બાપુ ની નવી પાર્ટી “પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી””શંકરસિંહ વાઘેલા”બાપુ નિવાસ સ્થાને સ્નેહમિલન માં રાજકીય ધમધમાટ શરૂ,ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૮થી20 નવેમ્બર.2024 pdf file જૂવો.(Janfariyadnews હોય tube channel links)

આજે અત્યારે પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ,પૂર્વ મુખ્ય મંત્રી,પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ જન વિકલ્પ પાર્ટી અધ્યક્ષ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ,એનસીપી રાષ્ટ્રીય મહામંત્રી જેવા અનેકવિધ જુદા જુદા રાજકીય પક્ષો ના મહત્વના હોદ્દાઓ ઉપર રહી ચૂકેલ શ્રી શંકરસિંહ વાઘેલા ના બાપુ નિવાસ સ્થાને તેમની સાથે વર્ષોથી જોડાઈ રહેલા અને આજે પણ તેમની વિચાર ધારા સાથે રાજકીય જોડાઈ રહેલા ગુજરાત નથી દોઢસો થી બસો રાજકીય લોકો નું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે.જુદા જુદા રાજકીય વર્તુળો માં બાપુ વિષે તરહ તરહ ની ચર્ચાઓ જોવા મળે છે..પ્રથમ ભાજપ બાદ કોંગ્રેસ,રજપા,એનસીપી જેવા પક્ષો માં જવાબદારીઓ સાંભળી ચૂકેલા અને પોતાની પાર્ટી બનાવી એકપણ શીટ નહિ જીતેલા અને આજે તે પાર્ટીનું અસ્તિત્વ પણ નથી…તેવા 80 વર્શ ઉપર પહોંચેલ શ્રી શંકરસિંહ વાઘેલા આજે પણ રાજકીય અને સમાજિક રીતે તેમના વક્તવ્યો થકી છવાયેલા છે.

હમણાં તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સર્વે સર્વા કહી શકાય તેવા શંકરસિંહ બાપુને મળવા માટે તેમના નિવાસ્થાને ગયા હતા અને સમગ્ર ગુજરાતમાં રાજકીય ધમધમાટે શરૂ થયું હતું કે અમિત શાહ અને બાપુ વચ્ચે શું વાતચીત થઈ હશે અને તરતરની વાતો પણ સાંભળવા મળી હતી. અંતે એવું પણ સાંભળવા મળ્યું હતું કે બાપુને કહેવામાં આવે કે હવે તેમને રાજ્યપાલ પદ આપવામાં આવે છે જો તમે સ્વીકારો તો પરંતુ તે પછી બાપુએ કોઈ ગતિવિધિઓ એવી બતાવી નહીં કે આ વાત પણ તેમના ગળે ઉતરી ના હોય આવું પણ જાણવા મળેલું હતું. કેમ કે આ મુલાકાત પછી કોઈપણ પરિણામ સ્વરૂપે મીડિયામાં કે તેમની કોઈની સાથેની પર્સનલ વાતચીતમાં પણ ક્યાંય જાણવા મળેલ નથી. આધારભૂત સૂત્રોથી હજુ એવું પણ જાણવા મળે છે કે ફરી પાછી નવી પાર્ટી ઊભી કરે અને ચૂંટણીની અંદર કંઈક નવા તરકીબથી પણ વિધાનસભામાં પ્રવેશ હજુ પણ કરવા માટે તેઓ તત્પર હોય તેવું જાણવા મળે છે.

આજના આસને મિલનમાં બધા લોકો બાપુની સાથે જમીને નવા વર્ષની મુલાકાત કરીને છૂટા પડે હતા.