[3/1, 1:21 AM] Pradip: NOG સાહિત્ય ગૃપ (૧)
NOG NO. : S.S.0059
પ્રકાર: ગદ્ય- લેખ.
વિષય: જાહેર જીવન-
સમાજ સેવા.
શિર્ષક: ‘કરો સેવા-ચૂકવો ઋણ”.
શબ્દો: ૩૪૦.
નામ: જયકાન્ત ઘેલાણી પ્યારે’.
આ સમગ્ર સૃષ્ટી ઉપર જન્મ
ધારણ કરનાર, અગણીત જીવ સૃષ્ટિમા, માનવ જ એક એવો
જીવછે,જે સમાજમાં રહેવા
ઈરછેછે, સમાજસેવાનો લાભ
મેળવેછે, અને તે સમાજસેવા કરી સમાજનું ઋણ ચૂકવવાનો ભરપૂર પ્રયત્ન પણ કરેછે.
સમાજનુ ઋણ ચૂકવવુ દરેક માનવી માટે અસંભવછે.
દરેક માનવી, જાણે- અજાણ્યે, અનેક વ્યકિતઓ પાસેથી અવર્ણનીય પ્રેમ-લાગણી અકલ્પનિય અણધાર્યો સહકાર, તેમજ જરૂરત મુજબ આર્થિક સહકાર પ્રાપ્ત કરતો હોયછે, જે રોકડમાં હોયકે રાહતના સ્વરૂપે !
શૈક્ષણિક હોયકે, તબીબી !
ટૂકમા માનવ જીવન એટલે
જાહેર જીવન નુ અવિભાજ્ય અંગ !
માનવીઓ માટે,
માનવતા જીવંત રાખવા ,
માનવીઓ દ્વારા ચાલતું
જાહેર જીવન !
સમાજ સેવા* માનવ જીવનમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે વણાયેલજછે.
માનવ જીવન*મા પણ,
જાહેર જીવન* અને તેમા પણ
સમાજ સેવા* એ એક ઉત્તમ પડાવછે. જેમા માનવી,
સમાજ સેવા ના લીધેલા ઋણને મહદ અંશે ચૂકવવાનો નમ્ર પ્રયત્ન તો જરૂરને જરૂર કરી શકેછે, અને દરેક વ્યકિત ની તે નૈતિક ફરજ પણ બનેછે.
આ પડાવને કેવો યશસ્વી,
તેજોમય અને કિર્તીમાન બનાવવો તે દરેક મનુષ્યો ઊપર આધારિત, એક લીટમસ ટેસ્ટ છે.
હાં ,જાહેર જીવન અને સેવાના કાર્યમાં જોડાતા પહેલા દરેક વ્યક્તિએ નિ:સ્વાર્થ ભાવના, સચ્ચાઈ સાથે સાદગી, તટસ્થતા જેવા ઊતમ ગૂણો કેળવવા વિશેષ જરૂરી રહેછે.
ગંદા રાજકારણથી દૂર દૂર ભાગતો માનવીજ સાચો સમાજ સેવક ગણી શકાય.
આજે દેશ- વિદેશ ની અનેક સંસ્થાઓ,માનવામા ન આવે તે રીતે, સમગ્ર જીવ સૃષ્ટિના જીવની રક્ષા કરવાં સદાય તત્પર રહેછે, અને તેથીજ કહેવતછે કે,
“સમાજ સેવા, એજ પ્રભુ સેવા”!
આસૃષ્ટિના પટ પર આવતી માનવ સર્જીત કે કૂદરતી આફત સમયે લાખો કરોડો લોકોના જાન માલનું રક્ષણ કરવાં અનેક નામી અનામી સંસ્થાઓનાં ,સેવાભાવી સૂત્રધારો સાથે સમાજસેવકો માનવતાની આહલેક જગાડવા મેદાનેજંગ ઊતરેજછેને !
ભાવભરી સલામ હોજો આપણી
પ્યારે’ એ સાચા સમાજ સેવકોને.
