*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ*
*પ્રેસનોટ- 2186/02/2024 તા.13/02/2024*
આજરોજ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.
_______
COP28 સમિટમાં વડાપ્રધાન મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી અને આ મુદ્દે ચર્ચા કરી. અને આજે આપ્રયત્નો ભારત માટે રાજદ્વારી વિજય બની ગયો છે:- શ્રી સી.આર.પાટીલ
_______
વિદેશમાં મુશ્કેલીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે મોદી સરકાર હંમેશા પ્રાથમિકતા ના ધોરણે પગલાઓ લઈ કામ કરે છે:- શ્રી સી.આર.પાટીલ
_______
આજે પરત ફરેલા તમામ સૈનિકોને અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું:- શ્રી સી.આર.પાટીલ
_______
આવા અનેક ઓપરેશનો દ્વારા આપણાં દેશાનો કોઈપણ નાગરિક, કોઈપણ અન્ય દેશમાં ફસાયો હોય તે દરેક વખતે દેશની આશા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર હોય છે:- શ્રી સી.આર.પાટીલ
_______
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, મુખ્ય પ્રવકતા શ્રી યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના સાશનમાં વિદેશમાં ફસાયેલા અને મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે “મોદી હૈ તો મુમકિન હૈ” આ વાતને સાબિત કરતાં અનેક દાખલાઓ આપણી સમક્ષ આવ્યા છે. ભારતીય નૌકા દળના પૂર્વ જવાનોને કતારમાં ફાંસીની સજા કરવામાં આવી હતી તેના કારણે સમગ્ર દેશમાં એક ભય અને સૈનિકો માટે સહાનુભૂતિનું વાતાવરણ બન્યું હતું.. આખા દેશને વિશ્વાસ હતો કે મોદી સાહેબ સજા મુક્તિ અપાવશે અને આજે સૈનિકો કતારથી પરત ફર્યા છે. ઓક્ટોબર 2022 થી, કતાર પોલીસે 8 ભારતીય ભૂતપૂર્વ નૌકા દળ ના જવાનોની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં ધકેલી દીધા હતા અને 26 ઓક્ટોબર 2023 ના રોજ, કતારની કોર્ટે તમામ આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જે બાદ મોદી સરકાર દ્વારા તેમને બચાવવાના પ્રયાસો શરૂ થયા હતા. COP28 સમિટમાં વડાપ્રધાન મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી અને આ મુદ્દે ચર્ચા કરી. અને આજે આપ્રયત્નો ભારત માટે રાજદ્વારી વિજય બની ગયો છે. વિદેશમાં મુશ્કેલીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે મોદી સરકાર હંમેશા પ્રાથમિકતા ના ધોરણે પગલાઓ લઈ કામ કરે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ભારતે કટોકટીના સમયમાં પોતાના નાગરિકોને વિદેશની ભૂમિ પરથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવ્યા હોય. આ પહેલા ઘણા મોટા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ભારતે હંમેશા તેના દરેક નાગરિકના જીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, 27 ફેબ્રુઆરી 2019 ના રોજ, જ્યારે અભિનંદને પાકિસ્તાની F-16 ને તોડી પાડ્યું અને પાકિસ્તાનમાં પડ્યા પહેલા તો પાકિસ્તાની સેનાએ તેનો સ્વભાવગત ઘમંડ દેખાડ્યો પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કડક વલણથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો અને 24 કલાકમાં સંસદમાં ઠરાવ કરીને તેમને જલ્દી જ છોડી દેવામાં આવ્યા. જૂન 2014 માં ISIS દ્વારા ઇરાકમાં હુમલા બાદ 46 ભારતીય નર્સો, જેમાં મોટાભાગની કેરળની રહેવાસી હતી. તેણીઓ હોસ્પિટલમાં ફસાયેલી હતી. મોદી સરકારે તેમને ઈરાકથી ભારત પરત ફરવામાં મદદ કરી હતી અને સહી સલામત તેમના વતન ભારત પરત ફરી હતી. ત્યારબાદ ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ‘ઓપરેશન અજય’ મિશન હેઠળ ભારતીય નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોનું ટુંક સમયમાં જ પરત આવવું એ સંકેત છે કે મોદી સરકાર ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઇ કસર છોડી રહી નથી. ઓપરેશન કાવેરી અંતર્ગત 2023ના વર્ષે એપ્રિલમાં, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારતે તેના લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. તે