબીજાને સમજી,મિત્રતાને આગળ વધારવાની છે. એક વ્યક્તિ ક્યાંક અટકે તો સહયોગ આપી , આત્મબળ વધારી આગળ લાવવાની હોય છે.
મિત્રતામાં ઈર્ષા, નિંદા, દગા કે વાદને સ્થાન હોતું નથી. હોયછે સાચા દિલની લાગણી.આપણને ઈતિહાસમાંથી કે સમાજમાંથી એવાં ઘણાં દાખલા મળશે કે મિત્રતા નિભાવવા ધન ન્યોછાવર કર્યું હોયકે જીવની બાજી પણ લગાવી હોય.મિત્રતા અણમોલ છે. તેમાં એકબીજાં સાથે દિલથી સંવાદ હોય,એક વિશિષ્ટ સંબંધ હોય . જેમકે કૃષ્ણ -સુદામા , દુર્યોધન કે કર્ણ. તેમાં મિત્ર માટે ગમે તે કરી છૂટવાની ભાવના હતી. સુદામાના તાંદુલ ખાઈને ઐશ્વર્ય આપ્યું. દુર્યોધન માટે કર્ણએ અસત્યનો પક્ષ લઈ મૃત્યુ સ્વીકાર્યું. આવાં તો અનેક દાખલાઓ છે.
અંતમાં દરેકે મિત્રતાની કદર કરી, મનુષ્ય, પ્રાણી કે કુદરત સાથે સંવાદ રાખી , જગતની સંવાદિતા ને જાળવી રાખવી જોઈએ.
✍️ રીટા આચાર્ય જોષી
૦૯/૦૭/૨૦૨૨
[7/9, 4:07 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : મિત્રતાનો સંવાદ
શીર્ષક: રંગ તેવો સંગ
શબ્દ સંખ્યા- 180
વિકીએ પોતાના પપ્પાને કોરોનામાં ગુમાવ્યા પછી વિકી પોતાના મિત્ર તરુણને પોતાનો જીગરજાન ગણતો હતો. વિકી અને તરુણ બાળપણથી સાથે જ ભણ્યા. ધોરણ 12 પછી સુરત થી બરોડા એમ.બી.બી.એસની ઉચ્ચ ડિગ્રી હાસિલ કરવા બંને ગયા.વિકીની મમ્મી એક સ્કૂલમાં ટીચર હતા. પોતાનો વિકી પોતાનું ભવિષ્ય ઉજવળ કરે એ માટે પોતે સ્કૂલ પછી ટ્યુશનમાં ખૂબ જ મહેનત કરતા અને કરકસર કરી વિકીને પૈસા મોકલાવતા. તરુણ એકદમ સમજદાર છોકરો અને કરકસરથી જીવવા વાળો છોકરો હતો, એટલે ક્યારે વિકી અને તરુણ વધારે પૈસા ખર્ચતા નહીં.તરુણ વિકીને પોતાના નાના ભાઈ જેવો જ ગણતો હતો.
તરુણની તબિયત ખરાબ થતા.તરુણ થોડા દિવસ માટે પોતાના ઘરે સુરત ચાલ્યો ગયો. ત્યારે તરુણ વિકીને કહે છે કે તું ભણવામાં મન લગાવીને ધ્યાન આપજે .હું 15 દિવસ પછી સારું થાય એટલે ઘરેથી પાછો આવું છું.
બીજા દિવસે સાથે ભણતા મૌલિક સાથે વિકીની દોસ્તી થઈ .મૌલિક ઉડાવ ,ઉધમી , વ્યસનની, ડ્રગ્સ લેતો છોકરો. વિકીને પણ એણે ધીમે ધીમે સિગારેટ ,બીયર પછી ડ્રગ લેતો કરી દીધો. વિકી પણ ભૂલી ગયો કે મારી મમ્મી મને અહીં ભણવા મોકલ્યો છે આવા કામ કરવા માટે નથી મોકલ્યો. ખૂબ જ મજા આવી રહી હતી વિકીને.
ડ્રગ્સ ની એટલી બધી વિકીને લત લાગી ગઈ કે ડ્રગ્સ વગર હવે રહી નથી શકતો. ડ્રગ્સ ખરીદવા માટે એ ચોરી પણ કરવા લાગ્યો. મૌલિકની શિખામણથી રાતો રાત પૈસાદાર થવા માટે ડ્રગ્સની હેરાફેરી પણ કરવા લાગ્યો. આઠ દસ દિવસમાં તો મોટો સપ્લાયર બની ગયો. પોતાના જેવા નાદાન છોકરાઓને ડ્રગ્સ વેચવા લાગ્યો.
