[3/23, 3:06 PM] Pradip: NOG SS નંબર -0042
પ્રકાર -પદ્ય -અછાંદસ
શીર્ષક – અભિવ્યક્તિ
વિષય – વિશ્વ કવિતા દિવસ
મૌન બને પ્રેમની અભિવ્યક્તિ,
સમજી શકાય જો લાગણીની,
ભાષા હોય પાસે,
આંખો બતાવે હૃદયની હાલત,
સમજી શકાય જો સ્પર્શની,
હૂંફ હોય પાસે,
પાંગરે પ્રેમના પુષ્પો સાથી,
સમજી શકાય જો સ્નેહની,
માવજત હોય પાસે,
કરે પ્રેમનો દાવો દિલબર,
સમજી શકાય જો સાચો,
રાહબર હોય પાસે.
પૂજા(અલકા)કાનાણી
[3/23, 3:06 PM] Pradip: NOG SS NO – 0037
વિષય – વિશ્વ કવિતા દિવસ અંતર્ગત રચના.
શીર્ષક – શબ્દ તણી રંગોળી.
માતૃભાષાનું પ્રિય સંતાન એટલે કવિતા.
માતૃભાષાનું ગૌરવ ગાન એટલે કવિતા.
કલમ અને કાગળના પ્રેમની અભિવ્યક્તિ એટલે કવિતા.
કવિઓની હ્રદયની ઉર્મિઓનું સુંદર આલેખન એટલે કવિતા.
કવિની કલમે વહેતી સરિતા,વનિતા, પવિત્રતાનું,
પાવન ઝરણું એટલે કવિતા.
કવિઓની કલમનો સુવર્ણ દસ્તાવેજ એટલે કવિતા.
કવિઓની કલમે જન્મતું શાબ્દિક બાળ એટલે કવિતા.
સાહિત્યની સુંદર નઝરાણું, એટલે કવિતા.
સાહિત્યનું મનોમંથન, ભાવ વંદન એટલે કવિતા.
કવિઓની શાબ્દિક વાગ યુદ્ધ એટલે કવિતા.
કવિઓની શાબ્દિક રંગોળી એટલે કવિતા.
જીવનનાં ભાવને શાબ્દિક સ્વરૂપે પ્રગટ કરવું, એટલે કવિતા.
અંતર મનથી પ્રગટ થાય, પર બ્રહ્મ સુધી ગુંજે તે કવિતા.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
[3/23, 3:06 PM] Pradip: NOG SS NO – 0050
વિશ્વ કવિતા દિવસ.
શીર્ષક – હું ને મારી કવિતા
……………………………….
કવન તો કવિની કલ્પનાને
સ્વના ગર્ભમાંથી પ્રગટેલી..!
મનડાં રૂપી મોતીનાં દલડાંની સવારી હોય..!
એમાં શ્રૃંગાર, રૌદ્રરસ યા અંલકારનો સ્વ મેલ મલે..!
સૂના જીવનનો રંગ છે ભલે તેમાં ભરતી કયારે અંમરથી ઊંચી ,
ને ઉડાનથી ઉપર હોય..!
કવિ કંઈક અમથું થોડું થવાય છે..!
કલ્પનાનો સિમાડો તો મુંજ
ગર્ભમાંથી નિકળે..!
ત્યારે બને કવિતા.!
લખું છું ત્યારે મુંજ હ્રદયનાં ગર્ભમાં ધગધગતા દાવાનળ
બહાર આવે…!
કયારે ભીની લાગણી, સંવેદનાં, સ્પંદનો, તમન્નાઓ, બળાપો…!
ત્યારે બને કવિતા..!
લખું જ્યારે ભીતર મહીથી ત્યારે એ પ્રાણવાયુ જેવો મારો ખોરાક લાગે .!
હૈયે વરસતી લાગણીઓની પરિભાષા મારી..!
શ્વાસના આવન જાવન સાથે,
સ્ફૂરે શબ્દોની રમઝટ..!
કરું શહીના ખડિયે ઝબોડીને
લખું ધારદાર શબ્દોની સરવણી…!
કયારેક દિનમાં પણ રાત દેખાડી દઉં..!
મારા વિચારોથી ચકચૂર બનાવું .!
વીતેલી વાતોને તરોતર તાજી કરી દઉં..!
