NG-111-12-2-24 pdf NG-112- 13-2-24 pdf
Bjp Gandhinagar Loksabha
Pressnote:03
Dt. 12.02.2024
———
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસ.જી.વી.પી. છારોડી ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ
————
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી 2024 સુધીમાં દેશના સ્પોર્ટ ક્ષેત્રે અનેક બદલાવો કર્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
————
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક આગવી સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ વિકસી હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે, કૌવત દર્શાવવા પ્લેટફોર્મ મળે તે માટે સાંસદ જન મહોત્સવનું આયોજન હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
હાર અને જીત જીવનમાં સામાન્ય સ્વભાવ બનવો જોઈએ – શ્રી અમિતભાઇ શાહ
————
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ખેલે તે ખીલે”ના ભાવ સાથે રમતોને તમામ સ્તરે પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
————
શ્રી અમિતભાઈ શાહ લોંગ ટર્મ ડેવલપમેન્ટના અભિગમ સાથે કાર્યરત – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
————
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસ.જી.વી.પી. છારોડી ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર શ્રી હાર્દિક પંડ્યાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.
શ્રી અમિતભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના સાંસદોને અપીલ કરી હતી કે પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાં ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે અને તમામ રમતોને સંસ્કાર તરીકે લોકપ્રિય કરવા માટેનો પ્રયાસ કરવામાં આવે. આ સંદર્ભમાં જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલકૂદ જન મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 1,37,800 ખેલાડીઓએ વિભિન્ન 42 રમતોમાં ભાગ લીધો હતો.
તેઓએ કહ્યું કે ક્રિકેટ આજે વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટ સિવાયની રમતો પ્રત્યે પણ યુવાનોમાં રુચિ ઉત્પન્ન થાય તે માટે જ સાંસદ જન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી શાહે કહ્યું હતું કે આ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમોના 16,170 ખેલાડીઓ રમશે હારશે અને જીતશે. તેઓએ કહ્યું કે રમતો માત્ર પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ જીતવા અને હારવાના અભિગમને પચાવવા માટે પણ જરૂરી હોય છે. હારવાની આદત પડશે અને તેના કારણે જીતવાનું જેનું ઊભું થશે અને જીતેલા ફરીથી હારશે એટલે તેમનો અહંકાર ચૂર ચૂર થશે. હાર અને જીત જીવનમાં સામાન્ય સ્વભાવ બનવો જોઈએ જીતથી અભિમાન નહીં અને હારથી નિરાશ નહિ તે ભાવ ઉત્પન્ન થવો જોઇએ.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્રિકેટ સહિત અનેક રમતો માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક આગવી સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ વિકસી છે અને તેના પરિણામો પણ સર્વ વિદિત છે. આજે ગુજરાતમાં ખેલ મહાકુંભમાં 66 લાખ લોકો ખેલકુદમાં ભાગ લે તે જ દર્શાવે છે કે ગુજરાતમાં સ્પોર્ટ્સનો કલ્ચર વિકસી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014 થી 2024 સુધીમાં દેશના સ્પોર્ટ ક્ષેત્રે અનેક બદલાવો કર્યા છે આજે એથલીટને 50000 પ્રતિમાસ, ઉત્તમ તાલીમ તથા શ્રેષ્ઠ ભૌતિક સુવિધા કેન્દ્રની ભાજપની સરકારે કરી છે. અનેક આંતરરાષ્ટ્રીય રમતોને ભારતમાં આમંત્રિત કરી છે આ ઉપરાંત દરેક રાજ્યમાં ખેલકૂદ મહોત્સવ યોજાઈ અને તેના કારણે ખેલાડીઓની શૃંખલા ઉભી થાય, મેરીટ પર પસંદગી થાય તેવી વ્યવસ્થા ને પરિણામે ભારત આજે ખેલકૂદ જગતમાં વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બન્યું છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે 2014માં એશિયન ગેમ્સમાં ભારતને 57 મેડલ જ્યારે 2023માં 107 મેડલ, પેરા ૨૦૧૪ના એશિયાઇ ખેલમાં 33 મેડલ અને 2022માં 111 મેડલ, 2016 ના ઓલમ્પિકમાં બે મેડલ જ્યારે 2020 માં સાત મેડલ, ૨૦૧૬ના પેરા ઓલમ્પિકમાં ચાર મેડલ જયારે 2020 માં 19 મેડલ અને 2014 ના કોમનવેલ્થ ગેમ્સમાં 15 તથા 2018 માં 26 ગોલ્ડ મેડલ દર્શાવે છે કે ભારત રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. આગામી 2036 માં ઓલમ્પિક રમતોત્સવ અમદાવાદમાં યોજાશે તેઓ વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે આગામી 2047 સુધીમાં આઝાદીની શતાબ્દી મનાવી રહ્યા હશું ત્યારે ઓલમ્પિક ગોલ્ડ મેડલની ટેલીમાં ભારત ટોપ ઉપર હશે. તેઓએ કહ્યું કે આગામી 25 વર્ષ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મજબૂત પાયો નાખ્યો છે તેના પર ભવ્ય ઈમારત ઊભી કરવાનું કામ યુવાનો અને રાજ્યની સરકારોનું છે. આવનારા દિવસોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, પારદર્શક પસંદગીના માધ્યમથી દેશના ખેલાડીઓ વિશ્વમાં નામ રોશન કરશે તેઓ વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે અંતમાં વિશ્વાસ અપાવ્યો હતો કે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ અને સાંસદ ખેલકુદ મહોત્સવ સતત ચાલુ રહેશે અને એ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના યુવાનોને જુદી જુદી રમતોમાં તેનો પોટેન્શિયલ દર્શાવવા માટેનું પ્લેટફોર્મ મળતું રહેશે. તેઓએ અંતમાં આ પ્રીમિયર લીગના આયોજન માટે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તથા શ્રી હાર્દિક પંડ્યાનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના યુવાનોને આગળ વધવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક પ્લેટફોર્મ પૂરા પાડ્યા છે. શ્રી અમિતભાઈ શાહે તેમના સંસદીય ક્ષેત્રમાં કલ્ચર સ્પોર્ટ્સ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ માટે આ સાંસદ જન મહોત્સવનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ખેલે તે ખીલે”ના ભાવ સાથે રમતોને તમામ સ્તરે પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે દાયકામાં ગુજરાતમાં એક આગવું સ્પોર્ટ કલ્ચર ઉભું થયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમશે ગુજરાત અને જીતશે ગુજરાતના ભાવ સાથે ખેલ મહાકુંભની ગુજરાતમાં શરૂઆત કરાવી અને ગુજરાત વૈશ્વિક કક્ષાએ ચમકાવ્યું. આ વર્ષે ખેલ મહાકુંભમાં ગુજરાતમાં 66 લાખ જેટલા રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે. શ્રી અમિતભાઈ શાહ લોંગ ટર્મ ડેવલપમેન્ટના અભિગમ સાથે કાર્ય કરી રહ્યા છે.
ડૉ. બિમલ જોષી
સંયોજક, મીડિયા
*****************************************
*Bjp Gandhinagar Loksabha*
Pressnote:02
Dt. 12.02.24
————-
*જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી (ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ એન્ડ સાયબર સિક્યુરિટી) ના ઉદ્ઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ*
*_______*
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇંડિયન પિનલ કોડ” ની જગ્યાએ “ભારતીય ન્યાય સહિતા” લાવી તેમાં ભારતીય આત્મા રેડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ*
*_______*
*આઝાદીના 70 વર્ષ સુધી કોંગ્રેસે કંઈ ન કર્યું, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુલામીના કાયદા અને નિશાનીઓ સમાપ્ત કરવાની શરૂઆત કરી – શ્રી અમિતભાઈ શાહ*
*_______*
*ફોરેન્સિક સાયન્સ માટે એક્સક્લુઝિવ શિક્ષણની વ્યવસ્થા માટેની યુનિવર્સિટી એક માત્ર ભારત અને એ પણ ગુજરાતમાં – શ્રી અમિતભાઈ શાહ*
*_______*
