Press Brief 10.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat Corona latest Report)
GN_11-5-2020 (news of Gandhinagar PDF file..open for read)
JF_10-5-2020 (jan Fariyad PDF file):
*ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર*
*કોવિડ -૧૯ના એસિમ્પ્ટોમેટિક અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે*
▪ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે
*રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસની સાથે ડિસ્ચાર્જનો આંક ૨૧૯ એ પહોંચ્યો*
: *છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો*
*********
*હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના એસિમ્પ્ટોમેટિક કે ખૂબજ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે*
. *કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે*.
*આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMR ની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે*
. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ -૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.
ડો. રવિએ રાજ્યમાં નવા પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, આજે રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસ આવ્યા છે. તેની સાથે જ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે જતા દર્દીઓની સંખ્યાનો આંક ૨૧૯ એ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ૧૫ દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો થયો છે, જે ખૂબ જ હકારાત્મક અને પરિણામલક્ષી બાબત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૦૯,૬૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૭૭૯૭ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૫૨૧૦ દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે જ્યારે ૨૪ દર્દીઓ ક્રિટિકલ સ્ટેજ પર છે. અત્યાર સુધી કુલ ૨૦૯૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
****
[5/10, 6:53 PM] Uday Vaisnav: *લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં કોઈને ભૂખ્યા સુવું ન પડે તેવી મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા*
……
*એપ્રિલ મહિનામાં જ રૂ. ૧૦૩૯ કરોડની બજાર કિંમતનું ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે વિતરણ થયું*
……
*ઘઉં ૧૨.૦૪ લાખ કવીન્ટલ- ચોખા ૧.૩૯ લાખ કવીન્ટલ – ખાંડ ૧.૧૯ લાખ કવીન્ટલ- દાળ સાથે ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ નિ:શૂલ્ક પુરૂં પાડવાની ગુજરાતની આગવી પહેલ*
…….
*મે મહિનામાં અત્યાર સુધીમાં ૬૧ લાખ APL-1 કાર્ડધારકોના ૧.પ૦ કરોડ મધ્યમવર્ગીય લોકોએ રૂ. ૧૧પ કરોડના બજાર મૂલ્યના ૪ લાખ ૬૦ હજાર કવીન્ટલ અનાજ વિતરણનો લાભ મેળવ્યો*
……
*કોરોના વાઇરસના સંક્રમણના કપરા કાળમાં રાજ્યની જનસંખ્યાના ૯ર ટકાને વિનામૂલ્યે અનાજ વિતરણનો નવતર રાહ બતાવતું ગુજરાત*
…….
*જરૂરતમંદ પરિવારોની તરફેણમાં પોતાનો અનાજ મેળવવાનો હક્ક જતો કરવાની સંપન્ન વર્ગોને મુખ્યમંત્રીશ્રીની અપિલને સફળ પ્રતિસાદ:-૩૦ ટકા લોકોએ હક્ક જતો કર્યો*
…….
*મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે ૬૬ લાખ NFSA લાભાર્થીઓ અને ૬.૩૮ લાખ શ્રમયોગીઓમાંથી અત્યાર સુધીમાં પ૦.પર લાખ લાભાર્થીના બેન્ક ખાતામાં કુલ રૂ. પ૦પ કરોડની સહાય જમા થઇ*
……
*શ્રી વિજયભાઇ રૂપાણીએ વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં સુચારૂ ઢબે-સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે ૧૭૦૦૦ દુકાનો પરથી અનાજ વિતરણ કાર્ય પાર પડયું*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાની ફલશ્રુતિને પરિણામે, એપ્રિલ માસમાં રૂ. ૧૦૩૯ કરોડની બજાર કિંમતનું ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ વિનામૂલ્યે આવા પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે.
સમગ્ર એપ્રિલ મહિના દરમ્યાન NFSA ૬૬ લાખ પરિવારોને તબક્કાવાર બે વખત તેમજ APL-1 મધ્યમવર્ગીય ૬૧ લાખ પરિવારોને એક વખત આવું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું છે.
