ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ વિષયક રચનાઓ(૨૬-૯-૨૦૨૧)દિવસ – ૫
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*****************†*******†****†******†*††***
NOG SS NO – 105
વિષય – ગણેશોત્સવ
પ્રકાર – પદ્ય
શીર્ષક – વિઘ્નહર્તા ગણેશજી
વિઘ્નહર્તા એકદંત ચારભૂજાધારી
આપના વિશેષણો છે અતિભારી
મૂષકરાજ ઉપર બેસી ચાલે સવારી તમારી
આપના નામથી દૂર થતી વિપદાઓ અમારી
હર શુભ કાર્યમાં થાય સ્થાપના તમારી
પૂજા-અર્ચનાથી આપની ઈચ્છાઓ પૂરી થતી અમારી
માતા – પિતાને સહુ તીર્થ માની પ્રદક્ષિણા કરતા તમે
તેઓની હર આજ્ઞા માથે ધરતા તમે
મુંબઈગરાઓ આપનો ગણેશોત્સવ કેવો મનાવે ભારી
સહુ ભક્તજનો આપની મૂર્તિ સજાવે કેવી ન્યારી
આપના વિસર્જનનો પ્રસંગ હોય છે દમદાર
આભ પણ તમારા માનમાં એ દિવસે વરસે અનરાધાર
સહુ પર કૃપા વરસાવજો એક જ છે વિનંતી
આપના આશિષથી પલટાઈ જાય અમારી નિયતિ
અલ્પા શાહ.મલાડ.મુંબઈ
********************************
NOG SS No :- 0038
વિષય :-ગણપતિ,
વિભાગ :-પદ્ય
શીર્ષક :-ગણપતિ દાદા.
——————————————
તારાથી થાય શુભકામનો પ્રારંભ ,
તારી કૃપાથી થાય જીવન સમૃદ્ધ .
દુંદાળા કહી બોલાવે ભક્તો તને,
શિવજીનો ને પાર્વતીજી નો લાડલો ગણેશ..
રિદ્ધિ સિદ્ધિનો સ્વામી તું કહેવાતો,
તારો જગમાં જોટોના જડતો.
કાર્તિકેયનો ભાઈ તું વ્હાલો,
લાલબાગના બાદશાહથી ઓળખાતો.
કોટીકોટી નમન ગણપતિદાદા તમને,
આશીર્વાદ આપજો રહીએ સુખી અમે.
ના કરીયે ક્યારેય ખોટું કોઈનું
“આકાંક્ષા” માગે થાય ભલું સૌનું.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
********************************
*NOG.S.S.No* : *0099*
*વિષય* : ગણેશોત્સવ
*પ્રકાર* : પદ્ય
*શીર્ષક* : કષ્ટો હરવા આવ્યા
*શબ્દો* : ૬૮
ભાદરવા માસે ગણેશ, પૃથ્વી પર ફરવા આવ્યા,
ભક્તોની આજીજી સુણી, કષ્ટો હરવા આવ્યા.
બાળકોએ માટી ખૂંદીને, સુંદર મૂર્તિ બનાવી,
ખોબેખોબે દુર્વા ચડાવી, ફૂલો ને મોતીડે વધાવી.
ઘરેઘરેથી નિત્ય, ભોજનનો રસથાળ આવ્યો,
છપ્પન જાતના ભોગ ને લાડુનો પ્રસાદ ધરાવ્યો.
ઢોલક, મંજીરા ને ખંજરીનો, નાદ સઘળે ગુંજે,
વારાફરતી સૌ ભક્તજનો, ગણપતિબાપાને પૂજે.