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ માન.કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી (ઇન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ એન્ડ સાયબર સિક્યુરિટી) ના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શ્રી અમિતભાઈ શાહ શાહે જણાવ્યુ કે, આજે ખૂબ લાંબા સમય પછી જેતલપુર આવવાનું થયું છે. જેતલપુર સાથે મારી પણ ઘણી યાદો જોડાયેલી છે. તેઓએ સહકારી ક્ષેત્રના જૂના સાથી જેતલપુરના મહેન્દ્રભાઇને પણ યાદ કર્યા હતા. મહેન્દ્રભાઈ એ જીલ્લાના દરેક સહકારી આંદોલનોમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. જેતલપુર ગામ એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું ગામ છે. આખા ગુજરાતમાં મુખ્ય કેન્દ્રો છોડીને જેતલપુર એક એવું ગામ છે જ્યાં ભગવાનશ્રી સ્વામિનારાયણએ 60 થી વધારે વખત રાત્રિ નિવાસ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનના ચરણસ્પર્શથી પવિત્ર થયેલી આ ગામની રજ અને ભૂમિને કાલુપુર ગાદી સંસ્થાને શિક્ષાના ધામમાં બદલવાનું કાર્ય કર્યું છે. જે શરૂઆત અનેક વર્ષો પહેલા થઈ તે આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સાથે જોડાયેલી કોલેજની સાથે આધુનિકમાં આધુનિક શિક્ષા સુધી પહોંચાડવાનું આ પુણ્ય કામ થયું છે તે બદલ શ્રી શાહે કાલુપુર સંસ્થાના સૌ ટ્રષ્ટિગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી અમિતભાઈ શાહ વધુમાં જણાવ્યુ કે, સ્વામિનારાયણ ભગવાનનો જન્મ છપૈયામાં થયો અને નીલકંઠ સ્વરૂપે સમગ્ર દેશમાં ભ્રમણ કરતાં કરતાં ગુજરાતને કર્મભૂમિ બનાવી અને ગુજરાતને કર્મભૂમિ બનાવ્યા પછી રામાનંદી અને પૃષ્ટિમાર્ગ સંપ્રદાયના જ અનેક નિયમોને સરળ કરી અને અહિયાં શિક્ષાપત્રી બનાવી અને જગતના ઉદ્ધાર માટે દુનિયાને આપવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ભગવાને કર્યું. સ્વામિનારાયણ ભગવાને અત્યારસુધી સમગ્ર જગતના કલ્યાણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી. મંદિરોના નિર્માણથી વ્યક્તિ, પરિવાર અને ભારતીય સંસ્કારો સુદ્રઢ બને એના માટે સતત સત્સંગ ચલાવવાનું કાર્ય કર્યું. અનેકવિધ સાધુસંતોએ વ્યસન મુક્તિના કાર્યમાં જોડાઈ અનેક લોકોના જીવનના સ્વાસ્થ્ય અને જીવનના માર્ગને નિવ્યસની બનાવવાનું કાર્ય કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો દ્વારા સૌથી મોટું જો કોઈ કાર્ય કર્યું હોય તો એ શિક્ષાનું કર્યું છે. આજે અનેક ગુરુકુળોની હારમાળા બની ગઈ છે. આદિવાસી, દલિત કે ગામનો કોઈપણ ગરીબનો દીકરો કે દીકરી હોય તેના ભણતરની વ્યવસ્થા આ ગુરુકુળોએ કરી છે.
શ્રી અમિતભાઈ શાહ વધુમાં જણાવ્યુ કે, મને આજે ગુજરાતના રાજનીતિક ક્ષેત્રના કાર્યકર્તા તરીકે ગુજરાતની શિક્ષા વ્યવસ્થા પર બોલવાનું કહેવામા આવે તે હું ચોક્કસ પણે કહું કે સ્વામિનારાયણ સંપ્રદાય વગર ગુજરાતની સાક્ષરતાની કલ્પના થઈ જ ના શકે એટલું મોટું યોગદાન શિક્ષા ક્ષેત્રમાં રહેલું છે. આજે યશ કલગીમાં એક વધુ પિંછું જેતલપુરની પ્રસિદ્ધ શિક્ષા સંસ્થાન એની અંદર નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સંબંધ ગ્રેજ્યુએશન અને ડબલ ગ્રેજ્યુએશન સુધીની કોલેજ સુધીની સુવિધા કરી છે. Bsc ફોરેન્સિક સાયન્સ, Msc ફોરેન્સિક સાયન્સ, Msc સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક એના પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ હવે જેતલપુરમાં ભણાવવામાં આવશે. માત્ર જેતલપુર નહીં પરંતુ સમગ્ર અમદાવાદ જિલ્લો તેમજ ગુજરાતના યુવાનોને ફોરેન્સિક અભ્યાસ કરવાનું કેન્દ્ર આવનારા દિવસોમાં જેતલપુર બનવાનું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી અને દેશની જનતા એ જ્યારે દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાનું કાર્ય નરેન્દ્ર મોદીજીએ કર્યું. ફોરેન્સિક સાયન્સ માટે એક્સક્લુઝિવ શિક્ષણની વ્યવસ્થા માટેની યુનિવર્સિટી દુનિયામાં ક્યાય નથી. આ યુનિવર્સિટી માત્ર ભારતમાં, ગુજરાતમાં અને આજે આ જ યુનિવર્સિટી ભારતની નવમી કોલેજ આપણાં જેતલપુરમાં શરૂ થઈ છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આવનાર સમયમાં એક એવું વટવૃક્ષ બનાવાનું છે જે દુનિયા ભરના ફોરેન્સિક સાયન્સના જગતમાં એઝ્યુકેશન, ટ્રેનીંગ, રિસર્ચ અને ઇનોવેશનને પ્રેક્ટિકલી જમીન સુધી પહોંચાડવાની પ્રક્રિયા સાથે આ યુનિવર્સિટી જોડાયેલી રહેશે.
શ્રી અમિતભાઈ શાહ શાહે વધુમાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાન અને દેશના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંગ્રેજોએ બનાવેલા દરેક ક્ષેત્રના કાયદામાં આમૂલચૂર પરીવર્તન કરવાની શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી શાહે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 15મી ઓગસ્ટ 2047 પહેલા આપણાં સમાજ માંથી અને આપણાં દેશમાંથી ગુલામીની નિશાનીઓ અને ગુલામીના તમામ કાયદાઓને રદ્દ કરવાનું લક્ષ્ય તમામ નાગરિકોએ રાખવું જોઈએ. આઝાદીના 70 વર્ષ સુધી કોંગ્રેસિયાઓ સાશનમાં રહ્યા પરંતુ આપણાં દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંગ્રેજોએ બનાવેલા કાયદાથી ચાલુ રહી તેનો આત્મા ભારતીય નહોતો. આ કાયદાઓ અંગ્રેજોએ ભારત પર રાજ કરવા માટે બનાવેલા હતા અને એટલા માટે એનું નામ “ઇંડિયન પિનલ કોડ” હતું અને તેની જગ્યાએ “ભારતીય ન્યાય સહિતા” લાવી અને ન્યાયની શરૂઆત કરવામાં આવી. આ નવા કાયદાની અંદર કેન્દ્રબિંદુ દેશનો નાગરિક, ભારતની માતાઓ, દીકરીઓ છે. સૌને ન્યાય આપવા માટે ભારતીય ન્યાય પરંપરા પ્રમાણેની કાયદાકીય જગતની વ્યવસ્થા માટે આ નવી શરૂઆત છે. આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી સમગ્ર દેશની અંદર કોઈપણ ગુનો થાય જેની સજા સાત વર્ષ અથવા સાત વર્ષથી વધારે હોય દરેકમાં ફોરેન્સિક સાયન્સના એવિડન્સને ફરજિયાત કરવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. 2025થી દર વર્ષે 30 હજાર યુવાનો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક્સપર્ટ બની દેશની સેવા માટે આગળ આવે તે પ્રકારે શૃંખલા રચી છે અને એમાં આજે એક બિંદુ જેતલપુર ફોરેન્સિક સાયન્સ તરીકે જોડાવા જઈ રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઇ મોદી સરકાર નવી શિક્ષાનીતિ પણ લઈને આવી, હવે ટેકનિક સાથે અર્થવ્યવસ્થા પણ શીખી શકશે, મેડિકલની સાથે એથીક્સ પણ શીખી શકશે, કોમર્સની સાથે કલા પણ શીખી શકશે એક પ્રકારે નવી શિક્ષાનીતિમાં ખુલાપણ લાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. આવનાર દિવસોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો વિકાસ વિશ્વની અગ્રગણીય ટેકનિકલ યુનિવર્સિટી તરીકે થવાનું છે.
આ કાર્યક્રમમાં પ.પૂ.લાલજી મહારાજ, દસ્ક્રોઈ વિધાનસભાના ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસ્વામી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.જે.એમ.વ્યાસ, ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ અને પ્રદેશ ભાજપ સહકાર સેલના કન્વીનરશ્રી બીપીનભાઈ પટેલ, પૂજ્ય આત્મપ્રકાશસ્વામી, પૂજ્ય પી.પી સ્વામી સહિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોદ્દેદારશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બિમલ જોષી
સંયોજક, મીડિયા
***************************†**************