ભારત દેશ ના પ્રધાનમંત્રી અને ગુજરાત નું ગૌરવ કહી શકાય તેવા નરેન્દ્ર દામોદર દાસ મોદીજી ને દેશ ના નવા સંસદ ભવન ના ઉદ્ઘઘાટન પ્રસંગે અનેક શુભેચ્છાઓ…તેમની સાથે 1978 માં મોરબી હોનારત માં 15 દિવસ અને લાલ ચોક.શ્રીનગર યાત્રા પ્રવાસ માં સાથે રહેવાનો મોકો મળેલ અને તેમની તે વખત ની સૂઝ બુઝ અને ત્યાર બાદ તંત્રી તરીકે અનેક વાર મળવાનો અને સાથે સ્કૂટર પર ગાંધીનગર થી ખનાપુર ચોક સુધી નો પણ અનેક વાર પ્રવાસ કરેલ….જે યાદ ગિરિ ના ભાગ રૂપે….પણ કેટલાક ચોથી જાગીર ના કર્તવ્ય ના ભાગ રૂપે કેટલાક સવાલો…..
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક..મારું સંપાદકીય મંતવ્ય.(આજના દિવસ ને શુકનિયાળ,અપશુકનિયાળ, અહીતિહાસિક કહેવાય કે કેમ તે પ્રશ્ન છે..કેમકે બદલાતી રાજકીય શાસકો ની સરમુખત્યાર લોકશાહી નું આ વરવું રૂપ કહેવાય કે નહિ?)
ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ.સાંસદ ખુદ મીડિયા ચેનલ ના નક્કી કરેલ ઇન્ટરવ્યૂ માં એવું કહે કે ન્યાયતંત્ર પણ પ્રધાનમંત્રી ની સાથે છે…કોઈપણ વિપક્ષ હવે નવા સંસદ ભવન માં બેસવાને લાયક નથી..(તો પછી કર્ણાટક માં 104 માંથી 62 કેમ થઈ..જો આટલી લોકપ્રિયતા હતી અને રોડ શો કરી કર્ણાટક ગજવ્યું હતું તો.?)
કોઈ ને પણ કાઈ પણ બોલવાનો કે શાશન માં કાઈ પણ સુધાર બાબતે કહેવાનો અધિકાર જ નહિ?
શું બધા ને ઇડી. સીબીઆઇ.ન્યાય તંત્ર ની બીક લાગે?કેટલી જેલો ભરશો કે અપ મૃત્યુ કરાવશો..?
ગોદી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા શાસક સરકાર ના વિભાગો ના પેડ કોન્ટ્રાક્ટ થી આખો દિવસ શાસક લોકો ની વાહ વાહ કર્યા કરે..અને વિરુદ્ધ કાઈ પણ લખે કે બતાવે તો સરકારી અને રાજકીય શાસક પક્ષ ની સેવાઓ ઉપર કાપ મૂકી આર્થિક નુકશાન ની બીક બતાવે..?શું આ બદલાતી લોકશાહી ના આધુનિક રાજકીય રંગો માં દેશ ની બુદ્ધિજીવી જનતા ના લોકો એ પીડા સહન કરવાની છે..? કુદરત પાસે રોક લગાવવા એક માત્ર સમય/વ્યક્તિ ની ઉંમર અને કુદરતી આફત જેવા પરિબળો હજુ કુદરતે પોતાની પાસે લગામ તરીકે રાખ્યા છે જેનાથી અંધ રાજકીય સ્વાર્થીભક્તિ સિવાય ના લોકો ને કુદરત સમયે ન્યાય આપે છે જે મારો તંત્રી તરીકે નો આવી પીડા સહન કરવાનો અનુભવ છે…અનેક રાજકીય ડેમેજ કંટ્રોલ થી બચતા ને કુદરતે ઉઠાવી લીધા છે….થોભો…રાહ જુવો..અમારા જેવા ક્યારેય ગોદી મીડિયા ની ફોજ માં જોડાયા નથી..ભલે જે કાઈ નુકશાન કરવું હોય તે કરી લે….
નવું સંસદ ભવન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શું બન્યું છે?
