વર્ષો બાદ ન્યાય તંત્ર દ્વારા તમામ આરોપીઓ ને પુરાવા/સાક્ષીઓ જોતા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યા.આમ તો આજીવન કેદ ની સજા જેટલું લગભગ બધ આરોપીઓ એ ન્યાય તંત્ર નો વકીલો રોકી સામનો કર્યો.અંતે દૂધે ધોયેલા સાબિત થયા અને તેમની જીત થઈ..આવી રીતેજ ભૂતકાળ હાઇકોર્ટ દ્વારા 16 નકલી એન્કાઉન્ટર નો ચુકાદો આપ્યો હતો..જેમાં એક વાર અમિત શાહ પણ જેલમાં જઈ આવ્યા અને મોદીજી ની પણ ભૂતકાળ મા 19 કલાક પૂછપરછ કરવામાં આવી હતી..અંતે સુપ્રીમ કોર્ટ માં કેસ ચાલતા જરૂરી પુરાવા ના અભાવે બે કે ત્રણ નકલી એન્કાઉન્ટર નો ચુકાદો અપાઈ બીજા બધાને દૂધે ધોયેલા સાબિત કરી ચુકાદો આપી રાહત આપી હતી જેથી આજે કેન્દ્ર માં અને રાજ્ય માં હિંદુવાદી સહાનુભૂતિ ની વોટબેંકની ખાતર સત્તાઓ ભોગવી રહયા છે…કેશુભાઈ પછી મોદીજી ના સિલ્વર જ્યુબીલી ભાજપ શાશન માં અનેક કાંડો થયા..કેસો નોંધાયા,અસંખ્ય ધરપકડ થઈ.. સીટ રચાઈ..વર્ષો સુધી સાક્ષીઓ/જુબાની ચાલી..6 થી વધારે ચૂંટણીઓ થઈ..વિરોધ પક્ષ ને મનાવવા/ખરીદવા/સમજાવવામાં ભાજપ સફળ થયો અને મોટાભાગના આરોપીઓ આજે છૂટી પણ ગયા…તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ ની જેમ ઘણું બધું સમય હતા સચવાઈ ગયું…ઉચ્ચ સનદી અધિકારીઓ પણ જેલવાસ ભોગવી અંતે જામીન ઉપર કે કાયમી છૂટી જાય બહાર આવી નિવૃત્તિ માં પણ હતી તેવી સુખ સાયબી ભોગવતા જોવા મળે છે..ભાજપ સત્તા નું પરિવર્તન કર્યો ગયો, મોહરા બદલતો ગયો એન3 નવા નવા પોઠિયા કહ્યાગરા લાલચી લોકો તૈયાર કરી સત્તાઓ ઉપર બેસાડી લોકશાહી માં સરમુખત્યાર શાહી શાશન બતાવતા પ્રજાને પણ ભય વિના પ્રીત નહિ ની નવી રાજકીય ભાષા સિખવાડતો ગયો..પ્રત્યેક સરકારી વિભાગ માં ભ્રષ્ટાચાર ખદબદતા જોવા મળ્યા, પકડા પકડી નો દોર અવિરત ચાલ્યો..સમય જતાં કમિટ મેન્ટ જાળવી સજાઓ અપાવી/છોડાવી પ્રજા ની આંખો માં ધૂળ ભોંકી પ્રજાને ભગવા શાશન ની આદત પાડી દેવામાં ભાજપ શાશન સફળ રહ્યું..જે કોઈ તટસ્થ મીડિયા કે અધિકારી કે યુવા સરકાર ની સામે પડે તેં3 જે તે વિભાગ દ્વારા સરકારી ગુનેગાર બનાવી કઠેડા માં ઉભા રાખી નાની મોટી સજા આપી અપાવી સરખા કરી અંતે ભાજપ ના ખેશ પહેરવી ભાજપ ની ભાષા શિખવાડી ટોળા માં ડોડતા બોલકા કરી જોકર ની જેમ રમતા મૂકી દીધા…જેઓ આજ3 મોદી,શાહ અન પાટીલ/ભૂપેન્દ્ર ની માળા જપતા ભગવી વેશભૂષા માં જોવા મળે છે..સમાજિક સંગઠનો ના હોદ્દેદારો ને પણ ભગવા ભાજપ માં લાલચે પોઠિયા બનાવી સમાજિક વોટબેંકની દલાલી કરાવી લેવામાં પણ ભાજપ શાશન સફળ રહ્યું..વિપક્ષી લોકો ને લાલચે ખેષ પહેરાવી થોડો સમય સત્તા નો રંગ બતાવી અંતે કાઢી મૂકી ખૂણામાં બેસાડી દેવામાં પણ ભાજપ શાશન સફળ રહ્યું…છેલ્લા 27 વરસ થી આજની યુવા પેઢી એ આ મોદી/શાહ ના બદલાતા પરિવર્તન વિકાસ ને નજીક થી જોતા તેમના યુવા વિકાસ માં પણ બદલાતા પરિવર્તનો પ્રત્યેક પરિવાર જોઈ રહ્યું છે….આમ ભાજપ વિપક્ષ સાથે પક્ષ ના લોકો ને પણ પોતાની અલાયદી નીતિ રીતિ થી ટેવડાવી મજબૂર કરી પોઠિયા શાહી શાશન ના રંગ બતાવી શાશન કરી રહ્યું છે..સાથે સાથે ગોદી મીડિયા પણ આવા શાશન ને અત્ર.તત્ર સર્વત્ર મદદ કરી પોતાના રોટલા શેકવામાં સફળ રહ્યું છે….
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી: પ્રદીપ રાવલ.
વિશેષ સોશિયલ મીડિયા અહેવાલ)
અમદાવાદના નરોડા ગામ રમખાણોના કેસમાં વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ગુરુવારે, 20 એપ્રિલના રોજ, SIT કેસના વિશેષ ન્યાયાધીશ એસકે બક્ષીની અદાલતે 68 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હકીકતમાં 2002માં થયેલા આ રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી તપાસના આધારે પોલીસે ગુજરાતના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 લોકોને આરોપી બનાવ્યા હતા. આ 86 આરોપીઓમાંથી 18ના મોત થઈ ચૂક્યા છે. આ કેસમાં 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.
જણાવી દઈએ કે 2002માં ગોધરામાં ચાલતી ટ્રેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 58 લોકોના મોત થયા હતા. ગોધરાની ઘટનાના વિરોધમાં બીજા દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં કોમી હિંસા ફેલાઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી જ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફેલાઈ ગયા. આ કેસમાં SITની તપાસ બેઠી હતી અને માયા કોડનાનીને SIT દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. માયા કોડનાની રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.
નરોડા ગામ હત્યાકાંડના કેસમાં આરોપીઓ સામે IPC કલમ 302 હત્યા, 307 હત્યાનો પ્રયાસ, 143, 147 રાયોટીંગ, 148, 129 B, 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ, કોડનાનીને નરોડા પાટિયા રમખાણ કેસમાં વિશેષ અદાલતે 28 વર્ષની સજા ફટકારી હતી. આ રમખાણોમાં 97 લોકોના મોત થયા હતા. જો કે બાદમાં હાઈકોર્ટે કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા હતા.
******************************************