[3/1, 1:21 AM] Pradip: *NOG SS NO : 004*
*વિષયઃ જાહેર જીવન,સમાજ સેવા,સાહિત્ય સેવામાં કડવા,મીઠા ઘૂંટની આપવીતી “*
*શબ્દોઃ૩૩૩*
*પ્રકારઃ ગદ્ય લેખ*
*શીર્ષકઃ વંટોળ*
રામ સારો લેખક હતો, તેની પત્ની ક્યારેય એક શબ્દ ન ઉચ્ચારતી.તેણીને મન થતું કે જાહેર જીવનમાં તે પણ કંઈક કાર્ય કરે પણ તેની પ્રગતિ રામ સ્વીકારી શકે તેમ નહોતો. જે જે તેણી લખતી રામ ઉંઠાતરી કરી વગર મહેનતે બહાર મૂકી દેતો. વાહ વાહ પામતો. એકવાર તેની પત્ની બિમાર પડી તે લખી ન શકી. રામની કલમ અટકી ગઈ . આ વંટોળ તે સહી શક્યો નહિ ને તેણે આપધાત કર્યો. તેની પત્ની સાજી થતા પોતાના વિચારો વહેતા કર્યા
તેનું જીવન વનમાં ખિલતા ફૂલોની જેમ ખીલી ઉઠ્યું જુઓ મિત્રો શું શીખ્યા.. મૌલિક લખો કદાચ હતાશા નહિ પણ મહેક મળશે.
સમાજ સેવામાં ડૂબેલી સાવલી કુંટુંબને વિસરી ચૂકી હતી. એક દિવસ નારીવાદનું ભાષણ આપી રહી હતી ત્યાં જ તેનો ફોન રણક્યો ને તે ભાષણ અડધું મૂકી દોડી કારણ તેની દીકરી ડ્રગ્સનું સેવન કરનારી પાર્ટી ત્રાસ પકડાય ચૂકી હતી ને પોલીસ ચોકીમાં હતી. તેના જીવનનું આ વંટોળ સાવલીને જગતમાં હાસ્ય પાત્ર બનાવી ગયું,
મિત્રો શું શીખ્યા સમાજ સેવા કરો પણ પોતાની ભીતર જાંખીને જીવતા શીખો.
સાહિત્ય જગતમાં પ્રવેશવા એક યુવા છોકરીએ પોતાની જાતને હોડમાં મૂકી દીધી. તેના લખાણને લઈ તે પ્રકાશક પાસે ગઈ, લાખો રૂપિયાનો ધૂમાડો કર્યો પણ
તેનો સમાવેશ ક્યાંય ન થયો. એક યુવકે તેની સાથે પ્રેમ સંબંધ બાંધી છેતરી, એક પ્રોડ્યુસરે તેની ઈજ્જત સાથે રમત રમી. આ બધાં વંટોળને ન સહન કરતાં તે ગાંડી થઈ ગઈ ને તેને મેંટલ હોસ્પિટલમાં જીવન વિતાવવું પડ્યું.
શું શીખ્યા મિત્રો પોતાના પગ પર ઊભા રહેવા કોઈના ખભાની જરૂર ખરી? તમને તમારી સક્ષમતા પર વિશ્વાસ હોવો જરૂરી છે.
તો આવું છે જગત મિત્રો જેમાં જીવન ઘણીવાર ખૂબ જ ખરાબ ને કડવા અનુભવો કરાવે છે. તો મારું માનો તો જરૂર સાવચેતીના પગલા ભરો ને વંટોળમાં ન ફસાઓ.
આંખ ને કાન ખુલ્લા રાખો જેથી કડવાશ નહિ મિઠાશ
મેળવી શકો. ઉતાવળ કરવાથી કંઈજ પ્રાપ્ત નથી થતું.
જળમાં વમળોનું વંટોળ હોય તો તરવા ન જવાય. એ ધ્યાનમાં રાખી અનુભવોની ખાણમાં કૂદો કદાચ વંટોળ
આવતા જ પાછું ઠેલાશે. માટે *જાગતા નર સદા સુખી*
જયશ્રી પટેલ
૨૭/૨/૨૨
[3/1, 1:21 AM] Pradip: NG/022
વિષય: જીવન સફર,સમાજ સેવા,સાહિત્યિક સેવા કડવા મીઠા ઘૂંટ..આપવીતી..”
