પૂર્વ ગાંધીનગર કલેકટર શ્રી એસ.કે લાંગા ઉપર બિન ખેડૂત ને ખેડૂત બનાવવાનો ગંભીરક્ષેપ કરવાના સમાચારો વેબસાઈટ પોર્ટલ ઉપરથી પ્રાપ્ત થતા અત્રે બ્રેકિંગ ન્યુઝ તરીકે અમો મૂકી રહ્યા છીએ.
***********************************””*”””
ગાંધીનગરના સેક્ટર 2 ના મહુડી મંદિર ખાતે એક કારમાં વિદેશી દારૂ ભરીને કોઈ હેરફેર કરી રહ્યું છે તેવા સમાચાર સેક્ટર સાત પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મહુડી મંદિર પાસે આવીને વિદેશી દારૂની 292 બોટલો પકડી પાડીને ચાર ઈસમો સામે ગુનો દાખલ કરીને તપાસ વધુ આદરીને કુલ પાંચ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.
પકડાયેલા ઈસમોએ કબુલાત પણ આપી છે કે ક્યાંથી અમુ આ દારૂ લાયા હતા અને ક્યાં અમો આ દારૂને ડિલિવરી આપવાના હતા.
સવાલ એ છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગર ના શું બધા જ બહારથી શહેરમાં આવતા નાકા સીસી ટીવી ફૂટે જેથી લાઈવ-ટેલીકાસ્ટમાં સરકારના લાગતા વળગતા ખાતા. માં લાઈવ દૃશ્યો હોવા છતાં સહેલાઈથી ગાંધીનગરમાં દેશી અને વિદેશી દારૂ ની હેરફેર અને વેચાણ થાય છે તે જગ જાહેર છે અને આવા એક બે કિસ્સા ના સમાચારો પણ વારે ઘડીએ પ્રસિદ્ધ થતા રહે છે.
પકડાયેલ ઈસમો દિગ્વિજયસિંહ ગોવિંદસિંહ ચાવડા રંગપુર. ગાંધીનગર તેમજ પ્રકાશ કુમાર રમેશભાઈ પરમાર સેક્ટર 2 .ગાંધીનગર તેમની ઓળખ આપી હતી..તેમજ દિગ્વિજયસિંહ જણાવ્યું હતું કે આ દારૂ અમો સાગરસિંહ ચંપો જી ઝાલા ગામ સોણસર જિલ્લો પાટણ થી અમો આ દારૂ લાવ્યા હતા તે જણાવ્યું હતું.
♦ સમાચાર -૩
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર કમલ હરગોવિંદભાઈ મહેતાએ પ્રોફેસર જયદિપસિંહ કે. ડોડીયા સામે બદનક્ષી બદલ રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- વળતર પેટે મેળવવા કરેલ દાવો નામદાર અદાલતે રદ કર્યો.
……………………………………………………………………………………………………………..
સને ૨૦૨૦માં અલગ અલગ છાપામાં અલગ અલગ સમયે છપાયેલ સમાચારો જયદીપસિંહ કે. ડોડીયાએ છપાવેલ હોવાનો આક્ષેપ કમલ હરગોવિંદભાઈ મહેતાએ કરેલ જે આક્ષેપો કમલ હરગોવિંદભાઈ મહેતાએ નામદાર કોર્ટમાં સાબિત કરી શકેલ નહિ જેથી દાવો રદ કરવામાં આવેલ .
……………………………………………………………………………………………………………..
પ્રોફેસર કમલ મહેતાએ પોતાની બદનક્ષી થયેલ હોવા અંગે કરેલ આક્ષેપો મુજબ તા.૧૩/૦૩/૨૦૨૦નાં રોજ પ્રતિવાદી જયદિપસિંહ કે. ડોડીયાએ તેમની સહિથી એક પ્રેસનોટ તૈયાર કરી રાજકોટથી પ્રસિદ્ધ થતા જુદા જુદા દૈનિક પત્રોમાં મોકલાવેલ જેમાં જણાવેલું હતું કે પ્રો.કમલ મહેતાએ તા.૨૨/૦૩/૨૦૧૪ના રોજ અગાઉથી નકકી થયા મુજબ માત્ર એક વગદાર વિદ્યાર્થીને પી.એચ.ડી.માં પ્રવેશ આપવા માટે ડીનશ્રીની ગેર હાજરીમાં માત્ર એકજ વિષય નિષ્ણાંતની હાજરીમાં ડી.આર.સી બોલાવી હતી અને આ વિદ્યાર્થીને પ્રવેશ આપેલ છે. આ વિદ્યાર્થીના માર્ગદર્શક તરીકે અંગ્રેજી વિષયના અભ્યાસ સમિતીના અધ્યક્ષ ડો.ઈરોઝ વાજાને ફાળવવામાં આવ્યા હતાં. પ્રવેશ આપવાનું અગાઉથી નક્કી કરીએ એક વિદ્યાર્થી માટે ડી.આર.સી.નું નાટક કરવું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રસ્થાપિત ધારા ધોરણોની બિલકુલ વિરુદ્ધ બાબત છે. આ ઉપરાંત પ્રોફેસર મહેતાએ ઓપન કેટેગરીમાં તેના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં એમ.એ.માં પુરા ૫૫% ન હોવા છતાં બે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પીએચ.ડી. પ્રવેશ માટેનાં યુ.જી.સી. રેગ્યુલેશન-૨૦૦૯નો છડે ચોક ભંગ કરેલ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી.ઓર્ડીનન્સનું મનઘડત અર્થઘટન કરી કેટલા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ બે વર્ષ વિલંબ કરેલ છે. ”………” પ્રોફેસર મહેતાના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં વિવિધ કક્ષાએ થયેલા છબરડાઓની વર્તમાન કુલપતિશ્રી ડો.નીતિન પેથાણી વાકેફ છે. ભવનના અધ્યક્ષનો ચાર્જ સામાન્ય રીતે ભવનના સિનીયર મોસ્ટ અધ્યાપકને આપતો હોય છે. પરંતુ પ્રો. કમલ મહેતાની સામેની ફરિયાદો કુલપતિશ્રી દ્વારા પણ ગંભીરતા પૂર્વક ધ્યાને લેવામાં આવેલ છે.
પ્રો. મહેતાને પુન: અધ્યક્ષ બનાવવા માટે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એક વગદાર જૂથ દ્વારા કુલપતિશ્રી પર પણ સતત યેનકેન પ્રકારે દબાણ લાવવામાંઆવ્યું હતું. પરંતુ કુલપતિશ્રી ડો. નિતીનભાઈ પેથાણી તેમના નિર્ણય પર અડગ રહિને કુલપતિ પદની ગરિમાંજાળવી રાખી છે. “પ્રતિવાદીની આ પ્રેસનોટનાં આધારે તા. ૨૩/૦૩/૨૦૨૦નાં રોજ સાંજ સમાચારમાં “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અંગ્રેજી ભવનમાં પીએચ.ડી. પ્રવેશમાં યુ.જી.સી. નિયમોમાં છડે ચોક ભંગ”નાં હેડિંગસાથે એક સમાચાર પ્રસિદ્ધ થયેલ જેમાં વાદી દ્વારા આચરવામાં આવેલ ગેરરીતી અંગે તપાસ સમિતી રચવા ડો. ડોડીયાએ કુલપતિને કરેલ રજુઆત જેવી હકીકતો જણાવવામાં આવેલ આ પ્રેસનોટનાં આધારે તા.૧૪/૦૩/૨૦૨૦નાંરોજ નવ ગુજરાત સમય નામના દૈનિક પત્રમાં તથા સંદેશમાં પણ આવા જ સમાચાર પ્રસિદ્ધ થયેલા ત્યારબાદ તા.૧૫/૦૩/૨૦૨૦નાં રોજ અમરેલી એક્સપ્રેસમાં આજ પ્રેસનોટનાં આધારે સમાચાર પ્રસિદ્ધ થયેલા પ્રતિવાદીએ કરેલા આક્ષેપો ખોટા બનાવીને અને વાદીની બદનક્ષી થાય તેવા પ્રકારની છે. યુ.જી.સી. રેગ્યુલેશન-૨૦૦૯ની જોગવાઈ વિરુદ્ધની યુનિવર્સિટી કોઈને પીએચ.ડી.માં પ્રવેશ ન આપે છતાં પ્રતિવાદીએ છાપામાં ખોટી જાહેરાતો આપી, વાદીની બદનક્ષી કરેલ છે. વાદી પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીને ઓળખતા પણ ન હતાં અને પ્રતિવાદી આર.ડી.સી.ની મિટીંગમાં હાજર રહેલ અને રોજકામમાં સહિ છે છતાં ઘણા વર્ષો બાદ ખોટી બનાવટી પ્રેસનોટ આપેલ છે અને નિયમોથી વિરુદ્ધનું અર્થઘટનકરી રહેલા છે. આ પ્રેસનોટથી વાદીના સગા,મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં એવી છાપ ઉભી થયેલ કે, વાદીએ ગેરરીતી કરેલ છે. જેથી વાદીની પ્રતિષ્ઠા અને ગૌરવને ગંભીર અસર કરેલી છે જેનાથી વાદીએ દુઃખ,ત્રાસ અને આઘાત થયેલ છે તથા શરમજનક સ્થિતિમાં મુકાયેલ છે. જેથી વાદીએ પ્રતિવાદીને તા.૨૯/૦૬/૨૦૨૦નાં રોજ નોટીસ આપી, લખાણો પાછા ખેંચી લેવા અને જો ના ખેંચે તો નુકશાન વળતર દાવો દાખલ કરવા જણાવતા, પ્રતિવાદીએ તા.૧૦/૦૭/૨૦૨૦નાં રોજ તદન ઉડાઉ અને ખોટા જવાબ આપેલ છે. પ્રતિવાદીએ તેમના નોટીસનાં લેખિત જવાબમાં બદનક્ષી થયેલ હોવાનો ઇનકાર કરેલ છે, પરંતુ સમાચાર તેઓએ પ્રસિદ્ધ કરાવેલા હોવા બાબતે કોઈ હકીકત જણાવેલ નથી. જેથી હાલનો દાવો લાવેલ છે.
પ્રોફેસર કમલ હરગોવિંદભાઈ મહેતાએ રજુ કરેલ પુરાવા અને તેમના સાહેદોની જુબાની સહિતની બાબતો નામદાર અદાલતે સ્વીકારેલ નહિ અને રજુ થયેલ પુરાવાથી પ્રોફેસર કમલ મહેતાની બદનક્ષી સાબિત થતી હોવાનું પુરવાર ન જણાતાં નામદાર અદાલતે રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- ( પચાસ લાખ રૂપિયા) જેવી માતબર રકમ વળતર પેટે મેળવવા અંગેનો દાવો રદ કરેલ છે.
આ દાવાનાં પ્રતિવાદી પ્રોફેસર જયદિપસિંહ કે. ડોડીયાએ, પ્રોફેસર કમલભાઈ મહેતાએ કરેલ દાવામાં પોતાની દલીલો કરતા જણાવેલ કે આ કામે વાદી જે પ્રેસનોટને આધારે પ્રતિવાદી વિરુદ્ધ બદનક્ષીનો દાવો લાવેલ છે તે વોટ્સએપ કોપી છે કોઈ અસલ ન્યુઝપેપર રજુ કરેલ નથી અને ઈ-કોપી રજુ કરેલ છે. જેમાં પુરાવા ૬૫-બી મુજબનું સર્ટીફીકેટ નથી જે ન્યુઝપેપર્સમાં આ પ્રેસનોટ પ્રસિદ્ધ થયેલી છે તેના કોઈ એક્ઝીક્યુટીવ એડિટરને તપાસવામાં આવેલ નથી. વધુમાં આર.ટી.આઈ. હેઠળનાં જવાબ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા કોઈ તપાસ સમિતી નિમાઈ નથી અને કોઈની સામે તપાસ માંગવી એ બદનક્ષી ન ગણી શકાય. પ્રતિવાદી તરફે રજુ જવાબ સાથે રજુ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ મુજબ ૫૫% થી ઓછા હોય તો પીએચ.ડી.માં એડમીશન ના મળે. વધુમાં વિદ્યાર્થીનું એડમીશન ૨૦૧૩માં થયેલ અને રજીસ્ટ્રેશન ૨૦૧૬માં જે વિલંબ થયેલ છે. વધુમાં વાદી તરફે પત્રકારને તપાસેલ છે જેનાથી વાદીની દાવા હકીકતને સમર્થન મળેલ નથી અને તે પત્રકાર પાસે સરકાર માન્ય ઓળખપત્રક નથી વધુમાં આ કામે અન્ય વાદીના સાહેદોને તપાસેલ છે અત્યારે આધુનિક ડીજીટલ યુગ છે અને ડીજીટલ યુગમાં કોઈ કોઈને પત્ર લખે તે શક્ય નથી. માત્ર પુરાવો ઉભો કરવાના આશયથી આવા પત્રો અને સાહેદોને ઉભા કરેલું જણાય છે.
ઉપરોક્ત પ્રતિવાદીનો બચાવ, પ્રતિવાદીએ કરેલ વાદીની, વાદીનાં અન્ય સાહેદોની વિગતવાર ઉલટ તપાસ, પ્રતિવાદીએ તેના કેસના સમર્થનમાં કરેલ દલીલો તથા દલીલો સાથે રજુ કરેલ જુદી જુદી વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લેતા રાજકોટના મહે. અધિક સિનીયર સિવિલ જજ એસ.જે.પંચાલ વાદીનો દાવો પુરવાર થતો ન હોવાની હકીકત માની વાદીનો દાવો રદ યાને નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે. આ કામમાં પ્રતિવાદી તરફે વકીલ તરીકે રાહુલ કે.શાહ, ઋષિત ડી. પટેલ, હાર્દિક જી. ડોડીયા તથા જયદેવ જે. શીશાંગીયા રોકાયેલ હતાં.