*પ્રેસનોટ*
આજરોજ અષાઢી બીજના પાવન અવસરે રથયાત્રા સમિતિ- પંચદેવ યુવક મંડળ, ગાંધીનગર દ્વારા 39 મી “ભગવાન જગન્નાથ જીની રથયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે પંચદેવ મંદિર, સેકટર-22 ખાતે ભગવાન જગન્નાથ જીની આરતી ઉતારી તેમજ પ્રભુના દર્શન કરીને નગરજનોની સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.