પ્રકાર: ગદ્ય
શીર્ષક: કડવો ઘૂંટ
મીઠાલાલ ગાંધીનગરના સ્થાનિક સમાજસેવક હતા. આ ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર નહીં, પણ એક નાના શહેર રાજનગરમાં આવેલ એક નાનું ક્ષેત્ર હતું.
મીઠાલાલ લોકલાડીલા હતા. નળજોડાણ, વીજળીજોડાણ જેવી સમસ્યા હોય કે મોટો ઝગડો હોય, દરેક સમસ્યાનું નિરાકરણ મીઠાલાલ લાવી આપતા. શરૂઆતમાં નાની નોકરી કરતા, પણ પછી સમાજસેવાનું ભૂત તેમના માથે ચડ્યું અને નોકરી છોડી દીધી.
સમાજસેવાની શરૂઆત તેમણે નાનું મંડળ સ્થાપન કરીને કરી, જે દ્વારા ઉત્સવોનું આયોજન કરવાની શરૂઆત કરી. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા થયા. જો કે લોકલાડીલા બનવા પહેલાં ઘણા કડવા અનુભવો પણ થયા.
એક વખત એવું બન્યું કે હજી તે ઉઠ્યા જ હતા, તે સમયે એક પરિવાર તેમના દરવાજે આવ્યો. સ્ત્રી અને પુરુષ બંનેની આંખો આંસુથી સરોબાર હતી. તેમની એકની એક દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. છોકરી અઢાર વર્ષથી વધુ ઉંમરની હોવાથી પોલીસ તરત તેમની ફરિયાદ નોંધવા તૈયાર ન હતી.
મીઠાલાલ તેમની સાથે ગયા અને પોલીસોને અપહરણની ફરિયાદ નોંધવાનું કહ્યું. આટલાં વર્ષોમાં તેઓ કાયદાની આંટીઘૂંટી સમજી ગયા હતા. તેમણે પોતાના મંડળના સભ્યો દ્વારા તપાસ ચલાવી અને બીજા શહેરમાંથી છોકરા-છોકરીને પકડી લીધાં.
પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી તે છોકરાને પોલીસોએ પોતાની આગવી શૈલીમાં ઠમઠોર્યો. છોકરીને ફરી તેનાં માતાપિતાને સોંપવામાં આવી. મીઠાલાલને સંતોષ થયો કે તેમણે એક સારું કાર્ય પાર પડ્યું હતું. તેમને લાગ્યું કે છોકરીના માતાપિતા આવીને તેમનો આભાર માનશે.
અઠવાડિયા સુધી તેમને મળવા કોઈ ન આવ્યું એટલે તેમણે તપાસ કરાવડાવી તો જાણવા મળ્યું કે તે છોકરીનાં લગ્ન તેની સાથે જ થઈ રહ્યાં હતાં જે છોકરા સાથે ભાગી ગઈ હતી.
બંને પરિવારોએ સમાધાન કરી લીધું હતું અને છોકરાવાળાએ શરત મૂકી હતી કે લગ્નમાં મીઠાલાલને આમંત્રણ આપવામાં નહીં આવે, જેમને લીધે છોકરાએ માર ખાવો પડ્યો હતો. જો કે મીઠાલાલે આવું કંઈ કરવાની સૂચના પોલીસને આપી નહોતી.
તે દિવસથી મીઠાલાલે નક્કી કર્યું કે છોકરીની બબાલ હોય તો તેમાં હાથ નાખવો નહીં.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
[3/1, 1:21 AM] Pradip: વિષય:- શિવરાત્રી
પ્રકાર:-પદ્ય
નામ:- મીના માંગરોલીયા મીનુ
શીર્ષક – *શિવ આરતી*
પ્રથમ સોરઠ સોમનાથ નિત્ય દર્શન દેજો, પ્રભુ.
શ્રાવણ ગૂંજી ઊઠશે હર હર મહાદેવના નાદથી.
ૐ હર હર હર મહાદેવ.
શ્રી શૈલે મુનિસાર મલ્લિકાર્જુન બીજે, પ્રભુ.
નંદી પર આવી શિવજીની સવારી.
ૐ હર હર હર મહાદેવ.
ત્રીજા શિવ કેદાર ગંગોદક ગાજે, પ્રભુ .
સાથે છે મા પાર્વતી અને ગણેશની સવારી.
ૐ હર હર હર મહાદેવ.
ચોથા શિવ ૐ કાર રેવા તટ સાજે, પ્રભુ.
પૂજા, આરાધના , આરતીની કરી તૈયારી.
ૐ હર હર હર મહાદેવ.
પંચમાં પૂર્વ દેશ વૈધનાથ વનખંડી, પ્રભુ.
ભાંગની પાન ઔષધિ શિવજીને અતિ પ્યારી.
ૐ હર હર હર મહાદેવ.
છઠ્ઠા શિવ નાગેશ્વર ધ્યાન ધરે દંડી, પ્રભુ.
ત્રિશૂળ,રુદ્રાક્ષની માળા શિવજીને અતિ પ્યારી.
ૐ હર હર હર મહાદેવ.
સપ્તમાં દિન દયાળ વિશ્વેશ્વર કાશી, પ્રભુ.
પૂજા, દાનપૂન, ભકિત શિવજીને અતિ પ્યારી.
ૐ હર હર હર મહાદેવ.
અષ્ટમાં મહાકાલેશ્વર ઉજ્જૈનનાં વાસી, પ્રભુ.
ડમડમ વાગે ડમરુ શિવજીને અતિ પ્યારું.
ૐ હર હર હર મહાદેવ.
નવમાં ભિમાશંકર ભક્તિ શક્તિ આપે, પ્રભુ.
મનોકામનાં સૌ ભક્તજનોની શિવજી કરે પૂરી.
ૐ હર હર હર મહાદેવ.
દસમાં શિવ રામેશ્વર સેતુ બંધ કહાવે, પ્રભુ.
શિવમહિમ્ન સ્તોત્ર મંત્રની ધૂન શિવજીને પ્યારી.
ૐ હર હર હર મહાદેવ.
ધૃષ્ણેશ્વર ગુણગાન એકાદશી જયોતિ, પ્રભુ.
નદી કિનારે બેઠા શિવજી અંગે ભભૂત લગાવી. ૐ હર હર હર મહાદેવ.
દ્વાદશ ત્ર્યંબકનાથ ગુરૂમુખ લો ગોતી, પ્રભુ.
ૐ નમ: શિવાય જાપની ધૂન શિવજીને પ્યારી.
ૐ હર હર હર મહાદેવ.
✍મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
28/2/2022
[3/1, 1:21 AM] Pradip: વિષય:- શિવરાત્રી
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-શિવજી
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
શિવરાત્રી એ
બિલીપત્રનો ઢગ
શિવજી રાજી.
થયાં બે ભેળાં
સુમંગલા શિવજી
રચાવી સૃષ્ટિ.
શિવરાત્રી એ
દૂધનો અભિષેક
શિવજી રાજી.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[3/1, 1:21 AM] Pradip: N.O.G. S. S. No. 0102.
વિષય:-. *શિવરાત્રી*.
પ્રકાર. :- ગદ્ય.
શીર્ષક:- * શિવ આરાધના*.
નામ:-. રતીલાલ વાયડા.
રચના:-
આજે મહાવદ શિવરાત્રી. તારીખ ૧લી માર્ચ ૨૦૨૨ .મંગળવાર ભગવાન શંકરનીઆરાધાનો દિવસ છે.
