https://m.facebook.com/story.php?story_fbid=792389068348519&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=792973631623396&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=793456871575072&id=100027322995343
જીએમડીસી ગ્રાઉન્ડ માં ઑક્સિજન બેડ તૈયાર કરાયા છે.લોકો ઑક્સિજન બેડ વિના મરી રહ્યા ના અસંખ્ય દાખલા છે જ્યારે નકલી ભગવો ભાજપ અમિત શાહ ના હાથે રીબીન કપાવવા તૈયારી ફૂલ હોવા છતાં પ્રજા માટે ઉપયોગ માં છેલ્લા બે દિવસ થીએક બેડ.ઑક્સિજન કામ નથી આવતો નથી.કેટલી ગંદી લાશો ઉપર રાજનીતિ કરવા ભગવો ભાજપ ટેવાઈ ગયો છે જે ૨૫ વરસ નો ઈતિહાસ બની ગયો છે.મોદી શાહ વૈભવી ઠાઠ માઠ માં એવા રચી રહ્યા છે કે જેમને હવે કોઈ માનવતા જેવું કાઈ હોય તેવું દેખાતું નથી.લોકશાહી માં રાજાશાહી નું નિર્દય શાશન ભાજપ મોદી શાહ ના સત્તા ટકાવવાની રાજનીતિ ઉપર થી દેખાઈ રહ્યું છે.જે મોદી શાહ ગુજરાત ના મહાનગરો માં રેલીઓ કાઢી ને વોટ બેંક ને કાગરતા વચનો આપી દિલ્હી સુધી પહોંચ્યા તે આજે રસ્તે રઝળતી લાશો જોવા મળે છે.તમામ સ્મશાન અને હોસ્પિટલો માં કીડિયારું ઉભરાય છે.ડોકટરો લાચાર છે.ડોકટરો અને સ્ટાફ આજે અભણ શાસકો ની ગંદી રાજનીતિ ના કારણે દબાણવશ અધિકારીઓ ના તઘલઘી નિર્ણયો ના આધારે કામ કરી રહ્યા છે.બેદરકારી અને જોહુકમી ન કારણે અસંખ્ય લોકો મારી રહ્યા છે .સરકાર હજુ ખોટા આંકડા આપી રહી છે..સ્મશાન માં રોજ ની અંતિમ વિધિઓ નું લીસ્ટ નામ સાથે અખબારો છાપી રહ્યા છે..
મોદી અને શાહ પાસે પ્રજાકીય હજારો પ્રશ્નો ના જવાબ ના હોવાથી મીડિયા સાથે વાતચીત કરવા ક્યારેય આગળ આવતા નથી અને પોઠિયા રાજ માં સ્ટેમ્પ જેવા શાસકો ને મીડિયા ની સામે ધકેલી દે છે.રબર સ્ટેમ્પ જેવા અજ્ઞાની અશિક્ષિત લોકો ને ભાજપ ના પપેટ પોપટ જેવા નેતાઓ બનાવી તેમના હાથ માં ગુજરાત ની દોર સોંપી દીધી છે..પ્રજા પસ્તાય છે.તેઓ કદાપિ વિચાર્યું નહોતું કે ભાજપ માં રાજ માં તો રામ રાજ્ય સ્થાપશે જેની જગ્યાએ ભાજપ જ્યારથી સત્તા માં આવ્યું ત્યારથી લોહિયાળ જંગ,લાશો,ગંદી રાજનીતિ,તમામ ક્ષેત્રે નિષ્ફળતા સિવાય પ્રજાએ કાઈ જોયું નથી.બુદ્ધિશાળી લોકો અને ખુદ ભાજપ ના નેતાઓ ના પરિવાર વિદેશો માં સેટ થઈ રહ્યા છે.દેશ વિદેશ ના એન.આર.આઇ લકોને હવે આ મોદી અને શાહ માં કોઈ વિશ્વાસ રહ્યો નથી.સોશિયલ મીડિયા ઉપર લાશો ના ઢગલા ના હોસ્પિટલો ના વિડિયો જોઈ કંપારી છૂટી જાય પણ મોદી શાહ છેલ્લી ઘડી સુધી ચૂંટણીઓ માં સભા સંબોધવામાં વ્યસ્ત રહ્યા…દેશ ની જનતા પિલાઈ રહી છે જ્યારે રક્ષા મંત્રાલયને મલેશિયા ની સબમરીન શોધવા ની જરૂર લાગતાં વિમાનો.જહાજ ને ત્યાં પહોચાડી વિદેશ માં ગઈ આબરૂ પછી મેળવવાના પ્રયત્નો કરે છે. આરોગ્ય ની ગઈ કઈં હોવ છતાં સરકારો ઑક્સિજન ની ઉપલબ્ધિ કરાવવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે.છાસવારે હાઇકોર્ટ માં પ્રજા ના પ્રતિનિધિઓ જાય અને ઓર્ડર લાઇઆવે તોયે સરકાર અમલવારી કરવામાં ઢાંગા ઠૈય કરે.લોકો ના ધંધા રોજગાર બંધ થઈ ગયા,ઉત્પાદન કરતા એકમો બંધ થવાના આરે છે..લોકો જીવ બચાવવા પોતાના વતન ભણી જતા રહ્યા..શિક્ષણ ની કોઈ ચોક્કસ નીતિ નથી.સ્કૂલો બંધ શાળાએ ઓન લાઈન શિક્ષણ ના આંકડાઓ ની માયાજાળ રચીને સરકાર ને ઊંધા પાટે સમજાવી ફી ઉઘરાવી રહી છે..અસંખ્ય આપઘાત પરિવાર સાથે થઈ રહ્યા છે..અડધી સરકાર અને નેતાઓ યુ.એન .મહેતા હોસ્પિટલ માથી જાણે સરકાર ચલાવતા હોય તેવી હાલત છે..આખે આખું ભાજપ સરકાર ના ભાજપ ના દલાલો ના ઇશારે કોરોના ની પરિવાર સાથે સારવાર લઈ જાણે સુખ સાયબી ભોગવી રહ્યું છે.પ્રજા ફિટકાર વરસાવી રહી છે.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત ના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકા માં સેવાયજ્ઞ ઝુંબેશ કરી ૧૨૦૦૦ થી વધારે બેડ ઓક્ષીજન તૈયાર કરાવી ચૂક્યા છે . છતાં પ્રજાં માં આક્ષેપ થઈ રહ્યા છે કે આ ભાજપ પરિવારો ને બચાવવા કમલમ બધું કરી રહી છે. સરકારી સનદી અધિકારીઓ પારિવારિક તૈયારી ના ભાગ રૂપે રેમિડી સેવર ઇન્જેક્શન સ્ટોક કરું રહ્યા છે.કલેકટરો અને અધિકારીઓ આડેધડ સિવિલ ના એડમિશન અને ઇન્જેક્શન આપવાની બાબતો માં બેફામ લેટર હેડ ના રાજકીય ઇશારે ઉપયોગ કરી રહ્યા છે..રૂપાણી,નીતિન પટેલ કાબૂ બહાર પરિસ્થિતિ કબૂલી ચૂક્યા છે. જ્યારે એકબાજુ જો સરકાર લોક ડાઉન આપે તો સરકારે બધી સુવિધાઓ આપવી પડે જેના થી સરકાર મો ફેરવી કલેકટરો ને સ્વયમ ભુ લોક ડાઉન કરાવાના અંદર ખાને આદેશ આપ્યા હોય તેમ સમગ્ર ગુજરાત માં સ્વૈચ્છિક લોક ડાઉન ના દબાણ સરકાર ના ખભે થઈ રહ્યા છે. જેથી પ્રજા ને કાઇ સરકાર આપવું પડે નહિ..
પ્રજા આર્થિક,માનસિક રીતે ભયંકર તકલીફ નો સામનો કરી રહી છે..રોજે રોજ ની આવજો ઉપર નભતા પરિવારો માં આપઘાત ના કિસ્સા ચાલુ થઈ ગયા છે.હોસ્પિટલો ની બહાર રોડ ઉપર લોકો આળોટી રહ્યા છે પણ હોસ્પિટલો માં જગ્યા નથી તેવામાં સરકાર પ્રાઇવેટ હોસ્પિટલ માં ૫૦% બેડ પોતાના હસ્તક કર્યા છે જેના માટે હોસ્પિટલ સત્તા વાળા ખાલી બેડ હોવા છતાં દર્દી ને ફાળવી શકતા નથી જેના માટે હાઇકોર્ટ ની શરણું તેમને સ્વીકાર્યું છે..સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ કેન્દ્ર તેમજ રાજ્ય ની સરકારો ને ઓક્ષિજન,બેડ આગોતરા આયોજન ની વિગતો માંગી છે.અને ચિત્ર સ્પષ્ટ કરવા સૂચના આપી છે.સામાન્ય માણસ ને. બેડ માટે ઇન્જેક્શન માટે સારવાર માટે લોકો કલેકટર ઓફિસ ના દરવાજે દર્દીઓ ને લઇ ને ઉભા છે..
શાસકો કયા સંજોગો માં આરોગ્ય ઇમરજન્સી સરકાર દ્વારા મૂકી નથી રહ્યા તે સમજાતું નથી…કોરોના ની ત્રીજી લહેર ચાલુ વાયરલ રૂપે થઈ ગઈ છે તેવું ડોકટરો કહી રહ્યા છે.મોટા ભાગ નો વોરિયર વર્ગ અને પરિવારો લેબોરેટરી સહિત કોરોના સંક્રમિત થઈ રહ્યા ના કિસ્સા સામે આવે છે.હોસ્પિટલ ની કાયમી,હંગામી ધોરણે નીકળી કરતા લેરા મેડિકલ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર માં ભર બપોરે ફરીને દર્દીઓ ના ઘરે સેવાઓ આપવા જઈ રહ્યા છે.આરોગ્ય કમિશનર,અધિકારીઓ,નેતાઓ બધી જ પરિસ્થિતિ થી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી બધું મૂંગા મોએ જાણે કોઈ ના ઇશારે જોઈ રહ્યા હોય તેવું લાગે છે..ગાઇસાલ કોરોના ની પ્રથમ લહેર માં સરકાર રોજ પ્રેસ કરી સાંત્વન આપી ખોટા આંકડાઓ રોજ જાહેર કરી અધિકારીઓ,રાજકીય નેતાઓ ના પરિવાર ના સભ્યો ને છુપાવી ને વિદેશ થી ગુજરાત પાછા લાવી તેમના સુરક્ષિત મહેલો માં રાખ્યા હતા..સરકાર પહેલેથી પ્રજા સાથે અન્યાય એક વરસ થી કરેલા નો ઈતિહાસ સામે હોવા છતાં અંધ ભક્તો, દલાલો હજુ કોરોના ની બીમારીમાં માસ્ક,સેને તૈઝર,દવાઓ,ઇન્જેક્શન સરકારી ખાદ્ય સામગ્રી વગેરે માં કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરવાનું ચૂકતા નથી.અને ભાજપ ની ભગવી ડેમેજ કંટ્રોલ ટીમ આવા લોકો ને પોતાના સ્વાર્થ છાવરી રહી છે…
નગરપાલિકા ના નગર સેવકો,સભ્યો, કોર્પોરેટર પોતાના વિસ્તારો માં આવતી સંસ્થાઓ ને ખુરશીઓ,કબાટ,બાંકડા ની કહાની પોતાના નામ લખાવી ને કરે અને કમિશનર,મેયર તેને મંજૂરી આપે,કચરાપેટી જેવી વસ્તુ માં લાખો કરોડો ના કૌભાંડ થાય…લોકો આ નગર સેવકો n ધારાસભ્યો ને કહી રહ્યા છે કે ઑક્સિજન બાટલા ઉપર તમારા નામ લખો પણ એમને બાટલા આપો..દિવસે દિવસ બદલાતી પરિસ્થિતિ માં જો હજુ આ અંધ ભક્તો અને તેમના નેતાઓ તેમના પરિવાર ના સ્વજનો ગુમાવશે નહિ ત્યાં સુધી તેમની આંખો ખુક્સે નહિ અને સુધરશે નહિ તેવી રાજકીય હવામાં તેઓ જીવી રહ્યા છે.
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ.
એક હિ આગ.જન ફરિયાદ… ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક