ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાદ્ધ પક્ષ.માતૃ,પિતૃ શ્રાદ્ધ મહત્વ” વિષયક રચનાઓ(૧૫-૯-૨૦૨૧)દિવસ – ૪
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS No – 0063
વિષય – શ્રાદ્ધ
વિભાગ – ગદ્ય
પ્રકાર – લેખ
શીર્ષક – શાસ્ત્ર અને શ્રાદ્ધ (એક અદ્ભુત સમજ)
ન્યાય શાસ્ત્રમાં એક સુત્ર છે, ‘બીજ વૃક્ષ ન્યાય.’
જેવું બીજ હશે એમાંથી એનું એવું વૃક્ષ વૃદ્ધિ પામશે અને ફરી એમાં ફળ આવશે. આ ફળ બીજ તો ધરાવતાં જ હશે. મતલબ બીજમાંથી વૃક્ષ અને એમાંથી ફરી બીજ. આ સાથે એક બહું સુક્ષ્મ પરંતુ મહત્વની વાત તાદ્રશ્ય થાય છે કે આપણી અંદર ક્યાંક ને ક્યાંક આપણાં વડવાઓના અંશ હાજર છે. જો આ હાજરીની મહત્તાને સ્વીકારીએ તો આપોઆપ એક શ્રદ્ધાનો જન્મ થાય છે.
શ્રાદ્ધ એટલે શું?
શ્રાદ્ધનો ખરો અર્થ થાય છે, શ્રદ્ધા.
કોની ઉપરની શ્રદ્ધા?
જવાબ છે. આપણાં ઉપરની,આપણી અંદર રહેલાં માતા પિતા, દાદા દાદી, નાના નાની.. સમજોને કે દરેક વડીલ, જેનાં અંશ આપણી અંદર હાજર છે. આ અંશની ખુશી માટે, એમની તૃપ્તિ માટે, સંતોષ માટે જે કરીએ એ તર્પણ.
અર્થાત્, આપણાં શરીરમાં રહેલાં અનેક સુક્ષ્મ જીવોની તૃપ્તિ માટે થયેલું કાર્ય એટલે તર્પણ.
આ શ્રાદ્ધ કાર્ય માત્ર માતા પિતા કે દાદા દાદી સુધી સિમિત નથી. ખરેખર, એની શરૂઆત તો આપણી અંદર રહેલાં આત્માની પ્રસન્નતા છે. મતલબ, આપણી પોતાની ખુશી. આપણાં પોતાનાં આત્માને આપેલ ન્યાય.
મનુષ્યના દેહાંત બાદ એનો આત્મા કે જે અમર છે, એ વિવિધ તબક્કે એની સાથે, એની આજુબાજુ જ રહે છે.
આ તબ્બકાઓ ‘સમાના, પ્રાણા, ઉધાના, અપાના અને વ્યાના.’
આ, અહીં આપેલો ક્રમ મનુષ્ય શરીરમાંથી તબ્બકાવાર,એકપછી એક, સ્પષ્ટ દેખાતી, અનુભવી શકાતી કે અણદેખી શક્તિઓની વિદાયનો ક્રમાંક છે. આ વિદાય, આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો જ્યારે દાક્તર મનુષ્યને મૃતક જાહેર કરે તેની વીસથી પચ્ચીસ મિનિટથી શરુ થાય છે અને અગિયારથી ચૌદ દિવસનો સમય લ્યે છે. અર્થાત્ હિન્દુ ધર્મમાં આ દિવસો સુધીની જે ધાર્મિક વિધિઓ સુચવવામાં આવી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. કેમકે ત્યાં સુધી આત્મા એનાં શારીરિક અસ્તિત્વની આજુબાજુ હાજર હોય છે.
આમ, શ્રાદ્ધ, તર્પણ એ શાશ્વત કે નશ્વર, શારીરિક કે આત્મિક ખુશી,પ્રસન્નતા, સંતોષ માટેનું કાર્ય સુચવતું જણાય છે.
અસ્તુ.
(આ વિષય એટલો ગહન છે કે બીજા પાંચેક લેખ લખવા છતાં સુક્ષ્મ જાણકારી જ મેળવેલી જણાય.)
✍️ – રીટા ભાયાણી.
*******************************
*NOG SS NO:004*
*વિષય*: *શ્રાધ્ધ ને માતૃ પિતૃ પ્રેમ*
*શબ્દો: ૩૫૦*
* પ્રકાર: લધુવાર્તા*
*શીર્ષક:શ્રાધ્ધનું તર્પણ*
ઘનસુખભાઈએ જીવતે જીવંત દીકરીનું શ્રાધ્ધ કરી દીધું હતું. આમ તો શાંત પ્રકૃતિનાં હતાં. પત્ની બીજીવારનાં હતાં, નામ હતું ડાહીબેન. જેવા નામ તેવાં જ ગુણ હતાં. તેમણે પતિને ખૂબ સમજાવ્યા પણ તેમણે ક્રોધમાં ને ક્રોધમાં આ કામ કરી નાંખ્યું . તેનો પસ્તાવો પણ ન કર્યો.આમ ને આમ એ વાતને સોળ વર્ષ થઈ ગયાં.
તેમને પણ દીકરી કરતાં બે વર્ષ મોટો દીકરો હતો. શહેરમાં કમાવા ગયો હતો , ધનસુખભાઈને પોતાના દીકરા પર ખૂબ ગર્વ હતો. તેની વહુ થોડી અળવિતરી હતી.ક્યારેક તેઓ શહેર જતાં તો તેમના પત્ની તો બીજે જ દિવસથી પાછા જવાની વાત કરતા. આ વખતે તેઓ ગયા તો દીકરાએ ચાર પાંચ દિવસ પછી પાંચ છ કાગળિયા આપ્યા. તેમાં પાવર ઓફ એર્ટની, ઘરના કાગળ તેમજ ખેતી વાડી સર્વે તેના નામ પર કરી આપવાનું સૂચન હતું. તેઓ તો બે મિનિટ દીકરાને જોતા રહ્યાં ને પૂછ્યું,” હું સહી ના કરું તો તું શું કરશે?” તે પગ પછાડી બહાર નીકળી ગયો. વહુનું વર્તન બદલાય ગયું.
બન્ને જણાં તે દિવસે બપોરે ગામ જવા પાછા નીકળી ગયાં પાછા ન આવવાની સોંગદ લઈને. આ આઘાત ધનસુખભાઈ ન સહન કરી શક્યા અને તેમને લકવા મારી ગયો. ડાહીબેને છાનામાના દીકરીને સમાચાર મોકલ્યા. દીકરીએ પોતાના પતિને વાત કરી.
તે બન્નેએ પોતાના મિત્ર ડોક્ટરને અને પુત્ર શીવને તેમને ત્યાં મોકલ્યા. ઓળખાણ ન આપતા તેમણે કહ્યું આજે ગામમાં આવ્યા હતા તો ધનસુખભાઈના મિત્ર સૂર્યકાંન્તે
તમને જોવા મોકલ્યા. બધું તપાસ્યા બાદ ડોક્ટરે દવા અને માલિશ માટે તેલ આપ્યું. તેમના મદદનીશ ને તેમની પાસે પાંચ છ દિવસ રોકાય ને આવવાનું કહ્યું.
શીવે ચાકરી કરી નાનાને હરતા ફરતા કરી દીધા. જવાનો હતો તે દિવસે દીકરીનું શ્રાધ્ધ હતું. શીવે કહ્યું કે
નાનાજી જે દીકરીને તમે જીવતે જીવ મરેલી માનો છો ને, તેનું જ હું પિંડ છું. ડોક્ટર પપ્પાના મિત્ર હતાં. મમ્મીએ જ
એટલે કે તમારી દીકરીએ જ મને મોકલ્યો છે.
આ સાંભળી નાનાજીની આંખમાંથી પશ્ચાતાપનાં આંસુ વહેવા લાગ્યાં. શ્રાધ્ધ હવે ક્યારેય નહિ કરું પણ દીકરી જમાઈની જેમ સદ્કાર્યો જ કરીશ નાનાએ શીવને ગળે લગાવ્યો ને દીકરી દીકરાનાં ભેદને સમજી શક્યા.
મિત્રો શ્રાધ્ધ કરવા કરતાં સદ્કાર્ય કરી જીવતા જીવંત માતૃ ને પિતૃ તરફ શુધ્ધ સેવાભાવ રાખો તેમના પડતા બોલને સ્વીકારો.. કછોરું થવા કરતા છોરું બની તેમની લાકડી બનો. તો શ્રાધ્ધ પૂર્ણ થશે.
*જયશ્રી પટેલ*
*૧૩/૯/૨૧*
********************************
*NOG SS NO.0081*
*વિષય: શ્રાદ્ધ*
*પ્રકાર:ગદ્ય/ લેખ*
*શીર્ષક: કાગડો જ કેમ?*
*શબ્દ :૨૪૦*
વિશ્વમાં દરેક વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડ લઈ ઓક્સિજન
પાછો આપે,એ સર્વ વિદિત છે.એમાં વિજ્ઞાને પણ પુષ્ટિ આપી છે કે વડ અને પીપળો બે જ એવાં વૃક્ષ છે કે જે એકી વખતે બમણો ઓક્સિજન આપે.પણ ઘણાંને આપણાં શ્રાદ્ધ વિશે કે એની પાછળનાં શાસ્ત્ર વિશે ઓછી ખબર છે .
આપણે કાગડા,કૂતરા કે ગાયને ‘વાસ ‘ નાખવો એ જ શ્રાદ્ધ માનીએ પણ એમ શા માટે ? એવું વિચારીએ.ઉપરનાં બંને વૃક્ષને વંશ વધારવા બી ઉપયોગી નથી પણ એમનાં ફળ જ્યારે કાગડો ખાય ત્યારે , ફક્ત કાગડો કેમ?કાગડો જ આ ફળ ખાધાં બાદ જે વિષ્ટા કરે એમાંથી નવાં ઝાડ ઉગે છે.આ જ પ્રસાદી અસંખ્ય મકાનોનાં પાઇપ અને તિરાડોમાં વડ કે પીપળા રૂપે ઊગી નીકળે છે.આમ આ બે વૃક્ષોનું અસ્તિત્વ કાગડા સાથે ગહન રીતે જોડાયેલું છે.
આપણાં પૂર્વજોએ કેટલું સમજી વિચારીને આ શ્રાદ્ધ
કાગડા સાથે જોડી દીધું હશે જે કાગડાઓની પ્રજનનની ઋતુ છે.પિતૃઓની સ્મૃતિમાં ખીર કે દૂધપાક જેવી વાનગીનો ધારો પડ્યો જેના લીધે ભાદરવા મહિનામાં ખાસ થતાં પિત્ત પ્રકોપને ટાળી શકાય.આવી પૌષ્ટિક વાનગી કાગડાને વાસ તરીકે મૂકાય જે એનાં પ્રજનન કાળ દરમ્યાન મળે અને આ સૃષ્ટિ ચક્ર નિરંતર ચાલતું રહે.
આ વાંચ્યા બાદ કાગડા વિશે શ્રાધ્ધ પક્ષમાં થતાં વિચિત્ર કટાક્ષ ઘટે અને આપણી પ્રથાઓ માટે માન વધે એ જ ઈચ્છા.એમ તો કાગભુશુંડી એટલે વિદ્વાન , જેમણે ગરૂડજીને રામાયણ કહી સંભળાવ્યું. આપણા કૃષિપ્રધાન દેશમાં દરેક તહેવાર લૌકિક અને વૈજ્ઞાનિક જોડાણથી ઉજવવા પાછળ આપણાં પૂર્વજો અને તે કાળનાં શાસ્ત્રજ્ઞો વિશે પૂજનીય ભાવ જરૂર ઉપજે અને તહેવારો કે ઉજવણી તરફ આપણી સૂગ ઘટે એવી સદ્ઇચ્છા! શ્રધ્ધાથી કરાય એ તર્પણ એટલે જ શ્રાદ્ધ .
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
***********†********************
NOG SS No – 0050
વિષય – માતૃ શ્રાદ્ધ
……………………………….. માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:
ની ભાવના વ્યક્ત કરતું ,
મા-બાપનાં ઋણ અદા
કરવાનો ને અંજલિ આપવાનો પર્વ.
ભારતનાં ચાર સરોવર
નારાયણ સરોવર કચ્છમાં, પંપાસરોવર દક્ષિણમાં,
માન સરોવર કૈલાસમાં, બિંદુ સરોવર સિધ્ધપુર ગુજરાતમાં. સિધ્ધપુર એક પવિત્ર સરસ્વતી નદીનાં કિનારે પાવન તીર્થધામ. એનું નામ બિંદુસરોવર આખા ભારતભરનાં લોકો માતૃશ્રાદ્ધ માટે અહીંયા આવે છે.
સિદ્ધપુરમાં “માતૃગયા” ને ગયામાં “પિતાનું શ્રાદ્ધ” થાય છે.
મહામુનિ કપિલદેવે પોતાની માતા દેવહૂતીને સાખ્ય જ્ઞાનનો ઉપદેશ આપી જીવન મુક્તિ અપાવી ત્યાંથી માતૃશ્રાધ નો મહિમા કહ્યો છે. કાત્સાયન મુનિએ માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં માતાનું શ્રાદ્ધ કરવાથી માતાને મોક્ષ મળે છે. વંશવૃદ્ધિને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સરોવરોમાં માતૃગયા શ્રાદ્ધ વખતે 16 પીંડદાન કરી માતૃઋણ અદા કરાઇ છે.
પૌરાણિક કથા હજાર વર્ષ પહેલા જગતોત્પતિ કરતાં મહર્ષિ કદર્ભ માતા દેવહૂતિને નવ નવ યુગો પુત્રીઓ બાદ પુત્રની ઝંખના માટે સરસ્વતી તટે કઠોર તપને લીધે એ ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર તરીકે પુરાણોમાં ઉલ્લેખ આયું છે. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ માતાને કુખે જન્મ લીધો ભગવાન નારાયણ નો પાંચમો અવતાર કહેવાય છે.
કપિલ ભગવાને નાની ઉંમરમાં માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપેલો. મા નો ઉદ્ધાર કર્યો. ઉપદેશથી કૃતાર્થ થયેલા માતાને આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાયા ધરતી પર ટપકતાં સરોવર બન્યું.
“હર્ષ બિંદુ સરોવર કહેવાયું. આગળ જતાં” બિંદુ સરોવર” માતા દેવહૂતીની સાથે ભગવાન કપિલે “અલ્પા” નામની દાસીને પણ ઉધાર કરેલો અને બિંદુ સરોવરની બાજુમાં” અલ્પા સરોવર “પણ છે. ત્યાં કપિલ ભગવાને માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ દીધેલો અને જ્ઞાન વાટિકા રૂપે જાણીતું છે.
એવી માન્યતા છે કે શ્રી પરશુરામ માતૃ હત્યાનાં ઋણમાંથી મુક્ત થવા પિંડદાન કરેલાં ત્યારથી માતૃશ્રાદ્ધ માટે જગતમાં જાણીતું છે. પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય અને મોક્ષ પામે. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બનેલો છે. માતા-પિતા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાની નિષ્ઠા વિધિ બે પ્રકારની હોય છે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. પ્રત્યક્ષમાં બ્રાહ્મણો સામે પુત્રને બેસાડી પિતૃઓનું સ્મરણ કરી શ્રાદ્ધ કરે અને અપ્રત્યક્ષમાં એ સ્થાને ઘટ મૂકીને પિતૃઓની આહવાન કરી પૂજા થાય .વિધિ કરવાથી આપણા પૂર્વજો આપણને શાંતિ પ્રદાન કરે છે અને આશિષ આપે છે.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
*************************,*,**
[NOG SS.No 0098
विषय:- श्राद्ध पक्ष
प्रकार:- गद्य
शीर्षक:- पितरों का आशिर्वाद।
हिन्दू धर्म अनुसार ३६५ दिनों में से १५,१६ दिन पितरों के लिए निर्धारित होते हैं। जिसे श्राद्ध पक्ष कहते हैं। इन मृत्य आत्माओं में क्षुधा होती है ।इसकी तृप्ति,मोक्ष और शांति के लिए ब्राह्मण भोज,कागवास, गौग्रास,दान दक्षिणा पिंडदान करते हैं।
इसमें Trri पिंडी श्राद्ध सबसे महत्वपूर्ण माना जाता है।
श्राद्ध में शुभ और मांगलिक कार्य निषेध हैं। यदि घर में कोई मांगलिक कार्य हुआ हो तो एक वर्ष तक पिंडदान निषिद्ध है। श्राद्ध में लाल पुष्प,लोह व धातुओं के बर्तन भी वर्जित हैं।ॐ का उच्चारण भी नहीं किया जाना चाहिए।
श्राद्ध विधि अपने निवास स्थान पर ही करनी चाहिए। घर में श्राद्ध करने से तीर्थ क्षेत्र में श्राद्ध करने की तुलना में आठ गुना पुण्य प्राप्त होता है। इसके अलावा गंगा, यमुना,काशी, प्रयाग, गयानगरी इत्यादि तीर्थ स्थानों में श्राद्ध करने का विषेश महत्त्व है। पितरों को तृप्त करने से पितृ दोष से मुक्ति मिलती है।
कुश, तिल,अक्षत और जल इन सबको हाथ में लेकर दान दिया जाना चाहिए
“बाह्यतः पितरों के नाम से ब्राह्मण भोजन करना इस कर्तव्य पूर्ति के लिए कृति” ऐसा दृष्टिकोण की अपेक्षा
” ब्राह्मण के माध्यम से प्रत्यक्ष पितर ही भोजन प्राप्त कर रहे हैं” ऐसा भाव रखना अधिक महत्वपूर्ण होने के कारण संतुष्टि युक्त ब्राह्मण के देह से प्रक्षेपित होने वाली आशिर्वादातमक सात्विक तरंगों का बल पितरों को प्राप्त होता है। फलस्वरूप पितरों वंश को पितरों का आशीर्वाद प्राप्त होता है।
श्राद्ध श्रद्धा का विषय है, प्रदर्शन का नहीं। अतः शास्त्र श्रद्धानुसार श्राद्ध करना चाहिए। जिससे हमारे परिवार पर उनका आशीर्वाद बरसता रहे।
✍️
लीना शर्मा
हालोल।