ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – 2
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
0NOG SS No :: 0022
વિષય : રામાયણનાં પાત્રો
વિભાગ : ગદ્ય
પ્રકાર : લેખ
શીર્ષક : અતિમહારથી
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
પુરાણોમાં યોદ્ધાઓના પ્રકારો વર્ણવ્યાં છે. મહામહારથી, અતિમહારથી, મહારથી, અતિરથી અને રથી. મહામહારથી શ્રેણીમાં દેવો વિરાજમાન છે. અતિમહારથી શ્રેણીમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ, હનુમાન, અર્જુન અને ઈન્દ્રજીત બિરાજે છે. આજનો લેખ અતિમહારથી રાવણપુત્ર ઈન્દ્રજીત ઉર્ફ મેઘનાદ વિશે છે.
રાવણ સ્વયં મહારથી હતો પણ ઈન્દ્રજીત અતિમહારથી હતો. અતિમહારથી એને કહેવાય જે એકસાથે ૧૨ મહારથી અથવા ૮૬,૪૦,૦૦૦ યોદ્ધાઓ સાથે એકસાથે યુદ્ધ કરી શકે. આપણને આંકડાં કદાચ અકલ્પનીય લાગી શકે પણ ઈન્દ્રજીત અજેય યોદ્ધા હતો તેમાં કોઈ બેમત નથી.
તેનાં જન્મ સમયે તે એવી રીતે રડ્યો હતો જાણે આકાશમાં ગાજવીજ થતી હોય, તેથી જ તેનું નામ મેઘનાદ પડ્યું હતું. તે ઉપરાંત તેણે દેવતાઓના રાજા ઈન્દ્રને હરાવ્યા હતાં અને તેમને પકડીને રાવણ સામે હાજર કર્યાં હતાં. ઈન્દ્રને છોડાવવા ખુદ બ્રહ્માજીને આવવું પડ્યું હતું અને બ્રહ્માજીએ જ તેને ઈન્દ્રજીત એવું બિરુદ આપ્યું હતું.
રાવણ અને મંદોદરીના આ પુત્રને તંત્રમંત્ર અને માયાની બધી જ વિદ્યાઓ અવગત હતી. રામ અને રાવણના યુદ્ધમાં પણ તે પરાક્રમી સાબિત થયો હતો. યુદ્ધના પ્રથમ દિવસે જ તેણે અંગદને યુદ્ધભૂમિ છોડવા મજબૂર કર્યો હતો. તે ઉપરાંત રામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી દીધાં હતાં. ગરુડરાજે તેમને છોડાવ્યા હતા. બીજે દિવસે વાસવી શક્તિથી લક્ષ્મણને મૂર્છિત કર્યાં હતાં અને હનુમાને દ્રોણગિરિ પર્વત લાવીને સંજીવની વનસ્પતિ દ્વારા ફરીથી જીવંત કર્યા હતા.
ત્રીજે દિવસે જ્યારે તેને જ્ઞાત થયું કે લક્ષ્મણ જીવંત છે એટલે તેણે ગુપ્તસ્થાનમાં પોતાનાં કુલદેવી માતા નિકુંભલાનો યજ્ઞ આદર્યો. જો તે યજ્ઞ પુર્ણ કરે તો તેને એવો રથ મળવાનો હતો, જેના ઉપર બેસીને તે યુદ્ધ કરે તો કોઈ તેને હરાવી ન શકે. પણ વિભિષણને આ જાણકારી મળતાં જ લક્ષ્મણ દ્વારા એ યજ્ઞ ભંગ કરાવ્યો અને લક્ષ્મણ દ્વારા જ યુદ્ધભૂમિમાં આ અતિમહારથીનો વધ થયો.
જો તે યજ્ઞ સંપન્ન થયો હોત તો? આવાં ઘણાં પ્રશ્નો ઊઠતાં હોય છે પણ યુદ્ધમાં જો અને તો ને સ્થાન હોતું નથી. યુદ્ધમાં સત્ય અને ધર્મનો વિજય થતો હોય છે. તમારું તપોબળ, યુદ્ધકૌશલ્ય, જ્ઞાન ગમે તેટલું હોય પણ જો અધર્મના પક્ષે હો તો અંત નિશ્ચિત છે.
**”””””****************************†**
[NOG SS No :.0050
વિષય – રામાયણનાં કોઈ પણ એક પાત્ર પર લેખ.
પ્રકાર – મૌલિક લેખ
શીર્ષક – રાવણ…!
………………………………
રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે મુસાફરી.
૨૪૦૦૦ શ્લોકો.
ઐતિહાસિક ગ્રંથ દરેક પાત્રો આદર્શ છે. રામાયણ ત્રેતાયુગમાં જન્મેલાં રામની જીવનકથા છે. આ જ સમય ગાળામાં લંકાનો રાજા રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો. એને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવામાં આવેલો હતો .
ઘણું વિશેષ પાત્ર રાવણ લંકાનો રાજા દસ માથાંને લીધે ઓળખાતો હતો. જેના લીધે દશાનન 10 મુખવાળો રાવણ અવગુણ કરતાં પણ અધિક. રાવણ ના હોત તો રામાયણની રચના ના થઈ હોત . રામકથામાં રાવણનું પાત્ર રાવણનું ઉજ્જવળ ચરિત્ર નિખારવાનું કામ કરે છે. રાવણ શિવભક્ત હતો . તેનાં જેવો બીજો કોઈ નહીં. વાલ્મિકી રામાયણ મુજબ મુનિ વિશ્વશ્રવાની બે પત્ની વરણિની એ કુબેર ને જન્મ આપ્યો . શોક્યનાં પુત્રનો જન્મ થયો અને ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભધારણમાં રાવણ અને કુંભકર્ણ ને જન્મ આપ્યો. શાપન કાળમાં થયો હતો.
આમ તો રાવણ મહાજ્ઞાની હતો. ત્રણ પ્રકારનાં ઐશ્વર્યો હતાં. લક્ષ્મી ,બુદ્ધિ અને બળ… સત્તાનાં મદમાં રાવણ ઉચ્છ્રુંખલ થઈ દેવતાઓ,
ઋષિઓ, ગાંધારોને કષ્ટ દેવા લાગ્યો. કુબેરને પણ હરાવ્યો અને પુષ્પક વિમાન ઝડપી લીધું .શરવણ નામનાં પ્રસિદ્ધ વિશાળ વનમાંથી પસાર થતાં શંકરનાં પાર્ષદ નંદીશ્વરે રોકતાં કહ્યું,” ભગવાન શંકર ક્રીડા કરે છે. પ્રવેશ નિષેધ છે.”નંદીશ્વર પર ક્રોધિત થતાં શંકર તરફ ચાલ્યાં જતા નંદી બીજા શિવજીની જેમ જ રોકાયાં ત્યારે રાવણે નંદીની મશ્કરી કરી, ” મારા સમાન મુખની અવહેલના કરી તારાં કુળનો નાશ કરવા મારાં સમાન પરાક્રમી અને તેજસ્વી તેજથી સંપન્ન વાનરો તારાં કુળનો નાશ કરશે.”
રાવણ માં રાક્ષસત્વ તો હતું પણ તેનો ગુણ અવગણી ન શકાય. બુદ્ધિમાન બ્રાહ્મણ,
શંકર ભગવાનનો ભક્ત,
મહાતેજસ્વી, પ્રતાપી ,પરાક્રમી ,રૂપવાન અને વિદ્વાન પણ હતો.
ચાર વેદોનો વિશ્વ વિખ્યાત જ્ઞાતા ને વિદ્વાન હતો. વાલ્મિકી રામાયણમાં હનુમાન રાવણને જોતાં જ રામ મુક્ત થઈ જાય છે. કહે છે રૂપ, સૌંદર્ય, કાંતિ સર્વ પોષણયુક્ત હોવાં છતાં અધર્મ બળવાન ન હોત તો દેવ લોકોનો સ્વામી બની જાત.
ઊંચાં આદર્શોવાળો, શિષ્ટાચાર, મર્યાદાઓ પણ હતી . રામનાં વિયોગમાં દુઃખી સીતાને કહેલું, “હે સીતે.. જો તું મારા પ્રતિ કામભાવ નથી રાખતી તો તને સ્પર્શ ન કરી શકું.” શાસ્ત્ર પ્રમાણે વંધ્યા
રજસ્વલા, અકામા, સ્ત્રીનો સ્પર્શ નિષેધ છે.અકામ સીતાને સ્પર્શ કરી મર્યાદાનું ઉલ્લંઘન ન કરતો. રાવણનો અહંકાર એનાં અવગુણ અવતરણો અને પતનનું કારણ જ હતું .
અહંકાર મુખ્ય અવગુણ હતો. રાવણ બહારથી રામ સાથે શત્રુતા રાખવા છતાં હૃદયથી ભક્ત બતાવ્યો છે. રાવણનાં મન સ્વયં ભગવાને અવતાર લીધો છે .હું જઈને તેમની સાથે હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુનાં બાળકો આગળ પ્રાણ છોડીશ. ભવબંધનથી મુક્ત થઈશ. આવો હતો રાવણ! માટે જ મને રાવણનું પાત્ર ગમે છે ..!
રા..વ…ણ..!
રાવણની જ્યારે અંતિમ ઘડી હતી, નીતિ,રાજકારણ ને શક્તિનો મહાન પૂજારી હતો. લક્ષ્મણ ને જ્ઞાન આપેલું.
જેને વર્ણવવું સહેલું પણ સમજવું અઘરું તે જ રાવણ. દશ માથાવાળો રાવણ કરતાં કળિયુગનો એક માથાવાળો રાવણ ક્રૂર અને નરભક્ષી છે.
રાવણે સીતાનું સતીત્વ જાળવ્યું, પણ આજનો માનવી દરેક નારીને હવસ સંતોષવાનું સાધન સમજીને બેઠો છે.
રાગીની શુક્લ” રાગ”
મુંબઈ, કાંદિવલી.”
*********†****†**************************
NOG SS No: 005
રામાયણનું પાત્ર
શબ્દો : ૩૦૦
*શૂર્પણખા*
મારાં મતે મહાકાવ્ય રામાયણની ઉત્પત્તિનું અને રામને ભગવાન તરીકે ઓળખાવનાર રામાયણનું સબળ પાત્ર એટલે શૂર્પણખા! રામાયણના ખલનાયક, લંકાના રાજા રાવણની બહેન.
શૂર્પણખા એ ઋષિ વિશ્રવા અને કૈકસીની પુત્રી. તેણે દાનવ રાજકુમાર વિદ્યુતજીહ્વા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં એ રાવણને ન ગમ્યું એટલે રાવણ શૂર્પણખાને સજા આપવા માંગતો હતો. પરંતુ મંદોદરીએ રાવણને વાળ્યો.
હકીકતમાં તો વિદ્યુતજીહ્વાએ પણ રાવણનો વધ કરવા માટે જ શૂર્પણખા સાથે લગ્ન કર્યાં હતાં. રાવણને તે ખબર પડી એટલે રાવણે પોતાના બનેવીની હત્યા કરી નાંખી. તેથી શૂર્પણખા દુઃખી થતી રાવણના કહ્યામાં આવી ગઈ.
વાલ્મીકિ રામાયણ અનુસાર, પંચવટીના જંગલમાં તેનો ભેટો અયોધ્યાના વનવાસ ભોગવતા રામ સાથે થયો. રામ પર તે મોહિત થઈ ગઈ. રામે નમ્રતાથી તેના પ્રસ્તાવને નકાર્યો, અને કહ્યું, “હું મારી પત્ની સીતાને સમર્પિત છું.”
ત્યારબાદ, શૂર્પણખા લક્ષ્મણ પાસે ગઈ, તેમણે કઠોર જવાબ આપ્યો કે તે પત્નીમાં જે ગુણો ઇચ્છે છે તે તેનામાં નથી. આખરે જ્યારે શૂર્પણખાએ જોયું કે બન્ને ભાઈઓ તેની મજાક ઉડાવી રહ્યાં છે ત્યારે તેને અપમાન થતું લાગ્યું અને સીતા પર હુમલો કર્યો, પરંતુ લક્ષ્મણે હુમલાને નિષ્ફળ કરી દીધો. શૂર્પણખાનાં નાક અને કાન કાપી નાંખ્યાં.
શૂર્પણખા પહેલાં તેના ભાઈ ખર પાસે ગઈ, તેણે રામ પર હુમલો કર્યો. યુદ્ધમાં રામે બધાનો સંહાર કર્યો. ત્યારબાદ શૂર્પણખા રાવણ પાસે પહોંચી અને તેણે તેના અપમાનની વાત કરી.
સીતાની સુંદરતાની વાત શૂર્પણખાનાં મુખે સાંભળીને રાવણે સીતાનું અપહરણ કરવાનું નક્કી કર્યું. પોતાના ભાઈ, વિભીષણનો વિરોધ હોવા છતાં રાવણે સીતાનું અપહરણ કર્યું અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ.
રામાયણમાં શૂર્પણખાનો ઉલ્લેખ અહીં સુધી જ છે. એનો અર્થ કે યુદ્ધની ભૂમિકા બાંધવા માટે શૂર્પણખા જેવું સશક્ત પાત્ર રામાયણમાં બીજું કોઈ નથી.
કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ પણ છે કે શૂર્પણખા પોતાનાં પતિના વધનો બદલો લેવા માંગતી હતી અને તેને આખા સંસારમાં રામ-લક્ષ્મણ જેવાં યોદ્ધા નજરે ન પડ્યાં. તેથી તેણે રાવણની કાનભંભેરણી કરી અને રામ-રાવણનું યુદ્ધ થયું.
હંમેશા નીતિનો અનીતિ પર વિજય થાય છે. જગતનાં શ્રેષ્ઠ મહાકાવ્ય રામાયણનો બોધ શૂર્પણખાનું પાત્ર સરસ સમજાવી જાય છે.
©️ વંદના વાણી
*********†††***************************
NOG SS NO- 0091
વિષય-રામાયણનું પાત્ર
શીર્ષક: સ્ત્રીનો પર્યાય સીતા
પ્રકાર: ગદ્ય
વૈશાખ સુદ નવમીને સીતા નવમી કે જાનકી નવમી કહે છે. ધર્મગ્રંથો અનુસાર આ દિવસે માતા સીતાનું પ્રાગટ્ય થયું હતું. જનક રાજા સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ ભૂમિ તૈયાર કરતાં હતાં ત્યારે હાથી જમીન ખોદતાં પૃથ્વીમાંથી એક બાળકી જન્મી હતી. ખેડેલી જમીનને તથા હળની નોકને સીત કહે છે એટલે તેનું નામ સીતા પાડ્યું જે મોટી થતાં જનક રાજાની લાડલી જાનકી બની.
રાજાનાં ઘરે જન્મેલી દીકરીને સાસરું પણ રાજકુટુંબ જ મળ્યું. જે ધનુષ્ય કોઈએ નહોતું તોડ્યું ત્યારે અયોધ્યાના રાજા શ્રી રામે એક હાથે ધનુષ્ય ઉઠાવીને પોતાની વીરતા બતાવી હતી. દીકરીને સારો વર અને સારું ઘર મળે એટલે બાપની અડધી ચિંતા પૂરી થાય છે. બધાં બહુ જ ખુશ હતાં, પરંતુ સીતાની કિસ્મતનું પાનું અહીંથી જ ફરે છે. કૈકેયીનાં માંગેલા વચન પ્રમાણે રામને 14 વર્ષનો વનવાસ થાય છે અને અહીંથી જ સીતાની પરીક્ષા ચાલુ થાય છે. પિતાનાં ઘરે નોકર-ચાકર વચ્ચે મોટી થયેલી દીકરી રસોડામાં પગ મૂક્યો ન હોય એને આજે ચૂલો ફૂંકીને રાંધવું પડે છે. આવાં કપરાં સમયમાં પણ સીતા હસતાં મોંઢે પોતાની જવાબદારી નિભાવે છે. ઈશ્વર એટલાથી ખુશ નહિ હોય અને વધુ પરીક્ષા કરવા રાવણનાં હાથે તેનું હરણ કરાવે છે, પરંતુ ચારિત્ર્યવાન સીતા પોતાની શક્તિથી રાવણ સામે પણ લડી લે છે. પોતાના ચરિત્રને સુરક્ષિત રાખવા તેણે ઝાડ નીચે પોતાનો નિવાસ કરી ગરમી ઠંડી વરસાદ કોઈ પણ ઋતુની પરવા કર્યા વગર ઘણો લાંબો સમય પસાર કર્યો. તેની આ અદભુત શક્તિ જોઈને રાવણ પણ એકવાર નતમસ્તક બન્યો હતો. રાવણનો વધ કરી જ્યારે રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં ફર્યાં છે ત્યાં જ સીતાની પરીક્ષા હજુ બાકી હોય તેમ ત્યાંના લોકો તેના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યાં. આ માટે સીતાએ અગ્નિ પરીક્ષા પણ આપી છતાં કહેવાય છે કે દુનિયાનાં ગળે ગરણા ન બંધાય. આવા વખતે શ્રીરામની પણ વિકટ પરિસ્થિતિ હતી. એક બાજુ રાજા તરીકે પ્રજાનું સાંભળવું અને બીજી બાજુ પત્ની પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ. આ વખતે પણ ત્રાજવું પ્રજા તરફ જ નમ્યું અને સીતાનો દેશનિકાલ થયો અને એ વખતે સીતા ગર્ભવતી હતી. ઋષિનાં આશ્રમમાં રહી બે બાળકોને જન્મ આપ્યો જેનું નામ હતું લવ અને કુશ. બાળકો સાથે ખુશ થઈને સમય પસાર કરતી સીતાને હજુ પણ ઘણું સહન કરવાનું બાકી હશે કે અયોધ્યામાં લવ કુશ વિશેની માહિતી મળી કે સીતા એ બે દીકરાને જન્મ આપ્યો છે. હજુ ખુશીનું વાતાવરણ છવાયું જ હતું કે પ્રજામાંથી અવાજ આવ્યો કે આ બંને દીકરા રાજા રામનાં જ છે એ સાબિત કરવા
માટે સીતાએ શપથ વિધિ કરવી પડશે. આ વખતે સીતાની વેદના ચરમસીમાએ પહોંચી હતી. હવે તેનામાં પોતે ચારિત્ર્યવાન છે એ સાબિત કરવાની શક્તિ પણ નહોતી. સીતાએ ધરતીમાતાને વિનંતી કરી ધરતીમાંથી જન્મેલી સીતા ધરતીમાં જ સમાઈ જાય છે અને ત્યારે જ તેની પરીક્ષા પૂરી થાય છે.
વાચકમિત્રો અને તેમાંય ખાસ કરીને દીકરીનાં માતા-પિતાને એટલું કહીશ કે દીકરી માટે જ્યારે પાત્ર શોધતાં હો ત્યારે અમીરીને નહિ પણ છોકરાની આવડતને મહત્વ આપો. ખરાબ પરિસ્થિતિ આવતાં પણ તેમાંથી રસ્તો શોધી લે એ જ સાચું પાત્ર કહેવાય. સીતાનાં પાત્ર પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે દીકરીને ગમે તેવી રાજાસાહેબી જોઈને આપો પણ તેનાં નસીબ ઉલ્ટા હોય તો કરોડપતિ પણ રોડપતિ બની જાય છે એટલે પૈસા ને નહીં પણ આવડત અને કુનેહને પ્રાધાન્ય આપો઼.
જીજ્ઞાસા યુ જોષી
“શુક”
****************************************
NOG SS No. 0098
प्रकार:- गद्य
विषय:- रामायण के पात्र।
शीर्षक:- राम।
रामायण के सभी पात्र मुख्य ही हैं। सभी पात्रों की अपनी अपनी भूमिकाएं थी और उसीके आधार पर लोगोंके अपने अपने मापदंड !ऐसे ही मैं जहां तक सोचती हूं या जानती हूं, उससे मुझे यही लगता है कि रामको अपनी सीता पर और सीता की पवित्रता पर पूर्ण विश्वास था। सीता को पहली रातमें ही यह वचन देना कि अब उनके जीवनमें किसी दूसरी नारीका कोई स्थान नहीं है, ये कथन सीताके प्रति राम के अटूट प्रेम को दर्शाता है। जब कि उस समय राजाओंकी एक से अधिक पत्नियां होती थीं।
खुद श्री रामके पिताजी दशरथजीकी तीन पत्नियां थीं। सीताजी को जब अग्निपरीक्षासे गुज़रना पड़ा, यहींसे कुछ अमूमन लोगों की धारणा में रामजी निष्ठुर पति कहलाए।
भला रामजी निष्ठुर कैसे हो सकते हैं?वह तो एक प्रेमी पति थे,जो सीताके हरण के बाद रावणको युद्ध में पराजित करके उन्हें वापस लाए थे। पिताकी
आज्ञाको मानकर महलके ऐशो आरामको त्याग कर चौदह वर्षका वनवास भोगकर आए थे। जिस सौतेली मां के कारण जंगलोंकी खाक छानी वापस आनेके पश्चात उदार हृदयसे उसी मांको क्षमा किया। इतना ही नहीं रामने पशुओं और मनुष्योंके बीच के मधुर संबंधोंको दुनियाको बताया। जंगलमें शबरी और केवट तथा अन्य आदिवासियोंके साथ प्रेमपूर्ण संबंध रखकर ऊंच नीचके भेदभावको दूर करते हुए,”हम सब एक हैं,”का संदेश दिया।
राम सीतापतिके साथ साथ अयोध्याके राजा भी थे और राजाका धर्म परिवारके धर्म से ऊपर होता है। यही हमारा सनातन धर्म है।
जय श्री राम।
🖋️ लीना शर्मा
हालोल।