GN_26-12-21
JF_26-12-21 (1)
[12/25, 1:28 AM] Anjana Gandhi.MeM.NOG: N. O. G. SS NO 0026.
વિષય – નાતાલ
વિભાગ – પદ્ય ( મૌલિક રચના)
નાતાલ આવી ઊઠતાં, તરંગ જેવું લાગે.
હૈયે સહુને ઉભરી ઉમંગ જેવું લાગે!
ચહેરો હરએક ખુશ છે, માહોલ છે ખુશીનો,
રાજા બની ગયા છે સૌ કોઈ મલંગ લાગે!
શમણાં સહુના પૂરા, કરતો જ્યાં સાન્તા આવી,
જાણે લ્હેર બરફની પણ જલતરંગ લાગે!
મોજામાં ખુશી મૂકતો, સૌ બાળ થાય રાજી,
ઈચ્છાઓ થાય પૂરી, આનંદ જેવું લાગે!
મળતા પરિજનોને, આવીને ભેટ દેતાં,
સંબંધ એ સુખોની, કોઈ સુરંગ લાગે!
ઠંડી સખત પડે પણ, તહેવારની આ ગરમી,
ગયે ખુશહાલ ગીતો જો અંગેઅંગ લાગે!
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
(હાલ અમેરિકા)
🙏 અહીં અત્યારે એક ખૂબ જ સુંદર માહોલ છે. જે જોતા આ રચના લખી છે!
[12/25, 10:21 AM] Prafulla Prasanna: NGO સાહિત્ય સરિતા(૧)
NG No. –39
વિષય — નાતાલ
પ્રકાર — ગદ્ય — લેખ
શીર્ષક — હેપી ક્રિસમસ
શબ્દો –૩૪૧
તારીખ –૨૫-૧૨-૨૧
પશ્ચિમ એશિયાના રોમન પ્રાંતમાં બેથલહેમ ખાતે પચીસ ડિસેમ્બરના રોજ માતા મેરી અને પિતા જોસેફનાં ત્યાં પશુ પંખીઓનાં કલરવ ભર્યા વાતાવરણ અને મધુર સંગીત વચ્ચે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એમની યાદમાં એમનાં અનુયાયીઓ પચીસ ડિસેમ્બરે કિસમસનો પવિત્ર તહેવાર મનાવે છે.
નાતાલનાં દિવસો પ્રેમ અને આનંદ વહેંચવાનાં અને પામવાનાં દિવસો. દિવાળીની જેમ ક્રિસમસનો તહેવાર પણ ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવની તૈયારી ઘણાં દિવસો પહેલાંથી શરૂ કરવામાં આવે છે. આ તહેવારમાં ઘર, ચર્ચ, શેરી, બજાર વગેરેને ક્રિસમસ ટ્રી, રંગબેરંગી ફૂલો, રંગબેરંગી રોશની, મીણબત્તીઓથી શણગારવામાં આવે છે. ક્રિસમસ ટ્રીને ચોકલેટ, ફુગ્ગા અને રમકડાંથી સજાવવામાં આવે છે. મીણબત્તી એ જીવનમાં પ્રકાશ ફેલાવાનું અને પ્રગતિ સાધવાનું પ્રતિક છે. ક્રિસમસ ટ્રીનો આકાર નોર્વેમાં જોવા મળતાં ‘સ્પ્રુસ’ વૃક્ષ જેવો છે. શાંતાક્લોઝ બનીને જરૂરિયાત મંદોને મદદ કરીને ઉદાસ વ્યક્તિઓના ચહેરા ઉપર હાસ્ય લાવવાનું, ગિફ્ટ અને મીઠાઈ વહેંચવાનું અને મિત્રો તથા સગાવહાલાઓને ઘેર આમંત્રીને એમની સુંદર રીતે મહેમાનગતી કરવામાં આવે છે.બધાં એકબીજાંને શુભ નાતાલ અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ દિવસોમાં માતા મેરી અને ગૌશાળાનાં દ્રશ્યોની ઝાંખી કરાવવામાં આવે છે.
