નખત્રાણાના શિક્ષક દંપતિનું અનોખું કાર્ય
અત્યાર સુધીમાં ૩૦૮૩ સાપોને અત્યાર સુધીમાં પકડી પ્રકૃતિને ખોળે ધર્યા.
(મહેશ સોની નખત્રાણા દ્વારા )
૧૬ જુલાઈ “વિશ્ર્વ સાપ દિવસ” ઉજવાઈ ગયો. આમતો સાપથી સૌ ડરતા હોય છે પણ નખત્રાણાનું એક શિક્ષક દંપતિ સાપ પકડવા માટે નખત્રાણા અને આસપાસના પાંત્રીસ થી ચાલીશ જેટલા ગામોમાં પ્રખ્યાત છે . નખત્રાણાના ગણેશનગર પ્રાથમિક શાળા ના શિક્ષકતરીકેની ફરજ બજાવતા આશિષ ભાઈ કારાવદરા અને તેમના ધર્મ પત્ની હિરલબેને સાપ પકડવામાં નિપુણતા મેળવી છે. કોઈ પણ પ્રકારનાં સાપો હોય જેમાં કોબ્રા જેવા ઝેરીલા સાપો હોય તો પણ કોઈ પણ ઈજા પહોચાડ્યા વગર સાપ પકડી જંગલમાં છોડી આવે છે. આસપાસ વિસ્તારમાં નિ:શુલ્ક સેવા બજાવે છે જ્યારે પંદર વીસ કિલોમીટર થી દુર હોય તો માત્ર પેટ્રોલ ખર્ચ લે છે.
પોતાની પત્ની હિરલ બેનને પણ સાપ પકડવાની તાલીમ આપી છે. અત્યાર સુધી આશિષ ભાઈ લગભગ ૩૩૮૩ જેટલા સાપ પકડીને પ્રકૃતિને ખોળે ધર્યા છે .તો હિરલ બેને પણ ૩૦૦ જેટલા સાપો પકડ્યા છે .
સાપ પકડવા ડર નથી લાગતો એવા પ્રશ્ન ના જવાબમાં આશિષ ભાઈ જણાવે કે માત્ર સેવા ખાતર કરું તો કુદરત સાથ આપે છે. સાપ પકડવામાં ઘણાં અનુભવો થયા ક્યાંક કદર થઈ છે તો કયારેક વાદી કે મદારી તરિકેનું પણ લોકો બિરુદ આપ્યું છે.સાપ પકડવા હેતલ બેનને પણ ક્યારેક સાથે લઈ જાય છે.
સાપ પકડવાનો શોખ ક્યારે જાગ્યો એવા પ્રશ્નના ઉત્તરમાં આશિષ ભાઈ જણાવ્યું કે ભાણવડ ફરજ દરમ્યાન સાથી મિત્રોની સાપ કે અન્ય પ્રાણી બચાવવાની કામગીરી થી પ્રેરાઈ સાપ પકડવાનો શોખ જાગ્યો ઉપરાંત ડિસ્કવરી જેવી ટીવી ચેનલો દ્વારા પણ ખૂબ માહીતી પ્રાપ્ત થઈ . સાપ અંગેની ખૂબ જાણકારી પણ મેળવી છે. સાપના પ્રકાર, સાપના ઝેર માંથી બનતી દવા જેવી ઘણી બધી માહિતી આશિષ ભાઈ ધરાવે છે.
આશિષભાઈ કહે છે કે સાપ ખેડૂતો નો મિત્ર છે સાપને મારવો ના જોઈએ . ધાર્મિક માન્યતા લઈ કાળા નાગ સિવાય અન્ય કોઈ પણ સાપ ને લાંડર સમજી મારી નાખવામાં આવે છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે પર્યાવરણમાં દરેક જીવોનું સરખું મહત્વ છે બધા સજીવો ની મદદથી જ આપણી પર્યાવરણ કદી બને છે સાપ આપણો પર્યાવરણ મિત્ર છે એમ લોકો ને સમજાવી તેઓ ” સાપ બચાઓ “નું અભિયાન ચલાવી રહ્યા છે
સાપ બચાવવાનું અનોખું અભિયાન ચલાવતા નખત્રાણાના શિક્ષક દંપતિ