[12/15, 1:21 AM] Pradip: NOG. SSNO:0032
વિષય: સાસરિયું પિયરિયું
શીર્ષક: *મારું સાસરિયું*
પિયરયું ભૂલાવીને સાસરિયે ચાલી દીકરી,મનખામાં અનેક અભરખા લઈ ચાલી દીકરી.
મા બાપુને ભૂલી સાસુ સસરાને પોતિકા કર્યા, ભાઈ બહેનને ભૂલી નણંદ દિયરને પોતિકા કર્યા.
જનકરાજા જેવા પિતાને સુનયના સમાન
માતાને,છોડી આજ સાસરિયે ચાલી દીકરી.
દશરથ જેવા સસરા અને કૌશલ્યા જેવા સાસુને, મળવા આજ સાસરિયે ચાલી દીકરી.
પિયરનાં બારણે કંકુથાપા કરી ચાલી દીકરી, સાસરીયાના ઉંબરે કંકુ પગલા પાડવા ચાલી દીકરી.
હૈયે હરખ લઈ સાસરિયે ચાલી દીકરી,પિયરનાં સુખદુઃખ ભૂલાવી ચાલી દીકરી.
પિયરનાં આંગન ભૂલાવી સાસરિયે ચાલી દીકરી,
સાસરિયાનાં રમતા આંગનમાં રમવા ચાલી દીકરી.
સાસરિયામાં સૌને પોતાના કરવા ચાલી દીકરી, પિયુને પોતાનો બનાવવા સાસરિયે ચાલી દીકરી.
કરિયાવરમાં પિયરનાં સંસ્કાર લઈ ચાલી દીકરી, સાસરિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી દીકરી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
14/12/2021
[12/15, 1:22 AM] Pradip: NOG SS No : 0002
પ્રકાર : ગદ્ય
શિર્ષક : ” સાસરિયું – પિયરીયું ‘
*એ પિયરિયું*
*પિયર* એટલે “માનો ખોળો.” એક એવું બારણું જે ક્યારેય તમારા માટે ખુલ્લું જ હોય . એક સ્ત્રી ગમે.. એટલી મોટી થશે પણ પિયરિયું એનાથી છૂટતું નથી, પિયર માટે એનાં હ્રદયમાં કૂણી લાગણી અવશ્ય હશે કારણ, જે આંગણામાં બાળપણ વીત્યું એ કોઈપણ સંજોગોમાં ભુલાવું મુશ્કેલ છે . તો ચાલો આજે આ પિયરની યાદને માણીએ.
*એ પિયરિયું*
જ્યાં તમારા માતાપિતાએ ખૂબ લાડ લડાવ્યાં હશે પણ,પછી પારકી થાપણ છે એ યાદ આવતાં છાનાંમાના આંખનાં અશ્રુ લૂછી લીધાં હશે.
*એ પિયરિયું*
જ્યાં તમારી ભૂલ પર તમને સ્વજનોનો ઠપકો પણ મળ્યો હશે પણ, પછી પોતાની લાડકવાયીને બીજાંને સોપતાં જીવ કચવાતો હશે…
*એ પિયરિયું*
જ્યાં દાદાદાદીએ વાર્તાઓથી તમારામાં સંસ્કારનાં બીજ રોપાયાં હશે ને એમની છત્રછાયામાં રહીને તમે યુવાનીમાં પગ મૂક્યો હશે…
*એ પિયરિયું*
જ્યાં તમે ભાઈબહેન સાથે નાની અમથી વાતમાં પણ લડયાં ઝઘડયાં હશો ને પછી ગળે વળગીને પાછાં ભેગાં પણ થઈ ગયાં હશો….
*એ પિયરયું*
જ્યાં ભેરુબંધુઓ સાથે ધીંગામસ્તી કરી હશે ને હજી પણ એ દિવસો ભેગાં મળી કરતાં યાદ હશે….
*એ પિયરિયું*
જ્યાં તમારી ડગુમગુ ચાલ અને કાલીઘેલી ભાષાનાં પડઘા હજુપણ ત્યાંની શેરીમાં ગૂંજતા હશે ને એ જ શેરી તમારા આગમનની કાગડોળે વાટ જોતી હશે….
*એ પિયરિયુ*
જ્યાં તમે કંકુનાં થાપા પાડીને પિયરને પારકું કર્યું હશે પણ હ્રદયથી અળગું ક્યારેય નહીં કરી શકો….
તમારી લકઝરીયસ જિંદગીથી થાકીને કંટાળોને મારા વહાલાં, ત્યારે પિયરની વાટ અવશ્ય પકડજો તમને અવિરત શાંતિ મળી જશે એ તો નિશ્રિત જ છે.
ખરેખર મિત્રો, એક સ્ત્રી ક્યારેય પણ પિયરને ભૂલી તો શું એની વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી પણ શકતી નથી. મિત્રો, એક દીકરી જેટલો ત્યાગ કોણ કરી શકશે? જે પારકાંને પોતાનાં કરવામાં પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગઈ છે કારણ, લગ્ન પછી પિયર પારકું ને સાસરે પારકીજણી ! આ બન્ને પક્ષની લાજ પિયરનું પાનેતર અને સાસરિયાની ચૂંદડીને માથે મોડીયો પહેરીને એક સ્ત્રી જ સાચવી શકે.
જીજ્ઞા કપુરિયા ‘નિયતી’
Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG SS: 0089
પ્રકાર :: પદ્ય
શીર્ષક ::દીકરી વરે
વિષય: “ સાસરિયું – પિયરીયું”
બા અને બાપા વગરના વતનમાં
હું ચાલું છું ત્યારે સાચવીને માંડુ
ત્યાં જ બરફ વરસવા માંડે છે
ધૂળમાં મારાં પગલાં પડતાં નથી.
સાસરિયું આવ્યું છે નજીક આજ
આથમતી સોણી સાંજે રેવાને આજ
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો માંડ્યો હિસાબ
કાઢતાં મળ્યાં ગણી ફેરા સાત.
સંબંધો સજા બધા જ ઉધાર
જમા માત્ર ઉઝરડા એક હજાર
આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાવતા
ને યાદ આવ્યું સાસરિયું રૂપાને આજ
વાયદા બધા માંડી વાળેલા પતિદેવે
સપનાં વિશે વિગત નથી કોઇ ખાસ
આટલું જોયું માંડ ને ખૂટવા આવ્યો ઉજાસ
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા
કહે છે અમે તો કાયમના માગણ ને
વિતેલાં વર્ષો પણ ડોકાવા લાગ્યાં ને
ભીંજાયા ચોપડાના કાગળ છૂટાછેડાના આજ
અંધારું હળવેથી ઓરડામાં ઊતર્યું
ને સાચવી રહીને બારી બધું લૂછ્યું
આખીય રાત પછી આંખો મીંચાય કંઈ
પડખાં બદલતાં મેં પૂછ્યું, આધી અધૂરી
કોણે લખેલી આ કોરી પૂરી કિતાબ છે
કેટલા જન્મોનો હતો આ હિસાબ પિયરીયાનો
— રેખા શુકલ
[12/15, 1:23 AM] Pradip: NOG. SS NO. 0095
વિષય :– સાસરિયુ — પિયરિયુ
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :– ‘ જશોદાનાં પગલાં ‘
શામપર ગામમાં રહેતાં કરસનકાકાનો દીકરો મોહન . મોહન ખેતી કરે .કરસનકાકા પણ એની સાથે જ ખેતરમાં જાય . બપોરે દીવાળીબા મોહનની ‘ બા ‘ જે આમતો આખાય ગામનાં ‘ બા ‘ જ હતાં. એ ભાથું લઈને ખેતરે જાય. સૌ ભેગાં મળીને ત્યાં ખાય ,ખેતરનું કામ કરે પછી સાંજ પડ્યે પાછા આવે .ઘરે આવીને દીકરી સવિતાએ રોટલા ને શાક તૈયાર કરી રાખ્યા હોય એટલે વાળુ પાણી કરીને પછી પાસપડોશનાં બધા ભેગાં મળીને વાતો કરે ને ત્યાંજ ખાટલા ઢાળીને સૂઈ જાય.
સવિતાને ઘરમાંથી બહાર નહીં નીકળવાનું ! કારણકે એ બાળ વિધવા હતી .એને બાળપણમાં જ પરણાવીને સાસરે વળાવી દીધી હતી . હજુતો સવિતાને લગ્ન જીવનની સમજણ પણ નોતી અને સાસરું એટલે શું ? એની પણ સમજણ નહીં ! પિયરમાં જેમ રમતી કૂદતી એમજ તોફાન મસ્તી કરતી સવિતાને એક દિવસ એકાએકજ એમ કહેવામાં આવ્યું કે તું અપશુકનિયાળ છે . તારાં પગલાં શુભ નથી .તું તો છપ્પરપગી છે .તું તારા ધણીને અને સસરાને ભરખી ગઈ છું.
‘ શુભ અશુભ ‘ એટલે શું ? જેને એની પણ સમજણ નોતી એને છપ્પરપગી ની સમજ ક્યાંથી હોય ? બસ એટલી જ ખબર પડી એને કે એનો પતિ અને એના સસરા ક્યાંક બહાર ગયાં હતાં ને રસ્તામાં એક બસવાળાએ એમને બસ ભટકાડીને એ બેઉ જણાં ત્યાં જ મરી ગયાં. આમતો મોતની ખબર પણ એને ત્યારે જ પડી જ્યારે એનો જ પતિ મૃત્યુ પામ્યો .અને બાળપણમાં જ એને વિધવા બનીને ઘરનાં એક ખૂણામાં બેસીને દિવસો વીતાવવાનો સમય આવ્યો !
અશુભ માનીને સવિતાને પિયર મોકલી દીધી. બસ સવિતાને હવે આમ જ જીવવું પડતું. દીવાળીબા એ આજે સાંજે ઘરમાં બધા જમતાં હતા ને ત્યારે કહ્યું ,” બાજુનાં જગતપુરનાં પસાકાકાની દીકરી જશોદા છે ને એનું માંગું આપણાં મોહન માટે આવ્યું છે. કાલે આપણે એને જોવા જવાનું છે. સવિતા હવે મોટી થઈ ગઈ છે એ બધું સમજતી હતી. એને પણ ભાભીને જોવાની હોંશ હતી. પણ બોલી ના શકી કે હું પણ આવું જોવા .
બધા બીજે દિવસે જશોદાને જોવા ગયા. સવિતાને કોઈએ પુછ્યું પણ નહીં. મન મારીને એ ઘરે બેસી રહી. પસાકાકા નું ઘર ઘણું સારું હતું. ગામમાં એમનો વટ હતો. ગામનાં કોઈનાં પણ ઘરે કોઈ પ્રસંગ હોય સારો કે નરસો, પસાકાકાને પુછીને બધું થાય. એમનો ન્યાય પણ તટસ્થ. એટલે જશોદા પણ એટલીજ તટસ્થ અને સમજદાર. જ્યારે પસાકાકાએ દીવાળીબાને પુછ્યું કે દીકરી નથી આવી ? ત્યાંજ કરસનકાકા બોલી ઉઠ્યા , “ એ તો અપશુકનિયાળ છે , છપ્પરપગી છે, એને આવા સારા કામમાં ના લવાય !”
જશોદા તો જાણે અવાક થઈ ગઈ. એણે પસાકાકાને તરતજ કહી દીધું , “ બાપુ હું એવા ઘરમાં પરણીને નહીં જાઉં ,જ્યાં પોતાની જ દીકરીને અપશુકનિયાળ માનવામાં આવે.” એક અકસ્માતમાં એનો પતિ મરી ગયો એમાં સવિતાનો શું વાંક ? બિચારી એણે તો પોતાનો જીવનસાથીને ગુમાવી દીધો છે એનું દુખ એને કોઈએ પુછ્યું છે ?”
પસાકાકાને પણ જશોદાની વાત ગળે ઉતરી ગઈ. એમણે દીવાળીબા અને કરસનકાકા ને સમજાવ્યું કે દીકરી તો લક્ષ્મીનો અવતાર હોય છે , તો પછી લક્ષ્મી કેવીરીતે અપશુકનિયાળ હોઈ શકે ? ઘરની દીકરી કે વહુ એ લક્ષ્મીનો જ અવતાર કહેવાય એટલે એનાં પગલાં કદી અશુભ ના હોય. અમે આવી શુભ અશુભ ની વાતોમાં નથી માનતાં. એટલે જો તમે સવિતાનાં હાથે મારી જશોદાનું સામૈયું કરાવશો ને તો જ હું જશોદાને મોહન સાથે પરણાવીશ.
કરસનકાકા અને દીવાળીબાને સત્ય સમજાઈ ગયું અને એમનાં ઘરમાં આવી સરસ સમજણવાળી વહુ આવશે એનો આનંદ થયો. સવિતાને પણ આજે ખુશી થઈ ગઈ કે એની આવનાર ભાભીએ શુભ અશુભ ની માન્યતાને ઠોકર મારીને પોતાને નવું જીવન અને નવી ખુશી આપી હતી.
જશોદા પરણીને ઘરે આવી ને સવિતાએ જ એનું સામૈયું કર્યું , ઓખણાં, પોંખણાં કર્યા ને ઘરમાં પહેલો પગ મૂકતાં પહેલાં જ સવિતા જશોદાને ભેટીને રડી પડી. આજે વર્ષો પછી સવિતાનાં જીવનમાંથી અશુભ ઘડીનું ચોઘડીયું દૂર થયું ને શુભ ઘડી ને શુભ ચોઘડીયું આવ્યું હતું. ને આજે એ ઘડીને જશોદાએ સવિતાનાં કપાળે કંકુ ચોખા નો ચાંદલો કરીને વધાવી લીધી.
આપણે માનીએ છીએ એવું દરેક દીકરીનું સૌભાગ્ય નથી હોતું .પિયરમાં પણ પારકાં થઈને જ જીવવું પડે છે પણ જશોદા જેવી પુત્રવધુ હોય તો સાસરીને પણ પિયર બનાવીને દીકરીનું મહત્વ સમજાવી શકે છે .
દીપિકા. ચાવડા ‘ તાપસી ‘