NG_1-7-22
[6/30, 11:43 AM] Babu Sangada.પત્રકાર: NOG 109
શિર્ષક:-રંગાશે
પ્રકાર :-પધ
બાબુ સંગાડા”મહેક”
રસ્તાઓ
મંદિરો
ગલીઓ
ગામો ને સીમો
જોજો કાલ રંગાશે
વસ્ત્રો એક સરખા
ચાલ યે સરખી
ગાવું યે સરખુ
ખાણું યે સરખુ
છતા જુદા જુદા સંતોષાશે
કેટલાક રથો કાઢશે
કેટલાક ભજનો કરશે
કેટલાક જમાડશે
કેટલાક વળી પૂજશે
આ બધા વચ્ચે એકાદ વ્યક્તિ પૂછશે
આંખોથી કુતુંહલતા ભરી
ઉડતા ગુલાલની વાંછટો પીતો
રસ્તાની એક કોર બેઠો
કોને ખબર છે?
ચીંથરેહાલ લીપટાઈ
પોતાની જાતને
પેલા ઊડી આવતા
અબીલ,ગુલાલ વચ્ચે
વસ્ત્રો ઠીક કરતો
કરગરતો
ઈશ્વર કયાં હશે?
રંગોમાં ?
મસ્તીમાં ?
કે,
શ્રધ્ધામાં ?
બાબુ સંગાડા”મહેક”
[6/30, 1:19 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S. No. 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા.
પ્રકાર:- ગદ્ય. ( લેખ.)
શીર્ષક:- રથયાત્રા.( જગન્નાથપુરી અને ભારતમાં અન્યત્ર.)
રચના:-
આજ તારીખ ૧/૭/૩૦૨૨ શુક્રવાર અષાઢ સુદ બીજ જેને આપણે રથયાત્રાના દિવસ તરીકે ઓળખીએ છીએ.
યાત્રાધામ જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ ,બલરામ અને સુભદ્રા ત્રણે રથમાં બેસી અને નગર યાત્રાએ નીકળે છે .
આ બાબતમાં અનેક ધાર્મિક માન્યતાઓ અને કથાઓ આપેલી છે .ભગવાન શ્રી જગન્નાથજીના રથને દર વર્ષે કાસ્ટ માંથી તૈયાર કરવામાં આવે છે .અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી ને સુંદર પરંપરાગત રીતે શણગારેલારથમાંબિરાજમાન કરવામાં આવે છે.
પરંપરા મુજબ રાજ પરિવારના સદસ્યો તેની પૂજા કરે છે, અને ત્યારબાદ ધાર્મિક વિધિ થયા પછી રથને આખા ગામમાં ફેરવવામાં આવે છે. મોટાભાગે દોરડાથી બાંધે અને લોકો રથને ખેંચે છે અને આમ આ ઉત્સવની શરૂઆત થાય છે.
આ યાત્રા રથ યાત્રામાં જુદા જુદા પ્રાણીઓ શણગારેલા બળદ ગાડા ટ્રકો પરંપરાગત રીતે વેશભૂષામાં લોકો જુદા જુદા પ્રકારના વાજિંત્રો શરણાઈઓ બેન્ડવાજા ભવ્ય રીતે અનેક પ્રકારના શણગારો જોવા મળે છે. હજારો લોકો આ રથયાત્રામાં ભાગ લે છે. ઠેર ઠેર અંગ કસરતો અને કવાયતના જુદા જુદા પ્રકારના દાવ લોકો ખેલતા હોય છે, સાથે સાથે પ્રસાદ અને ઠંડા પીણાં વગેરે પણ આપવામાં આવે છે.
આ ભગવાન જગન્નાથજીની યાત્રા રથયાત્રા સવારે નીકળી અને છેક સાંજ સુધી ચાલે છે દેશ વિદેશના અનેક લોકો પણ તેમાં સામેલ રહી અને આનંદ અનુભવે છે.
તે જ રીતે આ દિવસે ગોકુલ ,મથુરા, વૃંદાવન અમદાવાદ, દ્વારકા અને બેટમાંમંદિરોમાં રથયાત્રા નીકળે છે. દરેક ઠેકાણે હજારો લોકો આ રથયાત્રામાં ઉત્સાહથી ભાગ લે છે.
આમ ભારતમાં જુદી જુદી ધાર્મિક જગ્યાઓમાં
રથયાત્રાનો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૧/૭/૨૦૨૨. શુક્રવાર.
[6/30, 4:18 PM] Rita Bhaayaani.MeM.NOG: NOG.SS.no – 0063
વિષય – પરંપરાગત રથયાત્રા
પ્રકાર – ગદ્ય
શીર્ષક – એક ઉમદા તાત્પર્ય
મનુષ્ય જીવનમાં સુખ અને દુઃખની ભરતીઓટ આવ્યાં જ કરે છે. આ પ્રકારની અનુભૂતિમાંથી ઈશ્વરે કોઈને બાકાત રાખ્યાં નથી. હા,કદાચ એટલે જ મનુષ્યમાં ક્યાંકને ક્યાંક ઈશ્વરનો ડર છે. જેથી એ વારેતહેવારે પ્રભુ ચરણમાં શીશ નમાવવા પહોંચી જાય છે. પોતાનાથી જાણેઅજાણે થયેલી ભૂલોની માફી માંગે અને સદ્દબુદ્ધિની પ્રાર્થના કરે.
