[12/21, 3:17 PM] Bhavna Mistry.Mem.-2: NOG. SS No -0099
વિષય- નાતાલ
પ્રકાર- પદ્ય (બાળગીત)
શીર્ષક- શાન્તાક્લોઝ આવે
આવે રે આવે રે શાન્તાક્લોઝ આજે,
ખિસ્સામાં ચોકલેટ લાવે બાળકોને કાજે.
પહેરે રે પહેરે રે લાલ ટોપી માથે,
કૂદીકૂદીને થાકી જાય બાળકોની સાથે.
ગમે રે ગમે રે ભૂલકાંઓને ગમે,
શાન્તાક્લોઝ તો આખા શહેરમાં ભમે.
નાચે રે નાચે રે શાન્તાક્લોઝ નાચે,
ગીફ્ટ ઝાલી હથેળીમાં આનંદમાં રાચે.
દોડે રે દોડે રે ગલીઓમાં દોડે,
નાનાનાના બાળકોનાં ધરમાં ગીફ્ટ છોડે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી “અભય” વલસાડ
[12/21, 3:29 PM] Mahendra Panchal: NOGSS-0011
વિષય:- નાતાલ
*શીર્ષક- કરો જલસા*
*પ્રકાર-ગઝલ*
નાતાલનો મહિનો આનંદનો કરો જલસા,
આ ડિસેમ્બર થયો,ચારેબાજુ ને કરો જલ્સા.
ઘર પર લગાવતાં લોકો તારલા ઘણા જૂઓ,
સૌને મળે ખુશીઓની ભેટ તો કરો જલસા.
સૌને મળી અપેક્ષા ને અણસમજ ભગાડીશું,
ચારે તરફ થતી છોળો દિલ પર કરો જલસા.
સાંતા હસાવવા આવે,કોથળો ખભે લઈને,
આ જિંદગી કહે, મુજને રોજ એ કરો જલસા.
ભગવાન ઈશુને મરિયમની મળે દુઆ જો,
મીઠાઈઓ વહેંચી નાતાલમાં કરો જલસા.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
[12/21, 7:58 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : નાતાલ
નાતાલ :-
નાતાલ એટલે ? આપણે આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઓળખીએ છીએ. આ પર્વ આખા જગતમાં ઉજવાય છે . ઈસુનો જન્મ મેરી અને તેનાં પતિ જોસેફના ઘરે તેમના લગ્ન પહેલા બેથલેહેમમાં એક પ્રાણીઓથી ભરેલા ગમાણમાં થયો હતો .
ઈસુના જન્મને ખ્રિસ્તીઓ એક તારણહાર તરીકે ગણાવે છે .તેમનાં જન્મ વખતે ત્યાં નજીકમાં જ ખેતરોમાં કામ કરી રહેલા ભરવાડોને જાણ થઈ હતી .સૌપ્રથમ એમણે જ આ બાળકને જોયું હતું. જ્યારે કેટલાક સંતો પણ આ બાળકને જોવા આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઈસુના જન્મ સમયે આકાશમાં એક રહસ્યમય તારો જોવા મળ્યો હતો. એટલે આ બાળક ‘બેથલેહેમનો તારો ‘ તરીકે ઓળખવામાં આવશે .આમ ઈસુને યહુદીઓના તારણહાર તરીકે પણ માનવામાં આવે છે.
એ સમયે પેલેસ્ટાઇનમાં વસ્તી ગણતરી થઈ રહી હતી. તેથી જોસેફ તેમાં ભાગ લેવા માટે બેથલેહેમ જવા નીકળ્યો હતો અને રસ્તામાં જ ઈસુનો જન્મ થયો હતો. આઠ દિવસ સુધી ગમાણમા રહ્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંના રિવાજ મુજબ મોટો દીકરો પ્રભુને સોંપવામાં આવતો તેથી ઈસુને પણ સોંપી દેવામાં આવ્યા. પછી અવારનવાર ઈસુ મંદિરમાં બેસીને ધર્મગુરુઓ સાથે ધર્મચર્ચા કરતા હતા.
ત્રીસેક વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી ,અને કઠોર સાધના પણ કરી હતી. એના પરિણામે એમને ઘણીબધી સિદ્ધીઓ પણ પ્રાપ્ત થઈ હતી. પછીતો જ્યારે જ્યારે એમને દુનિયાના લોકોના વિરોધનો કે સંકટોનો સામનો કરવો પડતો ત્યારે એમનું મન મજબૂત બને એટલે કોઇ એકાન્ત જગ્યાએ જઈને કઠોર સાધના કરીને પોતાની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાને સતેજ કરતા હતા.
