*લૉકડાઉનના નિર્ણયમાં આખો દેશ વડા પ્રધાન મોદીની સાથે: લૉકડાઉનના પ્રથમ દિવસે 76.8 ટકા લોકોને મોદી સરકાર પર ભરોસો હતો, આજે તે વધીને 93.5 ટકા થઇ ગયો!*
*IANS-સીવોટર કોવિડ-19 ટ્રેકર સર્વેમાં બહાર આવી રસપ્રદ વિગતો*
*દેશના મોટાભાગના લોકો માને છે કે, કોરોના સામે મોદી સરકાર અત્યંત અસરકારક કામગીરી કરી રહી છે*
દેશમાં કોરોના સામે લડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર સારુ કામ કરી રહી છે. આ દાવો IANS-સીવોટર કોવિડ-19 ટ્રેકર સર્વેના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે જ્યારે વડાપ્રધાન મોદીએ 25 માર્ચના લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે દેશના 76.8 ટકા લોકોને મોદી સરકાર પર ભરોસો હતો. 21 એપ્રિલમાં તે વધીને 93.5 ટકા થઇ ગયો છે. સર્વે દરમિયાન લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે સરકાર કોરોનાવાયરસ સામે પ્રભાવી રીતે કામ કરી રહી છે.
રિપોર્ટ પ્રમાણે આ સર્વે દેશભરમાં 16 માર્ચથી 21 એપ્રિલ વચ્ચે થયો હતો. સર્વેમાં પૂછવામાં આવ્યું- શું તમને લાગે છે કે ભારત સરકાર કોરોનાવાયરસ મહામારીને સારી રીતે સંભાળી રહી છે ? તેના જવાબમાં 16 માર્ચના 75.8 ટકા લોકોએ સરકાર પર ભરોસો દર્શાવ્યો હતો. લોકડાઉનના પહેલા દિવસે આંકડો વધીને 76.8 ટકા થઇ ગયો. 31 માર્ચ સુધી 79.4 ટકા લોકોએ સરકાર પર વિશ્વાસ દાખવ્યો હતો. ત્યારબાદ આંકડો 21 એપ્રિલના વધીને 93.5 ટકા થઇ ગયો. સર્વે જણાવે છે કે કોરોનાવાયરસ સામેની આ લડાઇમાં કેન્દ્ર સરકારના દરેક આકરા નિર્ણયને લોકોએ યોગ્ય ઠેરવ્યા છે.
[4/23, 11:11 PM] Pradip Raval: ભારત માં ગુજરાત કોરોના માં બીજા નંબરે છે અને પહેલા નંબરે આવવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપ ના ભગવા મોદી ભક્તિ માં તેમના સાચા જુઠ્ઠા સર્વે કરાવી બાજુ વાહ વાહ કરવામાં થી ઉંચા આવતા નથી….મને લાગે છે કે તાળીઓ .પડાવી.ઘંટ વગડવ્યા..હાથમાં દીવા કરાવ્યા…હવે માથે ટોલા કરાવી સરઘસો કઢવશે ખરા…જોજો.
મોદી.શાહ ની સ્ટેમ્પ સરકાર દેશ માં કોરોના વાયરસ માં ગુજરાત ને અણધડ એક મહિનાના શાશન માં સમગ્ર દેશ માં બીજા સ્થાને લઈ ગઈ છે અને હજુ પહેલા સ્થાને પણ ગુજરાત આવી જાય તેવા ભય સ્થાન દેખાઈ રહ્યા છે ત્યાં ભગવા ભાજપ ના લાલચી.ભક્તો મોદીજી ને ફુલેકું ચઢાવી કોરોના માં જાણે શહીદ કરવાના હોય તેમ IANS નામની સર્વે ની સંસ્થા ના આંકડાઓ પ્રમાણે જનતા મોદીજી સાથે કોરોના બાબતે ૯૩ ટકાથી વધારે છે તેવો જશ નો જશ્ન કરવાની તૈયારીમાં છે….આં કમલમ માં નવરા બેઠા બેઠા અંધ ભક્તો વિનાસ કાલે વિપરીત બુદ્ધિ જેવું બુદ્ધિ નું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગે છે અને હવે તો હોત સ્પોટ વિસ્તારો પણ અતિ ભયંકર રૂપ ધારણ કરવાની તૈયારીમાં છે…. ભાગવાઓ ને લોકો ની
એ જન સુખાકારી કેમ આપવી તે સૂઝતું નથી ને આવા તેમના આકાઓ ને ખુશ કરવાના તાયફાઓ સુજે છે. હવે તો સાચે જ કોરોના આખા દેશ માથી જશે પણ ગુજરાત થી છેલ્લે નવરાત્રી જોઈ ને જશે તેવું આં ભક્તો ની આંધળી તૈયારીઓ ના ટાયફાઓ ઉપર થી લાગે છે