સંત ફ્રાન્સિસની દ્રષ્ટિએ નાતાલનો સંદેશ નીચે મુજબ છે.
૧)— દુઃખોનું સ્વાગત કરો.
૨)– મુશ્કેલીઓમાં સ્વસ્થ રહો.
૩)– નાના નાના સુખનો સંતોષ માનો.
૪)– આપણને સ્પેશિયલ બનાવવાની પ્રભુની ઈચ્છા પૂર્ણ થાય એવી પ્રાર્થના કરો.
૫)– કોઈ પણ ભૂલની માફી માંગો અને માફી આપો.
આ તહેવાર દ્વારા લોકોનાં જીવનમાં એક નવી ઉર્જા ઉત્તપન્ન થાય છે અને સકારાત્મકતા આવે છે.
શાંતા ક્લોઝ માટે એક વાર્તા છે. લાકડાં કાપીને ગુજરાન ચલાવનાર કઠિયારાને ત્યાં એક રાત્રે એ સુવાની તૈયારી કરે છે ત્યારે બારણે ટકોરા પડે છે. કઠિયારો બારણું ખોલે છે તો એક ખૂબ દિવ્ય, તેજસ્વી અને ભવ્ય બાળક હાથમાં સ્પ્રુસ વૃક્ષની ડાળખી લઈને ઉભો છે. કઠિયારો એને અંદર લઈ જઈને એની પાસે હતું એ ભોજન અને ગરમ દૂધ આપીને પોતાની પથારીમાં સુવાડે છે. કઠિયારો સવારે જાગે છે ત્યારે મધુર સંગીત વાગતું હોય છે અને આખા ઘરમાં પ્રકાશ ફેલાયેલો હોય છે. બાળક સપ્રુસ વૃક્ષની એ ડાળખી આપીને હસતાં હસતાં જતો રહે છે. એ પછી એ કઠિયારો ખૂબ સુખ, સમૃદ્ધિ મેળવીને જીવનમાં ખૂબ આનંદ અને ઉલ્લાસ મેળવે છે.
એ બાળક એટલે ઇસુખ્રિસ્ત અને એ ડાળી એટલે ક્રિસમસ ટ્રીની ડાળખી.
પ્રફુલ્લા “પ્રસન્ના”
[12/25, 12:41 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N. O. G. S. S. No o102.
વિષય.:- ક્રિસમસ.
પ્રકાર. :- ગદ્ય.
શીર્ષક.:- ક્રિસમસની ઉજવણી.
૨૫મી ડિસેમ્બર એટલે ભગવાન ઇસુનો જન્મ દિવસ. માતા મેરી અને પિતા જોસેફને ત્યાં બેથલેહેમમાં તેમનો જન્મ થયો હતો. તેને ગમાણમાં રાખવામાં આવ્યા હતા. વર્ષો સુધી તેઓએ ભગવાનની આરાધના કરી અને સાક્ષાત્કાર કર્યો.
દુનિયાના તમામ દેશોના લોકો તેમના જન્મદિવસને ક્રિસમસ અથવા નાતાલને નામે ઉજવે છે . આ દિવસે ચર્ચમાં પ્રાર્થના થાય છે ,ઘરે-ઘરે શોભા અને શણગાર કરવામાં આવે છે .ક્રિસમસ ટ્રીને શણગારવામાં આવે છે. તેના ઉપર લાલ ફૂલો, ફળો તેમજ ભેટ-સોગાદો બાંધવામાં આવે છે .તે દિવસે બધા લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
પત્ર પાઠવે છે. એકબીજાને ભેટની લેતી દેતી કરે છે.
ખાઈ પીને મજા કરે અને તે દિવસે આનંદનો દિવસ તરીકે તમામ લોકો ઊજવે છે.