અબીલ ને ગુલાલ ઉડાડી, બાપાને વિદાય કર્યા,
ભક્તોની આંખલડીમાંથી ‘ભાવ’ના આંસુ સર્યા.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’ વલસાડ
********************************
NOG.SS.NO.0098
विषय:- गणेश उत्सव, धर्म शास्त्र विधि
विधान में गणेशजी का महत्व।
प्रकार:- गद्य
शीर्षक:- श्री गणेशाय नमः।
माता पार्वती और भगवान शंकरजी के पुत्र हैं गणेश।इनकी जन्मतिथि “चतुर्थी” है। इस दिन से गणेशोत्सव मनाया जाता है।
देवाधिदेव महादेव की भूल व क्रोध के कारण गणपति का शिरच्छेद किया गया था। फिर उनके धड़ पर हाथी का मस्तक लगाया गया था। गणपति के इस स्वरूप से माता पार्वती अत्यंत दुखी हुईं।तब महादेव जी ने उन्हें आश्वासन दिया कि हे देवी संसार में कोई भी मांगलिक कार्य में गणपति को सर्वप्रथम पूजा जाएगा।जो भी इन्हें पूजेगा , उनके सभी विघ्न दूर होंगे। महादेव जी के इस आश्वासन से पार्वती जी को सांत्वना मिली, और तभी से मांगलिक कार्यों के प्रारंभ में श्री गणेश को पूजा जाता है। गणेश जी बुद्धिशाली व विघ्नहर्ता हैं। मोदक उन्हें अतिप्रिय है।
कुछ भी लिखने से पहले “श्री गणेशाय नमः।” क्यों लिखते हैं?
अक्षरों को गण कहते हैं।गण शब्द व्याकरण में भी है। अक्षरों के ईश यानि देवता होने के कारण गजानन को गणेश कहते हैं।छंद शास्त्र में मगण,नगण,भगण,यगण,जगण,रगण ,सगण,तगण, ये आठ प्रकार के गण होते हैं।इन सभी गणों के अधिष्ठाता श्री गणेश हैं। इसलिए लेखन, कविता, विद्या के प्रारंभ में गणेशजी की पूजा सबसे पहले की जाती है। बही-खाता से लेकर आमंत्रण पत्र पत्रिकाओं में सबसे पहले “श्री गणेशाय नमः।” लिखा जाता है।
गणेश चतुर्थी का पर्व पूरे विश्व में मनाया जाता है। इस पर्व के आने की और जाने की दोनों तिथियां निश्चित है।
ये पर्व ११दिनों का पर्व है। भक्तगण अपनी श्रद्धानुसार गणेश जी की प्रतिमा की पूजा अर्चना अपने घरों में, गलियों में पंडाल लगाकर करते हैं। ये सामूहिक पर्व है। अनंत चतुर्दशी के दिन (११वे दिन) प्रतिमा की पूजा अर्चना करके ढोल नगाड़े, भजन कीर्तन कर जयकारे लगाते हुए” गणपति बप्पा मोरया अगले बरस तू जल्दी आ” के साथ प्रतिमा का विसर्जन कर पर्व का समापन करते हैं।
( विसर्जन क्यों किया जाता है? मित्रों मेरे व्यक्तिगत विचार है।जीवन एक चक्र है।जिस प्रकार हम सर्जन को स्वीकारते हैं,उसी प्रकार विसर्जन को भी स्वीकारना चाहिए। आगमन जितना आनंदमय और खुशहाल होता है, उससे भी भव्य विदाई होनी चाहिए।)
✍️
लीना शर्मा
हालोल।
********************************
NOG SS No. – 0063
વિષય – ધર્મશાસ્ત્ર, વિધિવિધાનમાં ગણેશજીનું મહત્વ
પ્રકાર – ગદ્ય
શીર્ષક – છ ભુજાધારી : સમજ અને સંકેત
ગણપતિદાદા,ગણેશજી, વિઘ્નહર્તાના જન્મ, પિતા દ્વારા શીરચ્છેદ, ગજમુખનું એજ પિતા દ્વારા આરોપણ અને સર્વપ્રથમ સ્થાપનાનું, પૂજાનું વરદાન વગેરે વિશે બાળપણથી અનેક કથાઓ આપણે સાંભળી છે.એ કથાઓ આપણાં જીવનમાં વણાઈ ગયેલી છે. એટલેજ ગણેશજીના નામ માત્રના ઉચ્ચારણ સાથે જ આ વિવિધ કથાઓ આપણાં સ્મૃતિપટ ઉપર આવી જાય છે. એજ રીતે એમની વિશિષ્ટ શરીરરચનાએ પણ આપણામાં હંમેશાં કુતૂહલ ઉત્પન્ન કર્યું છે.
આ જન્મથી લઈ દેખાવ સુધીની દરેક કથાઓ પાછળના મર્મને પામવાની કોશિશ લગભગ આપણે ક્યારેય કરી નથી કે કરતાં નથી! જેમ બાળકને કોઈ સંદેશ કે વાત કથા રુપે કે ઉદાહરણ આપી સમજાવવાથી ઝડપથી સમજાય, ગળે ઉતરી જાય અને લાંબા સમય સુધી યાદ રહે છે. એજ રીતે આપણાં શાસ્ત્રોએ ગણેશજીની ઉત્પત્તિ, ક્રિયા, પ્રક્રિયા વગેરેને કથા સ્વરૂપે મૂકી એનાં મર્મને સરળ, સર્વવ્યાપી અને સર્વદા બનાવવાની, રાખવાની કોશિશ કરી છે.
આ પ્રથમ પૂજનીય વિઘ્નહર્તાનુ બારીકાઈથી નિરીક્ષણ કરતાં એમનાં હાથમાં રહેલાં અનેક આયુધો કે વસ્તુઓ આપણું ધ્યાન અવશ્ય ખેંચે છે.
શું મહત્વ છે?
શું તાત્પર્ય છે?
શું ગૂઢતા છે? આની પાછળ…
સર્વપ્રથમ એમનાં એક હાથમાં કુહાડી છે. કુહાડી ખરેખર શેનું પ્રતીક છે? કાપવાનું, નાશનું, વિચ્છેદનું..તોએ શેનો નાશ કરવાનું સૂચવે છે? મનુષ્યની અંદર રહેલી બદીઓ, વૈમનસ્ય, વિકાર, નકારાત્મક ઊર્જા વગેરે સર્વવિનાશની સુચિતા છે આ કુહાડી. ત્યારબાદ દોરી. સામાન્ય રીતે દોરીનુ કામ બાંધવાનું છે. અહીં પણ મનુષ્યમાં રહેલી મર્યાદા, અનુશાસન, હકારાત્મક અભિગમ, સમતા, સમતુલાને અંતરમનમાં સંગ્રહિત કરી જીવનને પલ્લવીત કરવાની વિચારધારા છે. તૃતીય ત્રિશૂળ. આ ત્રિશૂળ એટલે ત્રણ કાળ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ગતિ અને ફલશ્રુતિ.અહીં ભૂતકાળમાં થયેલા કાર્યો અને ભૂલોને ધ્યાનમાં લેવાની અને એનાં અનુસંધાને વર્તમાનમાં વર્તનની સમજુતી દ્વારા ભવિષ્યના ઘડતરની શીખ છે. મતલબ, જે આપશો એજ પામશો. ગણેશજી અને મોદક તો એકબીજાનાં પર્યાય છે. આ એક હાથમાં રહેલ મોદક જિંદગીના સફરમાં કણકણ ભેગા કરવાં માટે અથાગ મહેનત કરીને સફળતાની મીઠાશ પામવાનું, માણવાનું દ્રશ્યમાન થાય છે. આ મોદક એમણે એકલાએ ખાઈ જવાનું નથી સુચવ્યું પરંતુ ખુલ્લાં હાથમાં ધરી, સહુને સમર્પિત કરવાનો સંદેશ ફલિત થાય છે. આ સફળતા મહીમામંડન કે અહંકારને નહીં પણ મીઠાશની વહેંચણીનો સંદેશો પાઠવે છે. વળી એક હાથમાં કમળપૂષ્પ ધારણ કરેલું છે. કમળની ઉત્પત્તિ અને વિકાસ કીચડમાં હોવા છતાં એ બધાથી પર છે. એટલેકે સુંદરતા, સુગંધ સર્વેની પ્રાપ્તિ છતાંય અહંકારના કીચડથી ઉપર રહી નિર્લેપ, નિરાળા રહેવાનો બોધ આપે છે. સાથેસાથે જીવનસંઘર્ષથી પણ ભાગવાનું નથી.જળકમળવત્ વર્તન સર્વશ્રેષ્ઠ છે. અંતિમ એટલે કે છઠ્ઠો હાથ હંમેશાં આશીર્વાદ મુદ્રામાં છે. જે પણ, જેટલું પણ મેળવ્યું એ અહીંથીજ મેળવ્યું તો એને અહીં જ આશીર્વાદરૂપે, વરદાનરૂપે પરત કરવાનું સુચન છે.આ સંજ્ઞા, આ ક્રિયા જે જેવું છેનો સ્વીકાર કેળવી શકીએ તો જ શક્ય છે. અર્થાત સ્વીકાર અને આશીર્વાદ એ અંતિમ સત્ય છે.
અતઃ ગણનાયકની આ છ ભુજાઓની સંજ્ઞાઓ મનુષ્યજીવનની પથદર્શક છે.
✍️ – રીટા ભાયાણી.
********************************
NOG SS NO- 0050
વિષય – ધર્મ શાસ્ત્ર, વિધિ વિધાનમાં, ગણેશજીનું મહત્વ.
પ્રકાર – પદ્ય
શીર્ષક – વલસાડ નું ભવ્ય મંદિર.
………………………………..
દક્ષિણ ગુજરાતના વરસાડ જિલ્લામાં ગણપતિ નું ભવ્ય મંદિર છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. મૂર્તિ ચમત્કારી છે. સિદ્ધિ પ્રદાન કરનારી છે. મોટા બજાર ની વચ્ચે જ આવેલું આ મંદિર જીર્ણોદ્વાર કાર્ય તેમના ભક્તો દ્વારા કરાયેલું છે. મુર્તિ પ્રભાવશાળી છે અને મોટી પણ છે. લગભગ ૨૦૦થી ૩૦૦ વર્ષ પુરાણું મંદિર છે. કેટલીક દંતકથાઓ પણ છે લોકોમાં પ્રચલીત છે.
લોકવાયકા..!
વ્યાપારીનું વહાન ડૂબ્યું ને પૂજારીએ કહ્યું..,
“તે મળશે જ “..!
એક વખત વલસાડના એક વેપારીનું વહાણ સમુદ્રમાં ડૂબી ગયું. વહાણમાં મૂલ્યવાન સામાન ભરેલો હતો. હજારોની માલમત્તા તેમાં હતી.આ અકસ્માતથી વ્યાપારી નું હૃદય કકળી ઉઠ્યું. ભારે નુકસાન સેવા દિલ તૈયાર ન હતું. ગણેશના દર્શન માટે ત્યાં મંદિરે આવ્યો .આક્રન્દ ભરી પ્રાર્થના કરી, આજીજી કરી, પુજારી ના ચરણોમાં પડીને તે નમી પડ્યો અને બોલ્યો ” દેવ મારું સર્વસ્વ ફના થઈ ગયું.” હું રસ્તાનો ભિખારી થઈ ગયો ને કૃપા કરો મારું વહાણ સાગર માંથી નીકળે તેવું કરો ને પૂજારીને વેપારીના સાન્તાવન આપ્યું. તેને કહ્યું હિંમત હારી નહી ગણપતિ સર્વમંગલ કરશે તેમનામાં શ્રદ્ધા રાખજે.
પ્રભુ શ્રદ્ધા અને ભક્તિ તો રાખ્યા જ છે. પણ દારૂણ આફત હવે સેવાની મારી શક્તિ નથી. મારી આસ્થા પણ ડગમગી ગઈ છે. ઈશ્વર પ્રતિની શ્રદ્ધા ભક્તિનું આ ફળ વ્યાપારી એ કહ્યું.
શ્રદ્ધા ફળ રૂડું જ હોય છે . ક્યારેક કસોટી પણ થાયએમાં.
સાંગોપાંગ પાર ઉતરે છે તે શ્રદ્ધાળુ કહી શકાય. તું તારી આસ્થા શ્રધ્ધા રાખજે. વ્યાપારી ગણપતિના ચરણ માં નમી ગયો. પુજારી દ્રવી ગયાં. વ્યાપારીનું આ દુઃખ સહન ન થયું. તેને કહ્યું ભાઈ મારા વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા છે ને છે જ..!
વ્યાપારી બોલ્યા તો સાંભળી કાલે તને તારા વહાણ અંગેના શુભ સમાચાર મળશે. તારું વહાણ માલ સાથે તું પામી શકીશ. ગણપતિદાદા દયાળુ છે. તેમનામાં વિશ્વાસ રાખજે . પુજારીએ કહ્યું .વ્યાપારી પૂજારીના પગમાં પડી ગયો. અને ગણેશ વંદના કરવાં લાગ્યો. ઘરે ગયો ગણપતિ મૂર્તિ પાછળનો ચીરો અને લોહી.
બીજે દિવસે સવારે નિત્ય નિયમ મુજબ પૂજા માટે મંદિરમાં આવ્યાં. ગણપતિને સ્થાન કરાવવા માંડ્યું. સ્નાન કરાવતા તેમનો પાછળ હાથ ગયો અને ભીનાશ લાગી .
પૂજારી ચોંકી ગયાં હાથમાં લોહીના ડાઘા હતાં ને પછી પૂજારી એ પાછળ નજર કરી તો ગણપતિની પીઠમાં તેને ઊભો ચીરો જણાયો.
એ ચિરામાંથી લોહી જરી રહ્યું હતું .પૂજારી મહારાજે સ્વગત કરહ્યુ દેવા શું આપણી પીઠ પાછળ ઘા કેમ..?
ગણપતિ બહાર નીકળવું એવુ લાગ્યું.પૂજારીને ગણપતિ સાથે આત્મસાક્ષાત્કાર થયો. ગણપતિ એ કહ્યું તું મારો ભક્ત છે. તારી વાણી પ
સફળ ન જવા દઉં એટલે જ વ્યાપારી નું વહાણ સાગરમાંથી મારા ખભે ઊંચકીને બહાર કાઢયું. એમાં મને આ ઘા થયો છે .પૂજારીની આંખમાંથી આંસુ આવી ગયાઊ. મારે લીધે પ્રભુને કષ્ટ સહેવું પડ્યું. મારી વાણીને મારા શબ્દોને યાદ કરવાં ગણપતિએ પોતે ઉપાડ્યું.
પૂજારીજી દ્રવી ગયાં. તેમણે પ્રતિજ્ઞા કરી કે હે પ્રભુ હવેથી કોઈને પણ તમારા નામથી વચન આપીશ નહીં .આજે પણ આ મંદિરના ગણપતિ ની પીઠ પાછળ મોટો ચીરો દેખાય છે. મંદીરનાં પુજારીએ સ્નાન કરાવતી વખતે આ ચીરો જોવે છે પણ ખરા શિલ્પીની ભવિષ્યવાણી પ્રભાકરભાઈએ
સોમનાથ નું પ્રસિદ્ધ રચી મંદિરની ખૂબ નામનાં પ્રાપ્ત કરી હતી.આ મશહુર અને જ્ઞાની શિલપી સાથે આ મંદિર સ્થાપત્ય થયું હતું મંદિર જ્યારે થયું ત્યારે પ્રભાશંકરભાઈ એ કુંડળી રચી અને જોઇને ભવિષ્ય ભાખેલું કે મંદિરની મૂર્તિની જે કોઈ સેવા પૂજા કરશે તે દરિદ્ર ક્યારેય નહીં રહે. શિલ્પીની ભવિષ્યવાણી આજે પણ સાચી પડતી જણાય છે. માત્ર શ્રદ્ધા જ મહત્વની છે.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી