GN_28-05-2022. (1)
[5/26, 8:00 PM] Muktida Oza.MeM: NOGSS-106
NOG.સાહિત્ય સરિતા
વિષય:-‘માન-અપમાન’
પ્રકાર:-ગદ્ય
શબ્દ:-250
શીર્ષક:-
“તમને શું જોઈએ છે?”
—————————–
આવ નહીં આદર નહીં,
નહીં નયનમાં નેહ,
તે ઘર કદી ન જાઈએ
ચાહે કંચન વરસે મેહ.
*જીવનનો સૌથી સુંદર*
*આસાન નિયમ.*
તમારી સાથે થવું ન જોઈએ.*
*એ તમે*
*બીજા સાથે ના કરો.*
“માન-અપમાન”શબ્દને આધ્યાત્મિકતા સાથે જોડીએ?
એનું કર્મ એની સાથે,મારું મારી સાથે.
હું જે કરું તેનાથી મને લેવાદેવા છે.
માન બહુજ ગમે અપમાન ખૂંચે!
એક પંચતારક હોટેલમાં જમણમાં ખૂબ વાનગી પીરસાયેલી છે,
માન-અપમાન-સંમાન-પ્રશંસા”નામની વાનગીઓ પણ પીરસાયેલી છે..
જે જિંદગીના “અહંકાર” રૂપી મસાલાથી ભરપૂર હોય છે,દેખાવમાં તો એવાં આકર્ષક હોય છે કે-ખાય પછી પસ્તાય અને નખાય તે પસ્તાય!!!.
આમાંથી ગમશે/ભાવશે તે તમે ઉપાડશો અને ખાશો..
તમારે નક્કી કરવાનું.
માન/અપમાન શબ્દની આસપાસ નર્યો અહમ્ હોય.છે.
અમે વડીલ,અમને માન મળવું જોઈએ! વેવાઈ છીએ! દિકરાને પક્ષેથી,એટલે માન મળવું જોઈએ!!
અમેઅમે,હુંહુંહું!!
રાજ/રજવાડાંઓનો માલિક “હું”.
કુટુંબ/કબીલાનો મોભી !!
સૌને સારા તરીકે જ સ્વીકારું.
ખુશીથી જીવો
ખુશી બાંટો..
સાચું ‘માન’
સંતને જ મળે.
માન અપમાન આપણે જ વાવેલાં બીજમાંથી ઊગી નીકળેલાં વૃક્ષ છે.જેનાં ફળ આપણે જ ચાખવાનાં છે.
‘માન-અપમાન’ ઉપર બેઠેલાં પંખીનું પાંજરું લોખંડનું નથી.એ ભાવનાથી બનેલું છે.
‘માન-અપમાન’ મનને અસર કરે. -!!
સામાજિક માન-સન્માન જોઈએતો,તમારા પાસે
રાજકીય હોદો અને પૈસા! હોવા જરૂરી!
માન મળતું રહેશે.
તમે દેખીતા ‘મોટા’,
તો અપમાન નહિ કરે..પણ પાછળથી પૂછવું પડે! સાચું માન હતું ?!
અપમાન ઝીલતા રહો.
આપણે માન/અપમાનના કેટલા અધિકારી?
‘જતું કરતાં’- શીખવું પડશે.
‘માન-અપમાન’ કેટલો સહેલો શબ્દ છે?,
“માન”- માટે
બોરડીના ઝાડે ચડાવનારા મળી રહેશે,”સાચું માન” તમારું વ્યક્તિત્વ છે.
અપમાન આપણે જાતે મેળવીએ !
“યોગ”
યોગ-‘શરીર*મન આત્માને’ જોડે છે.બીજા શું કરે છે?તે જોવાના બદલે પોતાની અંદર જાંચીએ તો કેટલું સારું!
** “સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ
ભોંયરાંઓ એનાં ક્યાં ક્યાં નીકળે!!?..:- રમેશ પારેખ.
[5/27, 8:16 AM] R S. Vyas.MEM: NOGSS- 0112
NOG.સાહિત્ય સરિતા
વિષય:-‘માન-અપમાન’
પ્રકાર:-ગદ્ય
શીર્ષક:-
” સંતુલન અને સમતોલન ”
—————————–
માન -અપમાન એ જીવનનો સાર છે, જેવુ આપીએ, જેવુ વર્તન કરીએ, જેવુ જીવન જીવીએ એ પ્રમાણે મનુષ્ય જીવનમાં માન – અપમાનનો સ્વીકાર કરવો રહ્યો.
ઘણીવાર ઘણા લોકો હોદ્દાનુ કે કંઇક વિશેષ વ્યક્તિનુ મળેલુ માન જીરવી સકતા નથી પરિણામે અપમાનનુ ભોગ બનવુ પડતુ હોય છે.
લોકોએ કરેલા સારા કાર્યો, સેવા, સમર્પણ, સારા કર્મોથી સમાજમાં અને દરેક જગ્યાએ વ્યક્તિને માન મળતુ હોય છે.
પરંતુ માન અને મોભો વધી ગયા પછી ઘણા લોકો મર્યાદા ઓળંગી જતા હોય છે, પરિણામ સ્વરૂપ અપમાનનો ભોગ બનતા હોય છે.
વધુ પડતા માન સન્માનથી ઘણીવાર લોકોના મનમાં અભિમાન વધી જતુ હોય છે, ખરેખર તો પદ અને પ્રતિષ્ઠા વધ્યા પછી નિર્મળતા આવવી જોઇએ પરંતુ તેનો ક્યારેક અભાવ જણાતો હોય છે, અભિમાનના અતિરેકમાં માણસ સામેના લોકોને નિન્મ કક્ષાના અને તુચ્છ સમજવા લાગે છે અને પરિણામે અપમાનના ભોગ બને છે.
સાર એટલો કે માન મળ્યા પછી અપમાનનો ભોગ બનવુ ન જોઇએ, જીવનની દરેક બાબતો માં સંતુલન અને સમતોલ જાળવી શકે એ વ્યક્તિ જીવનના અંતિમ તબ્બકા સુધી માન સન્માનથી જીવી જતા હોય છે.
રાજેશભાઇ એસ વ્યાસ, “રાજ ”
ધ્રુવનગર,,,, મોરબી
[5/27, 10:45 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર :- પદ્ય
વિષય:- માન-અપમાન
શિર્ષક :- નિર્લેપ મન
ના જીવવું મારે હવે,
સામાજિક પ્રશસ્તિ પત્રોના આધારે.
પરે થાવું છે હવે આ,
માન -અપમાનના કુંઠિત વિચારે.
જાણું છું કે અહીં મૂલ્ય અંકાય છે,
વ્યક્તિની ઉપયોગિતાને આધારે.
ઉપયોગી હોવ ત્યાં સુધી,
માન ને સન્માનની સરવાણી વરસે ચોધારે.
વ્યક્તિત્વને સાચેજ ક્યાં માન અપાય છે?
કિંમત તો રૂપ, રૂપિયા કે સત્તાની જ થાય છે.
નાણાં વગરનો નાથિયો ને,
નાણે ‘નાથાલાલ’ એથી જ તો કહેવાય છે.
બધા ગરીબ સુદામાને,
અહીં કૃષ્ણ મળતા નથી.
રાજા થઈ ગરીબના ચરણ પખાળે,
એવા માનના દિપક હૈયે પ્રજવળતા નથી.
અપમાન મનની કડવાશ છે કે
સામાજિક ભડાશ છે ?
બતાવે છે શું કે વ્યક્તિ નિરાશ છે કે
તૂટી એની કોઈ આશ કે વિશ્વાસ છે?
વાણી, વર્તન કે વ્યવહારથી,
જાણ્યે- અજાણ્યે અપમાન થાય છે.
નથી છેદવું હોતું ક્યારેક તોય,
કોઈનું હૃદય આરપાર વિંધાય છે.
ઘડી- બે ઘડીની આ ઘટનાથી,
અલિપ્ત ના રહી શકીએ?
વ્યક્તિત્વ ને સંબંધોના જતન માટે,
માન- અપમાનથી ઉપર ના ઉઠી શકીએ?
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર.
૨૭/૦૫/૨૨.
[5/27, 1:59 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર પદ્ય
વિષય : માન અપમાન
શીર્ષક : ભૂલી જા
માન ભૂલી જા,અપમાન ભૂલી જા.
કડવા ઘૂંટડાને, એમ જ તું પી જા,
કોણે નિંદા કરી કે હાંસી ઉડાડી
પાછળ જોવાનું હવે તું સદંતર ભૂલી જા,
લોકો છે,એટલે કાદવ તો ઉછળશે
વસ્ત્રો ધોવા નાખી બધું તું ભૂલી જા .
તને જે ગમે છે એની જ તું શોધ કર
ન મળે તો શોધનારને ભૂલી જા.
તું લખે છે એને ઈર્શાદ નહીં મળે
બસ લખીને એને હવે તું ભૂલી જા.
અહીં તો કેટલાય આવ્યા ને ગયા
કોણ તને યાદ રાખશે,એ પણ ભૂલી જા .
ઘનશ્યામ વ્યાસ.
[5/27, 2:51 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *ચિંતન લેખ*
*વિષય* : *માન-અપમાન*
*શબ્દો* : *૩૪૯*
*શીર્ષક* : *’સંબંધોની માવજત’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
માન અને અપમાન બંને કોઇપણ વ્યક્તિના આત્મસન્માન, અહમ્ તથા અહંકારની માત્રા સાથે જોડાયેલી ઘટના છે. માન તેને કહેવાય જે ઠાલું ખુશામતથી ભરેલું ન હોય અને સાચે જ વ્યક્તિનું આત્મસન્માન વધારનારું હોય. જ્યારે અપમાન તે હોય છે, જેના થકી વ્યક્તિનો અહમ્ ઘવાય અને તેના આત્મસન્માનને ઠેસ પહોંચે. આત્મસન્માન કોને વહાલું ન હોય? કોનામાં રતીભાર પણ અહંકાર ન હોય? જીવનમાં આપણે સહુ જાણે અજાણે આપણા સંબંધોને માન-અપમાનની તુલાને હવાલે કરી દેતાં હોઈએ છીએ.
આપણા પૌરાણિક ગ્રંથોમાં જે માન-અપમાનની પરિસ્થિતિઓ, વ્યવહાર અને સંબંધોની સાચવણીના ઉદાહરણ દર્શાવવામાં આવ્યા છે તે તરફ પણ નજર નાખી જોઈએ. રામાયણમાં કંઈ કેટલાયે પ્રસંગોમાં માન-અપમાનની સમસ્યાઓ ઊભી થયેલી દર્શાવેલ છે. પોતાની પ્રિય પટરાણી હોવા છતાં રાણી કૈકૈયીએ રાજા દશરથને પુત્ર મોહમાં અંધ થઇને પુત્ર રામને વનવાસમાં મોકલવાની માંગણી કરીને અપમાનનો ઘા કરી કપરી પરિસ્થિતિમાં મૂકી દીધાં અને અંતે દશરથે પુત્ર વિયોગમાં પોતાનો જાન ગુમાવ્યો. બીજી તરફ ભગવાન રામ સંબંધોને મહત્વ આપી કોઈના પણ પ્રત્યે લેશ માત્ર દ્વેષ રાખ્યા વગર ક્ષણવારમાં રાજપાટ છોડીને વનવાસ ગ્રહણ કરી નીકળી પડ્યા. આ બધું તેમણે પિતાના આપેલ વચનનું માન જાળવવા અને માતા કૈકેયીની આજ્ઞાનું સંદેહ વગર પાલન કરવા કર્યું.
તે જ કિસ્સામાં એક બીજું પાત્ર માતા કૈકેયીના પુત્ર ભરતનું છે, જેના પુત્ર મોહમાં અંધ થઈ કૈકેયીએ તેને રાજપાટ અપાવવા પુત્ર રામના વનવાસની અઘટિત માગણી કરી. ભરતે ક્ષણવારમાં તેને મળેલ રાજપાટ ફગાવી દીધું અને રામની પાદુકાને પ્રતિકાત્મક રીતે રાજગાદી સુપ્રત કરી પોતે એક સેવકની ભાવનાથી ૧૪ વર્ષ રાજ્ય સંભાળી રાજા રામને તેમનું માન પરત કર્યું અને પોતે ઉત્કૃષ્ટ ભાતૃપ્રેમનું ઉદાહરણ બન્યા. રામાયણના ઉત્તરાર્ધમાં એક સામાન્ય ધોબીની સીતા માટે અપમાનજનક ટિપ્પણીઓ ઉપર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે સીતાનો અગ્નિપરીક્ષા પછી પણ ત્યાગ કરવો પડ્યો. આમાં શ્રી રામે રાજા હોવાના નાતે પ્રજાની લાગણીને માન આપ્યું.
ઉપરના એક પણ સંદર્ભો આજના યુગમાં આપણને ક્યાંય બંધબેસતા દેખાતા નથી, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે તેમાંથી માન-અપમાનના કિસ્સાઓમાં સંબંધની માવજત કઈ રીતે થઈ શકે તેની શીખ જરૂર મળે છે. આજના યુગમાં પણ આપસી સંબંધોને જાળવી રાખવા અને ઉજળા બનાવવા આપણા અહમ્ અને અહંકારને એક હદ સુધી જો અવગણી શકીએ અને પરસ્પર સન્માન પ્રદર્શિત કરી શકીએ તો આજના યુગના ઘણા બધા પ્રશ્નો હલ થઇ શકે છે અને પતિ-પત્ની, સંતાનો, માતા-પિતા, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ અને તેવા ઘણા ગુંચવણભર્યા સંબંધોને તંદુરસ્ત બનાવી શકાય છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૭ મે ૨૦૨૨.