[12/20, 11:12 PM] Pradip: Nog no 076
વિષય :- સાસારિયું -પિયરિયું
શીર્ષક :- વાસંતી
“અરે માસી આ તમારા બાકીના પૈસા તો લેતા જાવ… ” શાકવાળા રઘુ એ રાડ પાડી, વાસંતી બસ પોતાની ધૂનમાં ચાલતી જતી હતી, રઘુ સાદ પાડતો રહ્યો પણ વાસંતી જતી રહી.
ગઈકાલે તેના પુત્રએ જે કીધું એ પછી વાસંતી જાણે એક જીવતી લાશ બની ગઈ હતી, તેનો ભૂતકાળ તેની નજર સામે જાણે તાંડવઃ કરી રહ્યો હતો.
“વાહ ઘરે લક્ષ્મીજી પધાર્યા છે, જાણે સાક્ષાત મારી બા જ જોઈ લ્યો, હું તો મારી દીકરીનું નામ વાસંતી જ રાખીશ, મારી વસંતબા નો જ અંશ.” માયાભાઇ હરખાતા બોલ્યા, અને બધાએ વાત વધાવી લીધી. વાસંતી પર અપાર સ્નેહ માયાભાઈને, પણ બાપ- દીકરીનો આ સ્નેહને જાણે કોકની નજર લાગી ગઈ, ખેતરે રખેવાળું કરવા ગયેલા માયાભાઈને એરૂ આભડી ગ્યો. વાસંતી હજી 5 જ વર્ષની, અને બાપ વગરની થઈ ગઈ, વાસંતીની મા આશાબેન નાની ઉંમરમાં જ વિધવા થયાં, પણ સમાજ / જ્ઞાતિનાં રિવાજ મુજબ કમને પોતાનાથી લગભગ 12/13 વર્ષ નાના દિયર સાથે દિયરવટું કરવું પડ્યું.
બાપની છતરછાયા ગુમાવી ચૂકેલી વાસંતી પર હવે બદનસીબ નું લેબલ લાગી ગયું હતું. તેના બધાં લાડ તેના પિતા સાથે જ જાણે ચાલ્યા ગયાં, યુવાનીના ઉંબરે પહોંચેલી વાસંતીને પરણાવવા ની લાખ કોશિશ છતાં બદનસીબની તકતીનાં કારણે કોઈ હા નોહ્તું પાડતું, અંતે બાજુના ગામનાં વાસંતીથી 10 વર્ષ મોટા એક વણિક મધુકર સાથે એને પરણાવી દીધી.
માયાભાઇનાં અવસાન બાદ આમ પણ વાસંતી ખૂબ ડરી ડરીને રહેતી હતી, સાસરીમાં પણ એની સ્થિતિ સુધરવાના બદલે બગડતી ગઈ, મધુકરની પહેલી પત્ની બાળકને જન્મ આપતાં ગુજરી ગઈ હતી, મધુકરનાં એ પુત્રને સાચવવા માટે જ મધુકરે આ વિવાહ કર્યા હતાં. બાકી એને બીજા લગ્ન કરવા જ નોહતાં, લગ્ન બાદ પણ વાસંતી એક કુમારિકા જ હતી. અને આમ ને આમ વર્ષો વીતવા લાગ્યા. મધુકરનો દીકરો રવિ પણ યુવાન થઈ ગયો, વાસંતીએ એને પોતાના પુત્રની જેમ જ ઉછેર્યો હતો પણ રવિ એને ક્યારેય માન નોહ્તો આપતો,
ગઈકાલે તો હદ જ થઈ ગઈ, વાસંતીનાં પ્રેમ અને ત્યાગનાં બદલામાં રવિએ પોતાના મિત્રોની સામે વાસંતીને અપશબ્દો કીધા અને એનું ખૂબ અપમાન કર્યું, પોતાના પિતાએ વાસંતીને પોતાની મા ની જગ્યા આપીને પોતાની મા સાથે અન્યાય કર્યાની પણ વાત કરી.
વાસંતી…. જેને પિયરમાં કે સાસરીમાં ક્યાંય વસંત ન મળી. બીજાનાં ફૂલને જતન કરીને ઉછેર્યું એણે પણ એને કાંટા વગાડ્યા, આ આઘાત વાસંતી સહી ન શકી અને વસંતની રાહ જોતી વાસંતી અનંતની વાટે ચાલી નીકળી.
પારૂલ ઠક્કર ‘યાદ’
Bhavnagar
[12/21, 7:58 PM] Pradip: NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : નાતાલ
નાતાલ :-
નાતાલ એટલે ? આપણે આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઓળખીએ છીએ. આ પર્વ આખા જગતમાં ઉજવાય છે . ઈસુનો જન્મ મેરી અને તેનાં પતિ જોસેફના ઘરે તેમના લગ્ન પહેલા બેથલેહેમમાં એક પ્રાણીઓથી ભરેલા ગમાણમાં થયો હતો .
ઈસુના જન્મને ખ્રિસ્તીઓ એક તારણહાર તરીકે ગણાવે છે .તેમનાં જન્મ વખતે ત્યાં નજીકમાં જ ખેતરોમાં કામ કરી રહેલા ભરવાડોને જાણ થઈ હતી .સૌપ્રથમ એમણે જ આ બાળકને જોયું હતું. જ્યારે કેટલાક સંતો પણ આ બાળકને જોવા આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઈસુના જન્મ સમયે આકાશમાં એક રહસ્યમય તારો જોવા મળ્યો હતો. એટલે આ બાળક ‘બેથલેહેમનો તારો ‘ તરીકે ઓળખવામાં આવશે .આમ ઈસુને યહુદીઓના તારણહાર તરીકે પણ માનવામાં આવે છે.
એ સમયે પેલેસ્ટાઇનમાં વસ્તી ગણતરી થઈ રહી હતી. તેથી જોસેફ તેમાં ભાગ લેવા માટે બેથલેહેમ જવા નીકળ્યો હતો અને રસ્તામાં જ ઈસુનો જન્મ થયો હતો. આઠ દિવસ સુધી ગમાણમા રહ્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંના રિવાજ મુજબ મોટો દીકરો પ્રભુને સોંપવામાં આવતો તેથી ઈસુને પણ સોંપી દેવામાં આવ્યા. પછી અવારનવાર ઈસુ મંદિરમાં બેસીને ધર્મગુરુઓ સાથે ધર્મચર્ચા કરતા હતા.
ત્રીસેક વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી ,અને કઠોર સાધના પણ કરી હતી. એના પરિણામે એમને ઘણીબધી સિદ્ધીઓ પણ પ્રાપ્ત થઈ હતી. પછીતો જ્યારે જ્યારે એમને દુનિયાના લોકોના વિરોધનો કે સંકટોનો સામનો કરવો પડતો ત્યારે એમનું મન મજબૂત બને એટલે કોઇ એકાન્ત જગ્યાએ જઈને કઠોર સાધના કરીને પોતાની ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાને સતેજ કરતા હતા.
આમ ઈસુખ્રિસ્તનો જન્મ જગતનાં મુક્તિદાતા તરીકે થયો હતો જેને આજેપણ નાતાલ ના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે,અને તે દિવસે ગરીબોને દાન , મીઠાઈ , કપડાં ,બાળકોને રમકડાં વગેરે જેવી ભેટ આપીને ઉજવાય છે.
સંચાલક : પ્રદીપ રાવલ