GN_13-05-2022.
[5/12, 2:27 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S.S. 0059.
વિષય: શબ્દ: સ્નેહની સરવાણી
પ્રકાર: ગધ્ય-લેખ.
શીર્ષક: અભિલાષા
શબ્દો:૨૧૦
જયકાન્ત ઘેલાણી “પ્યારે”.
વહેતી રહે છે સતત જળ સરવાણી, પ્યાસ બુઝાવવા સકળ સૃષ્ટિની ! ,
જ્યારે, બની સરવાણી હું,સ્નેહની,પ્યારે’, ટકાવી રાખું,
હું માનવસંબંધ !
આપણે દરેકે, પાણીની સરવાણી,સરિતા, કુવા,વીરડા કે ઝરણામાં નિહાળીએ છીએ.
સ્નેહની સરવાણી તો અંતરની લાગણી છે,
જેને વિશ્ર્વમાં કોઈએ નરી આંખે ન જોઈ હોય.
‘પ્યારે’ સ્નેહની સરવાણી તો ફક્ત અનુભવવાની ક્રિયા છે.
એ તો જે માણે તે જાણે!
તમામ જીવસૃષ્ટિનો સંબંધ, ફક્ત ને ફ્કત, પૂર્વભવોના,અરસ પરસના શેષ રહેલાં કર્મોને આધીન છે.
સંબંધોમાં પણ,સ્નેહના સંબંધો નરી આંખે જોઈ શકાતાં નથી પણ તે ફક્ત અનુભવની એરણ પર અવલંબે છે, જેમ કે
મા ની અમીદ્રષ્ટિ,પરિવારજનોની કૃપાદ્રષ્ટિ,સ્નેહીઓની પ્રેમદ્રિષ્ટ, વિગેરે આપણે રોજીંદા જીવનમા માણતાંજ હોઈએ છીએ.
અરે ! આપણી પ્રાણીઓ પ્રત્યેની કૃપાદ્રષ્ટિ પણ બાકી રહેલાં પૂર્વ ભવોના લેણ દેણના સંબંધોનું પરિણામ છે.
આપણે આપણાં જીવનમાં સુખી થવું હોય, દરેકને સુખી જોવાં હોયતો,…
“પ્રેમ કી ગંગા બહાતે ચલો..”
પ્યારે’સ્નેહ કી સરવાણી, બહાતે રહો…..
જો વિશ્ર્વનાં દરેક ધર્મો,
ધર્મ ગુરુઓ- મૌલવીઓ,વિશ્ર્વમાં ફેલાયેલી નફરતની નદીની જગ્યાએ,
‘સ્નેહની સરવાણી’વહેડાવવાનો મકકમ નિર્ણય કરશે તો આ સમગ્ર જગતમાંપ્રેમ- લાગણી-સુખનો સૂર્ય ઝળહળી ઉઠશેજ, તેમા બે મત નથી.
સ્નેહ આપનાર, તેને સ્વીકારનાર અને તેને સમજનારજ,સ્નેહની સરવાણીની મીઠાશનો રસાસ્વાદ. માણી શકેછે.
સ્નેહની સરવાણી અતૂલ્ય !
સ્નેહની સરવાણી અમૂલ્ય !
સ્નેહની સરવાણી અકથ્ય !
[5/12, 4:16 PM] Kalpanaben Trivedi.MeM.NOG: ” NOGSS
સભ્ય નંબર..19
વિષય…સરવાણી
પ્રકાર…પદ્ય અછાંદસ
શીર્ષક… મળો ભીતર
મળે ત્યાંથી આ પીડા સંઘરવાની કેવી આદત છે?
લાગ્યું કે સાતમે પાતાળ *પાણી* હશે,
પથ્થર છે તો કયાંક સરવાણી પણ હશે!
કેવી છે માનવની કામના , કે ઇચ્છાનું આ મૃગ તરસે મરે છે,,
એને પીવડાવો લાગણીના વારિ,
શું કામ ઝખમ ખોતરી ને પૂછો છો ,
કે કેવો છે. મૃગજળ નો અનુભવ!!
ક્યાંક ખોવાઈ જવું ને ક્યાંક મળી જવું,
આ મર્યાદા ના બારણે ટકોરા વગર ખૂલી જવું જોઇએ!
માનવીએ પોતાની ભિતર જ મળી જવું જોઈએ.
*કલ્પના બેન ત્રિવેદી*
*સુરેન્દ્રનગર*