ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ રીબડા ને મરણોત્તર સમાજ રત્ન સન્માન
રાજકોટ. તા.૩ (પ્રતિનિધિ દ્વારા)
ક્ષત્રિય સમાજ ના મોભી દાનવીર ભામાશા માજી ધારાસભ્ય (ગોંડલ) શ્રી મહિપતસિંહજી ભાવુભા જાડેજા રીબડા નું નિધન થતા આજ રોજ ગોંડલ રિબડા ખાતે તેમના બેસણા ના કાર્યક્રમમાં રાજય ના ખૂણે ખૂણે થી સામાજિક, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થા ના પદાધિકારીયો, અધિકારીઓએ હાજરી આપેલ. આ સમયે આર.એસ.એસ. ના પ્રકલ્પ વિશ્વ પ્રવાસી સંઘ દ્વારા મહિપતસિંહ બાપુ એ કરેલ સમાજ સેવા ના વિવિધ કાર્યો બદલ તેમને ‘મરણોત્તર સમાજ રત્ન સન્માન’ થી આભૂષિત કરવામાં આવ્યા હતા. આ મરણોત્તર સન્માન મહિપતસિંહ બાપુ ના પુત્ર રાજેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, જગતસિંહ, અને પૌત્ર શક્તિસિંહ , સત્યજીતસિંહ ને સંઘના રાષ્ટ્રીય મહામંત્રી ઈલેવાન ઠાકર ના હસ્તે પ્રવાસી સંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ હીતેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઉપાધ્યાય, પ્રદેશ મંત્રી દિલીપ રાજપુરા, અમરેલી જિલ્લા અધ્યક્ષ પ્રદીપસિંહ સરવૈયાની હાજરીમાં આપવામાં આવ્યું હતું.