Press Brief 11.05.2020 Gujarat 17.00 hrs
GN_12-5-20 (News of Gandhinagar PDF)
: *લોકડાઉનની સ્થિતીમાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી-આર્થિક આધાર માટે મનરેગા સુફલામ જળ અભિયાનના ૧૮,૮ર૪ કામો ૩૪૬૩ ગામોમાં શરૂ થયા*
……
*મનરેગા-સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૩.ર૮ લાખ શ્રમિકોને રોજગારી મળી ભાવનગરમાં ૩૭,પ૧૯-નર્મદામાં ૩૩,૮૦૦-છોટાઉદેપૂરમાં ર૦,૮ર૧ શ્રમિકોને રોજગારી*
……
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
*સુજલામ સુફલામ જળ અભિયાનના ચાલી રહેલા ત્રીજા ચરણમાં ૩પ લાખ પપ હજાર ઘનમીટર જળસંગ્રહ ક્ષમતાના કામો પાર પડયા*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે મનરેગાના કામો તેમજ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો શરૂ કરવા રાજ્યના વહિવટીતંત્રને પ્રેરિત કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશ મુજબ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં ૩૪૬૩ ગ્રામ પંચાયતોએ ૧૮,૮ર૪ કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે અને ૩ લાખ ૪ હજાર ૭પ૬ ગ્રામીણ શ્રમિકો આવા કામોથી રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ કામોમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન તેમજ શ્રમિકોની આરોગ્યની તકેદારી રાખીને જિલ્લા તંત્ર દ્વારા કામો ઉપાડવામાં આવ્યા છે.
મનરેગાના કામોમાં સૌથી વધુ ૩૭,પ૧૯ શ્રમિકો ભાવનગરમાં, ૩૩,૮૦૦ શ્રમિકો નર્મદામાં, ર૦,૮ર૧ છોટાઉદેપૂરમાં તેમજ ર૦,૧૬૮ દાહોદ અને ર૦,૦૪૧ પંચમહાલ મળી ૩૩ જિલ્લાના ૩૪૬૩ ગામોમાં સમગ્રતયા ૩,૦૪,૭પ૬ શ્રમિકો રોજગાર મેળવે છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને જળ સુરક્ષા આપવાના હેતુથી અને વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે છેલ્લા બે વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન જનભાગીદારીથી શરૂ કરાવ્યું છે. આ અંગેની વધુ વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
આ અભિયાનનું ત્રીજું ચરણ તા. ર૦મી એપ્રિલથી તા. ૧૦ જૂન સુધી યોજીને જળસ્ત્રોત ઊંડા કરવા, તળાવ-ચેકડેમમાંથી કાંપ-માટી કાઢવાના કામો જનભાગીદારીથી હાથ ધરવા શ્રી વિજયભાઇ રૂપાણીએ સૂચવેલું છે.
આ ત્રીજા ચરણમાં સમગ્રતયા ૧૪,૬૯૪ કામોનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. અત્યાર સુધીમાં તદ્દઅનુસાર ૩૬૬પ કામો પ્રગતિમાં છે અને પ૩૧ કામો પૂર્ણ થયા છે.
આ અભિયાનમાં તળાવ, ચેકડેમ ઊંડા કરવા, નદીઓના કાંપ કાઢવા સહિતની વિવિધ કામગીરી માટે ૮૧૬ જે.સી.બી. હિટાચી સહિત ૩પ,૪૬પ યાંત્રિક સાધનો ઉપયોગમાં લેવાયા છે.
સુજલામ સુફલામ જળ અભિયાનના આવા કામો પર ર૩ હજાર લોકોને રોજગારી મળી છે જેનાથી સમગ્રતયા ૬ લાખ ૧૦ હજાર ૩૬૮ માનવદિન રોજગારીનું સર્જન થયું છે.
એટલું જ નહિ, ૩પ લાખ પપ હજારથી વધુ ઘનમીટર જળસંગ્રહ ક્ષમતાનું કામ પૂર્ણ થયું છે.
આવા કામો પર ખોદકામ દરમ્યાન જે માટી નીકળે છે તે પણ ખેડૂતોને પોતાના ખેતરમાં ઉપયોગમાં લેવા માટે વિનામૂલ્યે આપવાનો અભિગમ પણ રાજ્ય સરકારે અપનાવ્યો છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/11, 5:27 PM] Uday Vaisnav: *કોરોના સંક્રમિતોની સારવારમાં જોડાયેલા રિયલ કોરોના વોરિયર્સ તબીબો-પેરામેડીકલ્સને વાયરસ સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષિત રાખતી PPE કિટ માટે
દેશનું સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન વિકસાવતું ગુજરાત*
……
*દેશના પ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનનું મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી લોંચીંગ કર્યુ*
….. *મેઇક ઇન ઇન્ડીયા – મેઇક ઇન ગુજરાત’’ની નેમ મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા-માર્ગદર્શનથી રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સે પાર પાડી*
…….
*ચાઇના-કોરિયાના આવા મશીનથી પ૦ ટકા ઓછી કિંમતે-ત્વરાએ રાજકોટમાં તૈયાર થશે હોટ એર સીમસિલીંગ મશીન-માસિક ર૦૦ યુનિટ તૈયાર થશે*
……
*PPE કિટની સિલાઇ દરમ્યાન સુક્ષ્મ 2MM દોરા 0.5 MM સોયથી રહી ગયેલા નાના-છીદ્રોમાંથી સંક્રમિત વ્યકિતના લોહી-પ્રવાહીનો કિટમાં પ્રવેશ અટકાવવા હોટ એર સીમ સિલીંગથી સ્પેશ્યલાઇઝડ ટેપ કરવામાં આવશે*
…….
-: *કોરોના વોરિયર્સને મળશે સંપૂર્ણ સુરક્ષા કવચ*:-
…..
*મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન*
……
કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા વ્યકિતઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા તબીબો-પેરામેડિકલ જેવા રિયલ કોરોના વોરિયર્સની સંપૂર્ણ આરોગ્ય રક્ષા કવચનું એક નવિન કદમ દેશભરમાં પ્રથમવાર રાજકોટથી ગુજરાતે ઉઠાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું.
રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા ‘‘મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ઇન ગુજરાત’’ની નેમ મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ હોટ એર સીમ સીલીંગ મશીનના રાજકોટ-ગુજરાતમાં નિર્માણથી સાકાર થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ હાલની સ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમિતોની સારવારનું સેવા દાયિત્વ અદા કરતા તબીબો-આરોગ્ય કર્મીઓને આ વાયરસના સંક્રમણ સામે ૧૦૦ ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરવાના ઇનીશ્યેટીવને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, કોરોના સામે બાથ ભીડી રહેલા તબીબો-પેરામેડીકલ સ્ટાફને પૂર્ણતયા સુરક્ષિત રાખવામાં દેશમાં આ પ્રયોગ ગુજરાતનું નવું સિમાચિન્હ બનશે.
આવી PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાયરસના ચેપની અસર થઇ શકે છે.
આવાં જે છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને સીલ કરવાની અદ્યતન ટેકનોલોજી આ હોટ એર સીમ સિલીંગ મશીનના ઉપયોગથી સ્પેશ્યલાઇઝડ ટેપના માધ્યમથી રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણની સ્થિતીમાં તબીબો માટે PPE કીટની અત્યંત આવશ્યકતા રહે છે અને તે સંપૂર્ણ સુરક્ષિત-વાયરસ પ્રુફ હોય તે પણ કોરોના વોરિયર્સ માટે એટલું જ જરૂરી છે.
PPE કિટમાં સિલાઇ પ્રક્રિયામાં જે છીદ્રો રહી ગયા હોય તેને આ ટેપના ઉપયોગથી સીલ કરીને PPE કિટ વાયરસનો પ્રતિકાર કરવા માટે વોટર એન્ડ એર પ્રુફ બનાવવામાં આવે છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, દેશમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધિ નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચાયના-કોરિયાથી આયાત થતાં આવા મશીનની કિંમત પણ રૂ. ૭ થી ૮ લાખ અને ડિલીવરીનો સમયગાળો પણ ૧ર-૧૩ અઠવાડિયા થઇ જાય છે.
આ સ્થિતીના નિવારણ માટે ભારતમાં આવા મશીન્સનું નિર્માણ પ૦ ટકા ઓછી કિંમતે કરવા માટે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજકોટની આ મેકપાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડે ચેલેન્જ ઉપાડીને આ ઉત્પાદન સફળતા મેળવી છે.
માત્ર ર૦ જ દિવસના ટૂંકાગાળમાં ૧૦૦ વ્યકિતઓ-કામદારોની ટીમે ૮૦ ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનના ઉત્પાદનનું ગૌરવ રાજકોટને અપાવ્યું છે.
ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન રાજકોટ બ્રાન્ચના તબીબોના માર્ગદર્શન સાથે ખૂબ જ ટૂંકાગાળામાં તૈયાર થયેલા આવા ર૦૦ હોટ એર સીમ સીલીંગ મશીન પ્રથમ બેચમાં તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી આ મશીનનું લોંચીંગ કર્યુ તે ગૌરવ ઘડીએ રાજકોટ કલેકટર કચેરીએથી જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન સાથે મેક પાવર સી.એન.સી મશીન્સ લી.ના મેનેજિંગ ડિરેકટર શ્રી રૂપેશ મહેતા, IMA રાજકોટના ડૉ. મયંક ઠક્કર, ડૉ. ચેતન લાલસતા તેમજ ડૉ. તેજસ કરમટા પણ જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/11, 5:56 PM] Uday Vaisnav: *વડાપ્રધાનશ્રીની રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠક બપોરે ૩ વાગ્યાથી ચાલી રહી છે*.
*આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પોતાના વિચારો વ્યકત કરી રહ્યા છે*
*મુખ્યમંત્રીશ્રીઓ સાથેની વડાપ્રધાનશ્રીની વિડીયો કોન્ફરન્સનો બીજો તબક્કો સાંજે ૬-૩૦ વાગ્યે શરૂ થશે*.
*ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી સાથે ગુજરાતમાં કોવિડ-19 ની સંક્રમણ સ્થિતી, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી*
……
[5/11, 6:41 PM] Uday Vaisnav: આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે
…..
માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ
…….
યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી
……
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે.
આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આવતીકાલે રવાના થશે.
રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા એ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે.
એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે.
પોલીસ મહાનિદેશકશ્રીએ જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/11, 7:45 PM] Uday Vaisnav: કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા નાગરિકોની
રોગપ્રતિકારક શકિત વધારવાનો ગુજરાતનો આયુર્વેદ પ્રયોગ
……
મુખ્યમંત્રીશ્રીના સઘન પ્રયાસોથી ગુજરાતને કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી
૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ઉપલબ્ધ થયો
…..
-: હવાઇ માર્ગે દવાઓ અમદાવાદ આવી :-
……
૨૪૯૦ કિ.ગ્રામ સંશમની વટી-૧૪૪૦ કિ.ગ્રા. દશમૂલ કવાથ-૧ હજાર કિ.ગ્રામ. આયુષ-૬૪ કેપ્સ્યુલ દવાઓનો લાભ રાજ્યના લોકોને મળશે લાભ
……
રોગપ્રતિકાર શકિત વધારવાના આયુષ મંત્રાલય-આયુર્વેદના ઉપાયોથી કોરોના સામે
રક્ષણ મેળવવા ગુજરાત સજ્જ
…..
અત્યાર સુધીમાં ૧.૭૯ કરોડ ઊકાળા ડોઝ-૧૩.૩૦ લાખ સંશમની વટી વિતરણ થયું છે
…..
આયુર્વેદ ઔષધિના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારી સૌના સહયોગથી કોરોના સામેનો જંગ જિતવાની પ્રતિબદ્ધતા
……
વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વૃદ્ધિથી જીતવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ માટે પ્રેરિત કર્યુ છે.
રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ રાજ્યના નાગરિકો રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીની આ પ્રતિબદ્ધતાના ફળસ્વરૂપે તેમણે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મેળવ્યો છે.
આ આયુર્વેદ દવાઓ સોમવારે અમદાવાદ આવી પહોચી હતી.
મુખ્યમંત્રીશ્રીના સક્રિય પ્રયાસોથી જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે તેમાં ૨૪૯૦ કિ.ગ્રા. સંશમની વટી, ૧૪૪૦ કિ.ગ્રામ દશમૂલ કવાથ અને ૧૦ હજાર કિ.ગ્રામ આયુષ-૬૪ કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.
આ દવાઓ સામાન્યત: ૭ દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ સાડા ચાર લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.
ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતને ઉપલધ થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ અને ઊકાળા વિતરણથી નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા હતા.
આ સંદર્ભમાં રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા ૧ કરોડ ૭૯ લાખ જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે.
એટલું જ નહિ, સંશમની વટી ગોળીનો લાભ ૧૩.૩૦ લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-૩૦ પોટેન્સિ નો ૧ કરોડ પ લાખ લોકોએ લાભ મેળવ્યો છે.
ગુજરાતે આયુર્વેદના પ્રચાર-પ્રસાર અને ઉપયોગને પ્રાધાન્ય આપેલું છે અને રાજ્યની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને ભારત સરકારે આયુર્વેદ શોધ-સંશોધન સેન્ટર ઓફ એકસલન્સ તરીકે પણ માન્યતા આપેલી છે ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો આયુર્વેદ દવાઓના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારે તેવી મુખ્યમંત્રીશ્રીની નેમ છે.
એટલું જ નહિ, કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં પણ આવી આયુર્વેદ દવાઓ અકસીર પૂરવાર થઇ રહી છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરૂં પાડયું છે.
રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક ૧ર૧૧ દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને ૪ર૭ દર્દીઓ તો સાજા પણ થયા છે.
આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું પ૬૮ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૩૮ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતો-નગરપાલિકાઓ સાથે કોરોના સ્થિતીની સમીક્ષા-ફિડબેક માટે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં પણ આવા આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદમાં બે લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું આયોજનબદ્ધ ડોર ટુ ડોર સુધી વિતરણ કરવાનું આયોજન પણ કરાયું છે.
હવે, રાજ્યમાં આ આયુર્વેદ દવાઓનો વધારાનો જથ્થો આવી પહોંચતા વધુને વધુ લોકોને લાભ આપીને રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેની લડાઇ સહિયારી તાકાતથી જીતવામાં નવું બળ મળશે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/11, 8:29 PM] Uday Vaisnav: અખબારી યાદી તા. ૧૧/૦૫/૨૦૨૦
શ્રમિકોને વતન મોકલવાના મૂદે કોંગ્રેસ રાજકારણ-તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરે
……
ભરૂચના મદરેસાના વિદ્યાર્થીઓને તમારા આકાઓના ઇશારે ૬ લાખ રૂપિયા ભરી બિહાર તમે મોકલ્યા છે – અમે ૬ લાખ શ્રમિકોને વતન પહોંચાડયા છે
……..
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલે શ્રમિકોના મૂદે રાજકારણ કરવાની વાતનો સખત શબ્દોમાં વખોડી છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આ સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને ર૩૯ ટ્રેન જે આખા દેશમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ૪પ ટકા થાય છે તેના મારફતે ૩ લાખ જેટલા શ્રમિકોને વતન રાજ્યમાં સુચારૂ રીતે મોકલ્યા છે.
શ્રી જાડેજાએ કહ્યું કે, જો એસ.ટી. બસો અને ખાનગી વાહનોની સંખ્યા પણ ગણીએ તો ૬ લાખથી વધુ શ્રમિકો પોતાના વતન રાજ્ય ગયા છે.
ગુજરાત સરકારે યુ.પી., બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, રાજસ્થાન વગેરે રાજ્યો સાથે સંકલન કરીને આ શ્રમિકોને ખાસ ટ્રેન દ્વારા તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે શ્રમિકોના નામે રાજકારણ શરૂ કર્યુ છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોંગ્રેસે ભરૂચમાં તેમના આકાઓના ઇશારે મદરેસાના વિદ્યાર્થીઓને બિહાર મોકલવા સાડા ૬ લાખ રૂપિયા ટિકીટના આપીને તુષ્ટિકરણની માનસિકતા છતિ કરી છે.
શ્રી જાડેજાએ સાફ શબ્દોમાં કહ્યું કે અમે ૬ લાખ લોકોને શ્રમિકોને તેમના વતનમાં મોકલ્યા છે, તેમાંથી ૬૦ હજાર શ્રમિકોના પૈસા પણ જો કોંગ્રેસે ચુકવ્યા હોય તો બતાવે.
કોંગ્રેસને શ્રમિકોની કોઇ ચિંતા નથી માત્ર તેમને જિલ્લાઓમાં કોંગ્રેસના માધ્યમથી શ્રમિકોને ઉશ્કેરીને પોતાનો રાજકીય સ્વાર્થ સાધવો છે-આકાઓને બચાવવા છે તેવો સ્પષ્ટ આક્ષેપ કરતાં શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોંગ્રેસે ધર્મ, જાતિ, કોમ સંપ્રદાયની રાજનીતિ મતોના તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરીને કોરોના સામેની લડાઇમાં સહયોગ આપવો જોઇએ.
ગુજરાત મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં લોકોના સહયોગથી એક થઇને કોરોના સામે લડી રહ્યું છે ત્યારે કોરોનાની ઘટનાઓમાં શ્રમિકોના નામે રાજનીતિ કરવાનું, તુષ્ટિકરણની રાજનીતિ કરવાનું બંધ કરે તેવી સલાહ પાણ શ્રી જાડેજાએ આપી છે.
…………