આ વિનામૂલ્યે અનાજ વિતરણમાં એપ્રિલ મહિનામાં કુલ ર૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં, રૂ. પ૯૬.૪૮ કરોડના બજાર મૂલ્યના, ચોખા ૧ર.૦૪ લાખ કવીન્ટલ રૂ. ૩૧પ.૯૦ કરોડની બજાર કિંમતના, રૂ. પપ.૭૦ કરોડની કિંમતની ૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ તેમજ ૧.૧૯ લાખ કવીન્ટલ ચણા દાળ-ચણાનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ રાજ્યના ૬૦મા સ્થાપના દિવસ અવસરે રાજ્યના ૬૧ લાખ APL-1 કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ લોકોને પ્રવર્તમાન સ્થિતીમાં સતત બીજીવાર મે મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કરેલી જાહેરાત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી આ જાહેરાત મુજબ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી તા. ૭મી મે થી તા. ૧રમી મે દરમ્યાન આ અનાજનું વિતરણ થઇ રહ્યું છે.
રાજ્યના દોઢ કરોડ લોકો એટલે કે ૩૦ લાખ જેટલા APL-1 કાર્ડધારકોએ આ યોજના તહેત તા. ૧૦મી મે સુધીમાં રૂ. ૧૧પ કરોડની બજાર કિંમતનું ૪ લાખ ૬૦ હજાર કવીન્ટલ અનાજ વિનામૂલ્યે મેળવ્યું છે.
લોકડાઉન લંબાવાની સ્થિતીમાં APL-1 કાર્ડધારક એવા ૬૧ લાખ મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુંવું ન પડે એેટલું જ નહિ, સૌને અનાજ મળી રહે તેવી સંવેદના સાથે મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો છે.
આવા ૬૧ લાખ APL-1 કાર્ડ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોના અઢી કરોડ નાગરિકોને આ વિતરણ અંતર્ગત પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ તેમજ ૧ કિલો ચણાદાળ-ચણાનું વિનામૂલ્યે વિતરણ થઇ રહ્યું છે.
આ વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન અને માસ્કના ફરજિયાત ઉપયોગની શરત સાથે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે આઠ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવે છે.
જેમાં રવિવાર તા. ૧૦મી મે સુધીમાં ૬૩ કરોડ રૂપિયાની અંદાજિત બજાર કિંમતના ૩ લાખ કવીન્ટલ ઘઉં રૂ. રર કરોડના મૂલ્યના ૧ લાખ કવીન્ટલ ચોખા તેમજ રૂ. ૧ર કરોડની કિંમતની ૩૦ હજાર કવીન્ટલ ખાંડ સહિત ૪ લાખ ૬૦ હજાર કવીન્ટલ અનાજ રૂ. ૧૧પ કરોડના મૂલ્યનું વિતરણ થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જરૂરતમંદ એવા મધ્યમવર્ગીય પરિવારોને આ અનાજ વિતરણનો લાભ મળી શકે તે હેતુસર સુખી અને સંપન્ન લોકો પોતાનો આવો અનાજ મેળવવાનો અધિકાર સ્વૈચ્છિક રીતે જતો કરે તેવી કરેલી અપિલને પણ સફળ પ્રતિસાદ મળ્યો છે.
રાજ્યના APL-1 કાર્ડધારકો એવા ૬૧ લાખ પૈકીના ૩૦ ટકા જેટલા સંપન્ન લોકોએ પોતાનો આવો અધિકાર જતો કરીને જેમને વધુ જરૂર છે તેવા લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની સ્થિતીમાં ધંધા-વ્યવસ્યા-રોજગાર-આર્થિક ગતિવિધિઓ ખોરંભે પડી ત્યારે હરેકને બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તે માટે એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા રાજ્યના વહિવટીતંત્ર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને પ્રેરિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના દિશા નિદેર્શોમાં રાજય સરકારે લોકડાઉન જાહેર થયા બાદ તારીખ રપ/૩/ર૦ર૦ ના રોજ નિર્ણય કર્યો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા ૬૬ લાખથી વધુ લાભાર્થીઓને એપ્રીલ-ર૦ર૦ માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેથી તેમને ઘરમાં અનાજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ તારીખ રપ/૩/ર૦ર૦ના રોજ નિર્ણય કર્યા બાદ માત્ર ૧૫ દિવસના ટૂંકાગાળામાં જ અનાજ વિતરણની કામગીરી રાજયની ૧૭૦૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી પૂર્ણ કરી દેવામાં આવી હતી.
આ હેતુસર ખૂબ જ ટૂંકાગાળામાં ૧ર લાખ કવીન્ટલ ઘઉં, પ લાખ કવીન્ટલ ચોખા, ૯૦ હજાર કવીન્ટલ ખાંડ, ૭૦ હજાર કવીન્ટલ ચણા અને તુવેર દાળ તથા ૭૮ હજાર કવીન્ટલ મીઠું એમ કુલ મળીને ૧૯.૩૮ લાખ કવીન્ટલ અનાજ જથ્થાને જીલ્લા મથકો / તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા સુધી વિતરણ કરવાની વ્યવસ્થાની પડકારરૂપ કામગીરી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ તથા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓએે સુપેરે પાર પાડી છે.
એન.એફ.એસ.એ. અંતર્ગત લાભ મેળવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા ૬૬ લાખ પરિવારોને રાજ્ય સરકારે ૪૪૫.૫૦ કરોડ રૂપિયાની બજાર કિંમતના ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે વિતરણ કરીને અંત્યોદય પરિવારો પ્રત્યે આગવી સંવેદના દર્શાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ એન.એફ.એસ.એ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો ઉદાત ભાવ દર્શાવ્યા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ૬૧ લાખ APL-1 કાર્ડધારકો એવા મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ થી ૩ કરોડ લોકોને તા. ૧૩ મી એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી હતી.
રાજ્યના કુલ ૬૧ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૪પ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૯૪.પ૦ કરોડ થાય છે, ૧.૪૦ લાખ કવીન્ટલ અને રૂ. ૩૦.૮૦ કરોડની બજાર કિંમત ધરાવતા ચોખા, રૂ. ૧૮ કરોડની બજાર કિંમત ધરાવતી ૪પ હજાર કવીન્ટલ ખાંડ અને રૂ. ર૭ કરોડની કિંમતના મૂલ્યની તુવેર અને ચણા દાળ મળીને કુલ રૂ. ૧૭૦.૩૦ કરોડની બજાર કિંમતનું ૬.૮૦ લાખ કવીન્ટલ અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ત્યાર બાદ રાજયમાં અન્ય પ્રદેશ કે પરપ્રાંતમાંથી રોજગાર મેળવવા માટે આવેલા હોય તેવા શ્રમિકો, કામદારો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા વર્ગના ગરીબોને અન્ન બ્રહમ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ખાંડ દાળ અને મીઠું સહિતની ખાદ્ય સામગ્રી આ લોકડાઉનના સમયમાં મળી રહે તેવા ઉદાર ભાવથી જીલ્લા કલેકટરશ્રીઓ પાસે આવા લાભાર્થીઓની યાદી તૈયાર કરાવડાવીને આશરે પ લાખ લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજનામાં અનાજ કિટનું વિતરણ લાભ આપ્યો.
અન્નબ્રહ્મ યોજના અંતર્ગત ૧૪૧૯૦ કવીન્ટલ ઘઉં, ૬૩૯૦ કવીન્ટલ ચોખા, ૪ર૬૦ કવીન્ટલ ખાંડ અને ૪ર૬૦ કવીન્ટલ તુવેર-ચણા દાળ મળીને કુલ રૂ. ૮.૬૩ કરોડની બજાર કિંમતનું ૨૯૧૦૦ કવીન્ટલ અનાજ આવા શ્રમિકો, કામદારો, દરિદ્રનારાયણોને વિનામૂલ્યે અપાયું.
કોરોના વાઇરસને કારણે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં અંત્યોદય-ગરીબ પરિવારોને આર્થિક આધાર આપવા મુખ્યમંત્રીશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઇને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે રૂ. ૧૦૦૦ની સહાય NFSA યોજનાનો લાભ મેળવતા કાર્ડધારકોના ખાતામાં સીધી ડી.બી.ટી દ્વારા જમા કરાવવાની જે પહેલ કરી તેના પગલે પ૦.પર લાખ લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં કુલ રૂ. પ૦પ કરોડ રાજ્ય સરકારે જમા કરાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનનો સમયગાળો વધુ લંબાવાની સ્થિતીમાં આવા ૬૬ લાખ એન.એફ.એસ.એ. કાર્ડધારકો – પરિવારો પ્રત્યે વધુ ઉદાર ભાવ દર્શાવીને તેમને વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, અને ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે બીજીવાર આપવાનો નિર્ણય કર્યો.
તા. રપ એપ્રિલ થી તા. ૩૦ એપ્રિલ દરમિયાન આ અનાજ વિતરણ કરવાના ભાગરૂપે રૂ. ૩પ૭ કરોડના બજાર મૂલ્યના ૧૬ લાખ ૮૦ હજાર કવીન્ટલ અનાજ જેમાં રૂ. ર૪૭ કરોડના ૧૧.૮૦ લાખ કવીન્ટલ ઘઉં અને પ લાખ કવીન્ટલ ચોખા રૂ. ૧૧૦ કરોડના મૂલ્યના વિનામૂલ્યે વિતરીત કરવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ધ્વારા દર માસે કાર્ડધારકોને આપવામાં આવતા અનાજ વિતરણની કામગીરી જે સમગ્ર માસ દરમ્યાન ચાલતી હોય છે તેને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં માત્ર ગણતરીના સમયમાં પુરી કરવાનો પડકાર ઝીલી લઇને રોજીંદી કામગીરી કરતાં ચાર ગણી વધુ કામગીરી કરીને પણ નાગરિક પુરવઠા વિભાગના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ /કર્મયોગીઓએ /જીલ્લા સ્તરે વિતરણ વ્યવસ્થા સાથે નાગરિક પુરવઠા નિગમના અધિકારીશ્રીઓ / કર્મયોગીઓ / ગોડાઉન મેનેજરો તથા સસ્તા અનાજના દુકાનદારોએ સરળતાથી આ કપરા સમયમાં અનાજ વિતરણ વ્યવસ્થા સુનિયોજીત ઢબે પાર પાડી છે.
કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યીલ ડિસ્ટન્સ જાળવીને અને સસ્તા અનાજની દુકાનો પર ભીડભાડ ન થાય તેની તકેદારી રાખવા સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ રાજય સરકારની આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે.
રાજ્યનો કોઇ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, અન્ન નાગરિક પુરવઠા નિયામક હેઠળના જીલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને નાગરિક પુરવઠા નિગમના જીલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓએ મળીને સાકાર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અનાજ વિતરણ વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો અનુસરીને ભીડભાડ કર્યા વિના અનાજ મેળવવા આવેલા અંત્યોદય પરિવારોની અને આ વિતરણ કામગીરી સુપેરે પાર પાડી રહેલા કર્મયોગીઓની કર્તવ્ય પરાયણતાને બિરદાવી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/10, 7:07 PM] Uday Vaisnav: ગુજરાત સરકાર શ્રમિકોની વહારે :* ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં
સૌથી વધુ 167 ટ્રેનો દોડાવીને મજૂરો-શ્રમિકોને તેમના વતન રાજ્ય પહોંચાડવામાં મદદ કરી*
……
*મહારાષ્ટ્ર કરતાં ત્રણ ગણી વધુ ટ્રેન ગુજરાતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકો માટે રવાના થઇ
દેશમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં ગુજરાત 167 ટ્રેન સાથે પ્રથમ – મહારાષ્ટ્ર-45 પંજાબ-36 તેલંગાણા-25 કેરળ-24 રાજસ્થાન-20 કર્ણાટક-14 હરિયાણા-1 11 ટ્રેનો રવાના થઇ*
……
*રવિવારે વધુ 56 ટ્રેનો દોડશે, જે પૈકીની 42 ટ્રેનો ઉત્તરપ્રદેશ, 5 મધ્યપ્રદેશ, 3-3 ટ્રેનો બિહાર અને ઓડિશા તથા એક-એક ટ્રેન પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઝારખંડ માટે દોડાવાશે*:
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આપી માહિતી* :-
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર શ્રમિકોની સતત ચિંતા કરી રહી છે. કોરોનાની આ મહામારીને પરિણામે લોકડાઉનની સ્થિતીમાં વતનમાં જવા ઇચ્છુક પ્રત્યેક શ્રમિકો માટે ગુજરાત સરકારે સામે ચાલીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ તેમના વતન પહોંચાડવા માટે જરૂરી ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી છે.
દેશભરમાં રવિવારે મધરાત સુધીમાં દોડેલી કુલ 364 પૈકીની 167 ટ્રેનો તો એકલા ગુજરાત રાજ્ય દ્વારા જ દોડાડવામાં આવી છે.
આ દૃષ્ટિએ લગભગ 46% ના હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, જેણે મહત્તમ સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ અને શ્રમજીવી ટ્રેનો દોડાવીને શ્રમિકોને તેમના માદરે વતન પહોંચાડવામાં મદદ કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, શ્રમિકોને તેમના વતનમાં ટ્રેન મારફતે પહોંચતા કરવામાં મુખ્યમંત્રીશ્રીએ ખુબ જ સંવેદનશીલતાથી રાજ્યના વહિવટીતંત્રને પ્રેરિત કર્યુ છે.
ગુજરાતમાંથી દોડાવવામાં આવેલી સૌથી વધુ સંખ્યામાં ટ્રેનો તેનો જીવતો જાગતો પુરાવો છે. ગુજરાત પછીના ક્રમે 45 ટ્રેનો સાથે મહારાષ્ટ્ર, 36 ટ્રેનો સાથે પંજાબ, 25 ટ્રેન સાથે તેલંગાણા, 24 ટ્રેન સાથે કેરળ, 20 ટ્રેન સાથે રાજસ્થાન, 14 ટ્રેનો સાથે કર્ણાટક અને 11 ટ્રેનો સાથે હરિયાણા છે.
મહારાષ્ટ્રની સરખામણીએ લગભગ ત્રણ ગણી વધુ ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવવાની કામગીરી થઇ છે, જેના દ્વારા આશરે બે લાખ શ્રમિકોને તેમના વતન સુખરૂપ પહોંચતા કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ શ્રમજીવી અને સ્પેશ્યલ શ્રમિક ટ્રેનો ઓડિશા, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે પૂરતી વ્યવસ્થા સાથે દોડાવવામાં આવી રહી છે.
પરપ્રાંતીય શ્રમિકો અને મજૂરો માટે જે ટ્રેનો ગુજરાત સરકાર દ્વારા દોડાવાઈ તેમાં જો રવિવારે સવારે નવ કલાકે દોડાવેલી વધુ એક ટ્રેનનો ઉમેરો કરીયે તો આ સંખ્યા 168 ઉપર પહોંચે છે. ગઈકાલે શનિવારે કુલ 42 ટ્રેનો મારફત શ્રમિકો-મજ઼દૂરોને તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા.
શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રવિવારે વધુ 56 ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવશે. અમદાવાદ-સાબરમતી અને વિરમગામથી 18 ટ્રેનો, સુરતથી 14 ટ્રેનો, વડોદરા અને રાજકોટથી 3-3 ટ્રેનો તથા બાકીના અલગ-અલગ શહેરોમાંથી ટ્રેનો પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા રવાના થશે.
