ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગ્રુપ ના વડીલો ને વંદન
————————————————————-
આપડા ગ્રુપ ના સાહિત્યિક વડીલ ગુરુજનો ગ્રુપ ના દીદી માયાબેન દેસાઈ,ગ્રુપ ના દાદીશા જયશ્રીબેન પટેલ,ગ્રુપ ના સર્જકો ની રચના વાંચી ને પ્રતિભાવ આપતા વિભૂતિ બેન દેસાઈ,સતત માર્ગદર્શક રહેતા જયકાંતભાઈ ઘેલાણી,અને જેના વિદ્યાર્થી સર્જક આપણા ગ્રુપ માં છે તેવા શિક્ષણ ના ખૂબ અનુભવી રતિભાઈ વાયડા…જેવા મહાનુભાવો ને ગુરુપૂર્ણિમા નિમિતે ગ્રુપ ના સૌ સર્જકો વતી હું સંચાલક પ્રદીપ રાવલ,મીનાક્ષી રાવલ નત મસ્તકે પૂર્ણ સદભાવ થી વંદન કરીએ છીએ.
હવેના આધુનિક યુગ માં આ મહાનુભાવોની સાહિત્ય અને શિક્ષણ સેવા અવિરત જોવા મળે તેવું દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી.. આપણા ગ્રુપ ના અહોભાગ્ય કે સ્વેચ્છાએ આ મહાનુભાવો ગ્રુપ ના મેમ્બર,વિદ્યાર્થી બનીને આપણી વચ્ચે રહી તેમની સાહિત્યિક ગાથા પીરસી રહ્યા છે અને આપણે સૌ માણીએ છીએ..ફરી ફરી પાંચેય વડીલ સભ્યો નું હું હૃદય પૂર્વક વંદન સાથે આભાર માનું છું.
સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલ
**************””*””***************************
ન્યૂઝઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૬ (૨૪-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0022
વિષય : મોક્ષ માયા
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : હું
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“રાજન, તમને આ રીતે મોક્ષ નહીં મળે. તમે મોહમાયાથી બંધાયેલા છો. આપના કરતાં વધુ મોક્ષની અધિકારી નર્તકી સુવર્ણા છે.” સાધુએ રાજા પૂર્ણસિંહની તરફ જોતાં કહ્યું.
રાજા આશ્ચર્યથી સાધુ તરફ જોઈ રહ્યો. તેણે કહ્યું, “મહારાજ, મેં પાછલાં એક વર્ષથી માંસ-મદિરાનો ત્યાગ કર્યો છે. તે ઉપરાંત સત્સંગનું આયોજન કરું છું અને તેમાં હાજરી પણ આપું છું. બ્રાહ્મણોને દાનદક્ષિણા આપું છું અને ગરીબો માટે અન્નછત્ર બાંધ્યાં છે. કર સાવ ઓછા કરી દીધાં છે. આટલાં સત્કર્મો છતાં હું મોક્ષનો અધિકારી ન કહેવાઉં ! અને લોકોને મદિરાપાન કરાવતી અને પોતાના મોહજાળમાં ફસાવતી નર્તકી સુવર્ણા કેવી રીતે?”
“રાજન, આપ અહીં જ ભૂલ કરી રહ્યા છો. આપ એમ સમજો છો કે આ તમે કરી રહ્યા છો અને ‘હું’ના મોહમાં ફસાયા છો. તમે રાજા છો અને તમારે તમારા કર્તવ્યનું નિર્વહન કરવું રહ્યું. આપનાં પૂર્વજન્મનાં કર્મોને લીધે રાજવંશમાં જન્મ મળ્યો છે, પણ મોક્ષની લાહ્યમાં તમે ભાન ભૂલ્યા અને ન કરવાનાં કામો કરી બેઠા.”
