[1/18, 6:39 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: ખાના ખજાના
પ્રકાર : ગદ્ય
શીર્ષક: ભારતીય રાજ્યોની પરંપરાગત વાનગીઓ.
શબ્દો:૩૫૭.
નામ: ભરત સાંગાણી.
આપણે બધાં જ જાણીએ છીએ કે ભારત એ વિવિધાતાથી ભરેલો સમૃધ્ધ દેશ છે. દરેક રાજ્યોની પોતાની આગવી ઓળખ છે. સાથે જ પોતાની અલગ સંસ્કૃતિ, પરંપરા છે. ભાષા, પોશાક, રીત-રિવાજ, રહેણી-કરણી વગેરે તમામ વસ્તુઓમાં વૈવિધ્ય જોવા મળે છે. આ વિવિધતા ખાન પાનમાં પણ જણાય આવે છે.
દરેક રાજ્યોની પોતાની પારંપારિક વાનગીઓ છે. આ ખોરાકના- ખાના ખજાના વિશે વાત કરવી છે. દરેક રાજ્યના ખોરાકમાં અનેક વેરાયટી જોવા મળે છે.
જમ્મુ – કાશ્મીરમાં- *દમ ઓલાવ* તે દમ આલુની વાનગીને મળતી આવે છે.
હિમાચલ પ્રદેશ-ની સૌથી પ્રસિધ્ધ વાનગી *ધામ* જેમાં રાજમા, મગદાળ અને ચોખાને દહીંમાં પકાવીને તૈયાર કરવામાં આવે છે.
હરિયાણા- *બાજરાની ખીચડી*
પંજાબ- *મકાઈની રોટી અને સરસોનું શાક*
ઉત્તરાખંડ- *કંડાલીનું શાક*
એક પ્રકારની વનસ્પતિ છે જેને ઉકાળીને સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવે છે.
ઉત્તરપ્રદેશ- *ચૌલાઈનું શાક*
ચૌલાઈ નામની વનસ્પતિના પાનમાંથી બને છે. પરોઠા અથવા ભાત સાથે પીરસવામાં આવે છે.
બિહાર- *લિટ્ટી ચોખા*
સિક્કિમ- *મોમો*
મૂળ તિબેટની જાણીતી વાનગી જેમાં સ્ટીમ અને ફ્રાઇડ મોમો સૌથી લોકપ્રિય છે.
અસમ- *પપૈયા ખાર*
આસામી મસાલા , લાલ ચોખા, દાળ અને કાચા પપૈયાના સંયોજન વડે આ ડીશ તૈયાર કરવામાં આવે છે. ખાર સુકવેલા કેળાની છાલમાંથી મેળવવામાં આવે છે.
અરૂણાચલ પ્રદેશ: *થુકપા સૂપ*
તે ઉકાળેલી નુડલ્સ અને શાકભાજીનું મિશ્રણ હોઈ છે.
નાગાલેન્ડ- *ગલ્હો*
જેને ચોખા અને શાકભાજી વડે તૈયાર કરવામાં આવે છે.
મણિપુર- *કંગશોઈ*
એક પ્રકારની વેજીટેબલ ખીચડી.
મિઝોરમ- *પાંચ ફોરમ તરકારી*
પાંચ પ્રકારના મસાલા સાથે બટાટા રીંગણ અને કોળાને પકાવવામાં આવે છે.
ત્રિપુરા- *ભાંગુઈ*
ચોખામાંથી તૈયાર કરવામાં આવે છે.
મેઘાલય- *પુમાલોઈ*
ઉત્સવો દરમિયાન ચોખામાંથી બનાવવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ- *રસગુલ્લા*
ઝારખંડ- *ધુસ્કા પુરી*
ચોખાનો લોટ ચણાની દાળ અને બાફેલા બટેટા વડે બનાવવામાં આવે છે.
છત્તીસગઢ- *આમત*
એક પ્રકારનો સંભાર.
ઓડિશા- *છેના પોડા*
એક પ્રકારની મીઠાઈ શેકેલી ચિઝમાંથી બને છે.
તેલંગણા- *હૈદ્રાબાદી બિરયાની*
આંધ્રપ્રદેશ- *પુઠરેકુલ્લુ*
ખાંડના મિશ્રણવાળી મીઠાઈ.
કેરળ- *અપ્પમ*
ચોખાનો લોટ, નારિયેળના દૂધ- પાણી અને ખાંડ વડે બને છે.
તામિલનાડુ- *પોંગલ*
આ ડીશ પોંગલ તહેવારનું અભિન્ન અંગ છે.
કર્ણાટક- *અક્કીરોટી*
રાઈસ બ્રેડ તરીકે ઓળખાય છે.
ગોવા- *પોઈ*
પાવ જેવી વાનગી તાડીનો ઉપીયોગ કરી બનાવાઈ છે.
મહારાષ્ટ્ર- *મિસળ પાંવ*
ગુજરાત- *ઢોકળા*
મધ્યપ્રદેશ- *ભુટ્ટે કા કીસ*
કૃશ કરેલી મકાઈમાંથી. ઇન્દોરની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી.
રાજસ્થાન- *દાલબાટી ચૂરમા*
ભારતની ૨૯ રાજ્યોની પરંપરાગત વાનગીઓ પીરસી વરસમાં એક મહિનો આ રીતે દરેક ઘરમાં વાનગી મહોત્સવ ઉજવી ભારતની વિવિધતામાં એકતાનો એહસાસ કરો.
— ભરત સાંગણી.
[1/18, 10:36 AM] Jig a. Bombay. Andheri: NOG SS :0002
વિષય:ખાના ખજાના
શીર્ષક:ભારતીય સંસ્કૃતિ
આપણો આ ભારતદેશ બહુધર્મી છે . ભાતીગળ પ્રજાની ભાતીગળ સંસ્કૃતિ છે.
તો મિત્રો, આ સંસ્કૃતિ એટલે શું?
સંસ્કૃતિ એટલે,” પ્રજાનું લાક્ષણિક જીવન,
રીતિરિવાજ ,પહેરવેશ,ખાનપાન અને સમાજના સભ્ય તરીકે આપણા વિચારો કંઈક કરી શકવાની ભાવના સાથે આપણા વિકસાવેલા એકમને સંસ્કૃતિ કહેવાય.”
આજે ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. એમાં પણ આપણી ખાનપાન રૂપી ખજાનાની તો દુનિયા દિવાની છે .હા મિત્રો,આપણાં આ ભંડારે તો દુનિયામાં ડંકો વગાડી દીધો છે!
આજે અલગ અલગ પ્રદેશનું એમનું જ ખાણું એમની આગવી ઓળખ બની ગઈ છે ! જેમકે
ગુજરાતનાં ઢોકળાં ફાફડા જલેબી , ઉંધિયું ,ઉબાડિયું , રોટલાને ઓળો વગેરે.
પંજાબનાં લસ્સી,સરસોં કા સાગ, મકકેકી રોટી,
મહારાષ્ટ્રનાં ઉસળ મિશળ અને વડાપાવ.
દક્ષિણ ભારતનાં ઈડલી ઢોસા .
આમ અલગ અલગ પ્રાંતની વિવિધ વાનગી દુનિયાભરમાં પ્રખ્યાત છે!
મિત્રો,આ તો થઈ કોઈ પ્રદેશની વાનગીઓ પણ તમને ખબર છે એક વાનગી એવી છે જેની તોલે દુનિયાની કોઈ પણ ન કરી શકે?
તો એ છે માતાની હાથે બનેલી વાનગી.
કોણજાણે માતાનાં હાથમાં ભગવાને કઈ મીઠાશ મૂકી છે કે એનાં હાથે બનેલા ભોજનની મહત્તા અનેરી જ છે . એનાં હાથે બનેલાં ભોજનથી મન તો શું આત્મા પણ તૃપ્ત થઈ જાય છે!
તો ચાલો મિત્રો અહીં મારી લખેલી એક કવિતાની લહેજત માણીએ,
*મારી માતાનો ધડેલો રોટલો💕*
તમારા લકઝરીયસ પીઝામાંથી નીકળીને તમારી માતાનાં કામગરા
હાથે ઘડાયેલા રોટલાની લહેજત માણીને તો જોજો એની મીઠાશને અનુભવી તો જોજો….
એ રોટલો,
જેને ઘડતાં તમારી માતાનાં હાથ પણ દાઝયાં હશે પણ તમારી ભૂખને સંતોષવા એની અવહેલના કરી હશે……
એ રોટલો,
જેને ગોળ અને ઘીથી તરબોળ કર્યા હશે અને તમને કોળિયો ભરાવીને પછી હરખનાં આસું લૂછયાં હશે……
એ રોટલો,
તમે જયારે ભુખ્યાં ભડભડતાં ઘરે આવતાં હશો ત્યારે તમારી માતાએ કીધું હશે અબઘડી ઘડી દઉ રોટલો એમ કહી ત્રાહડી હાથમાં લીધી હશે….
એ રોટલો,
જેની સાથે તમારી માતાએ લસણની ચટણી , ડુંગળી, રીંગણાનો ઓળો અને તાહડી ભરીને છાશ જેને જોતાંવેંત મોઢાંમાં પાણી છુટયું હશે….
કોક દિવસ તમારી માતાનાં હાથે ધડાયેલાં રોટલાની પ્રેમ રુપી મીઠાશની લિજ્જત માણી તો જોજો કોઈ પંચતારક હોટલમાં પણ આવી મજા નહીં જ હોય!
ખરેખર મિત્રો,માતાનાં હાથમાં મીઠાશ છે એની તો વાત જ નિરાળી છે પણ શું કરું! આ નિયતીનાં નસીબમાં એ મીઠાશ રહી નથી કારણ મારી જન્મદાત્રી મારી જનની ઈશચરણે થઈ ગઈ છે.😥
જીજ્ઞા કપુરિયા “નિયતી”
[1/18, 2:03 PM] Vandana Vaani.MeM.NOG: NOG- 005
વિષય: ખાનાખજાના
ગદ્ય – વાર્તા
💅 અથાણું
કાશીબા સિઝન બહુ ચીવટથી જાતે જ ભરતાં. તેમનાં અથાણાં, મુરબ્બાની ખ્યાતિ આખાં ગામમાં ફેલાયેલી. બધાં તેમની સલાહ લેવા આવતાં. તેઓ કામ કરતાં હોય ત્યારે કોઈ તેમનાં કામમાં વચ્ચે આવવાની હિંમત ન કરતું.
આજે સવારથી તેઓ અથાણાંની તૈયારી કરી રહ્યાં હતાં. નાની ટીનુ તેમની હિલચાલ તાકીને બેઠી હતી.
તેમણે એક મોટી થાળીમાં અંદાજ કાઢતાં મસાલાની નાની નાની ઢગલીઓ કરી. “બગડે… તો આખું વર્ષ બગડે”, તેમનાં અડધાં બોલાયેલા વાક્યને ટીનુએ બરાબર ઝડપી લીધું.
“શું બગડે તો આખું વર્ષ બગડે બા.”
“આ મરચું, એટલે કે તારાં દાદા, તીખાં તમતમતા!” કાશીબાનાં બોખા મોંઢે હાસ્ય ગજબનું લાગતું હતું.
ટીનુને બાની વાતમાં મજા પડી.
“બા આ કોણ છે?” મેથીની ઢગલી તરફ આંગળી ચીંધી તેણે પૂછ્યું.
“આ તો હું, કડવી પણ ગુણકારી.” તેઓ ફરી ખડખડાટ હસી પડ્યાં.
હવે ટીનુનાં બધાં સવાલ ખબર હોય એમ તેમણે આગળ ચલાવ્યું, “આ હળદળ એ તારી ફોઈ. કામ ઓછું ને રૂપ-રંગની માથાકૂટ વધારે. આ હિંગ એ તારાં કાકા. ઘરમાં ન હોય તો તેની ગેરહાજરી ન વર્તાય, પણ તેના વગર મજા ન આવે.”
ટીનુને વાતમાં રસ પડતાં કાશીબાની નજીક આવવા ગઈ, તો તેલની બરણી પડતાં માંડ બચી.
“અલી ઓયે, તારાં બાપને તો સંભાળ. બધાંને એક કરીને જો રાખે છે!” કાશીબા બરાડી ઉઠ્યાં.
“જા ટીનુડી, તાપમાંથી મીઠું લઈ આવ. ” ટીનુને બાનો આદેશ માનવો પડ્યો.
મીઠાની તપેલી હાથમાં જ પકડીને ઊભી રહી. તે કંઈ જાણવા માંગતી હતી ને!
“આ મીઠું, એ છે તારી મમ્મી. તેનાં વગર તો ઘર સાવ બેસ્વાદ!”
બાજુમાં રહેલી ખાંડની નાની ઢગલી જોઈ ટીનુએ કુતૂહલતાથી પૂછ્યું,”આ?”
“એ તો મારી મીઠડી તું.” કહી બાએ ગાલે ચુટકી ભરી. ટીનુ ફુલાઈને બેસી ગઈ.
મીઠું-મેથીની ઢગલી કરી બધાં મસાલા ઉમેરીને બાએ સરસ સંભાર તૈયાર કરી દીધો.
ત્યાં જ પરસાળમાં ભઈલાનો રડવાનો અવાજ આવ્યો. ઘરનાં બધાં તે ભણી દોડી ગયાં. તે આળોટતા પલંગ પરથી પડ્યો હતો એટલે થોડું વાગ્યું હતું. છાનો રાખવાની કોશિશ કરતાં બધાં તેને વીંટળાઈ ગયાં.
ભઈલો રડતો શાંત થઈ ગયો એટલે કાશીબા પાછાં તેમનાં કામે વળગ્યાં. ટીનુ તેમની પાછળ ખેંચાઈ આવી.
“બા આપણો ભઈલો એટલે કેરી નહીં? કેરીને બધાં મસાલા કેવા ચોંટીને બેઠાં છે!” બરણીમાં ભરાતાં અથાણાંને તાકીને ટીનુએ કાશીબાને કહ્યું.
કાશીબા ટીનુની ચતુરાઈને વંદી રહ્યા. ટીનુનાં જીવનનું કોઈ વર્ષ બગડશે નહીં એ વાતની તેમને ખાતરી થઈ ગઈ.
©️વંદના વાણી
[1/18, 3:48 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO:004
*વિષયઃ ખાના ખજાના*
*પ્રકારઃ ગદ્ય*
*શબ્દઃ*૩૫૦*
*શીર્ષકઃ નવનીત*
નંદને ત્યાં વલોણાં વલોવાયને નવનીત તારવાય ત્યારે પહેલો હક્ક યશોદા મા તેના વહાલા કાનુડાને આપે. તોએ કાનો માખણ ચોર કહેવાયો.
નવનીત કોને ન ભાવે ? આપણે ત્યાં દરેક રાજ્યનું
સૌથી ઉત્તમ પોષ્ટીક ગણાય. નવનીત રોટલા, ઢેબરા કે
મિસરી જોડે ખવાય. લસ્સી બને તો જો માખણ વાળી ન હોય તો જાટ લોકો તેને પાણી જ સમજે.આજના જમાનામાં
માખણ વગરનો બ્રેડ કોણ ખાય છે? અમુલનું માખણ મીઠાવાળું, સ્પ્રેડ કરી શકાય તેવું લસપસ ને ભારતનું સૌથી વધું વેચાતું પ્રોડક્ટ છે.પાઉંભાજી બટર વિના ન ચાલે, ઈડલી બટર વિના ન ખવાય તો પરોઠા , રોટી, નાન એ નવનીત વગર ફિક્કા ફશ લાગે.
માખણ શારિરીક રીતે ખૂબ ફાયદાકારક છે.માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે.તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે. માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે.અર્થાત ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે. માખણ આંખનુ આલોચક પિત્ત વધારનાર છે, તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના ચશ્માં આવતા નથી. માખણ હરસ-મસા પર પણ ઉત્તમ છે. વલોણામાંથી કાઢેલું ખટાશવાળું તાજું માખણ શરદી કરતું નથી અને ઉત્તમ મનાય છે. નાના બાળકોને જ્યારે ગળું પડી જાય તો તે ગળું સારું કરવાની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે.તાજુ માખણ સ્વાદિષ્ટ અને મધુર હોઇ ઝાડામાંના પ્રવાહીને સૂકવી મોઇ કે મરડા જેવો ઝાડો બાંધે છે.
ભાષા પ્રયોગમાં પણ માખણ નો ઉપયોગ રૂઢી પ્રયોગમાં કે કહેવતો માં વપરાય છે જેમકે…
૧-માખણ ન લગાવ- મસ્કા ન માર
૨-મનો મંથન કરવું – નવનીત વલોવવું
૩-છાશમાં માખણ જાય તો તે બાઈ ફૂવડ કહેવાય.
– મૂર્ખ ઠરવું / ગુણની કદર ન થવી
– ૩ માખણ વલોવ્યું કે પાણી- વેપારમાં નફો કે તોટો
– ૪ સહેલાઈથી બને તેવું કાર્ય કરવું- માખણનું ઘી કરવું
આજકાલ તો ડાયટ કરનાર માખણ વગરનું જ ખાઉં છું કહે છે ત્યારે કહેવાનું મન થાય કે પોષ્ટીક ખાવ પણ તેનો અતિરેક ન કરો તો તમને તમારો ખોરાક જ તનમનથી
તંદુરસ્ત રાખી શકશે.
કૃષ્ણનું પ્રિય નવનીત ખૂબ પોષ્ટીક છે જેટલી એની ભગવદ્ ગીતા આધ્યાત્મિક રૂપે ,માટે તે જન્માષ્ટમીએ પંજરી સાથે નવનીત ને મિસરી(ખડી સાકર) પ્રસાદ રૂપે.
*ખાના ખજાના* નું આ અનમોલ ખાણું છે બધાંમાં જ મેળવી ખવાય છે.
જેવી માખણ
મિસરી મીઠી
કાના એવી બાંસુરી
લાગે જગને
મધથી મીઠી.
જયશ્રી પટેલ
૧૮/૧/૨૨