પોલીસને બાતમી મળતા. એક દિવસ પોલીસે વીકીના રૂમ પર દરોડો પાડ્યો. વિકીને રંગે હાથે પકડી લીધો. મૌલિક ચોર પેઠે નાસી છૂટીયો.
તરુણ ને જાણ થતાં હાફડો ફાફડો થતા વિકીની મમ્મીને સાથે લઈ .તરુણ વિકીને મળવા પોલીસ સ્ટેશનમાં જાય છે.
તરુણ વિકીને કહે છે, મારા થોડા દિવસના ખાલીપામાં તે તારી જિંદગી કેવા રંગથી રંગી નાખી? વિકી ની મમ્મીએ વિકિના ગાલ પર થપ્પડ મારતા કહ્યું ….રંગ તેવો સંગ.
કથીરીયા પ્રવિણા “પવી” નવસારી.
[7/9, 4:09 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS નંબર-0042
વિષય-મિત્રતાનો સંવાદ
પ્રકાર -વાર્તા
શીર્ષક-દેવદૂત
શબ્દ- ૨૯૦
” જય શ્રી કૃષ્ણ,આંટી.કેમ છો? આ લો …લાયબ્રેરીનું ફોર્મ ભરીને તૈયાર રાખજો. બે દિવસ પછી આપણે સાથે જઈશું અને તમને સભ્યપદ અપાવડાવી દઈશ. પુસ્તક જેવું કોઈ સાથીદાર નથી જે તમારી એકલતાને દુર કરે.” લાગણીસભર અવાજે કુંજલ બોલી.
“તારી, વાત સાચી છે બેટા. હું પણ એ જ વિચારતી હતી હવે હું શું કરું? મયુરના અવસાનને દોઢ મહિનો થઈ ગયો. દીકરો,દીકરી પાછા પરદેશ જતાં રહ્યાં. સગા-સંબંધીઓ એની દુનિયામાં ગોઠવાઈ ગયાં. મયુરને એકલું ન લાગે એ માટે મેં બહારની દુનિયા સાથે ખપ પૂરતો વ્યવહાર રાખ્યો પણ એ આમ અચાનક મને એકલી મૂકીને જતો..” વાક્ય પૂરું થાય એ પહેલાં મયુરીની આંખોમાં આંસુનું ઘોડાપૂર ઉમટી આવ્યું અને કુંજલને ભેંટી પડી.
“અરે,આંટી રડો નહીં હું છું ને?બીજી એક વાત કહું?બાજુની સોસાયટીમાં ‘સખીવૃંદ’નામનું સરસ ગ્રુપ ચાલે છે. તેમાં સખીઓ દર મહિને ભેગી થાય. અંતાક્ષરી રમે,તંબોલા રમે,મૂવી જોવા જાય,પિકનિક પર જાય અને ભજન-કીર્તન પણ કરે તેમાં પણ તમને એડ કરાવી દઈશ એટલે તમને કંપની મળી રહેશે.”
“અરે,દીકરી તું તો મારી જિંદગીમાં દેવદૂત બનીને આવી.”
“દેવદૂત નહીં,મિત્ર બનીને! મારે અને કાર્તિકને ઝઘડો થયો ત્યારે તમે મને પડોશી કે વડીલ નહીં એક મિત્ર બનીને મારી જિંદગીની ગાડીમાં પેટ્રોલ પૂર્યું હતું. જેને લીધે આજે મારો સંસાર સુખી છે. હા..ત્યારે આપણી વચ્ચે કદાચ મિત્રતાનો સંવાદ નહોતો પણ હવે હું તમારી જિંદગીમાં મિત્રતાનું ઓશીકું બની જઈશ. જે તમને થાકમાં આરામ આપશે,દુઃખમાં હળવા કરશે ,ખુશીમાં ભેટી પડશે અને ગુસ્સામાં મુક્કો મારી શકો એવો હક આપશે. ચાલો, હવે હું જાઉં?મારે ઘણું કામ બાકી છે.”એમ કહી મયુરીને વ્હાલ કરતાં કુંજલ ઘરની બહાર નીકળી ગઈ.
તેને જતાં જોઈ મયુરી મનોમન વિચારવા લાગી. ‘ભગવાન જ્યાં લોહીના સંબંધ બાંધતા ભૂલી જાય છે ત્યાં લાગણીનાં બંધનો બાંધે છે અને તે મિત્રતાનાં નામે ઓળખાય છે.’
પૂજા(અલકા)કાનાણી.
[7/9, 4:45 PM] Bhavana R.MeM: NOG SS NO. 111
વિષય: મિત્રતામાં સંવાદ
વિભાગ:ગદ્ય/ લેખ
શબ્દ સંખ્યા: ૩૩૫
શીર્ષક: મિત્રતામાં સંવાદિતા
માનવીને દુનિયામાં ટકી રહેવાનું બળ અને હામ પૂરૂં પાડનાર મુખ્ય પરિબળ એટલે મૈત્રી. જે ચોવીસ કલાક સાથે ન હોય છતાં તેની હાજરી અનુભવી શકાય, જે સતત અહેસાસ કરાવે કે તેઓ આપણી સાથે જ છે , તે એટલે મિત્રો. કહેછે ને મિત્ર તો મૌનને પણ સમજી શકે.તો પછી પ્રશ્ન થાય કે મિત્રતામાં સંવાદ રચાય એ જરૂરી છે? જવાબ છે – હા . સંવાદ બે વ્યક્તિઓને જોડી રાખે છે.સંવાદથી સમાજ વ્યવસ્થામાં સુમેળ બની રહે છે.
ખરું જોતાં જગતમાં સોદાબાજી વગરનાં સંબંધોનું અસ્તિત્વ એટલે મિત્રતા.બે વ્યક્તિ એકબીજાંને ખામી અને ખૂબી સાથે સ્વીકારી સંબંધની ગરિમા જાળવી રાખે તે જરૂરી છે. સંવાદ સાધી મિત્રો સાથે કોઈ પણ વાત કે પ્રશ્નોની ચર્ચા માનસિક તાણ વગર કરી શકાય તેટલી વિશ્વસનીયતા સંબંધની પાયાની જરૂરિયાત છે. તે દ્વારા જેવાં છીએ તેવાં પેશ આવી શકાય છે. જ્યાં નથી હોતી કોઈ અપેક્ષા, ફરિયાદ, બહાનાં કે જીદ. ટૂંકમાં ખુલ્લા મને હસી શકાય છે.
મિત્રતામાં સંવાદરૂપે લાગણીને ત્રાજવે ન તોળી શકાય. સંવાદમાં નિખાલસતા સાથે પરસ્પરનો અતૂટ વિશ્વાસ અકબંધ હોવો જરૂરી છે. શુભ આશય સાથે કરાયેલાં કોઈપણ કામ અંગે ખુલાસા જરૂરી નથી રહેતાં. સંજોગોવશાત કંઈ ન કરી શક્યાં હોયતો પરસ્પર દોષારોપણ, શાબ્દિક મારામારી – જેનાથી ગેરસમજ ,જે મર્મસ્થાને ઉઝરડાં પાડી ઈજા ન પહોંચે તેવા સંવાદ ટાળવા અત્યંત જરૂરી છે. સોશિયલ મીડિયા નાં સંવાદો એટલે ફક્ત સંદેશાઓ નહીં,વાતચીત દ્વારા પણ સંવાદક્રમ જાળવી રાખવો.
સાચી મિત્રતામાં સંવાદ સાધી એકબીજાંની પ્રશંસા સાચા દિલથી થઈ શકે અને કોઈપણ પૂર્વગ્રહ વિના ભૂલ સામે આંગળી પણ ચીંધી શકાયછે. પરિણામે એકબીજાંના સહેવાસમાં દરેક પળ, સુખ- દુઃખ, હાસ્ય- રુદન જીવનની અંગત મૂડીનો હિસ્સો બની જાય છે.સાચા સાથી-સંગી જીવનની લડાઈ લડી, ટકી રહેવા સાચાં મિત્રો સાથે સંવાદિતાની અનિવાર્યતાની સમજણ થવી જોઈએ કારણકે – સો ટચના સોના જેવી મિત્રતામાં સંવાદની સુગંધ ભળી જાય તો દુનિયા જીવી જવા જેવી લાગે જ ને !
અંતમાં ઈશ પાસે પ્રાર્થનામાં કશું ન માંગતા, એકજ વસ્તુ ની માંગણી કરીશું તે હશે મિત્રતામાં સંવાદિતા.
સાથે ‘ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.’ નો ગુંજારવ અંતરનાદમાં સદૈવ વસી રહે. અસ્તુ.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૦૯/૦૭/૨૦૨૨