દરમિયાન કુલ 4097 લોકોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન દોસ્ત અંતર્ગત ફેબ્રુઆરી 2023માં તુર્કી-સીરિયા માં આવેલ ભયાનક ભૂકંપના કારણે માનવ દુર્ઘટનાના પીડિતોની મદદ માટે ચલાવવામાં આવેલા ઓપરેશન દોસ્ત અભિયાન હેઠળ, ભારતીય સેનાએ પીડિતો માટે રાહત અને બચાવમાં ભાગ લીધો હતો. ઓપરેશન ગંગા અંતર્ગત 24 ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ભારતે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું . ઓપરેશન ગંગા હેઠળ લગભગ 22 હજાર ભારતીયોને પાછા લાવવામાં આવ્યા હતા. અને વિશ્વમાં જો કોઈ દેશે સફળતા પૂર્વક પ્રયાસ કર્યો હોય તો તે ભારતે કર્યો હતો.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, ઓપરેશન દેવી શક્તિ અંતર્ગત સરકારે ઓગસ્ટ 2021 માં ઓપરેશન દેવી શક્તિ શરૂ કર્યું. આ મિશન હેઠળ કુલ 669 લોકોને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં 448 ભારતીયો અને 206 અફઘાનનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન વંદે ભારત અંતર્ગત સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળો શરૂ થયા બાદ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘વંદે ભારત મિશન’ શરૂ કર્યું. 2.17 લાખથી વધુ ફ્લાઈટ્સે 1.83 કરોડથી વધુ લોકોને મુસાફરી કરવાની સુવિધા આપી હતી. પેસેન્જરોને પરત મોકલવાનું આ સૌથી મોટું ઓપરેશન આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું. ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતા ભારતીયોને દેશમાં લાવવા માટે 5 મે 2020 ના રોજ નૌકાદળનું ઓપરેશન ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 3,992 ભારતીય નાગરિકોને દરિયાઈ માર્ગે દેશમાં સહીસલામત પરત લાવવામાં આવ્યા હતા. વુહાન ઇવેક્યુએશન અંતર્ગત ફેબ્રુઆરી 2020 માં, એર ઇન્ડિયાએ 654 મુસાફરોને પરત લાવવા માટે બે વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું, જેમાં 647 ભારતીયો અને સાત માલદીવિયનોનો પરત લાવવામાં આવ્યા.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવું કે, ઓપરેશન સંકટ મોચન અંતર્ગત મોદી સરકારે દક્ષિણ સુદાનમાં ફસાયેલા આપણાં 153 ભારતીયો અને નેપાળના 2 નાગરિકોને પણ આ મિશન હેઠળ બચાવી લેવાયા હતા. બ્રસેલ્સ ઇવેક્યુએશન અંતર્ગત માર્ચ 2016 માં, બેલ્જિયમના ઝવેન્ટેમમાં બ્રસેલ્સ એરપોર્ટ પર અને સેન્ટ્રલ બ્રસેલ્સના માલબીક મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલાઓ થયા હતા. આ હુમલા બાદ 28 ક્રૂ મેમ્બર સહિત કુલ 242 ભારતીયોને હવાઈ માર્ગે સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા. ઓપરેશન મૈત્રી અંતર્ગત 2015માં નેપાળના ભૂકંપ પછી ભારતે ‘ઓપરેશન મૈત્રી’ શરૂ કર્યું હતું. લશ્કરી અને ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ કરીને સંયુક્ત આર્મી-એર ફોર્સ ઓપરેશનના ભાગરૂપે નેપાળથી 5,000 થી વધુ ભારતીયોને દેશમાં લાવવામાં આવ્યા હતા. ઓપરેશન રાહત અંતર્ગત યમનમાં 2015માં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ભારતે યમનમાં ફસાયેલા 4,640 ભારતીયો ઉપરાંત 41 થી વધુ દેશોમાંથી 960 વિદેશી નાગરિકોનેપણબચાવ્યા. ખૂંખાર આંતકવાદી સંસ્થા ISIS દ્વારા જૂન 2014 માં ઇરાકમાં થયેલા હુમલા બાદ 46 ભારતીય નર્સો, જેમાં મોટાભાગની ભારતના કેરળ રાજ્યની હતી, અને ત્યાંની હોસ્પિટલમાં ફસાયેલી હતી, તે તમામ ને ભારત પાછા ફરવામાં મોદી સરકાર તેની ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની કટિબદ્ધતાઅને પ્રતિબદ્ધતા પ્રગટ કરી હતી. આવા અનેક ઓપરેશનો દ્વારા આપણાં દેશાનો કોઈપણ નાગરિક, કોઈપણ અન્ય દેશમાં ફસાયો હોય તે દરેક વખતે દેશની આશા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર હોય છે. આજે પરત ફરેલા તમામ સૈનિકોને અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
*ડૉ.યજ્ઞેશ દવે*
*(પ્રદેશ મિડિયા કન્વીનર)*
******************************************