ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શિક્ષક દિન રચનાઓ(૧૯-૯-૨૦૨૧)દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG SS NO 0037
વિષય- શિક્ષક દિન નિમિત્તે રચના.
વિભાગ – પદ્ય.
શીર્ષક – શિક્ષકને સમર્પિત.
સમાજનો સૌથી શાણો શિક્ષકએ,
શિરે, એમનાં રાષ્ટ્ર તણી જવાબદારી.
ઓળખાય માસ્તરના નામે એતો,
નામ તેવા ગુણ, કર્મ માના- સ્તરસુધી.
ધડવા કાચી માટીનાં ઘડાં,
બનાવવા નર માંથી નારાયણ.
ભજવવાં પાત્રો અવનવાં સમય સંગ,
માર્ગ કઠણ, કોમળ મન રાખે સદા.
તપસ્વીનું તપ,હિમાલયની દ્રઢતાં,
નદી જેવો નિર્મળ, હૈયે હેત ‘હેમના.’
સત્યનાં પ્રકાશથી, સ્નેહનનાં દિવેલથી,
પ્રગટાવવાં નાનાં બાળકોમાં જ્ઞાનદીપ.
સતત કરવાં પડતાં મનોમંથન સદા,
જ્ઞાનની સરિતા વહેતી રાખે સૌ માટે,
સર્વસ્વ અર્પી, મલકાય મૌન રહી.
શિષ્ય સ્થાન મેળવે ઊંચું એજ અપેક્ષા.
એક દિવસ નહીં,હર ક્ષણ અર્પણ કરું,
જીવન મારું જ્ઞાનથી દીપાવ્યું. હેમલતા દિવેચા. (હેમ )
******************************
NOG SS No : 0078
પ્રકાર – પદ્ય – ગઝલ
શીર્ષક – ખરો શિક્ષક
ઉબડખાબડ જીવન રસ્તો બન્યો મારો ખરો શિક્ષક;
અનુભવ રાહનો કડવો જ ઘડનારો ખરો શિક્ષક.
પ્રથમ ક્ષણથી શરૂ થઈ અંત તક રોજે મળે સૌને;
જીવનનો કોઈ નરસો પાઠ પણ સારો, ખરો શિક્ષક.
શીખવશે માત પા પા પગલી, કરશે લાડ પણ જ્યારે;
પડ્યો લાફો એ હાથે જે ‘દિ એ પ્યારો ખરો શિક્ષક.
પડી ઊભા થતાં એ શીખવાડે, રાહ દોરે પણ;
વખત આવે પિતા લડશે બની તારો ખરો શિક્ષક.
નિભાવે દોસ્ત યારી, આવશે તકલીફમાં કિન્તુ;
જો “શ્વેતા” કોઈ ઘા દેશે એ પરબારો, ખરો શિક્ષક.
‘કોઈ’ – શ્લેષ
– શ્વેતા તલાટી
********************************
NOG.SS No.0073
સાહિત્ય સરિતા
વિષય.શિક્ષકદિન
શીર્ષક..ગુરુજી.
શિક્ષક એટલે એવા ગુરુ જે તમને શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવા બધાજ જ્ઞાનની સમજ આપે પરંતુ આજના ટેકનોલોજીના જમાનામાં જે શિક્ષક વધારે ફી લઇ ભણાવે અથવા જે શાળામાં વધારે ફી લેવાય તેજ શિક્ષકને ઉત્તમ ગણવામાં આવે છે,આવી ભ્રમિત માહિતીથી આપણે સાચા ગુરુના સારા શિક્ષણ સુધી પોહચી શકતા નથી એ આપણી કમ નસીબીછે,આજના શિક્ષકદિને દરેક એવા ગુરુને પ્રણામ..જેમણે સાચા અર્થમાં શિક્ષક તરીકે પોતાનું જીવન વિદ્યાર્થીઓ માટે અર્પણ કર્યું છે.
નયના પટેલ.
**************************†****
NOG SS No.0007
વિષય :શિક્ષક દિન
મને શિક્ષકદિનની ઊજવણી સાંભળીને આશ્ચર્ય થાય કે જેમનાં થકી આપણે ગોવિંદને ઓળખ્યા, જેમનાં થકી આપણે જીવનનાં મૂલ્યો જાણી શક્યા,જેમનાં થકી આપણને જીવનનાં દરેક સમીકરણો ઊકેલતાં આવડ્યા; એ શિક્ષકો માટે માત્ર એક જ દિવસની ઊજવણી પૂરતી છે? અરે! એમનો ઉત્સવ તો ૩૬૫ દિવસ ઊજવાવો જોઈએ.કારણ એમનાં દ્વારા અપાયેલાં જ્ઞાનને લીધે આજે આપણું અસ્તિત્વ છે.એક શિક્ષક પાસે જ એવી કળા છે જે માટીને કંચનમાં બદલી શકે.કથીરને સોનામાં ફેરવી શકે.આપણાં જીવન માટે આપણે આપણાં માતાપિતાના ઋણી હોઈએ છીએ.પરંતુ એક સારાં વ્યક્તિત્વ માટે આપણે આપણાં શિક્ષકના ઋણી છીએ.કહેવાય છે ને કે સમય અને શિક્ષક બંને શીખવાડે છે.પરંતુ બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે શિક્ષક શીખવાડીને પછી પરીક્ષા લે છે.જ્યારે સમય પરીક્ષા લઈને પછી શીખવાડે છે.
પુસ્તકમાંની બારાખડી તો કોઈ પણ શીખવાડી શકે.પરંતુ એ બારાખડીના અક્ષરોને જોડી શબ્દો અને વાક્યો બનાવતાં તો શિક્ષકો જ શીખવી શકે.એ શબ્દોનો વાક્યોનો અર્થ એક શિક્ષક જ સમજાવી શકે.શિક્ષકો ઉત્તમ ફેસરીડર હોય છે.ક્લાસમાં ૭૦-૭૫ વિદ્યાર્થીઓ હોય , એમાંથી કયા વિદ્યાર્થીમાં કયો ગુણ છે અને કયો અવગુણ છે એ તરતજ પારખી જાય છે.જેમ હીરાઓને બજારમાં મૂકતાં પહેલાં એની તારવણી એટલે કે એસોર્ટેડ કરવામાં આવે તેમ શિક્ષકોની દ્રષ્ટિ પળભરમાં વિદ્યાર્થીઓની તારવણી કરી લેતી હોય છે અને એ પ્રમાણે જે તે વિદ્યાર્થીઓને એની કાબેલિયત અનુસાર તરાશતા હોય છે.એ સિવાય પણ પૃથ્વીથી સૂરજ વચ્ચેનું અંતર કેટલું છે એ તો શિક્ષક શીખવાડે,પરંતુ સાથે સાથે બેન્ચીસ પર બાજુમાં બેઠેલા નબળા વિદ્યાર્થીથી અંતર ન રાખવું એ પણ આ શિક્ષક શીખવાડે.ઈતિહાસના પાત્રોની ઓળખ પુસ્તકમાંના સિલેબસ પ્રમાણે કરાવે પરંતુ ઈતિહાસ કેમ રચવો એનું જ્ઞાન પણ આપે.દુનિયાની ભૂગોળ તો શિક્ષક શીખવાડે જ, પરંતુ આપણા શરીરની ભૂગોળ કેવી રીતે માપસર રાખવી એ પણ એક યોગ શિક્ષક જ શીખવે.આપણું હ્રદય શરીરનું લોહી કેવી રીતે શુધ્ધ કરે છે એતો શિક્ષક શીખવાડે, પરંતુ એજ હ્રદયથી આપણો આત્મા, આપણું જીવન કેવી રીતે શુધ્ધ રાખવું એ પણ એક શિક્ષક જ શીખવાડે.ગણિતના સમીકરણો ઊકેલતાં શીખવતાં શીખવતાં જીવનનાં સમીકરણો કેવી રીતે ઊકેલવા એનું જ્ઞાન પણ આપણને શિક્ષકો પાસેથી જ મળે છે.વિદ્યા વિનયથી શોભે છે.આ કહેવતમાંથી વિનયની સમજ પણ આપણને આ શિક્ષકો જ આપે છે.આ રીત આપણું આખું જીવન આ શિક્ષકો સાથે જોડાયેલું છે માટે જ શિક્ષક દિન માત્ર એક દિવસ નહીં પરંતુ રોજ જ ઊજવાવો જોઈએ.©️
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ : કાંદિવલી.
********************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શીર્ષક : શિક્ષક દિન
શિક્ષક દિન નિમિત્તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર.
– શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોજને બળજબરીપૂર્વક ઠૂંસીને ભરે. પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીને આવનારા પડકારો માટે તૈયાર કરે
– પુસ્તક એ સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલનુ નિર્માણ કરી શકીએ છીએ.
– પુસ્તક વાંચવાથી આપણને એકાંતમાં વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે.
– દુનિયાના બધા સંગઠન બિનપ્રભાવી થઈ જશે જ્યા સુધી આ સત્ય સૌને પ્રેરિત નહી કરે કે જ્ઞાન અજ્ઞાનથી શક્તિશાળી હોય છે
– શિક્ષણનુ પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવો જોઈએ. જે ઐતિહસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપદાઓ વિરુદ્ધ લડી શકે.
– જ્ઞાન આપણને શક્તિ આપે છે અને પ્રેમ આપણને પરિપૂર્ણતા આપે છે
– કોઈપણ આઝાદી ત્યા સુધી સાચી નથી હોતી, જ્યા સુધી તેને વિચારની આઝાદી પ્રાપ્ત ન થાય. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનીતિક સિદ્ધાંતને સત્યની શોધમાં અવરોધ ન આપવો જોઈએ.
– શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદ્દપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક જ સંસ્થા માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ.
– જો આપણે દુનિયાના ઈતિહાસને જોઈશુ તો સભ્યતાનુ નિર્માણ એ મહાન ઋષિયો અને વૈજ્ઞાનિકોના હાથે થયુ છે, જે પોતે વિચાર કરવાનુ સામર્થ્ય રાખે ચ હે. જે દેશ અને કાળની ઊંડાઈઓમાં પ્રવેશ કરે છે. તેમના રહસ્યોની શોધ કરે છે અને આ રીતે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વિશ્વ શ્રેય કે લોક-કલ્યાણ માટે કરે છે.
– ભગવાનની પૂજા નથી થતી પણ એ લોકોની પૂજા થાય છે જે તેમના નામ પર બોલવાનો દાવો કરે છે.
સંચાલક : પ્રદીપ રાવલ