GN_12-05-2022.
[5/11, 10:59 AM] Babu Sangada.પત્રકાર: વિષય :-સ્નેહની સરવાણી
શિર્ષક:-કેમ ભૂલુ?
પ્રકાર :-પધ
NOG NO 109
કેમ ભૂલુ ?
ખાખરાના ઝાડનો રંગ ઉઘડ્યો,
કબૂતરીની વાછટો પીધી,
ગગનચૂંબી શીલાઓમાં અફળાયો,
ઝાડી ઝાખરામાં ફૂંટ્યો,
ને આજ પંખીનો ટહુંકો થયો,
તે ગામ,ગુંદરું,પાદર કેમ ભૂલું?
ખૂબ ટીપ્યો,તપાવ્યો,
ઈ દરિદ્રતાની ભઠ્ઠીમાં,
બંધ રસ્તાઓ વચ્ચે રૂલાવ્યો,
પછાડયો,અફાળ્યો,ઉછેર્યો,
ને સૂર બન્યો શબ્દે ચડી,
એ સાતે સૂરના લયો કેમ ભૂલું?
ખીણો,દુર્ગંમ કરાડો,પગદંડી,
ઉડાણ ભરતા પગલા,
શૂળોની માફક ખૂપી જતા કાટા,
શેડ બની વહેતા લોહી,
તેમાથી ઉઘડતી નવીપગદંડી કેમ ભૂલું?
શ્વાસમાં ધબકાર બની ધબકતો,
એ વગડો ને વનરાઈ ,
બધું મારું શૈશવને,
ને હું જે થયો છું મહુંડાના ઝાડ જેવો,
તે સરારતી,
ને વધતો ગયો ગગનચૂંબિ પ્હાડ થઈ ,
પાયામાં રેડેલ ખાણુંની મિજબાની કેમ ભૂલું?
બાબુ સંગાડા”મહેક”
[5/11, 11:11 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: સાહિત્ય સરિતા
NOG ૦૦૧૩
વિષય : સ્નેહની સરવાણી
પ્રકાર : પદ્ય
વિષય : સ્નેહની આજીજી
તારા પ્રેમમાં ખેંચાણ છે
એવી શ્રદ્ધા તો છે જ મને.
તારા પ્રેમ સાથે સ્નેહ છે
એની તો ખાતરી છે મને.
ભલે ખામી હશે આ પ્રેમમાં
કદાચ કચાશ હશે સ્નેહમાં
પણ એકીટશે તને જોયા કર્યું
નફરત નથી હવે મારગમાં.
તારા પ્રેમમાં પડ્યા પછી
આજુબાજુ ક્યાંય જોયું નથી.
એક તારી મૂર્તિ સામે રાખી
ખુબ લાડ લડાવ્યા છે તને.
તને જોયા પછી બેરંગી
દુનિયાને ક્યાં જોઈતી અમે
પણ તને જોયા પછી મન
ખાસ તડપે રોજ જોવા તને.
મારી બદનામી થાય એ
બિલકુલ ગમશે નહીં તને.
મને ડર થોડો લાગે એ
પણ હવે સમજાય છે તને.
આ દુનિયાની અવગણનાથી
સંતોષ ને ખુશી મળે મને.
શ્યામ જરાક રહેજે તું પ્રેમાળ
નક્કી ગળે લગાડજે મને.
ઓ રામ શ્યામ ઘનશ્યામ
સ્નેહની સરવાણી સજી
તારા ધામમાં લઈ જજે મને
ઘનશ્યામ વ્યાસ
[5/11, 11:47 AM] Muktida Oza.MeM: NOGSS-106
NOG-‘સાહિત્ય સરિતા-ગ્રુપ’
વિષય-સ્નેહની સરવાણી
શીર્ષક-“પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ”
પ્રકાર:- પદ્ય
શબ્દ:-140
******************
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ
મુક્તિદા કુમાર
‘મનચલી’
******************
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ???
માગ્યો મગાય નહિ!
જોડયો જોડાય નહિ!
શોધ્યો શોધાય નહિ!
મનડામાં મલકંતો દીઠોમેં
પ્રેમ!!
શોધ્યો જડેના
દિવસ રાત શોધમાં,
શોધતાં તો શોધ્યો મેં,
મળ્યો-
બાળકને ધરાવતી, માના ધાવણની ધારામાં!! સ્નેહ નીતરતી સરવાણી
અને
બાળકની નિર્દોષ નજરુંમાં,
સ્નેહ નીતરતી, ગાવડીને(ગાય) જોઈમેં–
જન્મેલા વાછરુને જીભેથી ચાટતી!!
પ્રેમીની આંખ્યુંમાં અશ્રુની ધાર થકી,
પાગલપનના પાશથકી વલોપાતા છલકાતા સ્નેહની સરવાણી મેં જોઈ.
સવારના પહોરમાં સૂરીલા અવાજથી ગવાતાં પ્રભાતિયાંમાં – પ્રેમ.
પ્રેમ મળ્યો મને, આનંદથી કિલ્લોલતા પંખીના કલરવમાં,
મેં તો માણ્યો ચકલીઓના ચહચહાટમાં,
દૂધને ચપચપ ચાટતી બિલાડીની લુચ્ચી આંખોમાં!!
દાદાની મૂછની લંબાઈ જોઈ,
પોતાના કોરા હોઠે તાવ દેતા બાળકની આંખોમાં!
દાદીના ખોળે,દાદીની વાર્તામાં ગૂંથાઈ,ખુલ્લાં આકાશે…
ખાટલાની ગોદડીમાં ટૂંટવાઈ,
રાતના ચમકંતા તારાની નીચે
સપનામાં ખોવાઈ જાતા.. બાળકની કલ્પનામાં
વહેતાં પ્રેમની સરવાણીને જોઈ!!?
પીયુની પ્રીતે પલોટાતી જાઉં હું તો,
એમના પ્રેમની સરવાણીએ!
માગ્યો મગાય નહિ,
જોડ્યો જોડાય નહિ,
શોધ્યો શોધાય નહિ!
સૌ-સૌના મનડાંમાં મલકંતો દીઠો મેં પ્રેમ!!
હા
પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ.
[5/11, 11:48 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- સ્નેહની સરવાણી
શિર્ષક:- ‘ ભીનાશ પહોંચી હૈયે ‘
ધોધમાર વરસી ગયો એ મેહુલો,
કરી ગયો આ ધરાને તરબોળ.
સ્નેહની સરવાણી ફૂટી એની સહસ્ત્રધારાઓથી,
ભીનાશથી હૈયું થયું જાણે સાવ ટાઢુંબોળ.
આમ તો પ્રતિક્ષા હતી ધરાને જનમથી,
સ્નેહ વારિના સીંચનની.
કોઈ વૈભવી જેમ ખજાનો લૂંટાવે ને,
અચાનક પૂરી દે ખોટ કોઈ અકીંચનની.
એવું નથી કે ધરા સ્નેહ વિનાનું હૈયું લાવી છે,
જે પામવું છે એની લ્હાણ લઈને આવી છે.
પણ ક્યાંક ડંખ્યો ‘તો ખાલીપો જીવનનો,
તેથીજ મેઘ પર એ તન-મન વારી છે.
સ્નેહના આદાન-પ્રદાનનુંય કહેવું પડે!
છલોછલ ભરેલ હૈયે ય તરસ્યા રહેવું પડે.
પોતાનો સ્નેહ પોતાના પર ઓવારાતો નથી, લખલૂટ દઈને પણ ભરપૂર પામવાનો વહેવાર સચવાતો નથી.
મેઘના રોમેરોમથી સ્નેહની સરવાણી ફૂટી,
ધરા ભીંજાઈ ધરાઈને ને શરમની પાળો તૂટી.
બધુંય હોવા છતાં સ્નેહ વિના સૂનો સંસાર છે,
ધરા-મેઘના એક્ત્વમાં સ્નેહનો જ સાર છે.
સમય બદલાતા જૂઓને સ્નેહમાંય તકરાર છે,
આપ્યા વગર પામવાનો તલસાટ અહીં ધરાર છે.
સ્નેહની ભીનાશ ભીંજવે હૈયું તો જ એ સ્નેહ સાકાર છે,
સ્નેહના કિસ્સાઓમાં અહીં અન્ય લાગણીઓ બેસુમાર છે.
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૧૧/૦૫/૨૨.
[5/11, 5:44 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: .
N O.G.S. S. No.0102.
નામ. :- રતીલાલ વાયડા
વિષય.:- સ્નેહની સરવાણી.
પ્રકાર. :-. ગદ્ય.( સત્ય ઘટના.)
શીર્ષક:- નિસ્વાર્થ પ્રેમ.
રચના:-
મારા જીવનમાં બનેલી આ એક સત્ય ઘટના આપ સમક્ષ રજુ કરું છું. આજે આ ઘટનાને ૬૦ જેટલા વર્ષો વીતી ગયા છે.
૧૯૬૨માં હું કોલેજમાં ભણતો હતો અને મીઠાપુરમાં મારા કાકાની લોજ અને હોટલ હતી તેમાં પણ હું સાથે કામ કરતો અને દ્વારકા કોલેજમાં અભ્યાસ કરતો હતો.
મેટ્રિક સારા ગુણ સાથે પાસ કરે અને ભૌતિક અને રસાયણશાસ્ત્ર જેવા વિષયમાં પણ મને સારા ગુણ હતા.
લોજમાં મેલા ઘેલા કપડા ,બધા ગ્રાહકોને પીરસવાનું , થાળી ઉપાડવી, સફાઈ કરવી વગેરે કામ હું કરતો.
મીઠાપુર તાતા કેમીકલ્સમાં લેબોરેટરીમાં ટેસ્ટરની જગ્યા ખાલી હતી તેના માટે ઇન્ટરવ્યુ આવ્યું.
ઇન્ટરવ્યૂ લેનાર શ્રી ઠાકોરભાઇ પટેલ સાહેબ હતા. તેની સમક્ષ જ્યારે હું હાજર થયો ત્યારે સૌ પ્રથમ તો તેણે મારી સામે જોયું અને કહ્યું કે તું અહીંયા શું કામ આવ્યો છે? મેં જણાવ્યું કે હું ઇન્ટરવ્યૂ માટે આપવા આવ્યો છું .તેને આશ્ચર્ય થયું કે લોજમાં કામ કરતો સામાન્ય નોકર ઇન્ટરવ્યૂમાં કેવી રીતે આવી શકે? તેણે મારી માર્કશીટ જોઈ, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા . ખાસ તો રસાયણશાસ્ત્રને લગતા અને તાતા કેમિકલ્સ વિશે. મેં બધા સંતોષકારક જવાબ આપ્યા અને મને પસંદ કર્યો.
મને થોડા જ વખતમાં ટેસ્ટિંગ કામ કેમ કરવું તેની તાલીમ આપવામાં આવી અને હું ટૂંકા ગાળામાં એક સારો ટેસ્ટર બની ગયો .હવે ખાતાનું ઘણું કામ મને વિશ્વાસથી સોંપવામાં આવતું અને હું પણ નિષ્ઠાથી કાર્ય કરતો હતો.
મારી નોકરી જનરલ શિફટમાં સવારના આઠથી સાંજે પાંચ સુધી હતી અને તેને કારણે હું કોલેજમાં જઈ શકતો ન હતો.
મેં મારી આ મુશ્કેલી પટેલ સાહેબને જણાવી.મે કહ્યુ” સાહેબ, સવારના દ્વારકા કોલેજમાં જઉ અને બપોરે બે થી રાત્રે દસ વાગ્યા સુધી સેકંડ શિફ્ટમાં કામ કરુ તે પ્રકારની પરવાનગીની મને આપો તો સારું.” મેં સાહેબને વિનંતી કરી. તેણે મને એમ કરવાની પરવાનગી આપી . આ રીતે તાતા કેમીકલ્સમાં મારી નોકરી અને મારું કોલેજ નું ભણવાનું બંને ચાલુ રહ્યું.
આ રીતે હું નોકરી કરતા કરતા પટેલ સાહેબ ની મહેરબાની થી હું ગ્રેજ્યુએટ થઈ શક્યો.
તાતા કેમીકલ્સમાં ટેસ્ટર તરીકે કઈ કોઈ વધારે મારી પ્રગતિ થઈ શકે તેવી વધુ શક્યતા ન હોવાને કારણે તેણે મને ગ્રેજ્યુએટ થયા પછી મીઠાપુર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જવા માટેની પ્રેરણા આપી.
હું મીઠાપુર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો,અને ત્યાંજ નિવૃત થયો.
.
આજે આટલા વર્ષો પછી પણ શ્રી ઠાકોરભાઈનો મારો તરફનો પ્રેમ તે અસાધારણ છે. તે અમેરિકા હોવા છતાં પણ આજે અમે વારંવાર એકબીજાના સંપર્કમાં છીએ અને તેમના આશીર્વાદથી આજે ઘણું સારું છે એમ કહું તો પણ કંઈ ખોટું નથી ઈશ્વરે નિસ્વાર્થ પ્રેમના સંબંધો બાંધી અને જકડી રાખ્યા છે.
એ માટે ભગવાન દ્વારકાધીશનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૧૧/૫/૨૦૨૨ . બુધવાર.