મુરઝાઈ જાઉં તો નાનકઙાં અંકૂરની જેમ ખીલી જાવ..!
મારી કવિતા અંગારોની જવાલા જેવી..!
એમાં પીડા પણ વ્યક્ત કરું..!
એ મારું કર્મને છબી છે..!
દિવડો ઝગમગેને કવિ પણ ભાનુ જેમ ઝળહળે..!
માટે જ કવિને કવિની વાણી
ધર્મ જેટલી ઉંચી કહી છે..!
કહે “રાગ” ગર્ભના શબ્દ પ્રેમ ભર્યા.. !
કરાવું સત્યનું પ્રતિબિંમબ દેખાઙું દર્પણ મહી સર્વને…!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
[3/23, 3:06 PM] Pradip: *NOG SS No* : *0110*
*પ્રકાર : *પદ્ય*
*વિષય* : *વિશ્વ કવિતા દિવસ*
*શીર્ષક* : *’મનની ઉર્મિઓ’*
એક ચેતનાનું બિંદુ બનીને, તેજ પુંજ માં સમાવું છે,
મેઘ ધનુષના રંગ બનીને, જીવન આખું શણગારવું છે.
રંગોની આ છોળો મનને, છલોછલ ભીંજવી જાય છે,
હવે રંગોની છાલક બનીને, અન્યને પણ ભીંજવવા છે.
આનંદ ને ઉલ્લાસની સંગે, જીવનને મહેકાવવું છે,
બની શકે તો સહુના થઈને, પ્રેમ દીપ પ્રગટાવવા છે.
સ્નેહ ને હેતને શસ્ત્ર બનાવી, દિલને જીતી જાવા છે,
કોઈની નજરે હારી પણ જઈને, ખુદને જીતી જાવું છે.
કંઈક લીધું ને કંઈક દીધું , હિસાબ હવે ભુલાવવો છે,
મસ્તી તન ને મનમાં ભરીને , જીવન વહાણ હંકારવું છે.
ખબર નથી દિશાની મનમાં, તેજપુંજ પર દૃષ્ટિ છે,
સઢ પણ આપોઆપ ફરીને, જીવન વહાણ હંકારે છે.
આંધી કે તોફાન પણ મનને, હવે ન વિચલિત કરશે,
જીવચેતનાની ઓથે રહીને, ઉર્ધ્વ ગતિ બસ કરવી છે.
એક ચેતનાનું બિંદુ બનીને, તેજ પુંજ માં સમાવું છે,
મેઘ ધનુષના રંગ બનીને, જીવન આખું શણગારવું છે.
*નિખિલ કિનારીવાળા, અમદાવાદ*
૨૧ માર્ચ ૨૦૨૨.
[3/23, 3:06 PM] Pradip: NOG SSN 0089
વિષય કવિતા દિવસ
પદ્ય
શીર્ષક : એને મળી
———-
નિકળી શોધવા દીવો લઈ
અંધારા ઉલેચી થાકી ગઈ
–
ખૂણે ખાંચરે શોધી વળી
હાંફી ગઈ ક્યાંય ન મળી
–
ફરિયાદ કરવા થાણે ગઈ
સિપાઈની આંખ ડરી ગઈ
–
માતા પિતાની સોડમાં પેઠી
પ્રેમની હેલી વરસી રહી
–
જેને ઘડી ભર વિસરી ગઈ’તી
દીઠો સામે કવિતા ‘સરી ગઈ
કવિતાની પ્રેરણા કરનાર
અંતરમાં સદા બિરાજનાર
પ્રવિણા અવિનાશ
[3/23, 3:06 PM] Pradip: NOG SS No:0099
વિષય: રંગારંગ, ધુળેટી
પ્રકાર: પદ્ય (કાવ્ય)
શબ્દો: 71
શીર્ષક: કષ્ટોની હોળી
સ્વજનો સંગાથે રહે તો કષ્ટોની હોળી થાય,
પરિવારનો પ્રેમ હોય તો દરરોજ ધુળેટી થાય.
ઉરમાં ઉમંગ હોય તો જીવનમાં નવરસ ભળે,
કાર્યોમાં જોશ હોય તો સફળતા સરસ મળે.
સામર્થ્યની પાંખ મળે તો ઊડવા માટે આભ હશે,
છાતીમાં જોશ ભરો તો જીવતરમાં લાભ થશે.
આંખોમાં ચમક બતાવો તો પૂનમની રાત બનશે,
વાણીમાં માધુર્ય લાવો તો રંગોની સોગાત બનશે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય” વલસાડ
[3/23, 3:06 PM] Pradip: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય*
*વિષય* : *હોળી-ધુળેટી*
*શબ્દો* : *૩૦૨*
*શીર્ષક* : *’રંગપંચમીનો રંગોત્સવ ‘*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
હોળી-ધુળેટીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. આ રંગોત્સવ આપણા વિવિધતા ભર્યા દેશમાં જુદા જુદા પ્રદેશોમાં અલગ-અલગ ધાર્મિક સંદર્ભો સાથે અને માન્યતાઓ સાથે ઉત્સાહભેર મનાવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના દિવસથી બીજા દિવસે ધુળેટી અને ત્યારબાદ ફાગણ વદ પાંચમ એટલે કે રંગપંચમીના દિવસ સુધી આ ઉત્સવ ભારે ઉત્સાહથી લોકો મનાવે છે.
હોળીના દિવસે લોકો પૌરાણિક સંદર્ભોને આધારે હોલિકા દહનની પૂજા કરે છે અને માનવ કલ્યાણ અર્થે દૈવી શક્તિના આશીર્વાદ માંગે છે. બીજા દિવસે ધુળેટીનું પર્વ ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવાય છે. સહુ નાના-મોટા બાળકોથી માંડી આબાલ-વૃદ્ધ સૌ એકબીજા પર રંગ છાંટી આનંદ વ્યક્ત કરે છે. ત્યારબાદ ફાગણ વદ પાંચમના દિવસે આવે છે રંગપંચમી. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે હવામાં રંગ ઉડાડીને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે છે. રંગો દ્વારા દેવી-દેવતાઓનું સ્વાગત કરીને ઉપસ્થિત અનિષ્ટ શક્તિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવે છે.
એક બીજી માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે રાધાજી ઉપર રંગ લગાડ્યો હતો. તેથી આ દિવસને રંગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બરસાનામાં તેમના મંદિરમાં શ્રીકૃષ્ણ અને રાધાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. વળી એમ પણ કહેવાય છે કે આ દિવસે શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. તેથી પણ આ દિવસનું મહત્વ વધી જાય છે.
વિશેષરૂપે રંગપંચમીનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉત્સાહભેર ઉજવાય છે. શ્રીકૃષ્ણ અને રાધાજીને અબીલ અને ગુલાલથી વધાવવામાં આવે છે તથા મુખ્યત્વે લોકો એકબીજા ઉપર અબીલ ગુલાલ ઉડાડીને હવામાં અદભુત રંગો વિખેરી આહલાદક દ્રશ્ય સર્જે છે. રંગ પંચમીની એક ખાસિયત એ પણ છે કે આ દિવસે કોઈ એકબીજાને સ્પર્શ કર્યા વગર અબીલ ને ગુલાલ ના રંગો હવામાં ઉછાળી દેવતાઓનું આહવાન કરે છે. સાથે એવો ભાવ રાખવામાં આવે છે કે દૈવી શક્તિઓનું સ્વાગત કરવા માટે આકાશમાં રંગોના કણો પ્રસરાવી રંગોની જાજમ પાથરવામાં આવે છે. અને આ રીતે વાયુમંડળમાં રંગ ઉડાડી બ્રહ્માંડમાં રહેલા દેવ તત્વની પૂજા કરાય છે. આમ રંગપંચમીનો દિવસ એ હોળી ધુળેટીના રંગોત્સવ પર્વનો એક વિશેષ ભાગ છે.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૧ માર્ચ ૨૦૨૨.
[3/23, 3:06 PM] Pradip: NOGSS NO. : 0034
વિશ્વ કવિતા દિવસ
શીર્ષક: નારીનાં દરેક રૂપમાં છે કવિતા
નામ: ડૉ. રેખા શાહ
ધર્યો અવતાર થઈ તનયા આ જગમાં,
એ લક્ષ્મીની પા પા પગલીમાં છે કવિતા.
લજ્જાથી લજામણી થઈ શરમાતી,
એ સોળ વરસની કામિનીનાં હૈયામાં છે કવિતા.
