રાષ્ટ્રીય ગૌસેવા આયોગ ચેરમેન ડૉ વલ્લભ કથીરિયા નો આજનો બનાસકાંઠા નો કાર્યક્રમ
રાષ્ટ્રીય ગૌસેવા આયોગના ચેરમેન ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા આજરોજ સવારે બનાસકાંઠાની બનાસ ડેરી ની મુલાકાત લેનાર છે તેમજ સરકારના પશુપાલન ખાતાના અને ગૌ સેવા સાથે જોડાયેલા તેમજ વેટરનરી ઓફિસરો જિલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓ સાથે પણ મીટીંગ યોજનાર છે તેમજ બપોર પછી તેઓ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ની મુલાકાત લઈને પશુપાલન અંતર્ગત જવાબદાર લોકો સાથે વાર્તાલાપ કરશે ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે
##₹#₹₹#₹#₹₹############################
ઢળતી સંધ્યાનું આકાશકેટલું ખૂબસુરત લાગે છે તો પછી……ઢળતી ઉંમર નો આપણને કેમ થાક લાગે છે…..?
આ તબક્કે જ અધૂરા સપનાઆેપૂરી કરવાની એક આશ જાગે છે તો પછી….ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…… ?
જવાબદારીઓ થી મુક્ત થઈનેપોતાની જાતને મળવાની એકપ્યાસ જાગે છેતો પછી….ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…… ?
અંધારી રાત પછી, સોનેરીસવારનો કેવો ઉજાસ લાગે છે આ ઉંમરે જિંદગીના અનુભવોપરથી….સમજણનો એકઅહેસાસ જાગે છે…….તો પછી….ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે…….
સુખ-દુઃખ એ જીવનનું સનાતનસત્ય છે…..એને બાજુ પર મૂકીજિંદગી જીવો……પછી જુઓ જિંદગી કેવી ખાસલાગે છે……. !!!
તન થાકવું એ નિયતી છે…..પણ…. મનથી નહીં થાકતાદોસ્તો…… પછી જોઈ લેજો……ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ થાક લાગે છે……
*******************************************************
બાળ વાર્તા નં .૪ કારીગર
બાળકો આપણાં જીવનમાં ઘણાં કારીગરો હોય છે.માટલા બનાવનાર કુંભારલોંખડની ચીજો બનાવનાર। લોહારલાકડાની ચીજો બનાવનાર। સુથાર બગીચા ની સંભાળ લેનાર। માળી સોનાના દાગીના બનાવનાર। સોની/સોનાર કપડાં સીવનાર દરજી રસોઈ બનાવનાર। રસોઇયો /મહારાજ પૂજા કરનાર। પૂજારી દર્દીને તપાસી દવા આપનાર। દાક્તર/ડોક્ટર ભણાવનાર/જ્ઞાન આપનાર। શિક્ષક/ગુરૂ કથા કહેનાર કથાકાર લાકડા કાપનાર। કઠિયારો શાકભાજી વેચનાર। કાછિયો
આવા અનેક છે પેટ ભરવા ઘણી જ મહેનત કરતા હોય છે અને તેમના ધંધા પ્રમાણે ઓળખાતા પણ હોય છે. દરેક પર પંચતંત્ર પર વાર્તા પણ ને શીખવા જેવી શિખામણ પણ મળે છે..
આધુનિક જીવનની આધુનિક શૈલીમાં વાત કરીએ તો મોબાઈલ પર તમે ગુગલથી બધી જાણકારી પણ મેળવી શકો છો.એક કામ કરશો તો તમને વધુ આનંદ થશે.તમે આ બધા કારીગરોની મુલાકાતે જજો તો તમને એમની મહેનત વિશે વધુ માહિતી મળશે અને વધુ શીખવાનું. મોટા થઈ કયો હુન્નર કરવો તે પણ જાણકારી મળશે.
એક સરસ દાખલો આપું છું લોખંડમાંથી લોહાર તલવાર બનાવે છે અને સોઈ પણ…તલવાર માણસ રક્ષણ માટે રાખે છે પણ તે લોહી જ વહેવડાવે જ્યારે નાની સોઈ સાંધવાનું કાર્ય કરે. કપડાં ફાટે કે શરીર નો ઘા તે ટેભાં(ટાંકા/stitches) લઈ સાંધે છે.બનાવનાર કારીગર એક દ્રવ્યમાંથી પણ બે કેવી જુદી જુદી ચીજો બનાવે છે.
કુંભારનું મહત્વ એના માટીના વાસણથી જ ખબર પડે. સોની નું મહત્વ તેની નકાશી થી..દાગીનાના ઘડામણ થી. એક સરસ વાર્તા જાણો …
*રૂપ-કુરૂપ*
કાલિદાસ કવિ ને સંસ્કૃતના મહારથી હતા.તેઓ વિક્રમાદિત્ય રાજાના કવિ હતા.રાજા પોતે સશક્ત અને ઘાટીલા (Handsome) હતા. બન્ને બગીચામાં ફરી રહ્યા હતા. રાજાએ કાલિદાસને કહ્યું ,”તમે કેમ આવા કુરૂપ છો? હું કેમ આવો સુંદર ને આકર્ષિત . “
કવિ એ કહ્યું ,”ફૂલ કેવા સુંદર રંગબેરંગી છે પણ તેને સાથ દેનાર ડાળીને થડ કેવા છે? છતાં કુરૂપતા ને સુંદરતાનો ભેદ કાલે દરબારમાં કહીશ.”
બીજે દિવસે દરબાર ભરાયો છે.રાજા રાણીઓ ને દરબારી આવ્યા. કાલિદાસ બે થેલા લઈઆવ્યા. વચ્ચોવચ મૂક્યા ને પછી વાતની શરૂઆત કરી .*રૂપ કુરૂપ શું છે?મનની માન્યતા કે આંખોની નજરથી મપાતું માપ દંડ.* બધાએ કહ્યું ,”સુંદર ને રૂપ તો દરેકને ગમે.”
તેમણે બન્ને થેલા ખોલ્યા એકમાં સોનાનું માટલું ને એકમાં માટીનું માટલું હતું ,બન્ને પાણી થી ભરેલા હતા.કાલિદાસે સૌ પ્રથમ રાણીઓ ને પાણી પાયું. પછી રાજાને.
બન્ને ને પૂછ્યું ,”ક્યું પાણી મીઠું ને ઠુંડુ હતું?”
બન્ને બોલી ઉઠ્યા ,*માટલાનું .*”
એક પછી એક દરબારીઓ નો પણ આજ જવાબ હતો. કાલિદાસે કહ્યું ,”રૂપાળું તો સોનાનું માટલું છે તો પછી માટીનું કુરૂપ માટલાનું પાણી કેમ?”
કાલિદાસે સમજાવ્યું રૂપ ને કુરૂપતા માનસિક છે..સૌ પોતપોતાના ગુણ પર થી ઓળખાય છે. રાજા ક્ષત્રિય ને બહાદૂર છે ને રૂપાળા તો હું શાસ્ત્રીય જ્ઞાની છુ ,પણ કદરૂપો…પણ છું તો રાજા જેટલો જ મહત્વપૂર્ણ.
• માટે ગુણ પારખો રૂપ નહિ* • સૌ કારીગર તેમની કલા ના માહિર જ છે..ન કોઈ મહાન ન કોઈ હીન. • સૌને માનથી જુઓ ગુણથી ઓળખો
*જયશ્રી પટેલ* *૧૦/૧૨/૧૯*
************************””””””****************************
*કદમ* અટકી ગયા જયારે અમે પહોચ્યા *બજારમાં,**વેચાઈ* રહ્યા હતા *સંબંધ*, ખુલ્લે આમ *વ્યાપારમાં.*ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું: *”શું કીમત છે સંબંધની?”*દુકાનદારે કહ્યું : કયો લેશો? *”બેટાનો”* આપું, કે *”પિતાનો?”* *”બહેનનો”*, કે *”ભાઈનો?”* કયો લેશો?*”માણસાઈનો”* આપું કે *”પ્રેમનો”* આપું?*”માં”* નો આપું કે *”વિશ્વાસનો?”* કયો આપું? બોલો તો ખરા, *ચુપચાપ* ઉભા છો, કંઈક *બોલો* તો ખરા!*”મેં ડરીને”* પૂછ્યું : *”દોસ્તનો સંબંધ?”*દુકાનદાર *”ભીની આંખોથી”* બોલ્યો:*”સંસાર”* આ *”સંબંધ”* પર જ તો *”ટકેલો”* છે,*”માફ કરજો! આ “સંબંધ” બિલકુલ* નથી,આનું કોઈ *”મુલ્ય”* લગાવી નથી શક્યુ, પણ જે દિવસે આ *વેચાઈ* જશે, એ દિવસે આ *સંસાર ઉજ્જડ* થઈ જશે.આ રચના મારા સૌ *”સ્નેહી-મિત્રોને અર્પણ”* છે.સારૂ છે, *”પાંપણનું કફન”* છે,નહીંતર આ *”આંખમાં”* ઘણું બધું *”દફન”* છે! *🚩
***************†***************************************
🤡કોરોના હટાવો🤡
🎅🏻અરે માનવ ઘરથી જાતાં બહાર મુખ પર લગાવો માસ્ક ભૂલતાનહીં લગારગળેથી મળવું હવે બંધ કરોદૂરથી કરતા રહો નમસ્કારસેનિટાઇજર સદા પાસ રખાયહાથ મુખ સ્વચ્છ કરતા રહોકોરોના શરીરમાં ના પ્રસરાયખાણી પીણી માં ધ્યાન રાખશોહોટલ લારી નું બહાર ના ખવાયઆવે કોઇને ઉધરસ તાવ જો તુર્તજ કોરોના ટેસ્ટ કરાવાયઆવે જો પોઝીટીવ રિપોર્ટ તોતુર્ત જ ટ્રિટમેન્ટ શરુ કરાયહોસ્પિટલથી રજા મલતાંચૌદ દિન કોરોન્ટાઇલ થવાયસિનિયર હો તો કાળજી રખાયઘરડાં ને જલ્દી રોગ પકડાયકોરોના ભયંકર વળી વરસાદચોમાસામાં જીવજંતુનો ત્રાસચેતીને જિવન જિવશો ખાસકોઇ રોગ નહીં આવે તુમ પાસ
“મન”🌷કેનેડા 🍁🇮🇳૨૬-૦૮-૨૦૨૦🇨🇦
♈️ શુધ્ધ જિવન ♈️
સાદુ જિવન સાચુ જિવનમાણો સૌથી સુંદર જિવનશુધ્ધ પવિત્ર રહે વિચારવાણીમાં કટૂતા ના લગારવર્તન માં સભ્યતા અપારચોખ્ખો રાખવો વ્યવહારકરવા રહો સદા સત્ કર્મરહેશે નિરંતર પ્રફુલ્લિત મનલોભ મોહ દુર્વ્યસન નો ત્યાગપાપ તાપથી મુક્ત રહો આપઇમાનદારી જિવનમાં અપનાવોઆડમ્બર દંભ દિલથી ભગાવોપરમાત્માથી સ્વઆત્મા મિલાવોમન હર્ષિત જિવન ધન્ય બનાવો
🌞”મન”🌞કેનેડા 🍁🇮🇳૨૭-૦૮-૨૦૨૦🇨🇦
*******************************************************
જામનગરમાં કૂતરા બિલાડી થી નકટો બતક અને તેના ૧૩ બચ્ચાનો જીવ બચાવતી લાખોટા નેચર કલબ.
જામનગર પાસેના ગુલાબનગરમાં લોકોના ટોળા અને શેરી કૂતરા – બિલડાથી ત્રસ્ત થઈ ફસાયેલ 13 બચ્ચા સાથે એક માદા નક્ટો બતક (Comb Duck) છે, નિઃસહાય અવસ્થામાં છે તેવી જાણકારી જામનગરની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સદસ્ય આનંદ પ્રજાપતિ ને મળી હતી આ જાણકારીને આધારે લાખોટા નેચરલ ક્લબના સભ્ય મિલન કંટારિયા અને તેના પક્ષિપ્રેમી મિત્ર યુવરાજસિંહ સોઢા ગુલાબનગર વિસ્તારમાં દોડી ગયા હતાં.અને લોકો ના ટોળા ને દૂર કરી નિઃસહાય બતક અને તેના ૧૩ બચ્ચા ને બચાવવા કામગીરી હાથ ધરી હતી અંતે ૧ કલાક ની જેહમત બાદ નકટો બતક અને તેના તમામ બચ્ચા ઓને રેસ્ક્યું કરીને આ પક્ષીને પ્રકૃતિના ખોળામાં જામનગરના લાખોટા તળાવ અંદર સલામત સ્થળે મુક્ત કર્યા હતા જામનગરની જાણીતી અને પ્રકુતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ દ્વારા આ પ્રકારની પક્ષીઓને બચાવવા સહિતની કામગીરી અનેક વખત કરવામાં આવે છે .