મોટી ઇસરોલ, તા.18
શિયાળાની શરૂઆતના દિવસો,તરકવાડા શાળા આગળ આવેલા ગુરુજીના મંદિરે કેનેડા રહેતો મુનાઈ ગામનો NRI પરિવાર બે દીકરીઓ સહિત દર્શન કરવા આવ્યો હોય છે ત્યારે શાળાના બાળકો શાળામાં આવતા હોય છે અને આ બાળકો સ્વેટર વગરના હોય છે. આ દ્રશ્ય દ્વારા આ પરિવારને એક લાગણી જન્મે છે જેના લીધે તેઓ શાળાની પ્રાર્થના સભા પછી શાળા મુલાકાતે આવે છે અને તેમની બે દીકરીઓ શાળાના દરેક વર્ગની મુલાકાત લે છે ત્યાર બાદ આચાર્યશ્રીની મુલાકાતમાં શાળાના વિદ્યાર્થીની સંખ્યા જાણે છે અને આચાર્યશ્રીનો મોબાઈલ નંબર નોંધી વિદાય લે છે. ત્રીજા દિવસે આચાર્યશ્રીને ફોન કરી વાત કરે છે કે દરેક બાળક માટે સ્વેટર મોકલેલ છે કોઈ બાળક બાકી ન રહે તે પણ કહ્યું.અને તમામ બાળકોને આવરી લઈને 217 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યા મુજબ આ પ્રસંગે આચાર્ય હરેશકુમાર પંચાલ, તેમજ એસએમસી પરિવાર,સ્ટાફ મિત્રો સહિત શાળા પરિવાર દ્વારા હીરાબેન જીતુભાઇ પટેલ અને ગીતાબેન ગણેશભાઈ ચૌધરીનો હ્ર્દય પૂર્વક ખૂબ ખૂબ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.