[2/26, 11:04 AM] Pradip: NOG SS :-0038
વિષય :- જીવન સફરના અનુભવો
વિભાગ :-પદ્ય
શીર્ષક :- જિંદગીનો સફર
—————————————————————-
જિંદગીનો સફર ત્યારે સુહાનો લાગે છે,
ચપટી સ્નેહ કોઈ દિલ ઉપર છાંટે છે.
અહમ ને લાલચને હરાવી દઈએ પળમાં,
પ્રેમ ,લાગણીથી કોઈ જીવનને શણગારે છે.
અનેક અનુભવો થયા જીવન સફરમાં અહીં,
સચ્ચાઈ હોય ત્યાં કડવો ઘૂંટડો મીઠો લાગે છે.
બે રૂપિયા માટે લોભીયાઓ ને લડતા જોયા છે,
ત્યારે જીવન સફર આકરા તડકા જેવો લાગે છે.
દુનિયા શુ કહેશે ભૂલીને દિલનું સાંભડવું સફળ છે
પોતાના ઉપર કરેલો ભરોસાએ જીવન સફળ લાગે છે.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[2/26, 11:04 AM] Pradip: NOG SS NO 0037
વિષય – જીવન સફરના અનુભવો.
વિભાગ – પદ્ય.
શીર્ષક – શિક્ષકની સંવેદના.
શબ્દો – 101
તા. 25/02/22
સમાજનો સૌથી શાણો માનવી એ.
શિરે તેને ભવિષ્ય તણી જવાબદારી.
ઘડવા તેને કાચી માટીનાં ઘડા,
બનાવવા તેને નર માંથી નારાયણ.
ભજવવા પડે પાત્રો અવનવાં,
માર્ગમાં કાંટા અને કાંકરા ઘણાં.
તપસ્વીનું તપ હિમાલય તણી દ્રઢતાં,
નદી જેવી નિર્મળતા,હૈયે ધૈર્ય સદા.
સત્યના પ્રકાશથી,સ્નેહના દિવેલથી,
પ્રગટાવવાં જ્ઞાનનાં દીપક સઘળાં.
સતત કરવા પડતાં મનોમંથન,
કાર્ય તેમનું પવિત્ર ને પડકાર સ્વરુપ.
અડચણો આવે નિત્ય ડગલે પગલે,
ગુરુ શિષ્યની ગરીમાં જળવાય છે ખરાં…?
ખરો હું રાષ્ટ્રનો રખેવાળ, માસ્તર સૌ કોઈનો,
શિસ્ત, ક્ષમાં, કરુણાની મૂરત.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
[2/26, 11:04 AM] Pradip: NOG. SS. NO. 0097
વિષય:સામાજીક સંસ્થા કે અન્ય સંસ્થા સાથેના ખટમીઠા અનુભવો
પ્રકાર: ગદ્ય
શીર્ષક : વફાદારી
૧૯૯૮ ની સાલની આ વાત છે.મહિલા સંસ્થા માં સેવા આપતી હતી. ઘણા ડીપા. હતા. એમાંનું એક કેટરીંગ.
સવારે ૫.૩૦વાગયે ફોન આવ્યો: બેન મારા સાસુ ગુજરી ગયા એટલે કથા બંધ રાખી છે.આ ઓડર હું લાવી હતી.
બેનની સવાર પડી ગઈ. ઘરની રસોઈ, કપડા, વાસણની જવાબદારી પતાવી ૮.૦૦વાગયે રીક્ષા લઈ સાત બહેનોને ઘરે જઈ ના પાડી દીધી. રવિવાર અને વહેલા આવવાનો એમ ત્રણ ઘણો રોજ આપવો પડે.૧૦.૦૦વાગયે મેનેજર બેન અને કેશીયરબેન આવવાના હતા.એમને કોઈ વધારાના પૈસા આપવાના નહીં. બધું પત્યું. ખરી મુસીબત આગલે દિવસે બનાવેલ પાત્રા અને ગલાબજાંબુ
ઠેકાણે પાડવાના. સંસ્થામાં કોઈ સ્ટાફ આવે નહીં. આજુબાજુ મુસ્લિમ વસતી. સૂઝથી ૧૧.૦૦વાગયા સુધીમાં બધુ ઠેકાણે પાડ્યું.
હવે ખરો સીન શરુ થાય છે.
૧૯૭૪માં બી.કોમ. પાસ કર્યા પછી બંને છોકરાં મોટાં થયા. એટલે ઈંદીરા ગાંધી યુનિ.માંથી એમ.બીએ.ની
ઓપન ટેસટ આપવાની હતી. એ જ દિવસે ૧૧.૦૦વાગયે પેપર હતું. ૨૦મિનિટ મોડી પહોંચી.૧૫ દિવસ પછી રિઝલટ આવ્યું બે વિષયમાં બે બે મારક ખૂટ્યા. ૨૫ વરસ પછી શરુ કરેલું કેરીયર અટક્યું. સંસ્થામાં ૨૦ વરસ સુધી બિનહરીફ નંબર વન મનેજમેનટ કાર્યકર્તા તરીકેનું સ્થાન અંકે કરી લીધું.
વકીલાતનું ભણી.વફાદારીના ફળ રુપે,૫૦વરસની ઉંમરે વકીલાતની ડીગ્રી મેળવી અને ૫૪વરસની ઉંમરે Dist. Consumer foram માં જજ તરીકે નિમણૂક થઈ.
હંમેશા ઘર,સગા, કુટુંબ કે જાહેર જીવનમાં તટસથતાથી
વફાદારી નિભાવ્યા નો સંતોષ ઢળતી સંધ્યાએ ઓકસીજનનું કામ કરે છે.
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-સિડની
તા.૨૫/૨/૨૨
[2/26, 11:04 AM] Pradip: N.O.G. S.S. No0102.
વિષય:-. * જાહેરજીવન, સમાજસેવા, સાહિત્ય સેવામાં, કડવા મીઠા ઘુંટ ,આપવીતી *
પ્રકાર:-. ગદ્ય.
શીર્ષક:-. *સમાજસેવાનીસત્ય ઘટના*
નામ :-. રતીલાલ વાયડા.
રચના:-
વર્ષો પહેલા હું ત્રીસેક વર્ષ સુધી અમારી મીઠાપુર ગુગળી યુવક મંડળ બ્રાહ્મણ જ્ઞાતિ નો જુદો જુદો હોદ્દો સંભાળતો હતો.
અમારી જ્ઞાતિના મારા પૂ. કાકા, વડીલ ગાભાશેઠ (હરિશ્ચંદ્ર આણંદજી વાયડા.) અમારી જ્ઞાતિના કાયમી પ્રમુખ હતા. મીઠાપુરમાં તેમની ફરસાણની દુકાન હતી તેમજ હોટલ અને લોજપણ ચલાવતા હતા. તેવો એક સારા મીઠાઈ અને ફરસાણના કારીગર હતા ,અને દરેક પ્રકારની રસોઈ કલામાં નિપુણ હતા. મીઠાપુરમાં તેનું ઘણું મોટું નામ અને ઈજ્જત હતી. તેમનો ધંધો ધમધોકાર ચાલતો હતો.
ત્યારે મીઠાપુરમાં અમારી ગુગળી જ્ઞાતિના સભ્યોની સંખ્યા લગભગ ૩૦૦ની આસપાસ હતી. બળેવ પૂનમ, નવરાત્રી, શરદ પૂનમ ,લાભપંચમી જેવા કાર્યક્રમો દર વર્ષે ઉજવાતા, અને વચ્ચે વચ્ચે જ્ઞાતિ ભોજન પણ થતું હતું .આ તમામ વ્યવસ્થા કરવામાં શ્રીગાભાશેઠનો ઘણો મુખ્ય હિસ્સો હતો.આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિજનો ભાગ લેતા અને આનંદ કરતા.
શરદ પૂનમની ઉજવણી વખતે અમે લોકો જ્ઞાતિ તરફથી દૂધપાક આપતા હતા.બાકી પુરી ,શાક ,જુદા જુદા પ્રકારના ફરસાણ ,અથાણાં વગેરે દરેક લોકો પોતાના ઘરેથી લાવતા., અને દરિયાકિનારે આ ઉત્સવ શરદપૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવતો હતો.
એક વખત એવું બન્યું કે ૧૦૦ લીટર દૂધનો દૂધપાક બનાવવા માટે મોટા ટોપમાં દૂધ ઉકાળવા મૂક્યું. , અને અડધો એક કલાક પછી જોયું તો તમામ દૂધ ફાટી ચૂક્યું હતું. અમારા માટે આપત્તિનો સમય ઉભો થઇ ગયો.
આ બધું દૂધ ફેંકી દેવું પડ્યું .. ઘરે ઘરે ફરીને બે પાંચ લીટર જે મળે તે દૂધ ભેગું કરી અને ૧૦૦ લીટર દૂધનો મેળ કરી ફરીથી દૂધપાક બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. ચોખા ખાંડ ,બદામ ,પિસ્તા ,એલચી, જાયફળ, કેસર , ચારોળી વગેરે નાખી અને બાસુંદી જેવો દૂધપાક ફરી પાછો તૈયાર કરી લીધો .અને બધાને રાત્રે આનંદપૂર્વક પીરસવામાં આવ્યો.
જ્ઞાતિજનોએ જ્યારે આ વાત જાણી ત્યારે તેઓ ખુબ ખુશ થયા અને કમિટીના મેમ્બરોએ જે તાત્કાલિક મહેનત કરી અને ફરી પાછી સુવિધા ઉત્પન્ન કરી તે માટે સૌને ધન્યવાદ દેવા લાગ્યા. ખાસ તો ગાભા શેઠનો ધન્યવાદ કે જેની હિમંત અને સમયસૂચકતાને કારણે અમારી નાતની વચ્ચે આબરૂજવાની હતી તેના બદલે લોકો અમારું અભિવાદન કરવા લાગ્યા.
રતીલાલ વાયડા.
૨૫/૨/૨૦૨૨. શુક્રવાર.
નવી મુંબઈ.
[2/26, 11:04 AM] Pradip: NOG SS 0112
વિષય -જીવન સફર ના અનુભવો
વિભાગ -પદ્ય
શીર્ષક – આવુ જણાય છે.
તા – 25/02/2022
સાથ ઓછોને સલાહ વધુ ,આપતા જણાય છે,
જુઓ મતલબે મતલબે, નવા સબંધો જણાય છે.
મંદિર અને મસ્જીદો માટે,લડાઇ ખુબ લડાઇ છે,
હાલ પૂછે ન માઁ બાપના,એવા સંતાન જણાય છે.
કથા સત્સંગ માં, લાખો શ્રોતાઓ જણાય છે,
છતા માનવતા દિવસો દિવસ, ઘટતી જણાય છે.
કરણી અને કથની માં, ભેદ વધતા જણાય છે,
“રાજ ” નિર્દોષ અનેક લોકો, ફસાતા જણાય છે
રચના,,,,
રાજેશભાઇ એસ કુકરવાડીયા,
( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી