સાહિત્ય સરિતા……..
Nice poem 👌🏻must read
ઢળતી સંધ્યાનું આકાશકેટલું ખૂબસુરત લાગે છે તો પછી……
ઢળતી ઉંમર નો આપણને કેમ થાક લાગે છે…..?
આ તબક્કે જ અધૂરા સપનાઆેપૂરી કરવાની એક આશ જાગે છે તો પછી….
ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…… ?
જવાબદારીઓ થી મુક્ત થઈનેપોતાની જાતને મળવાની એકપ્યાસ જાગે છેતો પછી….
ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…… ?
અંધારી રાત પછી, સોનેરીસવારનો કેવો ઉજાસ લાગે છે આ ઉંમરે જિંદગીના અનુભવોપરથી….સમજણનો એકઅહેસાસ જાગે છે…….તો પછી….
ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…….
સુખ-દુઃખ એ જીવનનું સનાતનસત્ય છે…..એને બાજુ પર મૂકીજિંદગી જીવો……પછી જુઓ જિંદગી કેવી ખાસલાગે છે……. !!!તન થાકવું એ નિયતી છે…..પણ…. મનથી નહીં થાકતાદોસ્તો…… પછી જોઈ લેજો……
ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ થાક લાગે છે…….દોસ્ત….
❣️બધુ જ બદલાયું❣️
ધીમે ધીમે હવે બધું જ બદલાયુંનિકટતામાંથી દૂર દૂર છે જવાયુંહોઠના ભાવથી વંચિત રહેવાયુંમાસ્ક દુશ્મન આડમાં છે આવ્યુંઆંખના ઇશારે દૂરથી સમજાવ્યુંઘરમાં રહેતાં એકલતા સતાવેસોનેરી પળ આમ બરબાદ થાયેથાતી દિલનીહળવાશ સ્વજનનેબન્યા દર્શન દુર્લભ મળવાનેહતા શ્વાસથી નજીક ભાઇબંધઆજ વોટ્સએપ પર દેખાય છેઆમંત્રણ વિણ જવાઆવવાનુંસર્વત્ર બંધ જ કરી દેવાય છેહોંશે હોંશે એક મેકને જે મળતા હવે ડરથી બધું લુપ્ત જણાય છેહતાં સહું નાં મન દરિયા દિલઆજે જાણે રણ જેવા દેખાય છેજૂના જમાનાની માનવ મીઠાશ ફેલાતી જાય કલયુગી કડવાશ બની રહે સદભાવ સુખ શાન્તિ“મન”કરે પરમાત્માને વિનંતી🙏”મન”🙏કેનેડા 🍁🇮🇳૦૧-૧૦-૨૦૨૦🇨🇦
💖વિના નથી થવાતું💖
રણ ની રેતી વર્ષા થી ભીની ભલે લદબદ થાતીછતાં રણ કદીયે સમુંદરનથી થાતુંશબ ને ચાહે ફુલો અત્તરથી ખુબસજાવેશ્વાસ વિનાનું તે સજિવ દેહ જેવું ના ભાવેજુદાઇના ડંખ દિલમાં કંઇક લાગ્યા વિનાપ્રિયજનના પ્રેમ પુષ્પને કદીના પામી શકેફુલ જેવા ફુલને પણ દિલમાંદોર ખોસ્યા વિનાપ્રભુ યા પ્રિયજન ના ગળાનોહાર નથી થવાતુંકાંસકી કરાવે તન ઉપર કાપતેના વિનાનારી કેરા અંબોડાની ઝુલ્ફ પરનથી ફરાતુંપ્રેમીતણા જિગરના દર્દ ની વિરહ વેદનાકઠોર હ્રદયના બેદર્દીને મનથીનથી સમજાતીજિવન પણ મલ્યું છે તો રુડુ મજાનું મગરસ્નેહ સમર્પણ ની ભાવના વિનાજિંદગીમાં પરિવારના સંતુષ્ટપ્રેમનું જોડાણ નથી થાતું
❣️ “મન”❣️કેનેડા 🍁 🇮🇳૦૨-૧૦-૨૦૨૦🇨🇦
મહાત્મા ગાંધી: જન્મતિથિ 2020
બીજી ઓક્ટોબરે ભારતભરમાં મહાત્મા ગાંધી ના જન્મદિન મનાવવા માટે અન્ય પ્રકારના સમારંભો થયા હશે. તેમનું મન પસન્દ ભજન – વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પણ ખુબજ ભવુંક શબ્દોથી ગવાયું હશે. અઝાદીના સીતેર વર્ષો પછી ભાષનો માટે કોઈ નેતા પાસે ભાગ્યેજ કોઈ શબ્દો ખૂટતા હશે. રેંટિયો કાંતવાની પ્રક્રિયા તો કરવિ જ પડી હશે કે જેથી મીડીયામાં થોડા ગાંધીવાદિ ની છાપ ઉંઠે તેવા ફોટા પણ છપાય।. પણ આ બધા એક દિવસના કાર્યક્રમ આપણે પાછા હતા ત્યાંને ત્યાં આવી રોજની મુતાબિક જીવન આગળ ચલાવીએ છીએ.કેટલાક બુદ્ધિ જીવીઓ પૂછે છે કે આજના જમાનામાં હવે ગાંધીજી ની શું કિંમત છે? અને પછી કોંગ્રેસ ઉપર તૂટી પડે છે. એક નેતાએ પોતાને ગાંધીજી ના અનુયાયિ બતાવી મારી સાથે વાતચિત સારું કરી. પ્રથમ તો તેમને કહ્યું કે ભારતના વડાપ્રધાન રાષ્ટ્રીય સેવા સંગ ના પ્રચારક હોવા છતાં પણ ગાંધીજી માટે ખુબજ માં ધરાવે છે. તેની હા માં હા મિલાવવી પડે તેમ હતું તેથી મેં કહ્યું, ” તમારી વાત સાચી છે, મેં મારા એક લેખ માં તેનો ઉલ્લખ પણ કર્યો હતો”. આમ કહી તેની ટાંકી કહ્યું,” આપણ આ પ્રધાન સેવકે કહ્યું હતું કે ગાંધીજી ભારતમાંથી હતા પણ ફક્ત ભારતને માટેજ ન હતા, તેમના વિચારો દુનિયાભરમાં માનવતાના પ્રતીક સમાન છે. અને મારુ માનવું છે કે જ્યાં સુધી ગાંધીજીની વિચાર ધારા ને માનવતામાં સમાવી લેવાશે ત્યાં સુધી તેમનું આપણી વચ્ચે મહત્વતા રહેશે અને આપણે રસ્તો બતાવતું રહેશે. તેમના રસ્તે ચાલવાથી આપણે એક સારી દુનિયા બનાવી શકીશું”. ટૂંકમાં આમાંથી હવે આપણે એવો કઈ નવો સારાંષ કાઢી શકિયે. ભાઈ ખુશીમાં આવી ગયા. પછી પેલાભાઇ એ લાગ જોઈ એક ટોણો મારવા પ્રયત્ન કર્યો,” આ જો ગાંધીજી એ નેહરુને આટલું મહત્વ ન આપ્યું હોત તો ભારત આજે ક્યાંથી ક્યાં પોહચી ગયો હોત” પછી પેલા ભાઈ એ એપણ ઉમેર્યું કે નેહરુએ ગાંધીજી પાસે ઘણું શીખવા જેવું હતું. પરંતુ હવે માંરાથી રહેવાયું નહિ એટલે મેં સામે કહ્યું, “ગાંધીજી માટે નહેરુ અને સરદાર બન્ને એક અનમોલ રત્નો હતા, અને ગાંધીજી ની હીરો પારખવાની શક્તિ કોઈ ઓછી ન હતી.” પછી ઉમેર્યું, ” નહેરુ આજની જેમ કોઈ જુઠ્ઠા બણગા ફૂંકતા ન હતા. બેરિસ્ટર થેયેલા અને દુનિયા ફરેલા હતા, ભારતની જે સ્થિતિ હતી તે પરથી તેમની નીતિએ ભરતને સ્થિરતા આપી અને એમાંનું જો ફક્ત દસ ટકા જેટલી પણ આજે સમજ દેખાડાઈ હોત તો આજે જે અર્થ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા કે સરકરી તંત્રોની સ્થિતિ ની આવી કફોડી ગઈ છે તે ના થઇ હોત’. ભાઈ નીચે જોઈ પોતાના અંગુઢા થી જમીન ખોતરતા થઇ ગયા. મેં કહ્યું કે આજ કાલ દુનિયામાં બધુજ દેખાતું થઇ ગયું છે. ગાંધી આશ્રમમાં જઈ રેંટિયો કાંટી કે રાજઘાટ ઉપર જઈ થોડા ફૂલો ચઢાવવાથી ગાંધીવાદી નથી થઇ જવાતું. ગાંધીજીના ચશ્મા પોતાની જાહેરાતો માં વાપરી સ્વાવલાંબીના નારા લાગવાથી દેશ સ્વાવલાંબી બનવી શકતો નથી. એફ.ડી. આઈ ના નામે સરકારી ખજાનામાં અને બેન્કો માંથી કાયદેસર લૂંટ ચલાવીછે અને ચાઈના જેવા દેશોની આપણી કન્ઝ્યુમર ઈકોનોમી ઓપર પક્કડ જમવા દેવામાં આવીછે અને સ્થાનિક વેપાર અને રોજગારો તૂટી પડયા છે. પંદર લાખનો સુટ પેહરી, રોજ નવા વેશભૂષા બદલી ગાંધી ની વાતો કરનાર સો ચૂહે મારકર જેમ બિલ્લી હજ પે ચાલી જેવી વાત થાય.ગાંધીજી નો ફાળો ફક્ત ભારતની આઝાદીની ચળવળ પૂરતો જ ના જોવાય. પણ આઝાદી પાછળ ના કારણો સમજવાની જરૂર છે. તેમની વ્યાખ્યા પ્રમાણે લોકશાહીને મહત્વતા આપવામાં આવીછે. એક હથ્થું સત્તા અને ચાર માણસોની ચાંડાલ ચોકડી ભેગી થઇ નિર્ણયો લે તેની એમાં કોઈ જગ્યા જ ન હોવી જોઈએ. ચાલો થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ.રામ રાજ્ય નો અર્થગાંધીજી એ રામ રાજ્ય નો ઉલેખ કર્યો અને તેની વ્યાખ્યા પણ સમજાવી હતી. રામરાજ્ય અને હિન્દૂ ધર્મની જયારે વાત આવે છે ત્યારે ‘સત્ય’નું આચરણ એ પેહલો સિદ્ધાંત ગણાય છે. જો નેતાઓ અસત્ય બોલવામાં શરમ નહિ તો તે હિન્દૂ ધર્મ ને કેવી રીતે પાળતા ગણાય? અને તેમાંય એક જવબદારી લઇ બેઠેલા નેતાઓને હવામાં તોલ્લા પણ ના મારવા જોઈએ. અને બીજો ભાગ છે, જે માનવતા સંબધિત છે અને તેથીજ ગાંધીજીને માટે વૈષ્ણવજન તો તેને રે કહીએ…. ભજન ખુબજ મહત્વ નું હતું. રામ રાજ્ય એક પવિત્ર વ્યવસ્થા ની કલ્પના છે જેમાં સમાન હક્કો અને ન્યાય ની ગાથા ઓ જોડી શકાય છે. અને જયારે આને રાજકીય પક્ષોની વિચાર ધારા ની દ્રષ્ટિએ જોવા જાવ તો સેક્યુલર વિચાર ધારા ને તે સમાવી લે છે. પણ આને હિન્દુત્વ રાજકીય વિચારધારામાં કોઈ જગ્યા જ નથી. અને ને આપણા હિન્દૂ ધર્મે કશું લગતું વળગતું નથી. શ્રી કૃષ્ણે, ગરીબ સુદામાના દુઃખ દૂર કાર્ય, અર્થાત રાજા ને એક આજના સરકારના અર્થમાં લેવામાં આવે અને પ્રજા ને સુદામા તો સરકારે હંમેશા પ્રજાના દુઃખ દૂર કરવા એજ રાજ ધર્મ છે. રાજા રામે શબરીના એઠા બોર ખાધા કેમકે તે પ્રજાના પ્રેમ અને સબ સમાનતા નું એક પ્રતીક સમજાવતા હતા.