ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” સમય ના સરવાળા.બાદબાકી,ભાગાકાર” વિષયક રચનાઓ(૧૦-૯-૨૦૨૧)દિવસ – ૫
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*******************************************
NOG SS No : 0044
વિષય:- સમયના સરવાળા, બાદબાકી, ભાગાકાર.
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- સમીકરણ
જિંદગીમાં કાના, માત્રા વગરનાં સમયનું ખુબ જ મહત્વ છે. જિંદગીમાં થતાં ફેરફાર, અનુભવો સમયને આધીન છે.
શાળામાં શરૂઆતમાં અંકગણિતમાં એવું શીખેલાં કે,+૪-૨=+૨.મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય.જેની સંજ્ઞા ઓછાની હોય તે હંમેશા નાની.
આગળ જતાં નવું સમીકરણ શીખ્યા,-૪+૨=-૨. ઓછાની સંખ્યામાંથી વત્તાની સંખ્યા બાદ કરી.મોટી સંખયામાંથી નાની સંખ્યા બાદ કરી, નાની રકમની સંજ્ઞા સરવાળાની હોવાં છતાં અને જવાબને મોટી રકમની સંજ્ઞા મળે એટલે બાદબાકી ની સંજ્ઞા મળી.એવું જ જીવનમાં સારાં ગુણોમાંથી ખરાબ ગુણોની બાદબાકી કરો તો સારાં ગુણો જ રહે. પરંતુ જો ખરાબ ગુણો વધારે હોય તો સારાં ગુણો પર હાવી થઈ જાય અને સારાં ગુણો બાદ થઈ આપણી પાસે ખરાબ ગુણો જ રહે. એટલે જ હંમેશા સારાં ગુણો જ વધારવા એટલે ધીમે ધીમે ખરાબ ગુણો નાશ પામતાં જાય.
સંબંધોમાં હંમેશા લાગણી, પ્રેમ અને સ્નેહનો ગુણાકાર કરતાં રહીએ એટલે આપોઆપ ઈર્ષ્યા, ગુસ્સો વગેરે ખરાબ ગુણોનાં ભાગાકાર થતાં જઈ શેષ શૂન્ય આવે.
સરવાળે આપણી પાસે સારાં કર્મો જ રહે, જેની કેડી પર ચાલી આપણે ભવિષ્યની સુખદ કેડી કંડારી શકીએ.
એટલે જ સમય મુજબ દરેક કાર્યો કરીએ તો સફળતાનાં ગુણાકાર થતાં રહે.બાકી સમય જ નથી એવાં રોદણાં રડ્યા કરીએ તો સફળતાની બાદબાકી થતી રહેશે.સમય કોઈને માટે થોભતો નથી.
વ્યવસાયમાં પણ યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય કારગત નીવડે અને વ્યવસાયનો વ્યાપ થાય. આર્થિક ઉપાર્જન જરૂરી છે પરંતુ એની પાછળ આંધળી દોટ મૂકવામાં સમય વહી જાય.પૈસાનાં સરવાળા થાય પરંતુ પારિવારિક સંબંધો ન જળવાતાં ધીમે ધીમે સંબંધોની બાદબાકી થતી જાય.
જિંદગીનાં સમયનું સમીકરણ આપણાં જ હાથમાં છે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
*******************************
NOG.SS.NO. -0036*
*વિષય – સમયનાં સરવાળા, બાદબાકી અને ભાગાકાર.*
*વિભાગ – પદ્ય*
*શીર્ષક – હિસાબ કર*
*હિસાબ કર*
*ગણતરી માંડી જિંદગીનો હિસાબ કર,*
*રે મનવા, તું ઉજાસનો હિસાબ કર.*
*ઉમંગ ને આનંદ, આશા ને ઉત્સાહ,*
*સમજણનાં સરવાળાનો હિસાબ કર.*
*સમયનાં ચકરાવે ઝૂલતો માનવ,*
*બાદબાકી કરી લાગણીનો હિસાબ કર.*
*ગુણાકારે સુખનાં હરખની હેલી લાવી,*
*ભાગાકારી શેષે સ્મિતનો હિસાબ કર.*
*ગમતિલા સમયને ઉમેરીને ગુણ,*
*ઉદાસી હટાવી ખુશીનો હિસાબ કર.*
✍🏻 *અરૂણા ત્રિવેદી*
*અમદાવાદ*
********************************
NOG SS NO. : 0034
વિભાગ : પદ્ય
શીર્ષક : સૌનો વારો સરખો આવે છે.
————————————————–
મેર પછીય માળામાં મણકો આવે છે,
સુખ સાથે જ દુઃખનો તડકો આવે છે.
જિંદગીનાં સરવાળા બાદબાકી છે અઘરાં,
ક્યાં કોઈનો જવાબ સરખો આવે છે!
વિધાતાએ લખ્યાં લેખ લલાટે મિથ્યા નવ થાય,
રાજગાદીને સ્થાને ભાગ્યમાં વગડો આવે છે.
પાંચ-પાંચ પતિઓની માનીતી રાણી પાંચાલી,
ને ચીરહરણ વખતે મદદે કાનો આવે છે.
લાગણીઓમાં થવા લાગી જ્યાં ગણતરીઓ,
ત્યાં જ મધુર સંબંધમાં કડવો ઘૂંટડો આવે છે.
મારું-તારું, તારું-મારું રટતાં રહ્યાં જિંદગીભર,
અંતિમ શ્વાસમાં ક્યાં કામનો સગો આવે છે.
માત-તાતે નિભાવી સઘળી ફરજો સંતાનોની,
તોય ભાગ્યમાં વૃદ્ધાશ્રમનો ઓટલો આવે છે.
જીવતેજીવ ન કરે કદર સંબંધોની આ માનવ,
મર્યા પછી લાશ પર સુગંધી ફૂલો આવે છે.
ન સ્વર્ગ, ન નર્ક, છે સૌ કર્મોની અહીં બલિહારી,
રાજા હો કે રંક, સૌનો વારો સરખો આવે છે.
— ડૉ. રેખા શાહ
******************************
NOG.SS.No* : *0099*
*વિષય* : જીવનનાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર.
*પ્રકાર* : પદ્ય
*શીર્ષક* : આપણો જ ફાળો છે
*શબ્દો* : 83
જીવન એ આપણાં જ કરેલા કર્મોનો તાળો છે,
સુખદુઃખ એ બીજું કંઈ નહીં, કર્મોનો સરવાળો છે.
પ્રેમ, સદાચાર, પરોપકારથી પુણ્યોનો સરવાળો છે,
સ્વાર્થ અને લોભવૃત્તિ અણગમતો ઉનાળો છે.
છળ, કપટ, કૃતઘ્નતાથી જીવનમાં રોગચાળો છે,
સેવા ને ભક્તિ વિનાનું જીવન નકામો માળો છે.
સત્ય અહિંસા સાથે સેવાનો માર્ગ નિરાળો છે,
આપણાં પતન કે ઉત્થાનમાં આપણો જ ફાળો છે.
🖋️ ભાવનાબેન મિસ્ત્રી ‘અભય’ વલસાડ
********************************
N.O.G. S.S.No.0102.
વિષય:-સમયના સરવાળા બાદબાકી અને ભાગાકાર, સામાજિક આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિએ.
પ્રકાર :-ગદ્ય.
શીર્ષક:-સમયના સરવાળા બાદબાકી ભાગાકાર, સામાજિક ,આર્થિક અને વ્યવહારિક દ્રષ્ટિએ.
માનવજીવન સમયની સાથે સંકળાયેલું હોય છે. માનવીની જેમ જેમ ઉંમર વધે છે ,તેમ તેમ તેને સમાજની સાથે અનેક પ્રકારના સંબંધોથી સંકળાયેલા રહેવું પડે છે .આ સંબંધો સામાજિક ,આર્થિક અને વ્યવહારિક પણ હોય છે.
માનવીને જેમ સમાજ ની જરૂરત પડે છે તે પ્રકારે તે પોતાના વ્યવહારો ઉપરોક્ત બાબત માં બદલતો રહેતો હોય છે. જે પોતાને આગળ વધવામાં મદદ કરે તેવા સંબંધોનો તે સરવાળો કરતો હોય છે, અને જેઓ તેને નુકસાન કરે કે હરકત પહોંચાડે તેવા સંબંધો માં સમાજમાંથી તેવા લોકોની બાદબાકી કરતો રહે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા સંબંધોમાંથી તેને જ્યારે કાંઈ પણ પસંદ કરવાનું હોય છે ,ત્યારે તે ભાગાકાર કરે છે અને પોતાને ફાયદો થતો હોય તે પ્રમાણે ભાગાકારનુંમૂલ્યાંકનકરેછે. વ્યક્તિ નો ઉછેર કુટુંબમાં થાય છે. શાળા , કોલેજ વિગેરેમાં તે જ્ઞાન પ્રાપ્ત કરે છે .તેને આધારે સમાજમાં પણ તેની ગણના થાય છે .તેને આધારે જ તેનું આર્થિક વ્યવહાર સંકળાયેલ હોય છે .સારું શિક્ષણ સારી આર્થિક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. જો સારું કમાતો હોય તો સમાજ સાથેનો વ્યવહાર પણ સારો બની રહે છે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા તે પોતાનું સ્થાન હાંસલ કરી શકે છે.
સમાજમાં બધા લોકો આવા નથી હોતા. ઓછું શિક્ષણ ,નાની નોકરી ધંધો વગેરે મધ્યમ વર્ગ ના લોકો પોતાના સામાજીક અને આર્થિક વ્યવહારો જાળવી શકતા હોય છે.
ક્યારેક કોઈ કારણોસર વ્યક્તિઓ ઈર્ષા ,અદેખાઈ, ખોટા કાર્યો વગેરેને કારણે સમાજમાં અળખામણા પડી જાય છે ,અને તે લોકો અંદર અંદર વેર ઝેર ભરેલા જીવન પણ જીવતા હોય છે તેનું જીવન ઘણું સંકુચિત હોય છે.
જીવનમાં આગળ વધવા માટે હંમેશા પ્રગતિ તરફ દ્રષ્ટિ રાખે, ટૂંકી દ્રષ્ટિ નો ત્યાગ કરી ,સરવાળા, બાદબાકી ,ભાગાકાર વગેરે જેવા સંબંધોને મર્યાદિત કરીને પોતાની દ્રષ્ટિથી જીવનને આગળ વધારો એ દરેક માણસે વ્યક્તિગત રીતે વિચાર કરી અને સંબંધો સથાપિત કરવાથી સમાજમાં સારું જીવી શકાય.
રતીલાલ વાયડા.
દ્વારકા.
૬/૯/૨૦૨૧ સોમવાર.