[1/24, 5:53 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 1
વિષય – ખાનાખજાના
શીર્ષક – પ્રેમે બનાવીએ.
………………………………..
પહેલું સુખ તે જાતે નર્યા શરીરની તંદુરસ્તી તો મન તંદુરસ્ત , મન તંદુરસ્ત તો બધા જ સારા. વડીલો કહેતાં જેનું શાક બગડ્યું તેનાં દિવસ બગડ્યા એટલે કહેવાય રસોઈ પણ એક કળા છે. માત્ર સ્ત્રીની નહીં ,પુરુષો પણ સરસ બનાવે છે. નાસ્તો ચટણી-અથાણા , વિવિધ વાનગીઓ શોખથી અને ખવડાવીએ પણ ખરા.
મુંબઈમાં જન્મેલી ભણેલી અને પરણેલી નવલી ગુજરાત હવે તો પરણીને બ્રાહ્મણ કુળમાં ગયેલી .ઈડરના રહેવાસી છે મારે માદરે વતનની રસોઈ ચૂલામાં કરેલી વાનગીઓ અમારા ઘરમાં ખૂબ ખવાય છે . મને વારસાગત દાદી સાસુ પાસેથી શીખી છું.
કોઈ થાળી સફળ બનાવવા વિચારણા મહેનત જરૂરી છે. એ નક્કી કરવું બાળકો, વડીલો ,યુવાનો , બધાને મિક્સ થઈને ત્યારે સમજી વિચારીને બધું આવડવું જોઈએ, હું શીખી પણ ખરી અને પસંદગી કરતી વખતે મેન્યુ બનાવતી વખતે દેશી, પંજાબી, સાઉથ ઇન્ડિયન બધું ધ્યાન રાખી તૈયાર કરીએ છીએ . કોઈને બોલવાનું મૂકો ના મળે. વિશ્વની પ્રાચીન કળા છે અને સમય શક્તિ ને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આપણે ઉત્તીર્ણ થઈ છીએ માનવજીવનને પ્રાથમિક જરૂરિયાતો માં ખોરાક મહત્વનો છે .આપણી કાર્યશક્તિ તંદુરસ્તીનો આધાર ધીરે ધીરે બધી વસ્તુઓમાં થતું રહ્યું છે આમ તો દેશી ખાવાનું ઘરમાં ખવાતું .સાથે ઘરમાં ખવાતું ચાઈનીઝ, રાજસ્થાની કાઠીયાવાડી, ચોખાની વાનગીઓ અથાણાં છાસ તો ખરી.
દેશી ખાવાનું અમારે ત્યાં બધું થતું દેશમાં જતાં ત્યારે અવશ્ય ચીલનીભાજી મકાઈના રોટલા સાથે લસણની ચટણી કાંદો અથાણા અતિ સ્વાદિષ્ટ લાગતું. ક્યારેક દાલ બાટી પંચમદાલ સાથે ચૂલામાં શેકેલી બાટી ઘી માં જબોળેલી,લસણની ચટણી,ગોળ કેવી આવતી લહેજત અનેરી. દૂધ ના લોટની ભાખરી જે માટીની તાવડી ને ચુલા પર શેકીને બનાવાતી.
ખેતરમાંથી તાજી વાલોળો આવે અને ચૂલા પર મોટો તપેલો મૂકી વાલોળ ઢોકળી બનાવાતી.વિવિધ અથાણાં તો ખરાં. અડદની દાળમાં કેરીના આંબોળિયા નાખીને ચૂલા પર ઉકાળાતી સ્વાદિષ્ટ રોટલા સાથે ખવાય.
લસણ કેરીનું અથાણું લીંબુનું અને ગાજર ,મૂળા મેથીયો મસાલા નાખીને બનાવાતું. મમ્મીએ મને વારસામાં શીખવ્યું છે.
બ્રેડના દહીંવડા બ્રેડની સ્લાઈસને નાના ટુકડા કરવાં ઘીમાં તળી લેવાં ગુલાબી રંગના . દહીં લેવું તેમાં મીઠું નાખવું સવૅ કરવાનાં અડધા કલાક પહેલાં જ દહીમાં બ્રેડના તળેલા ટુકડા નાખવા ગરમ તેલ કરી રાઈ જીરાનો વઘાર કરવો લીમડા સાથે દહી નાખી દેવું. સવૅ કરવા .ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય એવા છે જરુર ટ્રાય કરજો.
વધેલી રોટલીની ખીર આમ પણ કહેવાય છે કે વાસી રોટલી ખાવામાં ઘણો ફાયદો કરે છે. ત્યારે રોટલી ને પાણીમાં પલાળી દસમિનિટ નાના નાના ટુકડાં કરવાં ગરમ તેલ કરી એમાં એલચી અને રોટલીના ટુકડાં નાખીને સાંતળી લેવાં. જોઈતા પ્રમાણમાં દૂધ નાખવું, ખાંડ નાખવી અને નાળિયેરનું ખમણ અથવા સૂકું ખમણ નાંખવું. તજનો પાવડર કિસમિસ નાખવી બે ત્રણ ઉભરા આવે એટલે ઉતારી ને ઘરમાં ગરમ સર્વ કરવું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .અમારી દાદી સાસુમાં પાસેથી શીખી છું.કહેતા મોટી ઉંમરના લોકો ગળ્યું ખૂબ જ ભાવે માટે કહે ગયુંએ ગળ્યું બાકી બીજું બધું બળ્યું .એમ કહેતા હું મારી દાદી સાસુ સાસુ પાસેથી શીખી વારસામાં રસોઈ કળામાં નિપુણ બની. લોકોને ખવડાવવું અને નવું નવું બનાવવું એ મારો આગવો લખવા સાથે અનેરો શોખ છે.
ખાનાખજાના પ્રદિપભાઈએ આપેલો વિષય અનેરો …!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
[1/24, 6:04 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- ખાના ખજાના
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- સમૂહ ભોજ
****************************
*આહાર જીવનનો આધાર, આહાર સૃષ્ટિનો સંચાર*
*આહાર વિના ટકે નહીં જગમાં પ્રાણી લગાર*
અન્ન સૃષ્ટિના જીવનચક્રનું સંચાલક બળ છે.
આપણે ત્યાં અનેક તહેવારો અને જન્મથી લઈને મૃત્યુ સુધીના અનેક પ્રસંગોએ સૌ સમૂહ ભોજન તૈયાર કરીને સૌ સાથે જમે છે.
સમૂહભોજન શબ્દથીજ તેની વિશાળતાનો ખ્યાલ આવે..
ચાલો વાડીમાં બનાવાતા એ સમૂહ ભોજનની મજા લઈએ..
કોઇ પણ પ્રસંગ હોય ત્યારે તેની જમવાની તૈયારી રાતથી શરૂ થાય.. ભોજન બીજા દિવસે બપોરે હોય. પહેલા તો વાડી દેવનો દીવો કરી.. શ્રીફળ વધેરી ને ચૂલો પેટાવી, રસોઈ શરૂ થાય ભૈ.. લાડવાથી.. *રામ નામ લાડવા ને ગોપાલ નામ ઘી*.. મૂઠિયાં રસાતાળ ઘીમાં તળાય ને ચારેકોર એની મીઠી સોડમ વાવડ વહેતા મૂકે કે હવે પરોણાગતના પોબારા છે ..તે ધબા ધબ ખંડાય.. ઈલાયચી, જાયફળ, મેવા કિસમિસ, ખાંડ, ઘી ભેળવાય પછી.. આજુબાજુ ચાર-પાંચ ગોળાકાર બેસે અને હથેળીના દબાણ સાથે ગોળ ગોળ લાડવા વળાય અને જ્યારે તે વારાફરથી પતરામાં પડે ત્યારે થતો ‘ઢબ ઢબ’ એવો અવાજ આજુબાજુના સૌની ઊંઘ હરામ કરે.. હાસ્તો એ જ વિચારે કે કાલે તો પાંચ-સાત તો દેવાડવા જ છે.. જ્યારે લાડવા અલંકૃત થવા મોતી જેવી ખસખસ ભરેલા થાળમાં આળોટીને સુંદર નવવધૂ જેમ ઢબુડાઈને હારબંધ ગોઠવાય.
જવાનિયાંની ટીમ શાક સમારતાં ગપ્પાંગોષ્ટી સાથે નજરનાં કામણ પણ ચાલે. અન્ય વ્યંજનોની તૈયારી પણ થાય.
જ્યારે મળસ્કે દાળ ચડે ત્યારે.. તેના ઉભરા સળગતા લાકડા ઉપર પડતાં આવતી સુવાસથી શરૂ થઈ પછી તેમાં દગડી ફુલ, હિંગ, તમાલપત્ર વગેરે સાથેના તીખા વઘારની સુવાસ ચારેકોર વાયુવેગે પ્રસરે અને સૌનો જઠરાગ્નિ જાગે.. તે સમયનું તે સ્ટાર્ટર હતું. વરાની દાળ માટે કહેવાતું *ખુશાલ તારી દાળ ખાધી એટલી ખાધી.. બીજી ઉપાડીને પીધી..*
બાજુમાં નાક વીંધે તેવા બાસમતી અણિયાળા ભાત.. તમાલપત્ર, લવિંગ અને રંગીન ટુટીફ્રુટીની શોભા સાથે મીઠી સોડમ પ્રસરાવતા..
ત્યારે ઘ્રાણેન્દ્રિય એવી કામ કરતી કે વ્યંજનો વિશે અનુમાન સાથે શરત પણ લાગી જ જતી..
અને જમવાની તો વાત જ ના પૂછો.. હરિહરનો સાદ પડે.. હારબંધ બેસવાનું.. અને તે પણ જે વધારેમાં વધારે સારું જમી શકતું હોય તેની પાસે સ્તો.. એકબીજાને આગ્રહ જો કરાવે. વારાફરથી સૌ વ્યંજનો પીરસાય. પછી સૌ સાથે “નમો પાર્વતીપતે હર હર મહાદેવ હર..” ના બુલંદ ધોષ પછી જમવાનું શરુ થાય. સૌ આગ્રહ કરીને ખાય ને ખવરાવે..
સૌ પરિતૃપ્ત આત્માઓ ઊઠે ત્યારે મનમોહક હાસ્ય સાથે અન્નમ બ્રહ્મ: નો ઓડકાર સાથે.. રંગીન મુખવાસનો ફાકડો તો ખરો જ..
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[1/24, 10:07 PM] Mahendra Panchal: સાહિત્ય સરિતા
NOGSS-0011
નામ:- મનોજકુમાર આર.પંચાલ
ગામ:- પાલનપુર
ઉપનામ:- ‘મન’
પ્રકાર:- પદ્ય
પ્રકાર:- મૌલિક રચના
વિષય:- ખાના ખજાના
શીર્ષક:- કડું ઔષધ
ખાટું , ગળ્યું , તીખું ને ખારૂં છે ભોજનના રસ,
પણ કેમ કરીને ભૂલાય એ કડવા ને તૂરા રસ?
રસોઈના છે અલગ ને અજબ ગજબ રંગ,
ભોજનના રસને ભૂલે તો જીવનનો ઊડે રંગ.
મીઠું મીઠું ખાઈને થયાં જે ડાયાબિટીસ સંગ,
મીઠા ભોજનમાં ભેળો થાય કડવા રસના રંગ.
કોઈ પીવે લીમડાનાં પાન તો કોઈ કારેલાંનો રસ.
કોઈ પીવે આમળાંનો ,તો કોઈ ગાજરનો રસ.
દિવાનગી સ્વાદની એ હદથી વધી ગઈ આજે,
પીવા પડી રહ્યા છે કડવાં જ્યુસ શરીર કાજે.
કડવા ને તૂરાં રસ વર્ષોથી બન્યું છે મીઠું ઔષધ,
સ્વાસ્થ્ય સુઘડનો એક જ ઉપાય છે કડું ઔષધ.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
[1/25, 3:42 PM] Rita Bhaayaani.MeM.NOG: NOG. સાહિત્ય સરિતા
NOG no. – 0063
વિષય – ખાનાખજાના
વિભાગ – ગદ્ય
પ્રકાર – લેખ
શીર્ષક – ગુજરાતી થાળીની શાન – ચટણી.
મનુષ્ય જીવનને ટકાવી રાખવા માટે ત્રણ મુખ્ય તત્વો જરૂરી છે.
‘હવા, પાણી, ખોરાક’.
અહીં હવા અને પાણી કુદરતી સ્ત્રોત છે. જેમાં આપણને વિશેષ ફેરફારને અવકાશ મળ્યો નથી. એટલે એને લગભગ ‘જેમ છે એમ’ સ્વીકારી લીધાં છે.
હવે વાત રહી ખોરાકની…
આમ તો એ પણ કુદરતી રીતે જ મળતો અને મનુષ્ય સિવાયના બધાં જ પ્રાણીઓ એનો ઝાઝા ચેડાં કર્યાં વગર જે તે સ્થિતિમાં જ ઉપયોગ કરે છે. પરંતુ, આપણે તો વિશેષ બુધ્ધિજીવી ને.. એટલે જે કંઈ શક્ય બન્યાં એ બધાં જ અખતરાઓ આ ત્રીજી જરુરિયાત પર શરું કર્યાં. એમાંય પાછા ભારતીય ને છોગામાં ગુજરાતી… એટલે તો પુછવું જ શું?
જી હાં, મારે વાત કરવી છે, એક એવી ચીજની જે ખોરાકનો આવશ્યક ભાગ એટલે કે દાળ,ભાત શાક, રોટલી એમ નથી. પરંતુ ગુજરાતી થાળી જેનાં વગર અધૂરી, એવી ગુજરાતી થાળીની આન, બાન, શાન એટલે..
‘ચટણી’.
વૈજ્ઞાનિક અભિગમ જોઈએ તો ચટણી એ એન્ટીઓક્સીડેન્ટ, પાચનમાં ઉપયોગી, લોહીના પ્રવાહને વેગવંતો કરે, રોગો સામે લડવાની શક્તિ આપે… આવાં અનેક ફાયદા. કેમકે એમાં વપરાતી દરેક વસ્તુઓ શરીર માટે અતિ ઉપયોગી. દા.ત. કોથમીર, મરચાં, મીઠો લીમડો,લસણ,શીંગદાણા, દાળીયાદાળ, લીંબુ… અરે શું શું નથી વપરાતું?
જેમ બાર ગાવે બોલી બદલે એમ દરેક ગુજરાતીનાં ઘરની ચટણી બનાવવાની અલગ રેસિપી..
એમાંય રાજકોટની લીલી ચટણી એટલે…
ઈસ્વીસન ૧૯૬૯થી પ્રખ્યાત, આગવા સ્વાદ અને અતિ સામાન્ય રીત છતાં દેશવિદેશમાં પ્રખ્યાત. ગોરધનભાઈ અને રસિકભાઈની આ પ્રખ્યાત લીલી ચટણી પાણીના મિશ્રણ વગરની હોવાથી દોઢથી બે મહિના ફ્રીજમાં ટકે. સૂકી ચટણી અને બટાટા ચીપ્સ(જાળીવાળી),જેને સૌરાષ્ટ્રમાં વેફર કહે એની મજા અચૂક માણવા જેવી. આ બન્ને દુકાનમાંથી કંઈ પણ ખરીદો.. ચટણી સાથે મળે જ! પાણી કે દહીં નાખી ઢીલી કરી બીજી અનેક વાનગીઓ સાથે પણ ખાઈ શકાય. એનો તીખો,ખાટો અને સ્હેજ તમતમતો સ્વાદ બધીજ સ્વદેન્દ્રીયોને જાગૃત કરી ભોજનને ચાર ચાંદ લગાવી દ્યે છે.
આમ, જાતજાતની વાનગીઓ અને વાટકીઓ વચ્ચે થાળીમાં પોતાનું આગવું સ્થાન ધરાવતી સ્વાદની રાણી એટલે ‘ચટણી’.
✍️ – રીટા ભાયાણી.