ભગવાન ઈસુ ખ્રિસ્તને જીવનમાં ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો હતો. તેના દુશ્મનોએ સાથે મળી અને તેને શુડીએ લટકાવ્યા .ત્યારે પણ ભગવાન ઈસુએ તેઓના સૌ તરફ દયા રાખી અને જણાવ્યું કે તેઓ શું કરે છે તેઓને તેની ખબર નથી હું તેને માફ કરું છું.
પોતાના દેહનું બલિદાન આપી ભગવાન ઈસુ ખ્રિસ્ત જગતમાં નામાંકિત બન્યા. દિન દુખીયાઓની સેવા કરવી, પ્રેમ અને કરુણા રાખવી, માનવ જીવનના ઉત્કર્ષ માટે તમામ પ્રવૃત્તિ કરી પ્રાર્થના કરવી .ઈશ્વરનું નામ લેવું .તેમાં શ્રદ્ધા રાખવી વગેરે તેનો ઉપદ્દેશ હતો. તેનો ઉપદ્દેશ બાઇબલમાં સમાયેલો છે. અને જગતના તમામ લોકો આજે પણ તેનું પાલન કરે છે.
આજના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરીએ . પ્રાર્થના કરીએ. સર્વ જગતનું કલ્યાણ થાય. આ કોરોનામાંથી ભગવાન ઇશું આપણે મુક્તિ આપે. જગતના તમામ લોકો આનંદપૂર્વક જીવી શકે તે માટે તેઓ ના આશીર્વાદ આપણે મળે તેવી પ્રાર્થના.
રતીલાલ વાયડા.
૨૫/૧૨/૨૦૨૧.શનિવાર.
નવી મુંબઈ.
[12/25, 4:10 PM] Dr.Rekha Kachoria.MeM.NOG: NOGSS NO. : 0034
વિષય : નાતાલ
શીર્ષક : શું એવું હવે ન થઈ શકે?
વસુધૈવમ્ કુટુંબકમ્ નો મહિમા કરતી આપણી ભારતભૂમિ એ સર્વધર્મ પ્રત્યે આદર અને સમભાવ દાખવતી ભૂમિ છે. તેથી જ કોઈપણ તહેવાર હોય તો બધાં ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે. તહેવારો દ્રારા સંસ્કૃતિ અને પરંપરાનો સ્ત્રોત અવિરત આગળ વધતો રહે છે.
એવો જ એક તહેવાર છે ક્રિસમસ. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર તહેવાર, જે ઈસુ ખ્રિસ્તનાં જન્મદિનનાં સ્મરણાર્થે ઉજવાય છે. એ ઈસુએ પોતાનાં આદર્શ જીવન, વચન અને વર્તન દ્વારા આમ જનતાની સેવા કરીને પ્રેમ અને ક્ષમાનો મંત્ર આપ્યો. પોતાને શૂળીએ લટકાવનાર શત્રુઓને પણ ક્ષમા આપી. દિવાળીની જેમ જ સૌ ક્રિશ્ચિયન પોતાનાં ઘરોને રોશનીથી શણગારે છે. ચર્ચમાં જાય છે. એકબીજાને ગિફ્ટસ્ આપે છે અને ખૂબ જ એન્જોય કરે છે.
આજે વાત કરવી છે, આજકાલ ખૂબ જ ફોરવર્ડ થતાં મેસેજની કે,”ક્રિસમસ ટ્રીને બદલે તુલસીની પૂજા કરવી જોઈએ. આપણી સંસ્કૃતિને બચાવવી જોઈએ.” આપણે આપણાં ઘરોમાં દરરોજ તુલસીક્યારે દીવો કરીને જળ અર્પણ કરીએ છીએ. આપણે દેવદિવાળીએ તુલસીવિવાહ પણ કરીએ જ છીએ.આપણાં દેશમાં, આપણાં ધર્મમાં તુલસીજીનું જે સ્થાન છે એ કોઈ નહીં લઈ શકે. તુલસીજી હંમેશાં પવિત્ર જ રહેશે. તુલસીજીને આપણે માત્ર એક વનસ્પતિ તરીકે નહીં પરંતુ દેવી તરીકે પૂજીએ છીએ. આપણી સંસ્કૃતિ તો છોડમાં પણ રણછોડ જોવાવાળી છે. તો પછી મારો ધર્મ સારો અને સાચો એવું શા માટે? દરેક ધર્મનાં તહેવારો અલગ છે, સંસ્કૃતિ ભિન્ન છે. દરેક તહેવારની એક અલગ ગરિમા છે, મહિમા છે એનું માન સાચવવું જોઈએ.