આ તમામ જદ્દોજહેદ વચ્ચે પણ એક એવી ખેદજનક માન્યતાનું સમાજમાં વહન કરવામાં આવે છે અને અમુક વર્ગને પરમકૃપાળુ પરમાત્માના દર્શનનો નિષેધ ફરમાવવામાં આવે છે.
જ્યારે પણ જગતમાં આવી દુર્ભાગ્યપૂર્ણ મનોવૃત્તિનું વહન કરનારા લોકોનો અતિરેક થાય છે, ત્યારે સ્વયં ઈશ્વર કોઈ પવિત્ર આત્માને સત્કાર્યો માટે પૃથ્વી ઉપર જન્મ આપે છે. એનાં દ્વારા વિશેષ કાર્યનો આરંભ કરાવી, કોઈપણ અન્યાયપૂર્ણ પ્રથાનો વચલો માર્ગ ચિંધાડે છે.
આ વચલો માર્ગ એટલે સ્વયં ઈશ્વર, પોતાના ભાઈબહેન સાથે પૂરીની ગલીઓમાં ભ્રમણ કરી મનુષ્યમાત્રને દર્શન દઈ પરીતૃપ્ત કરે છે. જેને આપણે વર્ષોથી જુદીજુદી કથાઓથી જોડી ‘રથયાત્રા’ નામ આપ્યું.
✍️ – રીટા ભાયાણી.
[6/30, 4:48 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *મૌલિક લેખ*
*વિષય* : *પરંપરાગત રથયાત્રા*
*શબ્દો* : *૨૧૭*
*શીર્ષક* : *’પ્રભુની નગરયાત્રા’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા અનેક ઉત્સવો લોકો ઉજવતા આવ્યા છે. લોકમાનસ પર છવાયેલો અને હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવાતો આમાંનો એક ઉત્સવ એટલે રથયાત્રા. રથયાત્રાનો પવિત્ર દિવસ એટલે અષાઢ માસની શુક્લ પક્ષની દ્વિતિયા. આ દિવસે રથયાત્રામાં પસંદગીના શુભ વૃક્ષોના કાષ્ઠમાંથી નિર્માણ કરેલ ત્રણ અલગ અલગ રથમાં ભગવાન શ્રી જગન્નાથજી, તેમનાં બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી બિરાજમાન થાય છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરા પવિત્ર ધામ પુરીમાંથી ઉદ્ભવી છે. પુરીની રથયાત્રા જગવિખ્યાત છે અને તેમાં ભાગ લેવા લોકો વિશ્વના ખૂણે ખૂણેથી આવતાં હોય છે. પુરી ખાતેનું જગન્નાથજીનું મંદિર લગભગ 800 વર્ષથી વધુ જૂનું છે જેને ચાર પવિત્ર ધામોમાંનું એક માનવામાં આવે છે. આ રથયાત્રામાં દોરડા દ્વારા શ્રધ્ધાપૂર્વક ભક્તલોકો ભગવાનના રથને આગળ ખેંચી જાય છે. કહેવાય છે કે જે ભક્તોને રથ યાત્રાનો રથ ખેંચવાનું સૌભાગ્ય મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર જે રથ ખેંચે છે તેને મોક્ષ મળે છે. ભગવાન જગન્નાથજીને ભગવાન કૃષ્ણ અને રાધાની યુગલ મૂર્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.
ખૂબ મજાની વાત એ છે કે,આ દિવસે ભગવાન સ્વયં શહેરમાં નગરયાત્રા કરે છે. લોકોની વચ્ચે સામેથી દર્શન આપવા અને ખબર-અંતર લેવા આવે છે અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બને છે. કેટલી સુંદર ભાવના અને અદ્ભૂત આયોજન ! ભગવાનની આવી નગરયાત્રા નગરના જનસમૂહને ભગવાન શ્રી જગન્નાથજી સાથે ભક્તિભાવથી જોડાયાની અનુભૂતિ કરાવે છે અને વિશ્વમાં સહુની કુશલ મંગલની કામના કરે છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૩૦ જૂન ૨૦૨૨
[6/30, 6:03 PM] Prafulla Prasanna: N O G સાહિત્ય સરિતા (૧)
N G. No. — 39
વિષય – અષાઢીબીજ
પ્રકાર — પદ્ય – અછાંદસ
શીર્ષક — મેઘ મલ્હાર
રચના —
ટહુકે મોર મસ્ત બની, વાદળ મહીં ચમકે વીજ,
ઘોર અંધારું ઘેરાઈ ગયું, આવી અષાઢી બીજ,
ખેડુ નભે નીરખે, આભે ઘનઘોર વાદળ ઘેરાય!
અષાઢી બીજનાં બારણે, વર્ષાનાં છાંટણા થાય!
શ્રી કૃષ્ણ, સુભદ્રા ને બલરામ, સજી ધજી તૈયાર!
ભક્તગણ ટાંપી ઉભા રહ્યાં, પ્રભુ દર્શનને કાજ!
“જય રણછોડ, માખણ ચોર’, જયઘોષ બની સંભળાય!
પ્રસાદ મગ ને જાંબુનો, મુઠ્ઠીઓ ભરી વહેંચાય!
નગરચર્યા નિરખવાં નિસર્યાં, માખણચોર માધવ!
હૈયાંથી હૈયું ભીંસાય, લોક નાચી કુદી હરખાય!
અષાઢી બીજનાં વાંદણા લઈ, મેઘ મલ્હાર ગાય,
વરસાદનાં આગમન થકી ચોમેર ખુશીઓ છવાય.
પ્રફુલ્લા “પ્રસન્ના”