રાજા અવાચક થઈ ગયા. સાધુએ આગળ કહ્યું,”માંસ મદિરાનો ત્યાગ કર્યો એ તો સારી વાત છે પણ તમે વધારે પ્રમાણમાં સત્સંગ આયોજિત કર્યાં એટલે આપના દરબારી અને સૈનિકો તેમાં વ્યસ્ત રહેવા લાગ્યા. આપની સેના યુદ્ધનો અભ્યાસ કરવાને બદલે ધાર્મિક વિધિમાં વધુ રસ લેવા લાગી. તમે દાન દક્ષિણા વધારી એટલે બ્રાહ્મણોએ રાજમહેવના ફેરા વધારી દીધાં. અન્નછત્રોને અને ઓછા થયેલા કરોને લીધે આપની પ્રજા સાવ આળસુ બની ગઈ છે અને આવક ઓછી થવાને લીધે રાજ્ય કમજોર બની રહ્યું છે, જે દુશ્મનો માટે આમંત્રણ સમાન છે. જરૂરતથી વધારે સગવડ આપવી એ મુર્ખતા ગણાય. બીજી તરફ નર્તકી ભલે નૃત્ય કરીને લોકોનું મનોરંજન કરે પણ તે તેનું કર્તવ્યનું પાલન કરે છે. કોઈની સાથે છેતરપિંડી કરતી નથી. તે પણ ગરીબોને ભોજન આપે છે પણ ક્યાંય ચર્ચા કરતી નથી. હું કરું છું એવો અહમ નથી રાખતી.”
રાજાની આંખ ખુલી ગઈ હતી, તેણે નક્કી કર્યું કે તે ફક્ત પોતાના કર્તવ્યનું પાલન કરશે પણ તે હું કરું છું એવો ભાવ નહીં રાખે.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
****************************** NOG SS NO-0103
વિષય-મોક્ષ-માયા
વિભાગ- લેખ
શીર્ષક-જ્ઞાન-અજ્ઞાન
૮૪ લાખ જન્મનાં ચક્કર પછી મળેલ માનવ જીવ જ અજ્ઞાનનાં આવરણને હટાવી મોક્ષ તરફ પ્રયાણ કરી જન્મનાં ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે. માટે માનવજીવનનું મુખ્ય ધ્યેય ઇશ્વર પ્રાપ્તિ હોવું જરૂરી છે.
શરીરમાં રહેલ પાંચ ઇન્દ્રિયોં, પાંચ કર્મેન્દ્રિયોં અને મન, બુદ્ધિ, અહંકારથી આપણો સંયોગ થતાં આપણાં જીવનગાડીની સફર દ્વિધામાં રહે છે.
આપણામાં સમજ તો છે, પણ અજ્ઞાનનું આવરણ રહેતાં જીવ પોતાનામાં રહેલાં પરમાત્માને ઓળખી શક્તો નથી, અને સંસારમાં રહેલાં રાગ- દ્વૈષ, મોહ-માયાને અપનાવી તેનો ભોગ કરી અંતે દુ:ખને મેળવે છે.
સંત-મહાત્મા જ આ અજ્ઞાનને સમજે છે અને મોક્ષ તરફ તેની જીવનગાડીનું પ્રયાણ રહે છે.
સંસારની માયાનાં સુખને આપણે પરમસુખ માની તેમાં જ રચ્યા-પચ્યા રહીયે છીયે , પણ આ સુખ નિરંતર રહેનારું નથી હોતું.આવન-જાવન કરવાવાળું આ સુખ આખરે દુ:ખમાં પલટાતું હોય છે, અને આપણને જીવનચક્રની ગતિમાં પાછા ફેરવે છે.
ભગવદ્ ગીતામાં પરમ પરમાત્મા શ્રી કૃષ્ણે સાધકને ત્રણ ગુણો એટલે સાત્વિક, રાજસિક અને તામસિકની સમજ સાથે કર્મ, ભક્તિ અને જ્ઞાનયોગની સમજ આપી છે.
સાધક કોઇ એક યોગ અપનાવી ત્રણે યોગને પ્રાપ્ત કરી શકે પણ સાથે -સાથે સંસારભોગ કે યોગની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણને આપી છે.
સાધકે જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચે રહેલી પાતળી રેખાને છેદી જ્ઞાનની પ્રપ્તિ કરવા “વાસુદેવ: સર્વમ્” નાં સિદ્ધાંતને અનુસરી સર્વમાં પ્રેમ દ્રષ્ટિ કેળવી સહજ રીતે ઇશ્વરની ભક્તિ કરતા ભક્તિયોગને પ્રાપ્ત કરે છે.
આ ભક્તિ જ આપણા જીવનું કલ્યાણ કરે છે . જીવ જ્ઞાન મેળવી મોક્ષ તરફ પ્રયાણ કરે છે.
પરમાત્મા સાથેનું મિલન એ જ મોક્ષની પ્રાપ્તિ જે નરસિંહમહેતા ,મીરા ,અષ્ટસખા અને રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્માઓને મળી છે .
માયાનાં સંયોગનો વિયોગ કરી જ્ઞાનની સમૃદ્ધિ મેળવી નિરંતર રહેવાવાળા સુખની પ્રાપ્તિ એટલે પૃથ્વી પર રહી મોક્ષની પ્રાપ્તિ.
🙏🙏
નિલમ દોશી
મુંબઇ
*******************************
NOG SS No: 0079
વિષય : પ્રાણ પ્રકૃતિ
શીર્ષક : મિલન
પ્રકાર : ગદ્ય
પ્રવિણા કડકિઆ
*****************
મિલન********
પ્રાણ અને પ્રકૃતિ નું સુભગ મિલન સર્જનહારે કર્યું છે. જે કોઈ પણ સંજોગોમાં છૂટા ન થઈ શકે. માતાના ગર્ભમાં બીજ રૂપે આકાર ગ્રહણ કરનાર બાળકોમાં પ્રાણ હાજર છે. પ્રકૃતિ તેમાં લોહી અનેમાતાના પોષણ દ્વારા પ્રવેશ મેળવે છે.
કહેવાય છે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. એ કહેવત માં મને અર્ધ સત્ય જણાય છે. પ્રાણ તો પરિવર્તનશીલ નથી. પ્રકૃતિ માનવી પ્રયત્ન કરે તો તેમાં ફેરફાર જરૂર લાવી શકે. તેનો પ્રખ્યાત દાખલો આપણી સમક્ષ છે.
‘ લુટારુ વાલિયા માંથી બનેલા વાલ્મિકી ઋષિ’. તમને શંકા નહી હોય, પ્રકૃતિના બહાના હેઠળ ઘણા લોકોને પોતાની વાત કહેવાની આદત હોય છે. એ તેની કમજોરી કરતા આળસ દર્શાવે છે.
ઘણીવાર માનવી પ્રયત્ન કરવા છતાં પ્રકૃતિના બહાના હેઠળ છટકવાનોપ્રયાસ કરે છે. સફળતા પણ મેળવે છે. તે ભલે લોકોને છેતરી જાય કિંતુપોતાની જાતને છેતરવામાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે.
પ્રાણ અને પ્રકૃતિ લાકડામાં અલગ થાય. એ વાત સત્ય પુરવાર થાય ત્યારે શોક મિશ્રિત આનંદની લાગણી દર્શાવે છે. પ્રકૃતિને કારણે માનવી મુશ્કેલી માંમુકાય તો નવાઈ ન પામો.. એનું મૂલ્ય ચૂકવવું જ પડે.
અભ્યાસ અને સતત પ્રયત્ન દ્વારા પ્રકૃતિ બદલી પણ શકાય અથવા તેમાં સુધારોકરી પણ શકાય. જૂઠું બોલવાની પ્રકૃતિવાળા આનો સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. સત્યના આગ્રહી ભોગ ભોગવે છે અને વિજયને વરે છે.
પ્રાણ અને પ્રકૃતિ નું મિલન કુદરતનો વણલખ્યો નિયમ છે. માનવીએ સ્વીકારવો.
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
NOG SS ..No..73
વિષય..મોક્ષ..માયા
વિભાગ..ગદ્ય
શીર્ષક..બોધ..
માઈક્રો ફિકશન
એક સંત મહાત્મા મોટી સંખ્યામાં પોતાના ભક્તોને બોધ આપતા
જીવનમાં કશુજ નથી,આ બાહરી દેખાતી દુનિયા બધું માયા છે,ઈશ્વર તો તમારી અંદર છે,બધુંત્યજી ને ઈશ્વરને અપનાવો બધીજ વસ્તુ વગર ચલાવી લો,તોજ જીવન સરળ બનશે,આજના દિવસની કથા અહીં પુરી,જેવા સંત ઉભથયા ત્યાંજ સ્ટેજ આગળ ગાડી લાવવાની વ્યવસ્થા હતીને સંત પોતાની મોંઘી બી એમ ડબ્લ્યુ ગાડીમાં રવાના થયા.. સંત પણ ગાડી પૈસાનો મોહ છોડીના શક્યા, બોધ હંમેશા બીજાને આપવા માટેજ હોય.. .
નયના પટેલ..નૈન.
*””””””””””””””””””””””””””””””””””””””””””””””
NOG SS No :0102.
શીર્ષક. :- પ્રાણ– પ્રકૃતિ.
પ્રકાર.:—-ગદ્ય.
વિષય:—પ્રાણ –પ્રકૃતિ.
માનવ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જન્મ ધારણ કરે છે અને તેનો પ્રભાવ મૃત્યુ સુધી હોય છે.
આપણું શરીર આકાશ, પૃથ્વી, વાયુ ,જલ અને અગ્નિતત્ત્વથી બનેલું છે. જન્મતાની સાથે જ ચોર્યાસી લાખ યોનિમાંથી માનવીને તેના સંચિત કર્મ અનુસાર જન્મ મળે છે. સાથે પાંચ કર્મેન્દ્રિ પાંચ જ્ઞાનેન્દ્રિ અને મન એમ મળી અને કુલ અગીયાર ઈન્દ્રિ સાથે માનવ શરીર છે. તેમજ વાત, પિત ,અને કફ ની પ્રકૃતિ તેમજ સત્વ ,રજસ અને તમસ પ્રકૃતિના ભાવ તેની સાથે જોડાયેલા છે. તેવું આપણા ધર્મ શાસ્ત્રો બતાવે છે.
માનવી જે કંઇ કર્મ કરે છે ,અથવા વર્તન કરે છે, તેમાં ઉપરોક્ત જણાવ્યા અનુસાર તમામ નો પ્રભાવ હોય છે.
તામસ પ્રકૃતિના માનવી પાખંડી ,પાપી, નાસ્તિક, દુરાચારી , કૃતઘ્ની ,કામી ,ક્રોધી અને અજ્ઞાની હોય છે. મોહ ,માયા ,ઈર્ષા ,અદેખાઈ અભિમાન જેવી વૃત્તિઓ તેમાં જોવા મળે છે ,આવા લોકો ચોરી કરવામાં પાવરધા હોય છે.ઉપરાંતચાડી,ચુગલી ,ઈર્ષા ,અદેખાઈ વગેરેમાં તેવા લોકો એવા પ્રવૃત્ત હોય છે કે કંઈક ના જીવન બરબાદ કરી નાખે છે ,અને આ કામ તેઓ પોતાની મીઠી જીભ અને હૃદયમાં ઝેર ભરી ને કરે અને તેનો પ્રભાવ તેના છોકરાઓ ઉપર અને પેઢી ઉપર પડે છે.
રજસ વૃતિના લોકો પોતાનો એક પગ દૂધ અને બીજો પગ દહીંમાં રાખે છે .તેઓ બંને પ્રકારની વૃત્તિઓ ધરાવે છે .સારા કાર્યો પણ કરે છે અને બુરા કાર્યો પણ કરતા રહે છે.
સાત્વિક પ્રવૃત્તિના લોકો હંમેશા સારા કૃત્યો જ કરે છે .તેઓનાહૃદયમાં માયા ,મમતા ,સહાનુભૂતિ ,કરુણા, વગેરેના ભાવ હોય છે . એટલું જ નહીં પરંતુ તેઓ દુનિયાને સુખી કરવા માટે પોતાના જીવનનો મહત્વનો ભાગ ખર્ચી નાખે છે .નવધા ભક્તિ દ્વારા તે પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધતા હોય છે દુનિયાનું ભલું કરવાની તેઓની ઉમદા ભાવના હોય છ.
આ દુનિયામાં સારા કૃત્ય કરી જીવનને ઉમદા બનાવી તમસમાંથી રજસમાં અને સત્વમાં આગળ વધી શકાય છે . બુરા કર્મો હંમેશા બુરાઈ તરફ લઈ જાય છે અને તેઓ ભવો ભવના ચક્કરમાં થી છૂટતા નથી .જ્યારે સાત્વિક લોકો મોક્ષના માર્ગે આગળ વધી શકે છે. સારા કર્મો કરો અને આવતો જન્મ સુધારો તેઓ ભાવ પ્રાણ અને પ્રકૃતિ ના માધ્યમ દ્વારા આપણે આપણું જીવન વધારે ઉમદા બનાવી શકવાની કોશિશ કરવી જોઈએ.
રતિલાલ વાયડા
નવી મુંબઈ.
૧૯/૭/૨૦૨૧. સોમવાર.