કોઈપણ ધર્મગ્રંથોમાં પ્રેમનો, માનવતાનો જ શુભ સંદેશ હોય છે. ધર્મ માનવને અયોગ્ય રસ્તે જતાં અટકાવે છે અને સારાં કર્મો કરવાનો જ બોધ આપે છે. શ્રી ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કર્મનો મહિમા ગાયો છે. પવિત્ર ગ્રંથ બાઈબલમાં જણાવ્યું છે કે,” પવિત્ર ઈશ્વર પાપને ધિક્કારે છે પરંતુ પાપી ઉપર પ્રેમ કરે છે.”
આ મારું, આ તારું એવાં વાડા તો આપણે મનુષ્યોએ જ નકકી કરેલા છે. આપણે ચડસા-ચડસી અને ભેદભાવ કરવાનું કામ કર્યું છે. નાનાં હતાં ત્યારે સ્કૂલમાં દરેક તહેવારોનું સેલિબ્રેશન થતું અને બધાં સાથે હળીમળીને આનંદ કરતાં. શું એવું હવે ન થઈ શકે?
— ડૉ. રેખા શાહ
[12/25, 4:53 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- નાતાલ
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- અનેરો જન્મદિન..
****************************
મેરી ક્રિસમસ.. મેરી ક્રિસમસ..
બોલતાં સહું ઝૂમે નાતાલે..
સંવેદનાની સુરાવલીમાં ..
પ્રાર્થે સૌ ઇસા મસીહાને આજે..
ક્રિસમસ-ટ્રી સુશોભીત થઈ
કહે સંદેશો પ્રકૃતિપ્રેમને કાજે..
સાન્ટા મધરાતે રેન્ડિયરના રથે..
બેસી આવે જિંગલ..બેલના નાદે..
સાન્ટા ક્લોઝ ઘર ઘર જઈ..
ગિફ્ટ દઈ પ્રેમ સદભાવનાને વહેંચે..
ઉજવે ઉમંગે જગત્યોહાર મળી સૌ સાથે..
તાલમાં તાલ મિલાવી સૌ ઝૂમે નાતાલે..
સમભાવ, સદભાવના વસે માનવ હૈયે
જન્મે ઈસુ મસીહા દરેક નાતાલે..
જન્મદિન છે આજ પ્રદીપભાઈનો અનેરો..
પુનિત દિને સૌ સુખદ આશિષ દે છે ઘણેરો..
જનફરિયાદના રહી તંત્રીશ્રી ક્રિસમસ-ટ્રી સમ શોભતા..
વિભિન્ન વિષયો દઈ લખવા..
કરે પ્રોત્સાહિત ને બિરદાવતા..
નવોદિતોના સાન્તાક્લોઝ બની..
દે ખુશી સાહિત્યપ્રકાશન કરી છાપતા.. ખૂબ ખૂબ શુભેચ્છા દે સાહિત્ય સરિતા,
ઉજવો સો સો નાતાલ ઝૂમી આનંદ ઉમંગે મલપતા..
*આજે ૨૫મી ડિસેમ્બરને નાતાલના અનેરા દિવસે શ્રી પ્રદીપભાઈના જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન સાથે ઘણી ઘણી શુભેચ્છાઓ..*
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*