માંડવીમાં નિર્માણ પામતું પચ્ચીસ કરોડની કિંમતનું મહાકાય જહાજ
કચ્છનું ઐતિહાસિક માંડવી શહેર જેટલું દાબેલી માટે જાણીતું છે એટલું જ પોતાના વહાણવટાના ઉદ્યોગ માટે પણ જાણીતું છે. ૪૦૦ વર્ષાથી અહીં લાકડાના વિશાળ વહાણ બનાવવાનો ઉદ્યોગ ધમાધમે છે પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં મંદી આવી છે. આ મંદી ને દૂર કરી શકે તેવા એક નવા અધ્યાયની શરૃઆત હાલ માંડવીના દરિયા કાંઠે થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ ક્યારેય ન બનેલું લોખંડનું મહાકાય જહાજ માંડવીમાં હાલ નિર્માણ પામી રહ્યું છે. રિવર સી વેસલ ટાઇપ ૪ તરીકે ઓળખાતું આ રૃ. ૨૫ કરોડનું જહાજ આ પહેલા માંડવી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ક્યાંય બન્યું નાથી.
ગાંધીધામ સૃિથત રિષી શિપિંગ કંપની કંડલા બંદર પર ૨૫ બાર્જ અને ૩ ફ્લોટિંગ ક્રેન ધરાવે છે. તેમના નવા સાહસમાં તેમણે પોર્ટ ટુ પોર્ટ માલનું વાહન કરી શકે તેવા એક મહાકાય જહાજ બનાવવાની શરૃઆત કરી હતી. માંડવી પોર્ટ ની સામે પાર સલાયા ગામ તરફના કિનારે આ મહાકાય જહાજ તૈયાર થઈ રહ્યું છે જેને બનાવવામાં જ માત્ર એક હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૬૦૦ હોર્સ પાવર ધરાવતા બે એન્જિન થકી આ વેસલ ૨. ૫ હજાર ટન કાર્ગો ઉપાડવા સક્ષમ છે. રૃ. ૨૫ કરોડની કિંમતના આ જહાજ ને બનાવવા પાછળ આઠ મહિનાથી દિવસ રાત ૧૦૦ થી વાધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને હજુ બે મહિના સાધી તેનું કામ ચાલશે ત્યાર પછી તેને પાણીમાં ઉતારવામાં આવશે.
માંડવીમાં વહાણવટાનો ઉદ્યોગ તો ચાર સદીથી ધમાધમે છે પરંતુ અત્યાર સાધી અહીં માત્ર લાકડાના જ વહાણ બન્યા છે જેને કન્ટ્રી ક્રાફટ વેસલ કહેવાય છે. આ વહાણ પણ દુબઈ, મસ્કત સહિત આફ્રિકાના દેશો સુાધીની સફર ખેડે છે પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં ખૂબ મંદી આવી છે.
સરકાર પાસેાથી અપૂરતી સહાય, કન્ટેનર શિપિંગ ના સસ્તા ભાડા તેમજ વહાણના વીમા બાબતે પડતી મુશ્કેલીલીઓના કારણે આ ઉદ્યોગની કમર ભાંગી પડી હતી.
પરંતુ છેલ્લા થોડા સમયમાં ફરી વાધેલા કન્ટેનરના ભાડા સાથે હવે લોખંડના જહાજ બનાવવાની શરૃઆત પણ માંડવી ના કિનારે શરૃ થતાં આ વહાણવટાના ઉદ્યોગમાં એક નવો અધ્યાય શરૃ થયું હોય તેવું કહી શકાય – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
******************************************
: ભચાઉ–ગાંધીધામ-આદિપુરનું ઈલેક્ટ્રીક એન્જિનથી ટ્રાયલ રન
ચુલી હળવદ અને જેતલસર સહિત ભચાઉ-ગાંધીધામ-આદિપુરનું પણ ગતરોજ પ્રથમ વખત ઇલેક્ટ્રીક એન્જિનના ટ્રાયલ રન સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ કરાયું હતું. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન હેઠળના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે અમદાવાદ ડિવિઝનના ભચાઉ-ગાંધીધામ-આદિપુર, ચૂલી-હળવદ અને જેતલસર-લુશાળા અને ભાવનગર-ભાવનગર જેટી સેક્શનને કમિશન કરીને વધુ એક સિદ્ધિ મેળવી હતી.
જે માટે નવા ઇલેક્ટ્રિફાઇડ વિભાગમાં ગુડ્સ અને પેસેન્જર ટ્રેન ખોલવામાં આવશે, આ માટે ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ વિભાગીય ગતિએ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ પશ્ચિમ રેલવેના પીસીઈઈ જી એસ ભાવરિયા કર્યું હતું, અને સિસ્ટમની વિશ્વસનીયતા અને સલામતીમાં તકનીકી પાસાઓ અને સુધારાઓ માટે સલાહ આપી હતી. અમદાવાદના રેલવે ઇલેક્ટ્રિફિકેશન એકમ દ્વારા આ વિભાગ સહિત એકંદરે 2022-23ના આ નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલવેના 670 રૂટ કિલોમીટર અને 1009 ટ્રેક કિલોમીટરનો સમાવેશ કર્યો છે.
આ ટ્રેક રૂટમાં ઈલેક્ટ્રિક ટ્રેક્શન શરૂ થયા બાદ નજીકના ભવિષ્યમાં ઝડપી અને સારી ટ્રેન સેવાઓ શક્ય બનશે. ગ્રીન ઈન્ડીયાના મહત્વાકાંક્ષી ધ્યેયને પણ સમર્થન આપશે, જે ભારતીય રેલ્વેની સૌથી તાજેતરની ગ્રીન પહેલ છે. રેલવે વિભાગે જણાવ્યું કે એકવાર 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કરી લીધા પછી, ભારતીય રેલ્વે ભારતીય ઉર્જા ક્ષેત્રે એક ગેમ ચેન્જર બનવા જઈ રહી છે
******************************************
કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો
દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે શરૂઆતમાં ટ્રાફિક વોલ્યુમનું લક્ષ્ય 130 એમએમતી નિર્ધારીત કર્યું હતું, જાન્યુઆરીના અંત સુધીમાં, લક્ષ્ય આંતરિક રીતે સુધારીને 135 MMT અને ત્યારબાદ 137 MMT કરવામાં આવ્યું હતું. પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યું કે પોર્ટે 30/03 નાજ 137એમએમટી કાર્ગો હેન્ડલ કરવાનો સીમાચિહ્ન પાર કરી લીધો હતો અને તેનાથી પણ આગળ વધી રહ્યું છે. આ ડિપીએ, કંડલા દ્વારા હેન્ડલ કરવામાં આવેલુ અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રાફિક વોલ્યુમ છે, જે દેશભરના સરકારી મેજર પોર્ટમાં પણ સર્વાધિક છે.
બીજી તરફ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ગ્રીન પોર્ટ માટેના પ્રયાસોના ભાગરુપે 14 ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરાયા હતા. આ વાહનો પ્રદુષણ રહીત અને સંપુર્ણ ગ્રીન એનર્જીથી પોર્ટ અંદર કર્મચારીઓની ગતીવીધીમાં મદદરુપ થશે. આ વાહનોને ચેરમેન એસ. કે. મહેતા, ડે. ચેરમેન નંદીશ શુક્લા અને વિભાગીય વડાઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી અપાઈ હતી – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
*****************************************
મેરીટાઈમ ડેની રંગારંગ ઉજવણીની શરૂઆત
મેરીટાઈમ ડેની રંગારંગ ઉજવણીની શરૂઆત ડીપીએ, કંડલાએ 30/03 થી 05/04 સુધી મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગણપતર યુનિવર્સીટીનાના કેડેટ્સએ મુલાકાત લીધી હતી, જેઓ પોર્ટમાં વેસલ અને પોર્ટ ગતીવીધી જોઇને રોમાંચીત થયા હતા. તો નેશનલ મેરીટાઇમ વીકના ડાયમન્ડ એનીવર્સરીની ઉજવણી રુપે કંડલાના મરીન ભવન અને જેટીને લાઈટોથી સજાવવામાં આવ્યું હતુ. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે સમગ્ર સપ્તાહ આ સપ્તાહની અનેકવીધ સ્તરે ઉજવણી કરવામાં આવનાર છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
******************************************
નર્મદાના કચ્છના કામો ઝડપથી આટોપી કચ્છને ઉજ્જડ થતું બચાવો
વર્ષ 1948માં કચ્છના રાજાએ નર્મદાનાં 32 ટકા પાણીના બદલામાં આ રજવાડું લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને રાજ્યમાં ભેળવવા આપ્યું હતું. ત્યારપછી 32 ટકાને બદલે કચ્છને 3 ટકા જ નર્મદાનું પાણી મળ્યું. હવે કચ્છને આ પાણી પૂરું પાડવાના કામો ઝડપથી આટોપી કચ્છને ઉજ્જડ થતું બચાવવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અનુરોધ કરાયો છે. માંડવીના લખમશી વાડિયા (નર્મદાવાળા બાપા)એ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, વર્ષ 2006માં કચ્છને વધારાનું 30 લાખ એકર ફીટ પાણી ફાળવાયું તેના ત્રણ ભાગ પડાયા. 10 લાખ એકર ફીટ ઉત્તર ગુજરાતને, 10 લાખ એકર ફીટ સૌરાષ્ટ્રને ફાળવાયું અને પહોંચાડાયું, પરંતુ કચ્છ હજુ બાકી છે. આ ભેદભાવ કહેવાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ વર્ષ 2006માં કચ્છને 10 લાખ એકર ફીટ પાણી પહોંચાડવા સાત લિંક કેનાલોનો નકશો બનાવ્યો હતો. આ પૈકી આડેસરની ખાડી પાસે 220 કયુસેકનું સાયફન બનાવાયું, ત્યાંથી 142 કયુસેકની 10 લાખ એકર ફીટ વધારાના પાણીનું બીજું સાયફન બને તો ટપ્પર ડેમમાં પાણી આવે અને તે નકશા મુજબ આખા કચ્છને પાણી મળી શકે છે તેવું આ પત્રમાં જણાવાયું હતું. પશ્ચિમ કચ્છ માટે બે લિંક કેનાલની તત્કાળ વહીવટી મંજૂરી મળે, પૂરતાં નાણાં’ ફાળવાય, ટેન્ડરો બહાર પડે અને સરહદે પાણી પહોંચે તે જરૂરી છે. અન્યથા ગામડાં ખાલી થઇ રહ્યાં છે અને કચ્છ ઉજ્જડ બની જશે તેવું તેમણે ઉમેર્યું હતું – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]