આમ ઈસુખ્રિસ્તનો જન્મ જગતનાં મુક્તિદાતા તરીકે થયો હતો જેને આજેપણ નાતાલ ના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે,અને તે દિવસે ગરીબોને દાન , મીઠાઈ , કપડાં ,બાળકોને રમકડાં વગેરે જેવી ભેટ આપીને ઉજવાય છે.
સંચાલક : પ્રદીપ રાવલ
[12/21, 8:00 PM] Shapana Shah.Godhara.MeM..NOG: NG / 0054
શબ્દ : નાતાલ
વિભાગ :પદ્ય [મૌલિક]
શીર્ષક :નાતાલ આવે ને
આયો ઈસુખ્રિસ્ત પ્રભુનો જન્મદિવસ,
દુનિયાભરમાં નાતાલથી ઓળખાયો.
પ્રભુઈસુ તો, સર્વેનો કહેવાય રખેવાળ,
પૂરા જગતની લીધી એમને રે સંભાળ.
નાતાલ આવે ને, ઉજવણી સૌ કરે,
સાંતાક્લોઝ દાદા ભેટ સોગાદ,આપતા ફરે.
સપના શાહ *હની*
ગોધરા
[12/21, 10:05 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
શબ્દ: નાતાલ
પ્રકાર: ગદ્ય
શીર્ષક: ઈસા મશીહ
લેખક : ભરત સાંગાણી
નાતાલ ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે. જેવી રીતે સનાતન ધર્મમાં દિવાળી, હોળી, નવરાત્રીનું અનેરું મહત્વ છે તે રીતે.
આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે. અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા પ્રેરિત કરે છે.
નાતાલ ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે 25 ડિસેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે.
ઈશા મશીહ ઊંચનીચના ભેદભાવમાં માનતા ન હતા. તેથી આ પાવન પર્વ કોઈ એકનું નથી બધાં લોકોનું છે.
હવે તો ભારતમાં ક્રિસમસના તહેવારનો આનંદ બધા જ સમુદાયના લોકો ઉઠાવવા લાગ્યા છે જેનાથી સામાજિક સદભાવનાની અભિવૃદ્ધિ થાય છે.
ઈશા મશીહને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે. તેઓએ સંસારના દીન દુખિયાના દુઃખ દૂર કરવા અને ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને લોકો સમક્ષ પ્રગટ કરવા માટે વિભૂતિ રૂપે તેમનું પ્રાગટય થતું હતું.
તેમણે ઉપદેશના માધ્યમથી સંસારમાં વેર, અંધશ્રદ્ધા , અજ્ઞાનતા અને દુઃખો દૂર કરવા માટે પ્રયાસ કર્યો.
તેમની વધી રહેલી ખ્યાતિ અને સમર્થનથી તત્કાલીન યહૂદી શાસકોથી સહન ન થયું, ન ઈશા મશીહને સમજી શક્યા . તેઓ માનતા કે તેઓ લોકોને ભડકાવી રહ્યાં છે. તેના વિરોધી થઈ ગયા.
તેના ફળ સ્વરૂપે તેમના પર ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન તથા લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવી તેમને સુળી પર લટકાવી દેવામાં આવ્યાં.
ઈશુ ખ્રિસ્તએ સાદું જીવન વ્યતીત કરી પણ જે ઉચ્ચ આદર્શો આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે પણ અનુકરણીય છે અને રહેશે.
તેમણે તેમનું સર્વસ્વ પરમેશ્વર માટે સમર્પિત કરી દીધું હતું. જગતમાં વ્યાપી રહેલાં દુઃખ, વિષમતાઓ તથા અજ્ઞાનતાને દૂર કરવા માટે તેઓ સદૈવ પ્રયત્નશીલ રહ્યા.
નાતાલની પ્રવર્તમાન સમયમાં ભારતમાં અને અન્ય દેશોમાં ઉજવણીમાં ભેટ સોગાદોની આપ લે , ખાસ પ્રકારનું ખાણું અને વિવિધ પકવાનો, કેક, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું વૃક્ષ, વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટની રોશની , અવનવા તોરણો બાંધવા, એક જાતના લીલા રંગના વૃક્ષનો શણગાર , દેવળોમા થતી ઉજવણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
સાન્તા ક્લોઝ બાળકો માટે અનેરું આકર્ષણ છે. જે આ દિવસે બાળકો માટે ભેટ સોગાદો લઈને આવે છે.
લોકો મેરી ક્રિસમસ કહીને એકબીજાનું અભિવાદન કરે છે.
નાતાલનું તહેવાર આપણને પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે.
– ભરત સાંગાણી .