પિયુ મિલનના પ્રથમ અવસર ટાણે શરમાતી,
ગોરીની ઢાળેલી પાંપણની પાલખીમાં છે કવિતા.
બાળ ધરી અંકે, પાલવમાં કરાવતી પયપાન,
એ જનનીનાં માતૃત્વમાં છલકે છે કવિતા.
દીકરી, ગૃહલક્ષ્મી, માતા રૂપ અનેક નારીનાં,
એ વંદનીય નારીનાં દરેક રૂપમાં છે કવિતા.
— ડૉ. રેખા શાહ
[3/23, 3:06 PM] Pradip: *NOGSS NO-* 0088
*વિષય-* વિશ્વ કવિતા દિવસ
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* કવિ ઘડે કાવ્યદેહ!
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
******************************
હૃદયમાં ઊઠતાં તોફાન અફળાય ને,
ચકમક શબ્દોની ઝરી કવિતા પ્રગટે..
ઉમટે છે અંતરમાં ઓળઘોળ યાદો ને,
અક્ષરના રોમરોમ કવિતા ઉપજે…
વિચારો મનની ગોરસીમાં વલોવાય ને,
નવનીત રૂપી કવિતા નીપજે..
જગતનાં સુખ-દુખની સંવેદનાઓ ઝમીને,
કાવ્યનો અક્ષરદેહ ઝાકળ થઈ ટપકે..
પિયું મિલનની પ્યાસે યાદોનાં વાદળ..
થઈ કવિતા ધોધમાર વરસે..
સંસારરથના ચાકડે ને સમયના નીભાડે,
કવિ મઠારીને કવિતા પકવે…
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* ૨૧/૦૩/૨૨
[3/23, 3:06 PM] Pradip: NOG SS NO : 0001
પ્રકાર : ગદ્ય
વિષય : કવિતા દિવસ
(આજે બધા ની રચનાઓ જોઈ ને લખવાની કોશિશ કરું.)
વિશ્વ કવિતા દિવસ
હૃદય ની ઉર્મિઓ થી કાવ્ય…
હૃદયની ઉર્મિઓને ઠાલવી દેવાની આંતરિક મજાજ અલગ છે કવિતામાં લાંબા લેખ, નિબંધ કે વાર્તાઓ લખીને પણ હૃદયની લાગણી મન ભરીને ઠાલવી ના શકાય, એ માત્ર કવિતાની પંક્તિઓમાં જ ઠાલવી શકાય. કોઈ ગમતા ચહેરા, ગમતી આંખો, કોઈની ભાવના કે હળવા સ્મિતને પ્રેમની અભિવ્યક્તિ સાથે મુલવવાની મજા અને સંતોષ હોય તો એ કવિતામાં છે. એમાં સાચી લાગણી અને ઊંડા હૃદયનો સાચો ભાવ વ્યક્ત થાય છે. કોઈને કહેવું હોય કે હું તને સંપૂર્ણપણે સર્વગુણો સાથે ચાહું છું,ઓળખું છું,સરળ સ્વચ્છ ભાવથી જોવું છું.. એ શબ્દો દ્વારા કદાચ એટલું ના પહોંચે જેટલું કાવ્યાત્મક શૈલીમાં કહ્યું હોય….
“ તારી આંખોમાં મને જે પ્રેમ,લાગણી દેખાય તે વિશાળ સમંદર, અને હું જાણે ડૂબી જાઉં એમાં ગૌરવવંતા આવકારનાં વમળની અંદર, કલ્પના કરું તો તારા કોમળ હોઠ જે બીડાયેલા છે એકમેકની અંદર , એ ખુલે સ્મિત સાથે અને હું ચૂમી લઉં જાણે ઉભરાવી લાગણીઓનો સમુન્દર, કુદરતે એવું તો શું ઘડ્યું કવિતા તારી અંદર કે સર્વ સંબંધ ભાવ હું ટુકાક્ષર માં કહી જાણું.. .પ્રત્યેક અવસ્થામાં સાચા પ્રેમ ને હરખ ની અનુભૂતિ સાથે થોડા માં ઘણું કહી જાણું તે તું મારી કવિતા….
આ વાત સીધી આરપાર હૃદયમાં ઊતરી જાય જો કવિતામાં હોય. જે વાત વાર્તા કે નિબંધમાં કે કોઈ લેખમાં લખીએ તો સીધી હૃદયમાં ના ઉતારી શકે.
એ જમાનામાં કવિ કાલિદાસ જે ઋતુઓનાં વર્ણન કરતાં જેમકે……
“ અષાઢસ્ય પ્રથમ દિવસે… “ તમને લાગે કે તમે ભીતરથી ભીંજાયા, કવિ શકુંતલાની વાત કરે કે કોઈ અપ્સરાની વાત કરે એમાં એ તમને ઉર્મિઓમાં ઝબોળી દે. વર્ષાની વાત એ રીતે કરે કે ટીપું તો ઠીક ક્યાંય વાદળ પણ ના હોય અને તેને શબ્દોથી ભીંજવી તરબતર કરી દે. વાચક કે ભાવકના મન હૃદયની ઉર્મિઓને સતેજ કરી દે. એ તાકાત છે કવિતામાં. બાકી દુઃખ, સાંત્વના, પ્રેમ , લાગણીનો આવેગ, ઉત્તેજના , બધું જ વ્યક્ત થાય, અને એ પણ બહુ ઓછા ભાવવાહી શબ્દોમાં.
એકરાર , ગમો અણગમો , લાગણી , તિરસ્કાર , નિમંત્રણ , વિરોધ. બધું જ એક જ ભાવે શબ્દ વગર વ્યક્ત થાય. ચહેરા , હોઠ કે આંખોથી એજ વ્યક્ત થાય કવિતામાંથી .
ટૂંકમાં કવિતા એટલે દરેક પ્રકારની લાગણીઓ ઓછા શબ્દોમાં ભાવથી વ્યક્ત કરી દે, એ મહેકતું , સરકતું સરોવર છે .
(ભૂલ કે અતિશયોક્તિ શબ્દો માં લાગે તો માફ…ટૂંક સમય માં સમજ્યો તે લખી નાખ્યું…)
સંચાલક : પ્રદીપ રાવલ
[3/23, 3:06 PM] Pradip: NOGSS NO. : 0034
વિભાગ : પદ્ય
વિષય : રંગારંગ, ધૂળેટી
શીર્ષક : ફાગણ આયો…ફાગણ આયો
રંગબેરંગી રંગોથી ખેલૈયાઓ ખેલે હોળી,
ગાયે ગાન ફાગનાં જુઓ મસ્તાની ટોળી,
ને પછી,
ઝૂમી ઝૂમી ધરતીનાં કણ-કણ બોલે,
ફાગણ આયો…….. ફાગણ આયો…
સજ્યાં સોળ શણગાર અલબેલી રાધાએ,
ગોકુળિયાની સાંકડી શેરીમાં પકડી જો માધાએ,
ને પછી,
કંદબ કેરી ડાળે- ડાળો બોલે,
ફાગણ આયો……ફાગણ આયો……
કેસૂડાંનાં કેસરી વારિથી ભીંજાઈ છે રાધારાણી,
ભરી પિચકારી કાનાએ રંગી એને જાણી-જાણી,
ને પછી,
ગોકુળિયાની એક-એક ગોપી બોલે,
ફાગણ આયો….. ફાગણ આયો……
એક રંગ માણસાઈનો ભેળવીએ આ રંગથાળમાં,
મજહબની હર દિવાલોને પ્રેમથી રંગીએ આ હોળીમાં,
ને પછી,
પ્રેમથી હર એક જન-જન બોલે,
ફાગણ આયો….. ફાગણ આયો…..
— ડૉ. રેખા શાહ
[3/23, 3:06 PM] Pradip: NOG SS NO – 0050
વિભાગ – ગદ્ય મૌલિક
શીર્ષક – હોળીનો હેલ્લારો
……………………………….. સેંકડો વર્ષોથી સંસ્કૃતિમાં લોકપર્વનું આગવું મહત્વ. પહેલાં પ્રકૃતિને કૃષિ જીવન સાથે જોડાયેલી આનંદને પ્રમોદ મનોરંજન સાથે ભક્તિનો સંગમ. કામમાંથી નીકળી જીવનમાં તાજગીનો ઉલ્લાસ ભરે ઉત્સવોનું અનેરૂ મહત્વ હોળીધુળેટી. રંગોની નહીં પ્રેમનો પર્વ એકબીજાનાં રંગોમાં રંગી દે. રાધને કૃષ્ણના પ્રેમનો ઉત્સવ મનાવાય . ધામધૂમથી છાણાં, લાકડાં ,
પુળાથી હોળી પ્રગટાવવામાં આવે. અનેક દંતકથાઓ જોવા મળે છે.
ફાગમા બિરાજે કુદરતનું નવલું રૂપ. ટહુકે ફાગ મહીં “રાગ”માં
મરકમરક મલકાય મંજરીઓ કુંજ ગલ્લીઓમા. કેસૂડો જન્મેલો સોમરસ પીધેલાં ગરુડના પીંછા માંથી ઉત્પન્ન થયેલો. તેનું પતરાળુ ત્રણ પાનનું મધ્ય વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ. તું તો કેવો રંગારો હે પ્રભુ કર્યો એમાં વાસ.
પ્રહલાદને હિરણ્યકશિપુની કથા…!
. પોતાને ઈશ્વર માનતો હિરણ્યકશિપુ લોકો પૂજાકરે દિકરો પ્રહ્લાદ તેમને ભગવાન માનવાનું ના પાડતાં. ભગવાન વિષ્ણુની પૂજા કરતાં પ્રહ્લાદજીને સમજાવ્યાં પણ માન્ય નહીં. હિરણ્યકશિપુએ પ્રહ્લાદને મારી નાખવા યુક્તિ કરી બહેન હોલિકાને કહ્યું પ્રહલાદને ખોળામાં બેસાડી આગમાં પ્રવેશ કરે. હોલિકાને વરદાન હતું આગ તેને બાળી ના શકે. પ્રહલાદને અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાને પોતાની કુટિલતાની કિંમત મળી.
કથા રાધા કૃષ્ણની..! હોળીનો તહેવારનો સંબંધ રાધા કૃષ્ણની પ્રેમ કથા સાથે
વસંતમાં એકબીજા પર રંગ નાખવાનીએ લીલાનો પ્રકાર છે. મથુરામાં ફુલોથી પણ હોળી રમાય છે .
કૃષ્ણ ને પૂતનાની કથા…!
કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાથી જાણકારી મળી. પૂતના નામની રાક્ષસીને જન્મ લેનાર બાળકોને મારી નાખવા મોકલી પૂતના સુંદર રૂપ ધારેએ ધારણ કરી શકતી. ગોકુળમાં ઘણાં બાળકોને શિકાર બનાવી ચુકી. દૂધ પાન કરતાં સમયે પૂતનાના પ્રાણ ખેંચી લીધાં. હોળી પર્વ તરીકે મનાવાય છે.
શિવ પાર્વતીની કથા..!
પાર્વતી શિવ સાથે લગ્ન કરવાં માંગતાં તપસ્યામાં લીન શીવનું ધ્યાન તેની તરફ ગયું જ નહીં.
પ્રેમનાં દેવતા કામદેવે શિવ પર પુષ્પ બાણ ચલાવ્યું. તપસ્યા ભંગ થવાથી ગુસ્સો , ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કર્યા. શિવજીએ પાર્વતીને જોયાને કામદેવના બાણથકી પાર્વતીની આરાધના ફળી. શિવ પાર્વતીને પત્ની રૂપે સ્વીકાર્યા. હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમનો વિજય થાય છે. કામદેવ ભસ્મ થવાથી પત્ની રડીને શિવજી જીવિત કરવા આહવાન કરે છે. શિવજીનો ક્રોધ શાંત થતા કામદેવને પુર્નજીવત કરી દીધાં. તે દિવસની યાદમાં આજે પણ આપણે હોળી પ્રગટાવીએ છીએ . તેમનાં જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર ઉજવાય..!
મોહે રંગ દે ,
રંગ દે ના પીયુ,
તેરે રંગમે મોહે
રંગ દે..!
હે પ્રભુ કુદરતને રગંનારો રંગારો ગજબનો હો..!
કનક પિચકારી લઈ આવ્યો..! રંગી લીધી આખી દુનિયા..! મોહી પડયાએ રંગમાં અમે..! આંખોને આંજી દીધાએ રંગમાં..!
ચલોને હર્ષ ઉલ્લાસથી રંગોત્સવ મનાવીએ છીએ..!
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ
.