પરંતુ મૂડીવાદીઓ સરકાર બની બેઢા છે અને સરકારી મદદોને ધીમે ધીમે રગદોળી નાખ્યા બરાબર થવા માંડી લાગે છે. રાજા રામ, પાદુકા અને લક્ષ્મણજીરાજા, સરકારની ગેર હાજરીમાં લક્ષ્મણજી જે સરકાર વાટી વહીવટ કરતા હોઈ છે તે મને પ્રભુની પાદુકાજેમે બંધારણ ની મારિયાદા સમાન ગણી રાજ્ય ચલાવ્યું.અહીં રાજા રામ, આક્ષેપો સામે નમી વનવાસ ગયા અને આમ જો સમજવું હોય તો ઘણું સમજી શકાય છે. પરંતુ આજે ગાંધીજીના સત્ય અને હિંન્સા ને એક ‘બીકણ અને અશાક્ત’ હોવાનું હોય તેમ શીખવાડાય છે. માટે ગાંધીએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો કે, “રામ રાજ્ય નો અર્થ એવો નથી કે હિન્દૂ રાજ્ય. તેમનો સમજાવવાનો અર્થ એ હતો કે રામ રાજ્ય ની જે પવિત્રતા હતી તેને જેવા વર્તન વાળું રાજ્ય હોવું જરૂરી છે. અને મારુ માનવું છે કે પછી તે રામ હોઈ કે રહીમ, પણ પદુકા સમાન બંધારણ જે ન્યાય અને સમાન અધિકાર અને માનવતા ના આધારે બનાવાયું છે તેની મારિયાદને સમજી રાજ્ય ચલાવે. હિન્દુત્વ, એક રાજકિય હથિયાર માં ગણાય અને અહીં ધાર્મિક લાગણીનો ઉપયોગ થયો વોટીંગ માટેના જૂથો ઉભા કરાય છે. હિન્દૂ ધર્મ આ એ એક વ્યક્તિગત દરેક નો પોતાની આત્મિયતા સાથેનો સંબંધ માં ગણી શકાય. ગાંધીજીએ પણ પોતાના આત્માને ઢંઢોળ વાની વાત ને અગત્યતા આપી હતી. અને આપણા ધર્મમાં પણ શ્રી કૃષ્ણ પણ તેનો વાસ આપણા આત્મામાં બેસવાનો બોધ આપે છે. અહીજ આપણને માનવતાની કિંમતનો ભાષ થઇ શકે છે. ગાંધી જી એ હંમેશાધર્મને રાજકારણ નું સ્વરૂપ આપવા પ્રયત્ન કર્યો ન હતો, પણ સમાનતા ના આધાર નીચે આપણા આત્માના મંથનને માનવતા ઢંઢોળવા ની વાત કરી હતી. અહીજ સત્ય મળી શકેછે. તમેને રાજકારણ કેવું હોવું જોઈએ તેની સાંજ પાડવા પ્રયત્ન કર્યો કે જ્યાં રાજ ધર્મ, એક સત્તાએ કેવીરીતે નિભાવવો તેનો અનુભવ કરાવડાવ્યો એમ કહી શકાય. એની ધર્મ અને રાજકારણની સીમાઓ વિષ તેમની વિચારધારા ખુબજ મહત્વ ની છે. ગાંધીજી સામે વિરિદ્ધભારતની આઝાદી પહેલાથીજ ગાંધીજી એ કોમવાદનું સાચું સ્વારૂપ જોયું હતું. સાઉથ આફ્રિકામાં જે અનુભવ્યુ હતું તે તેમને ભારતમાં આઝાદી દરમ્યાન પણ અનુભવ્યું. આમ જોવા જાવ તો મોટા ભાગના હિંદુઓ અને મુસલમાનો ઝાડીની ચાલવામાં એકસાથે ખભે ખભો અડાડી ને ઉભા રહ્ય હતા. આ હિન્દુત્વની વાત જાણવા મુજબ પ્રથમ તો 1870 દરમ્યાન એક આનંદમઠ ની નોવેલ માં બંકિમ ચંદ્ર ચટોપાધ્યાય એ ઉલ્લખ કર્યો હતો. પછી 1906 દરમ્યાન રાષ્ટ્રીય સેવા સંઘ ના પ્રચારક અને નેતા માધવ સદાશિવ ગોલવલકરે આ હિન્દુત્વ રાજકારણ ને પોતાના કર્યકાળ દરમયાન મહત્તા આપી હતી. તેમના એ બંચ ઓફ થૉટ્સ અને વી અવર નેશન ડિફાઇન નામના પુસ્તકોમાં ઘણી ચોંકવાટો કરી હતી. જોકે અતિયાર ની આર. એસ. એસ. હવે એમાં લખાયેલા વિચારોથી દૂર ભાગે છે. આ ગોલવાલકર ની સાથે વિનાયક દામોદર સાવરકર જે હિન્દૂ મહા સભાના નેતા હતા તેમણે હિન્દુત્વ રાજકારણ ને ખુબજ વેગ અપાયું હોવાનું ઈંતિહાસિક નોંધો જણાવે છે. 