આજે આ વધુ 56 ટ્રેનો મારફત આશરે 67,200 શ્રમિકો તેમના વતન જશે. આમ અગાઉના 2 લાખ અને આજે રવાના થનારા શ્રમિકોની સંખ્યાને જોડી લઈએ તો કુલ લગભગ 2.68 લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચતા કરવાની કામગીરી રાજ્ય સરકાર મારફતે કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું કે, આજે જે ટ્રેનો સાંજ સુધીમાં રવાના થઇ રહી છે તે પૈકીની 42 ટ્રેનો ઉત્તર પ્રદેશ, 5 ટ્રેનો મઘ્ય પ્રદેશ, 3 ટ્રેનો બિહાર, 3 ટ્રેનો ઓડિશા તથા 1-1 ટ્રેન પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ તથા ઝારખંડના શ્રમિકોને લઈને જશે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/10, 7:16 PM] Uday Vaisnav: ”કોરોનાની મહામારીમાં કોઈપણ ભૂખ્યું ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ વિતરણ દ્વારા APL-1 પરિવારોને પણ રાશન પૂરું પડાઈ રહ્યું છે”
……
સસ્તા અનાજની દુકાનો મારફત પૂરતું Social Distancing જાળવીને રાજ્યના 61 લાખ કુટુંબો તથા અઢી કરોડની વસતીને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિતરણનો બીજો તબક્કો સોમવારે પૂર્ણ થશે
……
ખેડૂતો તેમની કૃષિપેદાશ વેંચીને પોષણક્ષમ ભાવો મેળવી શકે તે માટે માર્કેટિંગ યાર્ડ ખુલ્લા રાખવાના નિર્ણયથી પાકની 32.51 લાખ ક્વિન્ટલની કૃષિ ઉત્પાદન આવક મેળવાઈ :
મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો
…..
રાજ્યમાં ગરીબી રેખાથી ઉપર જીવતા (APL-1)માં સમાવિષ્ટ મધ્યમવર્ગીય પરિવારના સભ્યોને લોકડાઉન તથા કોરોનાની આ મહામારીમાં અનાજની કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે હેતુસર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સસ્તા અનાજની દુકાનોએથી બીજીવાર વિનામૂલ્યે રાશન વિતરણનો મહત્વનો નિર્ણય રાજ્યના સ્થાપના દિન ૧લી મે એ લીધો હતો.
રાજ્યના APL-1માં સમાવિષ્ટ 61 લાખ કુટુંબો તથા 2.5 કરોડની વસતીને એપ્રિલ માસમાં વિનામૂલ્યે રાશન આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ મે મહિનામાં પણ મધ્યમવર્ગીય આ APLકાર્ડધારક 61 લાખ કુટુંબોને નિ:શૂલ્ક રાશન આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત આજે વિતરણ વ્યવસ્થાનો ચોથો દિવસ છે, તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું.
સાતમી મૅ ના રોજથી શરુ થયેલી આ વિતરણ વ્યસ્થા અમદાવાદ શહેર સિવાય રાજ્યભરમાં સુચારુ રૂપે અમલી બની છે. આ કામગીરી હેઠળ 25 લાખ કુટુંબોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ આપવામાં આવી રહી છે. રવિવારે સાંજ સુધીમાં 30 લાખ કુટુંબો આ વિતરણ વ્યવસ્થાથી રાશન પ્રાપ્ત કરી લેશે તેવી સંભાવના છે, તેમ શ્રી કુમારે ઉમેર્યું હતું.
શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના સુખી-સંપન્ન લોકોને પોતાને મળવાપાત્ર વિનામૂલ્યે રાશનનો હિસ્સો જેમને જરૂર છે તેવા પરિવારોની તરફેણમાં સ્વૈચ્છીકપણે જતો કરવાની મુખ્યમંત્રીશ્રીએ કરેલી અપીલને આ વર્ગમાં આવતા પરિવરોએ સહર્ષ વધાવી હતી અને લગભગ 30% જેટલા કુટુંબોએ તેમનો હિસ્સો જતો કર્યો છે. મુખ્યમંત્રીની આ અપીલને આ મહિને પણ ઘણા પરિવારોએ સ્વીકારી છે અને તેનો વ્યાપક અને બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જેના લીધે જરૂરિયાત ધરાવતા કુટુંબો સસ્તા અનાજની દુકાનોમાંથી પૂરતું Social Distancing જાળવીને તેમનું રાશન પ્રાપ્ત કરી રહ્યા છે.
”આ રેગ્યુલર વિતરણ વ્યવસ્થાનો સોમવારે છેલ્લો દિવસ છે. આવતીકાલે એવા પરિવારો જેમના રેશનકાર્ડનો નંબર 0 અથવા 9 છે તેઓ રાશન મેળવી શકશે. 12મી મૅના ખાસ દિવસે અગાઉ જે કોઈ અનિવાર્ય કારણસર રાશન મેળવવાથી વંચિત રહી ગયા હોય તેવા પરિવારો સસ્તા અનાજની દુકાનો ઉપર જઈને તેમનું રાશન એકત્રિત કરી શકશે”, તેમ જણાવતા શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યું હતું કે; અમદાવાદ શહેર માટે વિતરણની નવી તારીખ હવે પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
આ તબક્કે જે APL-1 પરિવારો અગાઉ રાશન મેળવવાથી વંચિત રહી ગયા હોય તેઓ તેમના અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનેથી વિના મુલ્યે મેળવી શકશે.
ખેડૂતો અને તેમની ખેતપેદાશોના ઉચિત વેંચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું કે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેંચી શકે, ઉચિત ભાવ મેળવી શકે તે માટે 15 એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ્સ ફરી કાર્યરત કરવા અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ સૂચના આપી હતી. તારીખ 15 થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ માર્કેટિંગ યાર્ડ્સમાં આજ સુધીમાં થયેલી રવિપાકની આવક ઉપર નજર કરીયે તો, ઘઉં 11 લાખ 28 હજાર ક્વિન્ટલ, એરંડા 7 લાખ, 86 હજાર ક્વિન્ટલ, કપાસ 1 લાખ, 56 હજાર ક્વિન્ટલ, રાયડો 1 લાખ, 66 હજાર ક્વિન્ટલ, ચણા 1 લાખ 20 હજાર ક્વિન્ટલ, મગફળી 61 હજાર 660 ક્વિન્ટલ એમ મળીને કુલ 32 લાખ, 51 હજાર ક્વિન્ટલ પાકની આવક થઇ થઇ છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/10, 7:19 PM] Uday Vaisnav: કોરોના સામેની લડાઈની સમાંતરે રાજ્યમાં જળસંગ્રહની મહત્વકાંક્ષી પ્રવૃત્તિ ”સુજલામ સુફલામ જળ અભિયાન” તેના ત્રીજા તબક્કામાં વેગવંતું
……
સુજલામ સુફલામ જળ અભિયાન : ત્રીજા તબક્કામાં મનરેગાના માધ્યમથી 5 લાખ, 85 હજાર માનવદિન રોજગારીનું સર્જન – 32 લાખ, 71 હજાર ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલી માટીનું ખોદકામ થયું: મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર
…….
-:JCB, Hitachi, ડમ્પર, ટ્રેક્ટર જેવા 32,170 યાંત્રિક સાધનનોની મદદથી 3,638 કાર્યો રાજ્યભરમાં પ્રગતિમાં:-
……..
COVID-19 સામેની જબરદસ્ત લડાઈ ચાલુ રાખવાની સાથે પ્રજાલક્ષી કામગીરી અને ખાસ કરીને આગામી ચોમાસાની ઋતુમાં રાજ્યમાં જળસંગ્રહણ વધારીને કૃષિલક્ષી સિંચાઇના મામલે રાજ્યને વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકાર સતત કાર્યરત હોવા અંગેની માહિતી આપતા મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ”મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી શરુ થયેલું ”સુજલામ સુફલામ જળ અભિયાન” તારીખ 20 એપ્રિલથી તેના ત્રીજા તબક્કામાં પ્રવેશ્યું છે”
20 એપ્રિલથી શરુ થયેલો આ જળ અભિયાનનનો ત્રીજો તબક્કો 10મી જૂન સુધી ચાલશે. આ અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 3,638 કામો પ્રગતિમાં છે તથા 481 કામ પૂર્ણ થયા છે, તે અંગેની માહિતી પણ તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, JCB અને Hitachi જેવા 7470 સાધનોની મદદથી આ અભિયાન અંતર્ગત માટીનું ખોદકામ કરવામાં આવે છે. વળી, ટ્રેક્ટર અને ડમ્પર મારફત ખેતરો તથા અન્ય સ્થળે માટી લઇ જવાની કામગરીમાં લગભગ 24,700 વાહનો જોડાયા છે. આ તમામ યાંત્રિક સાધનો જોડીએ તો કુલ 32,170 સાધનનોની મદદથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આ ત્રીજો તબક્કો સફળતાપૂર્વક કાર્યરત છે.
અત્યાર સુધીમાં આ જળ અભિયાન હેઠળ ચેકડેમ તળાવ, રીઝર્વોયર, નાની- મોટી નદીઓને વધુ ઊંડી કરી તેની જળસંગ્રહણની ક્ષમતાને વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિ માટે મનરેગાના માધ્યમથી 5 લાખ, 85 હજાર જેટલા માનવદિનનું પણ સર્જન થયેલું છે તથા વધારાના 32 લાખ, 71 હજાર ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલી માટીનું ખોદકામ પણ અત્યાર સુધીમાં કરવમાં આવ્યું હોવાનું શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/10, 8:52 PM] Uday Vaisnav: *ગુજરાતમાં કોરોના ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થયા : આજે 454 દર્દીઓ ડિસ્ચાર્જ*
*ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ છેલ્લા દશ દિવસમાં બમણો* *15.58 થી 32.64 ટકા થયો*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સંતોષની લાગણી વ્યક્ત કરી*
ગુજરાતમાં કોવીડ-19ના 2,545 દર્દીઓ સારવાર લઈને સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભે અત્યંત સંતોષની લાગણી વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 454 જેટલા દર્દીઓ સાજા થયા છે. સારી સારવાર અને ઉત્તમ આરોગ્ય સુવિધાઓને પરિણામે ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ 15.58 ટકાથી વધીને 32.64 ટકા થઈ ગયો છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 30.75 ટકા કરતાં પણ વધારે છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ.શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોરોનાની સારવારમાં જે મહત્વના પગલાં સમયસર લેવાયા છે તેને પરિણામે ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. પંજાબનો ડિસ્ચાર્જ રેટ 9 % છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14 % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ 30.09 % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે.
ડૉ.જયંતી રવી એ ઉમેર્યય કે, ગુજરાતે કોરોના વાયરસના સંક્રમણને નાથવા આયોજનબધ્ધ – આગોતરા પગલાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં ભર્યા તેના પરિણામે રાજ્યનો ડિસ્ચાર્જ રેટ હવે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધ્યો છે. ૧૯મી માર્ચે કોરોનાવાયરસ નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો તે પછી આરોગ્ય વિભાગે જે તીવ્ર ગતિએ કામગીરી આરંભી, મોટા પાયે ટેસ્ટ શરૂ કર્યા સર્વેલન્સ કર્યું તેથી સંક્રમિતોની સંખ્યા પર ધ્યાન આપીને સારવાર શરૂ થઈ શકી.
તેમણે કહ્યુ કે,કોરોના વાયરસ સામે લડવા પુરી સજ્જતાથી રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા મથકોએ ડેડીકેટેડ કોવિડ-19 ની હોસ્પિટલો કાર્યરત કરી દીધી. ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ -19 હોસ્પિટલ તરીકે માન્યતા આપીને વધુ ને વધુ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. કોરોના સંક્રમણ નિયંત્રણના અન્ય ઉપાયો પણ સરકારે યુદ્ધના ધોરણે ઉપાડ્યા. આ બધાના પરિણામ સ્વરૂપે હવે રાજ્યનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 32.64 ટકા થયો છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ 266 જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 41 દર્દીઓ, સુરતમાં 33, ભાવનગરમાં 15, આણંદમાં 17, ગાંધીનગર માં 12, પંચમહાલમાં 18, તથા મહેસાણા જિલ્લામાં 12 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘેર ગયા છે.
આજે બનાસકાંઠામાં 8, અરવલ્લીમાં 6, મહિસાગરમાં 5, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં 3, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે. આમ આજે રાજ્યમાં કુલ 454 દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે.
******
ન્ધ્્ધ્ધ્્્ધ્્ધ્ધ્્ધ્્ધ્ધ્્્ધ્્ધ્ધ્ધ્્ધ્ધ્્્ધ્્ધ્ધ્્ધ્્ધ્ધ્્્ધ્્ધ્