અમદાવાદ: વાસણા બેરેજ ખાતે જીવદયાપ્રેમી નાનુભાઈ પક્ષીને ઈજા ન થાય તે માટે પ્રતિ વર્ષ ઉત્તરાયણ બાદ પતંગના દોરા એકત્રિત કરી સળગાવે છે. તેમનું કહેવું છેકે ઝાડ કે થાંભલા પર લટકતી દોરીમાં પક્ષી ફસાઈને જીવ ગુમાવતું હોય છે. તેમણે ઉત્તરાયણ પૂરી થતાં જ 100 કિલો દોરી ભેગી કરી સળગાવી હતી. હજુ દોરી એકત્ર કરવાનું કાર્ય ચાલુ છે. જીવદયાપ્રેમીએ અપીલ કરી હતી કે, ઉત્તરાયણ પર્વમાં લોકોએ સ્વેચ્છાએ જ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ. આ દોરી પશુ-પક્ષી ઉપરાંત માણસો માટે પણ અત્યંત ઘાતક પુરવાર થતી હોય છે.જીવદયાપ્રેમીએ અપીલ કરી હતી કે, ઉત્તરાયણ પર્વમાં લોકોએ સ્વેચ્છાએ જ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ.પરિયવરણ પ્રેમી.નિલેશ રાજગોર…