1935 દરમયાન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ બંધારણ -કોન્સ્ટિટ્યૂશનલ- સમિટીની માગ મૂકી હતી. હવે ગાંધીજીની મુશ્કેલીઓ વધી કેમકે ગમે ત્યારે આ ચૂંટણી થવી હતી. અને સાવરકરે 1936માં અમદાવાદના પોતાના હિન્દુમહાસભાની મિટિંગના ભાષણમાં ઇન્ડિયામાં બે દેશો: એક હિન્દૂ એન્ડ બીજો મુસ્લિમ, હોવાનું જાહેર કર્યું. તેના પછી 1940માં મહમદ અલી જીન્હા એ પણ મુસ્લિમ લીગમાં આજ વાત મૂકી અને પછી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખેલો. ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા મોટા નેતાઓ ભારત ના કોઈ પણ ધર્મ ને આધારે વિભાજ ન થાય તેના પક્ષમાં હતા. જયારે સાવરકર ના સાથીએ એક હિન્દૂ રાષ્ટ્ર ઉભું થાય તેવી માગ શરૂ કરી. ગાંધીજી ના વીરૂધ માં કાળા વાવટા દેખાડાય અને અંગ્રેજો કોંગ્રેસની માગ સાબલે નહિ તેવી મહીં ચાલુ કરાવાઈ હતી.1940માં સુભાષ ચંદ્ર બોઝ ને પણ કોંગ્રેસમાં મતભેદ થાય અને જે જર્મની ના હિટલર પાસે મદદ માટે દોડી ગયા હતા. પછી હિટલર ની હાર સામે દેખતા જાપાન ના રાજા પાસે પોહચી ગયા પણ, ત્યારે અમેરિકાએ જપણ ઉપર બે અણુંબૉમ્બ નાખેલા. 1936 ની ઇન્ડિયન પ્રોવિન્સિયલ ચૂંટણીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ભારે બહુમતી હતી. અને હિન્દૂ મહા સભાએ ગાંધીજી ની આઝાદીની ચળવળને સાથ આપવાનો ખુલ્લે ખુલ્લો વિરિદ્ધ કર્યો હતો. અહીં કોંગ્રેસ સેક્યુલર એજન્ડા ઉપર ઉભું હતું અને તેનીસામે સાવરકર અને તેમની હિન્દુત્વની રાજનીતિ. જોત જોતામાં 1946 સુધીમાં ચૂંટણી થઇ અને તેમાં 296 સીટોમાંથી 208 કોંગ્રેસને મળી અને 73 મુસ્લિમ લીગને. આ હિન્દુત્વ ના રાજકારણી એક ભયાનક હાર ગણાય હતી. આ એસેમ્બલી કમિટી એ જ ભારતનું બંધારણ બનાવ્યું હતું અને તેમાંય સરદાર પટેલ ને જે 560 જેટલા નાના મોટા રજવાડાઓ હતા તેમને એક બંધારણ હેઠળ લાવવા તેની જબદરી સોંપેલી. ડો આંબેડકર જે આ બધારંણ કમીટીનાં ચેરમેન હતા તેમની દેખરેખ નીચે, સરદાર પટેલની પૂર સંમતિથી આ 307નો સમાવેશ પણ કમિટીએ જ કર્યો હતો. બધાજ ગાંધીજી ની સલાહ લેતા અને પણ એ કોઈ કમિટી માં જ ન હતા કે ચૂંટણીમાં ઉભા રહ્યા. આ શ્યામાં પ્રશાદ મુખર્જી એ આર એસ એસ ની મદદદથી ભારતીય જનતા પક્ષ સ્થાપ્યો હતો તે મૂળ કોંગ્રેસમાં હતા અને પછી નેહરુજીએ તેમની પોતાની પેહલી કેબિનેટમાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી અને સુપલાય નીમ્યા હતા. 1950 તે રાજીનામુ આપી નીકળી ગયા. પણ, જયારે ફાવે ત્યારે ગાંધીજી અને નેહરુનો વાંક કાઢનારાઓ એટલું ય સમજ્તા નથી કે આ બંધારણ સમિતિ અને ભારતની પ્રથમ કેબિનેટમાં મોટા મોટા ભણેલા ગણેલા દિગ્ગ્જ્જો હતા જે ગાંધીજી, સરદાર અને નેહરુને પણ હંફાઈ નાખે તેવા હતા. આજકાલ ની જેમ કોની હિંમત અડધી રાત્રે કાયદા અને નિયમો બંનાવવાની પ્રથા ચાલવી લેવાતી ન હતી.ગાંધીજી નું ખૂનભલે લોકો ગમે તે કહે પણ જાહેરમાં એક માણસ પિસ્તોલ લઇ એક બિન હથિયાર વડીલ જે સવારની પ્રાર્થના કરવા જય રહ્યા હોય તેને ગોળીઓ મારી મારી નાખે તો તેને આતંગવાદ સિવાય બીજી કઈ રીતે વર્ણવી શકાય? ભલે કોઈની સાથે રાજકીય વિચારણા માટે ભેદ હોઈ શકે, પણ ઉગાડે છોક ખૂન કરવાની રીત તો કોઈ પણ હિન્દૂ સંસકૃતિમાં માન્ય હોઈ શકે જ નહિ. છતાં આજે લગભગ 70 વર્ષો પછી પણ એવા છે જે આવ અતંગવાદીઓને પોતાના હીરો બતાવે છે. ભલે ગાંધીજીના શરીરનો અંત લાવી શક્ય પણ ગાંધીજીના વિચારોને અમર કરી ગયા. ગાંધીજી નો વાંક એટલો કે તે સત્ય ને સાથે ઉભા રહ્યા. તમના જીવવવનો અંત આઝાદી પછી કેમ લાવાનું સ્ર્ડયંત્ર કેમ ઘડાયું તે એક મોટો પ્રશ્ન ગણાય. ગાંધીજી ના તો કોઈ સત્તા ઉપર હતા નાતો કેબિનેટના કામમાં કોઈ દખલગીરી કરતા હતા. ઘણા સત્યાગ્રહીઓનું માનવું છે કે ગાંધીજીની ગોળીમારી હત્યા કરવાનું કારણ કૈક જુદુજ લાગે છે. છેલ્લા દશવર્ષોમાં ગાંધીજી એ ધીમે ધીમે પોતાના જીવનમાં સવાર સાંજ પ્રાર્થના ની પ્રવૃત્તિ શરુ કરી હતી. આઝાદી મળી ચુકી હતી અને સ્વતંત્ર ચૂંટેલી લોકસભા પણ. ગાંધીજી ચાર વિચારો પોતાના મંતવ્ય મુજબ આપે કે ના આપે શો ફર્ક પાડવાનો હતો? કેટલાક લોકોને એ ડ ર હતો કે આ ગુજરાતી ડોસાએ દાંડી કુચ જેવી યુક્તિઓ કરી જનતાને પોતાની સાથે કરી દીધા હતા અને હવે જો રોજ ની પ્રાર્થના નું વેગ વધી ગયું તો ઠેર ઠેર કોંગ્રેસ સેવકો અને તેમના અનુયાયીઓ હિન્દૂ શ્રમનું મહત્વ તદ્દન બીજી રિતે જ જોવાનું શરુ કરશે। અને જો એમ થશે તો આ હિન્દુત્વનું રાજકારણ ની સ્થિતિ તદ્દન ખોરવાઈ જશે. અહીં સેક્યુલર વિચાર ધારા અને ધાર્મિક સમજણ બંન્ને ભારતને એક હિન્દૂ રાષ્ટ્ર બનાવના ચક્કર માં એક મોટો અવરોધ તરીકે જોતા હતા. ગાંધીજી ને તો દૂર કરી ગયા પણ તેને વિચારો એ વધારે મૂળ નાખી દીધા. 60 જેટલા વરસો સુધી આ સેક્યુલર કોંગ્રેસ અને સોશ્યલીસ્ટ નીતિઓ ઉપર કાદવ ઉડાડવા સિવાય કશું કરી શકાય નહિ. ઇમર્જન્સી થી ના હોટ અને જ ન તા પક્ષ ઉભો કરાય પણ ન હોટ., તેમાંના મોટાભાગના નેતાઓ કોંગ્રેસના નાસીપાસ તમાંયેલા નેતાઓ હતા, જેવાકે મોરારજી દેસાઈ ને જયપ્રકાશ નારાયણ. ભલે ગમે તેમ કહો પણ ઇમર્જન્સી લોકશિન સિદ્ધાંતો વિરુદ્ધ હતી અને તેની સજા કોંગ્રેસ ને મળી હતી. પણ જ.ન.તા પક્ષ પાછળ ની તાકાત અને અન્ના હઝારેની પાછળ શક્તિઓ ના મૂળ શોધવું દૂર જાવવી જરૂરજ નથી. બન્નેનો ઉપયોગ સમય સમયે કરાયો અને પછી ચાદર ઓઢાડી સુવાડી પણ દેવડાયો. ગાંધીજી પછી સરદાર ને નેહરુથી જુદા કરી જેટલો ગાંડો પ્રચાર કરાય તેટલો કરાયો. નેતાજી નો અને આંબેડકરના નામનો ઉપયોગ ગાંધીજી અને નહેરુ સામે કરાયો. ડેવલપમેન્ટ અને ગુડ ગવર્નન્સ ને અન્ના હઝારે આંદોલન ને પૂંછડે લગાવી 2019 ચૂંટણીમાં હિંદુત્વને એક ખાનગી પ્રચાર માટે પૂરતો રાખી, સેક્યુલર માં સુડો સેક્યુલર કરી તેની નવી નવી વ્યાખ્યાઓ બહાર આવવા લાગી. પછીનો ઈંતિહાસ તો હજુ તાજોજ છે. અને આમ ભારતના બંધારણ ના સેક્યુલર અને સોશ્યલીસ્ટ બંને સિદ્ધાંતોને નવીનવી વ્યાખ્યાઓ આપી ચૂંથી નખાઈ રહ્યા છે. જે રીતે મૂડીવાદીઓને લોટવાની બેફામ છુટ આપવાનું શરુ થઇ ગયું છે અને સરકારી સુવિધાઓ જેવીકે શિક્ષણ અને શારીરિક સારવાર ઉપરાંત બીજી સેવાઓનો સરકારી ઓક્સિજન ઓછો કરવાનું દેખાઈ રહ્યું છે તે કઈ તરફ ભારતને લઇ જવામાં આવ્યું છે તેની નિશનીઓ છે.અમેરિકાના ત્યાંની પાર્લામેન્ટ જેને સેનેટ કહેવાય છે તેના નેતા શ્રી સ્ટેની હોયરે, ભારતના વાડાપ્રધાનની હાજરીમાં 2019 માં કહ્યુ હતું કે બંને દેશો ને એ અભિમાન છે કે જૂની સંસ્ક્રુતી મુજબ ગાંધીજી ની શિક્ષા અને નેહરુની ભારતમાટે એક સેક્યુલર લોકશાહી માટે ની દીર્ગ દ્રષ્ટિ અમો માનવોર્ન અધિકારો અને વિવિધતા ના મૂળભૂત અધિકારો ને સાંભળવા પર્યટન કરીએ છીએ. આજે 70 વર્ષો પછી પણ આ અમેરિકન ભારતની છબી, એક બ્રાન્ડ માટે ઘણું બધું કહી ગયો કહેવાય. આજે રાજકીય દાવ પેચોમાં દરેક પ્રકારની વ્યવસ્થા ધીમે ધીમે આ મૂળભૂત સિદ્ધાંતો ની સામે નો પડકાર ઘણી કે પછી ગાંધીજીના પૂતળાને હારતોરા કરી, જયારે પેલા વળી જોશો તો લાગશે કે ગાંધીજી જેવો મહાન આત્મા ખરેખર આ પૃથ્વી ઉપર કોઈ જીવિત માનવ હતો? મારી દ્રષ્ટિએ, આજે ધીમે ધીમે લોકશી જનતાના હાથમાંથી સરકી રહી છે, પણ મારે તો ફક્ત વાહ….વાહ કરવાની અને ભલે પછી……… બુદ્ઘદેવ પંડ્યા 2 ઓક્ટોબર 2020 યૂનાઇટેડ કિંગડમ….