ભારતમાં ગામેગામ શંકરના ઘણા બધા મંદિરો છે અને શિવરાત્રીના દિવસે આ બધા મંદિરોમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ ,શ્રીશૈલ પર્વત પર મલ્લિકાર્જુન ,ઉજ્જૈન નગરીમાં મહાકાલ, મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર, વૈધનાથ ,મહારાષ્ટ્રમાં ભીમાશંકર, તામિલનાડુમાં રામેશ્વર ,ગુજરાત દ્વારકામાં નાગેશ્વર, વારાણસી (કાશી )માં વિશ્વનાથ, મહારાષ્ટ્રમાં ત્રંબકેશ્વર ,ઉત્તરાખંડમાં કેદારેશ્વર, મહારાષ્ટ્ર ઓરંગાબાદ માં ધુશ્મેશ્વર .આમ આ ૧૨ જેટલા જ્યોતિર્લિંગો ભારતમાં ખાસ માનવામાં આવે છે.જે સ્વયંભૂ છે.
આ બાર રાશિના આ ખાસ બાર જ્યોતિર્લિંગ છે .તેની અનેક રીતે જુદી જુદી રાશિના લોકો પૂજા કરે છે.
શિવરાત્રીને દિવસે શંકર ભગવાનનો પંચામૃતથી, આ ઉપરાંત દરેક પ્રકારના ફળોના રસથી . તલ, ચોખા, ભાંગ, વગેરેથી તેનો અભિષેક થાય છે. તેને બીલીપત્ર ધતુરો અને જુદીજુદી પ્રકારના અનેક ફૂલો ચઢાવામાં આવે છે. દરેક પ્રકારનીસામગ્રીનીજુદી-જુદી મહત્તા ઓછી હોય છે.
આધી, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે, સંકટ દૂર કરવા માટે, , લગ્ન માટે ,સામાજિક પ્રતિષ્ઠા ,આકસ્મિક મૃત્યુનો ભય, સુખ, શાંતિ ,અને સમૃદ્ધિ માટે ભગવાન શંકરની આ દિવસે આરાધના કરવામાં આવે છે.
શિવરાત્રીના દિવસે મહામૃત્યુંજય મંત્રનો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તેમ જ રુદ્રાભિષેક કરવાથી તથા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી અનેક પ્રકારનું પુણ્ય મળે છે.
આજના દિવસે લોકો ઉપવાસ કરે છે કરે છે તેમજ અનેક પ્રકારના દાન પુણ્ય શિવરાત્રીના દિવસે કરવાથી અનેક ગણા લાભ પ્રાપ્ત થાય છે.ભગવાન શંકર ભોળા દેવ છે અને જલ્દીથી રીઝીજાય છે અને ઈચ્છિત ફળ આપે છે. એવું શાસ્ત્રોનું કથન છે.
રતીલાલ વાયડા.
૨૮/૨/૨૦૨૨. સોમવાર.
નવી મુંબઈ.
[3/1, 1:21 AM] Pradip: NOG. SS. No.0098
વિષય:- શિવરાત્રિ
નામ:- લીના શર્મા
૧ માર્ચ ૨૦૨૨ ની ફાગણ માસ ની કૃષ્ણ પક્ષ ની ચતુ્દશીના મંગળવાર ના દિવસે મહાશિવરાત્રી પર્વ છે.ધાર્મિક માન્યતા અનુસાર શિવરાત્રી ના દિવસે શિવજી માતા પાર્વતી જોડે વિવાહ ગ્રંથિ માં બંધાયા હતા.
શિવજી ની કૃપા માટે ભક્તો મંદિરો માં પૂજા અર્ચના કરે છે.ઉપવાસ કરે છે.
પૂજા અર્ચના નું મહત્વ.
પૂજા કરવાની દિશા….
શિવજી ની પૂજા કરતી વખતે ઊત્તર તરફ મુખ રખવું જોઈએ.
બીલીપત્ર …..
બીલીપત્ર નો શિધો ભાગ શિવલિંગ ની ઉપરે હોવો જોઇએ
પંચામૃત….
દૂધ :- સંતાનની પ્રાપ્તિ
દહી:- પારિવારિક પ્રેમમાં વૃદ્ધિ
ઘી:- રોગો નું નાશ
મદ:- સંપદા માં વૃદ્ધિ
ખાંડ:- બાળકોમાં જિદ્દી પ્રવૃત્તિનું નાશ
……….
અક્ષત:- ચંદ્રમા મજબૂત થાય છે
શેરડીનો રસ:- દરિદ્રતાનો નાશ થાય છે
ભાંગ ધતુરા:- શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.
………..
મંત્ર
ઓમ નમઃ શિવાય ( પુરૂષો )
નમઃ શિવાય ઓમ ( સ્ત્રીઓ )
……….
રુદ્રાભિષેક
શિવરાત્રિ ના દિવસે શ્રેષ્ઠ ગણાય છે.
………….
દાન દક્ષિણ નું મહત્વ પણ હોય છે.
મિત્રો આ નાની જાણકારી છે જે શિવરાત્રીના દિવસે લોકો પોતાની શ્રદ્ધાનુસાર કરે છે
મિત્રો આ સૌને શિવરાત્રી પર્વની હાર્દિક બધાઈ.🙏
[3/1, 1:21 AM] Pradip: શિવરાત્રીએ શિવપુજા શ્રેષ્ઠ શામાટે ગણાય છે ?
આપણે જાણીએ છીએ કે જ્યાં જીવ છે ત્યાં શિવ છે . જગતના કણકણમાં શિવનો વાસ છે .શિવ સર્વત્ર છે માટે જ એ જીવિત છે અને માનવો પણ જીવિત છે એટલે જ એવું કહેવાય છે કે દરેક માણસ શિવની આરાધના કરી શકે છે.
શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે શિવ એક અગ્નિસ્તંભ છે .એક દિવસ એનું વિસ્તરણ થવા લાગ્યું.એક પ્રચંડ ધડાકા સાથે એનું વિભાજન થયું અને બ્રહ્માંડ ની રચના થઈ.આમ જો જગતનો આધાર જ શિવ હોય તો જગતમાં દરેક કણમાં પણ શિવ છે એ સ્વીકારવું જ પડે.
શિવ ખરેખર એક શ્રદ્ધા છે .સાચા મનથી કરવાથી પણ શિવની અનુભૂતિ થઈ શકે છે . જ્યારે આપણે શિવપુજા કરીએ છીએ ત્યારે સ્વને પણ જાગૃત કરીએ છીએ . શિવપુજા સાથે જોડાયેલા દ્રવ્યો માણસના મનને વધારે પ્રબળ બનાવી શકે છે . જ્યાં સ્વચ્છતા છે ત્યાં શિવ છે. શિવને સમજવા સ્વચ્છ તન, મન, વાતાવરણ ખૂબ જરૂરી છે.
શિવજીની જટામાં ગંગાજીનો વાસ છે અને કપાળમાં બીજનો ચંદ્ર છે . શિવરાત્રી એટલે અમાસ પહેલાનો દિવસ .અંધકારની આગલી રાત.એક નાની રેખા જેવો ચંદ્રનો પ્રકાશ અને તેની ઊર્જા પામવાનો દિવસ .સ્વના સાક્ષાત્કાર નો દિવસ .આછા પ્રકાશને ધન માટે શ્રેષ્ઠ ગણાય છે .તેથી જ આ રાત્રે શિવની પૂજા શ્રેષ્ઠ ગણાય છે. દરેક મહિનામાં શિવરાત્રી આવે , પણ ઊજવાય છે મહાશિવરાત્રી . એનું કારણ એક ખાસ ઊર્જા છે .
શિવની પૂજામાં બીલીનું ખૂબ મહત્વ છે.બીલીનુ આયુર્વેદમાં પણ ખૂબજ મહત્વ છે. બીલીની પોતાની ઊર્જા છે એટલે શરીરના મધ્ય ભાગના અવયવોને એ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિવ સાથે જોડાયેલો મંત્ર એટલે ઓમકાર . ઓમકાર એટલે બ્રહ્માંડ નો નાદ .
શિવ એ માત્ર એક દેવ નથી , એ જગતનો આધાર છે . એટલે જ એમની પાસે જે માંગો એ મળી જાય છે . કારણકે બ્રહ્માંડ ની કોઈ સીમા છે જ નહીં .
સંચાલક : પ્રદીપ રાવલ