[12/22, 11:16 AM] Dipika Chavada (Tapasi)MeM.NOG Bhavnagar: NOG. SS. NO. 0095
વિષય :– નાતાલ
પ્રકાર :– ગદ્ય લેખ
શીર્ષક :– “ સાન્તાક્લોઝ “.
નાતાલ એટલે હવેતો સમગ્ર વિશ્વમાં ઉજવાતો તહેવાર . આ દિવસે એકબીજાને ભેટ – સોગાદોની આપ –લે કરવામાં આવે છે .બાળકો માટે સાન્તાક્લોઝ એક પ્રિય પાત્ર બની રહે છે. શાળાઓમાં પણ સાન્તાક્લોઝ બનીને બાળકોને મનોરંજન કરાવવામાં આવે છે. ચોકલેટ કે મીઠાઈ આપીને મીઠું મોઢું કરાવવામાં આવે છે.
ખરેખર તો ‘સંત નિકોલસ ‘ નામથી ઓળખાતા ફાધર સમય જતાં સાન્તાક્લોઝ તરીકે જાણીતા થયા એવી પણ એક લોકવાયકા છે .આ એક એવું કાલ્પનિક પાત્ર છે કે જે નાતાલના દિવસે લાલ રંગના કપડાં પહેરીને લાંબી સફેદ દાઢીવાળા દાદા બનીને બાળકોને ભેટ સોગાદો આપે છે .
એકવાર એક શાળામાં ભણતો એક બાળક એનાં પિતાને ઘરે આવીને કહે છે કે પપ્પા આવતીકાલે મારી શાળામાં નાતાલની ઉજવણી કરવાની છે .આ બાળકનાં પિતા બહુજ ગરીબ હોય છે . બાળકની માતા મૃત્યુ પામી છે .પિતાને બાળક કહે છે કે કાલે મારે નવા કપડાં પહેરીને અને નવા બૂટ –મોજા પહેરીને જવાનું છે. પપ્પા તમે મને નવા કપડા લાવી આપશોને ? પુત્રની વાત સાંભળીને પિતા વિચારે છે કે શું કરવું ? થોડીવાર પછી બોલ્યા કે જો બેટા , જે બાળકોની પાસે નવા કપડાં ના હોય ને તેમને સાન્તાક્લોઝ રાત્રે આવીને નવા કપડા ની ભેટ આપે છે .હું તારા મોજા ધોઈને બહાર લટકાવી દઈશ .સવારે તું જોજે એમાં સાન્તાક્લોઝ ભેટ મૂકી જશે .
પિતા જાણતા હતા કે કોઈ ભેટ નથી આવવાની પણ બાળકને મનાવવા માટે એમણે કહી દીધું હતું .બાળક સૂઈ ગયો પછી એમણે એના જુના કપડા ધોઈને ઈસ્ત્રી કરીને બહાર લટકાવી દીધા. હવે જ્યારે પિતા પુત્ર વાત કરતાં હતા ત્યારે નીચેથી સંત નિકોલસ પસાર થતા હતા એમણે બધી વાત સાંભળી હતી .એમને ખરેખર લાગ્યું કે આ બાળકને ખરેખર મદદની જરૂર છે એમણે રાત્રે મોડેથી આવીને મોજામાં ઘણી બધી મીઠાઈ ભરીને મૂકી અને બે જોડ નવા કપડા પણ ભેટમાં મૂક્યા. એક ચિટ્ઠી લખી કે આજે સાન્તાક્લોઝ તારી ઉપર ખૂબજ ખુશ થયા છે એટલે તને ભેટ અને મીઠાઈ આપે છે. તું એક બહુજ હોશિયાર અને બહાદુર , ડાહ્યો બાળક છે .
સવારે બાળક વહેલો ઊઠીને બહાર ગયો ને જોયું તો એની માટે ભેટ તૈયાર હતી , મોજામાં મીઠાઈ પણ હતી .તે તો ખૂબજ ખુશ થયો અને એના પિતાને ગળે વળગીને બોલી ઉઠ્યો , “ પપ્પા પપ્પા આજે હું મારી નિશાળમાં નવા કપડા પહેરીને જઈશ ને બધાને કહીશ કે મને સાન્તાક્લોઝે ભેટ આપી .પિતાએ પેલી ચિટ્ઠી વાંચીને એમની આંખોમાં આંસુ આવી ગયા.આજે સાચા અર્થમાં એમના દીકરાએ નાતાલની ખુશી મનાવી હતી .એ મનોમન ભગવાન ઈસુનો આભાર માનવા લાગ્યા.
બસ ખરેખર આ જ સાચી ઉજવણી છે નાતાલની અને એ પુણ્યનું કામ સાન્તાક્લોઝ બનેલા સંતો કરે છે .
દીપિકા ચાવડા “ તાપસી .”