, એનો આકાર કબર જેવો ચિત્ર વિચિત્ર છે એટલે એમાં ક્યારેય સુખ ચેન થી રાજકીય સંપ રહે તેવું રહેશે નહિ.. અને તેનો પાયો અને ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હાથે થયું છે એટલે કે દેશ નું ત્રીજા નંબર નું રાજકીય પદ પ્રધાનમંત્રી કહેવાય…દેશ અને દુનિયામાં દેશ માટે કલંકિત અહમી/સરમુખત્યાર લોકશાહી દર્શન કહી શકાય….રાષ્ટ્રપતિ.ઉપરાષ્ટ્રપતિ અને અનેક નામી સિનિયર સાંસદ પૂર્વ પ્રધાનમંત્રી,પૂર્વ સિનિયર મંત્રીઓ હયાત ની હાજરી વિના એટલે યોગ્ય હાથે ઉદઘાટન નથી થયું એટલે નવું સંસદ ભવન દેશ માટે આફત નોતરશે એ વાત ભવિષ્યમાં સાબિત થઈ શકે છે જે વાત મોદીજી એ તેમના ભાષણ માં એમ સમજી ને પણ કહ્યું કે ઘણી તકલીફો આવશે પણ આપણે સાથે રહી સામનો કરવાનો છે….આઝાદી માં તામિલ લોકો ને યોગદાન નું મહત્વ અપાયું નથી તેવું ગાણું મોદીજી જાતે નક્કી કરીને ભાજપ નો આ એજન્ડા છે તેવો ભાજપ પક્ષ શાસકીય એજન્ડા અહી આજે રજૂ કરી દીધો અને જે.પી. નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ ને પણ સાથે રાખી જનતા ને ગંભીર સંકેતો આપ્યાં(કે જેઓ તેમના હિમાચલ માં સરકાર લાવી નથી શક્યા)…હયાત સિનિયર લાલ કૃષ્ણ અડવાણી જેવા સિનિયર જન્સંઘી.ભાજપ ના હયાત હોવા ને પણ જાણે નજર કેદ હોય તેવી સ્થિતિ ઊભી કરાઇ છે અને ક્યાંય જાહેર માં કોઈને મળી ના શકે કે ક્યાંય આવી ના શકે…..
લોકસભા અને રાજ્યસભા ના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ હાજર હોય અને બંને સંસદીય ગૃહ ને ચાલુ કરાવવામાં આવે છે
…..જ્યારે આજે માત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગણ્યા ગાંઠ્યા પ્રીતિપાત્ર લોકો ને હાજર રાખી…જાણે કોઈ હિન્દી પિકચર ના હીરો આખા પિકચર માં દેખાય તેમ આખી ફિલ્મ ઉતરાવી..મોદીજી એ પોતે નક્કી કરેલા લોકો ની ઉપસ્થિતિ,તામિલનાડુ ના ધર્મ સંસ્કૃતિ ના લોકો ને ઘર ને નવા સંસદ ભવન માં આગમન…પાઠ.પૂજા.હવન.. બધુજ સમય પ્રમાણે….અતિથિઓ માત્ર જોવાનું હતું…અતિથિઓ માં મુખ ઉપર પ્રતિક્રિયાઓ પણ જોઈ શકાય તેમ હતી….કોઈપણ ભાજપ ના ભગવા યોગીજી સિવાય ઉમાં ભારતી,પ્રજ્ઞા ઠાકુર,પ્રાચી જી તેમજ કોઈપણ સનાતન ધર્મ સંત.સાધુ.અખાડા ના સાધુઓ કે કોઈપણ જ્યોતિર્લિંગ ના પીઠાધિશ્વર. શંકરાચાર્ય જી.કે કોઈપણ મઠ ના ધર્મગુરુ હાજર નહોતા…તેમજ દેશ ની જુદા જુદા ક્ષેત્ર ની કોઈપણ અગ્રગણ્ય વ્યક્તિઓ પણ હાજર નહિ….અને રામ મંદિર નો જેમ શિલાન્યાસ એક વાર થઈ ગયો હોવા છતાં પોતાના નામ ની તખ્તી ખાતર બીજીવાર શિલાન્યાસ તેમની ઈચ્છા પ્રમાણે કરવામાં આવ્યો…મોટાભાગના વિપક્ષો નવા આ સાંસદ ભવન માં હાજર નહિ…અને દેશ અને દુનિયા માં નવા સંસદ ભવન ઊદ્ઘાટન પ્રચાર પ્રસાર જોર શિર થી કરવામાં આવ્યો…શું આ સરમુખત્યાર શાહી લોકશાહી હિન્દુત્વ ના એજન્ડા/હિન્દુ રાષ્ટ્ર એજન્ડા માટે ખતરા રૂપ બની ના શકે?..આઝાદી ચળવળ અને આઝાદી બાદ ભારત દેશ ચલાવવામાં જેણે બલિદાનો આપ્યાં અને જે રીતે શાશન ચલાવી બ્રિટિશ હકુમત ને પાછળ પાડી અને પાકિસ્તાન.બંગલાદેશ,શ્રીલંકા . અને પાડોશી દેશો સાથે જે રીતે ટક્કર આપી ..શું આ બધું પાઠ્ય પુસ્તક માં કાઢવાથી.બદલવાથી ઇતિહાસ કદી ભૂસાઇ જાય ખરો?
