-
આજે વૈશાખ સુદ પૂનમ ગુરૂવાર લોક ડાઉન ના ૪૨ માં દિવસે બાવો જાગ્યો લાગે છે..ગુજરાત માં અમિત શાહ ના કહ્યાગરા રૂપાણી ને સીએમ બનાવી મોદીજી એ ગુજરાત માં તેમની ઈચ્છા વિરુદ્ધ પત્તું પણ હાલી શકે નહિ તેવી જાણે રાજકીય પેઢી સ્થાપી હોય તેમ રાજ ચલાવ્યું અને કચ્છ થી આખા ગુજરાત માં જ્યારે ભાજપ ચૂંટણીઓ મા પણ ગુનાહિત તત્વો ને આગળ લાવી બચાવી લઇ પક્ષ પલટા કરીને પણ સત્તા ટકાવી રાખી જેમાં શંકરસિંહ નો છેલ્લે સિંહ ફાળો હતો કે ૧૪ ધારાસભ્યો ભાજપ ના ખોળા માં અંગત સ્વાર્થ ખાતર ધર્યા .રૂપાણી ના મિત્રો રૂપી પોઠિયા જાણે બાપ ની પેઢી સમજતા હોય તેમ ગૃહ ખાતા ની બદલી અને અનેક સરકારી વિભાગો માં પોતાનો કાળો કેર વર્તાવી રૂપાણીખભે બંદૂક ફોડી કાર્યો કરે અને જનતા ત્રાહિમામ થાય.ભ્રષ્ટાચાર તો કોઈ વિભાગ બાકી નથી અને ભાજપ ના ધારાસભ્યો તો જાહેર મા મીડિયા સાથે બહારવટિયા ની જેમ વર્તે..ગોદી મીડિયા ને રૂપાણી ના રાજકોટ માં કલેકટર ના હાથે ચેક આપી ખુશામત કરાવે.કોઈ એક્શન અધિકારીઓ ઉપર લેવાય નહિ. રાજકીય બળાત્કાર હોય કે આર્થિક ગોટાળા હોય કે ગુનાહિત પ્રવૃત્તિ માં કોઈ કાર્યકર પકડાય પણ ગૃહ ખાતામાં પણ દલાલોના કહેવાથી છોડી દેવામાં આવે..રૂપાણી રાજમાં ખૂબ માઝા મુકાઈ ગઈ હતી .સાચા લોકો ખૂબ હેરાન થતાં..કમલમ માં જાણે આખી સરકાર ચાલતી હોય તેમ મીડિયા ને બોલાવી પ્રસિદ્ધિ કરાવાય..ખેર આખરે કોરોના e આવવું જ રહ્યું નક્કી બની ગયું હતું..મોદીજી ના અહમ ભર્યા છેલ્લે ટ્રમ્પ ને મહેમાન ગતિમાં બોલાવવાનો ફ્લોપ કાર્યક્રમ ગુજરાત માં યોજાયો..કોરોના બાબતે મોદીજી ખબર હોવા છતાં કોઈ સિરિયસ લીધું નહિ અને ટ્રમ્પ ગયા પછી બહુ મોડું થતાં મોદીજી ખુદ અખતરા કરવા લાગ્યા.પરિણામે અધિકારીઓ ને જોઈતું હતું અને વૈદ્યે કીધા પ્રમાણે અધિકારીઓ આળસ મરડી અખતરા કરવા લાગ્યા..શરૂવાત મા તો રૂપાણી હાઇ પાવર કમિટી બનાવી ઘરના ભુવા રોજ ડાકલા વગાડે તેમ સ્વર્ણિમ ભવન ખાતે સવારે ૧૦:૩૦ જયંતિ રવી ,બપોરે ૨ વાગે અશ્વિનીકુમાર ૪ વાગે ડીજીપી શિવાનંદ ઝા અને રાત્રે પાછા ૭:૩૦ વાગે જયંતિ રવી કોરોના ના આંકડાકીય માહિતી આપી લાઈવ ન કાર્યક્રમ ગોઠવાયા. ૨૪/૩/૨૦૨૦ માત્ર ૩૭ કેસ હતા..એકજ મહિના ૨૪/૪ સુધી તો અમદાવાદ માં અખતરા નું સંક્રમણ વધી ગયું..વિજય નહેરા કમિશનર અમદાવાદ વુહાન બની જશે અને ૫૦.૦૦૦ કેસ થી ૮ લાખ સુધી કેસ વધવાની ગતિ નો રિપોર્ટ રાજ્ય સરકાર માં આપ્યો..એક કે બે વાર તો રૂપાણી ના નિર્ણય ને પાછો ખેંચી કમિશનર અમલ કર્યો..વાઇબ્રન્ટ ના મૂડી રોકાણ ના આંકડા ની જેમ જયંતિ રવિજી રોજ નવી સાડી મા સજ્જ .મેક અપ.માથે ગુલાબ સાથે ખૂબ સારી ભાષા મા સીએમ.પીએમ ના વખાણ કરી લાઈવ થઈ પત્રકારો ના નાના મોટા સવાલો ના જવાબો આપવા લાગ્યા ..અશ્વિનીકુમાર રૂપાણી જી આજે હાઇ પાવર કમિટીના લીધેલ નિર્ણય ની સીએમ ઓ તરીકે રોજ જાહેરાતો કરવા લાગ્યા ..અન્ન નાગરિક પુરવઠા બાબતે મોટા મોટા સખાવતો.રાશન.શાકભાજી.દધ આવક જાવક ના આંકડા આપે.મીડિયા લખે..ડીજીપી તેમની નિવૃત્તિ ના સમય માં પીએમ ના ભરપેટ વખાણ કરી ગુજરાત માં કાયદો વ્યવસ્થા ના હુકમો ની ચર્ચા કરે…….એકબાજુ સીએમ રોજ નવા નવા લોકો ફંડ ના ચેક લઈ ફોટા પડાવવામાં વ્યસ્ત…એવામાં મોદીજી લોકો ને રામાયણ.મહાભારત બતવડાવી ધ્યાન બીજે દોરવા સમય પસાર કરવા તાળીઓ.થાળીઓ પડાવડાવી..દિવા કરાવ્યા..એકબાજુ મીડિયા ના ૧૩ પત્રકાર પોઝિટિવ આવ્યા .રૂપાણી કાર્યાલય ની ભૂલ ખાતર હું પોતે ઇમરાન ખેડવલા ની પ્રેસ માં હાજર રહેતા ઘરે ૧૪ દિવસ કોરો નતિન થવું પડ્યું…..વોરિયર્સ(મીડિયા વિનાના) ને ખુશ કરવા કોરોના ૨૫ લાખ ના રક્ષણ પેકેજ અપાયા અને બાકી હતું તો જાણે વાયુ સેના નવરી બેઠી હોય તેમ આખા દેશ માં હવાઈ લડાકુ.હેલી કોપટર.ચેતક.દ્વારા વોરિયર્સ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા કરી પુષ્પ વર્ષા કરી પણ તોયે કોરોના મોદીજીના આં ખેલ ને તાબે થઈ નહિ અને અમદાવાદ ને દેશ ના પ્રથમ સૌથી વધુ પોઝિટિવ કેસ મા નંબર વન લાવી દીધું..ભારત માં ગુજરાત બીજા નંબરે આવ્યું..પ્રજામાં રૂપાણી અખતરા સરકાર નો વિરોધ વધ્યો. રાતોરાત અમદાવાદ કમિશનર વિજય નહેરા ને કોરો ન્ટાઇન માં ઉતારાયા અને મેરી ટાઈમ બોર્ડ સી ઈ ઓ મુકેશકુમાર ને ચાર્જ સોંપાયો..અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ની જવાબદારી વધારી અખતરા કરતા વિવાદિત બનેલા જયંતિ રવિની જવાબદારી હાચકી આપી દેવાઈ અને રૂપાણી એ ફરી “પડે તેવી દેવાશે” નો સુર આલોપ્યો…એવામ ૪૦ દિવસ થી મજુરી વિના બેસી રહેલ શ્રમિકો ને વતન ની યાદ આવક વિના આવી…ચારે બાજુ શ્રમિકો ના ટોળાં રસ્તા ઉપર આવી ગયા..રૂપાણી ના માથાનો દુખાવો બન્યા…સરકારે રાતોરાત જાહેરાત પહેલી તારીખે અશ્વિનીકુમાર દ્વારા કરી કે શ્રમિકો પોતાના ખર્ચે વતન જઈ શકાશે તેવી વ્યવસ્થા સરકાર કરશે રેલવે બોર્ડ સાથે વાતચીત કરી કલેકટર કચેરી ઉપર શ્રમિકો ના ફોર્મ ભરાયાં અને ટિકિટો ના ઉઘરાણા શરૂ થયાં..સરકાર ની એસ ટી બસો ના સહારા લીધા વિના પ્રાઇવેટ લક્ઝરી માત્ર ૩૦ જણા બને મોકલવાના અખતરા થયા.એક બસ ઊંઘી વળી ગઈ અને ને મોત થયાં..૧૬ અધિકારીઓ ને આંતર રાજ્ય સુવિધા ની નિમણૂકો કરી પણ તે ફેલ થઈ..કોઈ રાજ્ય ની સરહદે કોઈ પ્રવેશ આપવાની મંજૂરીઓ બધા ને મળી નહિ..તેવામા પોલીસ ઉપર હુમલા શરૂ થયાં..આં બાજુ પોઝિટિવ કેસ વધ્યા…સામાજિક સંસ્થાઓ લોકો ને ખાવાનુ વહેચી ખાલી થઈ જવાના આરે આવી ગઈ. માસ્ક વિતરણ સેનેતૈઝર ના વહેચવામાં નુસ્ખાઓ ખૂટી ગયા. એકાએક કોંગ્રેસ સમય જોઈ સોનિયાજી બોલ્યાંકે શ્રમિકો કો વતન કી ટિકિટ હમ દેંગે..રાજકીય ભાજપ ના પ્રવક્તાએ અધૂરી માહિતી હોવાથી તૂટી પડ્યા કે સરકાર તેના પૈસે શ્રમિકો ને મોકલે છે.બીજા દિવસે સરકારે ચોખવટ કરતા પ્રવક્તા ખોટા પડતાં ભોંઠા પડ્યા…રાજકીય કાર્યકરો માં હતાશા નો માહોલ..એક બાજુ ડે. કમિશનર.કર્મચારીઓ ડોકટરો નર્સ વોર્ડ બોય.કોર્પોરેટર જેવા અસંખ્ય વોરિયર્સ ને પોઝિટિવ આવા લાગ્યા…આવા સમયે ભાઈ નું રાજ સિંહાસન ડોલવા લાગ્યું..મોદીજી અકળાયા…..અમદાવાદ રાજીવ ગુપ્તા આગેવાની હેઠળ પ્રજા ને કોઈપણ સમય આપ્યા સિવાય લોક ડાઉન ચુસ્ત અમલ ગઈ રાત્રી થી શરૂ થયો..દૂધ દવા સિવાય કાઇ ૧૫ મે સુધી વેચવાની છૂટ બંધ કરી .લોકો એક બીજા ઝોન ના જઈ સગવડ અગવડ કરવા લાગ્યા..લોકો પાસે પૈસા ખૂટ્યા. સરકાર માત્ર રેશન કાર્ડ અને એપી એલ બને વિતરણ કરી સંતોષ બતાવ્યો..છતાં પરિસ્થિતી કંટ્રોલ માં નથી..હજી પૂરતા પ્રમાણ માં કીટ.વેન્ટિલેટર.કોરો ન્ટીં ન વાળા માટે સગવડ નથી.અધિકારીઓ ખુદ ફાફે ચઢયા. પાટનગર માં અમિત શાહ ની કીટ વિતરણ માં મેયર પરિવાર સાથે કોર્પોરેટર પણ ઘેર કોરોંતિન થયાં.અંધેર તંત્ર ઊંઘતું ઝડપાયું… ભાઈ ની જગ્યાએ ભાભી નું રાજ નિષ્ફળ બન્યું ની ચર્ચા ખુદ રાજકોટ માં ચાલી રહી છે. એકાએક દિલ્હી થી મોદીજી નું તેડું મનસુખ માંડવીયા ને આવતા ગુજરાત રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે તેવું ચોરે ચૌટે ચર્ચાવા લાગ્યું..મીડિયા ક્યાંય ફ્રન્ટ લાઈન વોરિયર્સ માં છે નહિ કે કોઈ આર્થિક કોરોના રક્ષણ કે પેકેજ આપવામાં નહિ આવતા. મીડિયા રૂપાણી સરકાર સમાચાર ને જેશે થે રજૂ કરી સમય પસાર કરે છે. જ્યારે કોરોના વાસ્તવિકતા કઈક અલગ છે. તમામ પ્રાઇવેટ દવાખાના બંધ છે.કોઈ ડોકટર સરકાર ના કહેવા છતાં દવાખાના ખોલ્યા નહિ.અને સરકાર ની ધમકી ને તાબે થયાં નહિ.ડોકટરી ભણ્યા વિનાના આરોગ્યમંત્રી પણ ચાલ્યા નહિ…આયુષ્યમાન આયુર્વેદિક દવાઓ.ઉકાળા પણ કોરોના ને મનાવી શક્યા નહિ…કરોડો ની વિજ્ઞાપન ના ખર્ચા માથે પડ્યા..હવે રાંડ્યાં પછી ના ડહાપણ ની જેમ સરકાર ને તજજ્ઞ ડોકટર યાદ આવ્યાં છે..સલાહ લેવાનો દોર ચાલુ થયો છે..ગોદી મીડિયા રૂપાણી સાથે છે..મારા જેવા ને કોઈ સરકારી ગતિવિતી થી જાણી જોઈ દૂર રખાય છે. આ ભાગ ૬ પ્રજા હિત માં લખાઈ પૂરો થાશે. મારા ૩૦ વરસ ના પત્રકારત્વ માં આવું અખતરા ભર્યું અમાનવીય નિર્ણયો વાળું અને કાયદા.કાનૂન ઉપર કોઇ પક્કડ ના હોય તેવું ભાઈનું નહીં પણ ભાભી નું રાજ હોય તેવું પહેલીવાર ગુજરાત શાશન જોયું… અતિ નો અંત ગતી પ્રમાણે નિશ્ચિત હોય છે…આશા રાખીએ કે કોરોના રાજકીય પ્રજા હિત માં શાશન પરિવર્તન લાવે….પણ એક પોઠિયો કાઢતા બીજો પોઠીઓ પ્રજા માથે ચડી ના જાય તે પ્રજાએ જાગૃત રહી વિચારવાનું રહેશે. . એક હિ આગ..જન ફરિયાદ.તંત્રી: પ્રદીપ રાવલ.ગાંધીનગર