GN_24-4-20 (ન્યુઝ ઓફ ગાંધીનગર દaઇનિક પેપર વાચવા તારીખ ઉપર ડબલ ક્લિક krઇને ડાઉનલોડ કરી વાંચો….
*આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિ એ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓ ની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટ ની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે*
*આ સંદર્ભ માં તેમણે કહ્યું કે 1 એપ્રિલ ના રોજના 100 ટેસ્ટ થી શરુ કરીને 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવેલા છે*
*તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટ થી આવરી લઈ કોરોના નો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહ ને પગલે રાજ્યના બધા જિલ્લાઓ માંથી 100 -100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસ માં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા હતા*
*રાજ્યમાં આવા ટેસ્ટ માટે 15 સરકારી અને 4 ખાનગી મળી ને 19 લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે*
*આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટ ના રિપોર્ટ એક જ દિવસ માં આવી જાય તેવી ક્ષમતા નિર્માણ પણ કરવામાં આવ્યું છે એમ ડો.જયંતિ રવિ એ જણાવ્યું હતું*
*ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધુ 1 લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યુ હતું*
*આરોગ્ય અગ્ર સચિવે કહ્યુકે રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓ ને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ નો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લા માં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે*
*આવી 24 હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું.*