શું આમાં જૂઠ.અશિક્ષિત્તા..શિક્ષિત/બુદ્ધિજીવીઓ સામે શિક્ષિત ખભા ઉપર શાશન કરીને કયા સુધી ટકી શકે?
શું આ શાશન ટકાવી રાખવાની સાચી બંધારણીય નીતિ રીતિ કહેવાય?
શું આને સૌનો સાથ,સૌનો વિકાસ સાચા અર્થમાં કહી શકાય?
શું આવી ભયભીત રાજકીય શાશન ટકાવી રાખવાની નીતિરીતિ શું સારા પરિણામ લાવી શકે.?
શું દેશ માં રાજકીય બુદ્ધિજીવીઓ છે જ નહિ? શું કેવળ સત્તા ટકાવી રાખવાની આવી બદલાતી સર મુખાત્યાર લોકશાહી ની રાજનીતિ થી ભારત દેશ મહાસત્તા બની શકે?
શું અખતરા કરીને અસંખ્ય જૂઠ બોલી ને કોઈ ખુલાસો આપ્યાં, અપાયા વગર..કોઈપણ પ્રેસ મીડિયા સમક્ષ નહિ કરીને દેશ ની કોઈપણ પરિસ્થિતિ હોવા છતાં માત્ર સરકારી.રાજકીય પક્ષ ના દુભાષિયા.પ્રવક્તા દ્વારા મનમાની પ્રેસ રિલીઝ કરાવી પ્રચાર પ્રસાર કરવો અને સરકારી પ્રચાર ના સાધનો થી દેશ દુનિયા માં જઈને પોતે ઈચ્છે તે રીતે પ્રચાર પ્રસાર કરવો કરાવવો તે ચોથી જાંગીર ના હક ઉપર તરાફ અને ખૂન સમાન શાસક સરકાર ની રાજનીતિ રહી છે..જેના ઘાતક પરિણામો અનેક ક્ષેત્રો માં જોવા મળે.છે….
ગુજરાત રૂપાણી શાશન માં એવું તો શું બન્યું કે આખી સરકાર રાતો રાત બદલી નાખી અને સત્તા માં બેઠેલા બધા ઘેર જતા રહ્યા છતાં કેમ ચૂપ થઈ ને બેઠા છે..? લોક ચર્ચા પ્રમાણે ભ્રષ્ટાચાર અને ફાઈલો નિકાલ કરવાનો વેપલો એટલો વધી ગયો હતો કે પ્રજા માં ચર્ચા નો મુદ્દો બની ગયો જેનો પાપ નો ઘડો હમણાં રૂપાણી ઉપર 10.000 કરોડ ની ગોચર જમીન પધરાવી દેવાનો મામલો પૂર્વ કલેકટર એસ.કે. લાંગાં વિરુદ્ધ FIR થતાં ઘણું ઘણું નવું નવું સંભળાય છે જેમ અપૂર્વ મહેસૂલ મંત્રી ની મુલાકાતો અને અવનવી વાતો પણ હવે બહાર આવી છે…એમ ભૂતકાળ માં અમદાવાદ જગન્નાથ મંદિર ની જગ્યા સસ્તા ભવે મુસ્લિમો ને વેચી મારવાના કૌભાંડો પણ ન્યાય તંત્ર ની પ્રક્રિયા મા છે.
પણ અહી તો વોટ બેન્ક ની ભીખ સંતોષાય તે રીતે પાર્ટી બધો વહીવટ કરે…પછી આશારામ જેવા કેટલા બાબા ને ચૂંટણી ટાણે સ્ટાર પ્રચારક ફિલ્મી અભિનેતા ની જેમ બનાવી દેવામાં પણ આવે….ભૂતકાળ માં આવા કેટલા ખેલ હાઈકોર્ટ દ્વારા નકલી એન કાઉન્ટર અને જાસૂસી કાંડ વખતે જનતા એ જોયા છે અને આજે તેના ગંભીર પરિણામો પણ શું છે તે દેખાઈ આવે છે…28 વર્ષે ગોધરા કાંડ બન સર્વે સર્વા ને દૂધે ધોયેલા ની જેમ છોડી દેવામાં આવ્યા…..હવે 28 વરસ પછી શું સમાજિક કે વ્યવસાઇક સ્ટેટસ માનવી બચાવી શકે.?
પ્રાંતીય જુદા જુદા ધર્મ ના ધર્મગુરુઓ ને સમયાંતરે રાજકીય કાર્યક્રમો માં બોલાવી સન્માનો આપીને સહાનુભૂતિ.ધર્મ પરંપરા સંસ્કૃતિ ની જાળવણી ની વાતો કરી તમામ રાજ્યો માં ગોઠવણી કરી સરકારી સન્માનો .એવોર્ડ આપી ખુશ કરવામાં આવે તે નામ પણ ઉપર થી નક્કી કરવામાં આવે ત્યારે ખબર પડે કે આમાં સિનિયર.જુનિયર ને કઈ મદદ.સખાવત ખાતર ખુશ કરવામાં આવ્યા છે..
શિક્ષણ.આરોગ્ય.વ્યવસાય.ઉદ્યોગો.ગુનાખોરી.. ડ્રગ્સ.માફિયા ગિરિ….રાજકીય અને સરકારી બાબુઓ ની મિલી ભગત થી અસંખ્ય કેસ ન્યાય તંત્ર માં ચાલે….કરોડો ના ભ્રષ્ટાચાર ચાલે પણ ન્યાય તંત્ર માં લાંબી પ્રક્રિયા બાદ પુરાવા ના અભાવે ક્લીન ચીટ નું સૌથી મોટું તરકટ હાલમાં આ કેન્દ્ર અને રાજ્ય ની ભાજપ ની સરકાર માં ચાલી રહ્યું છે..અસંખ્ય લોકો ને સંગઠન ની ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા બચાવી લેવાયા છે અને સી.એમ..પૂર્વ મંત્રીઓ ઉપર ગંભીર ભ્રષ્ટાચાર અને કુશાશન ના આરોપ હોવ છતાં બંગલા ખાલી કરાવી લેવાયા નથી કે તેમની ધરપકડ પણ કર્યા વિના છૂટા છોડી દેવાય છે….ગુનેગાર પક્ષ ના લોકો ને આગોતરા જામીન બાદ હાજર કરી બચાવી લેવાય છે અને પાછા રાજકીય વિધાયક પણ બનાવી સરકાર નો ભાગ બનાવી દેવાયા છે….
ગુજરાત ની જનતા માત્ર ગુજરાત ના પીએમ.એચ. 3એમ હોવાના નાતે સહાનુભૂતિ ના કારણે સહન કરીને એક માત્ર વતન ની લાગણીઓ માં ખેંચાઈ કોઈ ની કોઈ સરકારી સુખ સગવડ ની લાલચે વોટ બેન્ક આપી સત્તા ટકાઈ રાખીને બેઠા છે….
27 વરસ માં અનેક સાયકલ.સ્કૂટર અને સામાન્ય જીવન જીવતા ભાજપ ના લોકો ની આજે રહન શહન જોતા માલુમ પડે કે ખરેખર આ ભય.ભૂખ ભ્રષ્ટાચાર મિટાવવા આવી પડેલી સરકાર ના સત્તા આવતા કેટલા રાજરંગ બદલાઈ ગયા છે અને આખો ભાજપ મધ્યમ વર્ગ માંથી કયા વર્ગ માં આવી ગયો છે તેવું જોવા મળે..
1300 થી વધારે સરકારી બાબુઓ ઉપર ભ્રષ્ટાચાર અને બીજા સરકારી અન્યાય ના કેસ ચાલે..અનેક સસ્પેન્શન. dismiss.. બાદ પણ સરકારી નોકરી માં ઉચ્ચ અધિકારી વર્ગ માં સમાવેલ ગુનેગાર ને દૂધે ધોયેલા પોઠિયા બનાવી સરકાર માં લીધેલ દાખલા જોવા મળે…માત્ર સત્તા પરિવર્તન કરી બચાવી લેવામા આવે અને ફાઈલો બંધ કરી દેવામાં આવે..
સાડા ચાર લાખ કરોડ થી વધારે સરકારી દેવું 27 વરસ ના શાશન માં જોવા મળે….
અસંખ્ય કોન્ટ્રાકટર ની ગંભીર ભૂલો થી કરોડો નું નુકશાન અને અસંખ્ય જીવ ગયા ના દાખલા..છતાં ન્યાય તંત્ર માં પુરાવા ન અભાવે ક્લીન ચિટ અને પાછા દૂધે ધોયેલા…….
ડબલ એન્જિન ની સરકાર માં જ્યાં જુવો ત્યાં ભ્રષ્ટાચાર.અન્યાય..પોલીસ ના ખભે અનેક લોકો ને જુદી જુદી કલમો લગાવી કેસ કરી અંદર નાખવામાં આવે અને પ્રીતિ પાત્ર લોકો માસિક રિચાર્જ કરવી ભાગતા ફરતા ના સમાચારો સાંભળવા મળે…
12 માંથી સવાસો યુનિવર્સિટીઓ સાડા છ કરોડ ની જનતા માં સરકાર દ્વારા કરોડો ની ડિપોઝિટ લઈ જનતા ઉપર ઠોકી બેસાડવામાં આવે અને મળતીયાઓ અને પક્ષ ના લોકો ને સ્કૂલો.કોલેજ બાદ યુનિ ના માલિકો બનાવવામાં આવે અને વિદ્યાર્થી સંખ્યા માં અંદરો અંદર ખેંચતાણ અને ભ્રષ્ટ શિક્ષણ નીતિ માં સંખ્યા ના ચોપડા ચિતરવામાં આવે…..ધાર્યા પરિણામો બતાવી શિક્ષણ નો મોટે પાયે વેપલો બતાવવામાં આવે..
લોકો GST થી નાના.મોટા વેપારીઓ ત્રસ્ત..જ્યા જાવ ત્યાં ભ્રષ્ટાચારી રકમો ચહેચી વ્યવસાય કરવાનો…સરકારી આવકો મેળવવા ઉદ્યોગો ને રાજકીય અને સરકારી દબાણ હેઠલ પાયમાલ થતાં ચોરે અને ચૌટે જોવા મળે…પરિણામે તેમના વંશજો ને વિદેશ ભણવા મોકલી અહીંની મિલકતો વિદેશ માં સ્થાઈ કરી રહેલા મોટાભાગના લોકો વિદેશમાં સેટ થયેલા જોવા મળે…
આ છે ભાજપ નું સત્તા ટકાવી રાખવા હિન્દુત્વ ના કાર્ડ ઉપર ની રાજનીતિ નું સરમુખત્યાર લોકશાહી નું આધુનિક વરવું રૂપ..
🙏
સંપાદક : વ્યક્તિગત પત્રકાર તરીકે ના અનુભવ.જોયું. જાણ્યું અહી જન જાગૃતિ ના ભાગરૂપે તટસ્થ રીતે રજૂ કરવામાં આવ્યું છે…તેમ છતાં કોઈ વાંધા જનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી તેવા સમાચાર શબ્દો દૂર કરવામાં આવશે..
તંત્રી : પ્રદીપ રાવલ(9824653073)