JF_11-12-22
*************************””**
સત્તા ની સાંઠમારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે 156 સીટો મળી છે કોંગ્રેસને 17 સીટ મળી છે એટલે કે આમ આદમી પાર્ટી ને પાંચ સીટ મળી છે અને અપક્ષ ને ચાર સીટ ફાળે ગઈ છે. હવે આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રધાનમંત્રી સહિત સરકારમાં રાજીનામે આપ્યા છે અને 12 મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર હેલીપેડ ખાતેના વિશાળ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસન માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીઓ તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો નો શપથવિધિ સમારોહ યોજવા જઈ રહ્યો છે. હવે પહેલા ચૂંટણીના ચકરાવવામાં આપણે જોયું તો સર્વ પક્ષીય ઉમેદવારોને જીતાડવા માટે જાતજાતના કીમિયાઓ લોબીંગ ચાલ્યું અને અંતે શાસક સરકાર વાળા ફાવ્યા વિપક્ષનો સફાયો થયો જ્યારે આમ આદમી પાર્ટી ને તેની પ્રથમ ચૂંટણીમાં 39 લાખ ગુજરાતના વોટ મળ્યા અને પાંચ ઉમેદવારો જીતીને વિધાનસભામાં પહેલીવાર તેઓ પ્રવેશ કરશે આમ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી અને વિધાનસભામાં પાંચ સીટ સાથે તેમનો પ્રવેશ એ એક નવા રાજકીય પક્ષ માટેની સીધી જ કહી શકાય તેમને આમ જોવા જઈએ તો કોઈ ખાસ મોટું નુકસાન થયું નથી પરંતુ અપરિપક્વ અને જેની જીભ ઉપર લગામ ન હોય તેવા યુવા નેતાઓની પસંદગી કરીને આખું ગુજરાત આમ આદમી પાર્ટી તેમના ભરોસે આ પ્રથમ ચૂંટણી લડી જેના કારણે ઘણી બધી સીટો ખોવાનો વારો આવ્યો ખૂબ સારા વોટ મળ્યા પણ ઉમેદવારો એટલા જીતી ના શક્યા જેટલા દાવા કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષ કોંગ્રેસ જેનું રાજીવ ગાંધી ભવન આખો દિલ્હીના નેતાઓના હવાલે સોંપી દેતા સ્થાનિક નેતાગીરીમાં અસંતોષ જોવા મળ્યો હતો કે જેમને ચૂંટણી ની પણ જવાબદારીઓ સ્વીકારી નહોતી અને ચૂંટણીમાં જે કોઈ કામ કરવું જોઈએ તેવું કામ તેઓ કરી શક્યા નહીં પરિણામે માત્ર 17 શીટ કોંગ્રેસ પક્ષને મળી અને ગુજરાતના શાસનમાં પ્રથમવાર એવી ઘટના બની કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હવે બેસી નહીં શકે કેમ કે વિરોધ પક્ષના નેતા બનવા માટે 19 સીટ જોઈએ પણ તેઓ 17 સીટ જીત્યા છે એટલે કોંગ્રેસનું વિરોધ પક્ષ પણ હાથમાંથી જતુ રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટીમાં અમુક ઉમેદવારોને ભાજપના કર્મઠ હોવા છતાં પણ જાતીય સમીકરણોના લીધે અને ઉપરી અમુક નેતાઓની જીદના કારણે સ્થાનિક મત બેંક ખોબી ના પડે તે માટે નારાજગી દર્શાવતા ભાજપના અમુક લોકો અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ પોતાના વિસ્તારમાં પોતાની પ્રતિભા ઉપર અપક્ષ રીતે લડીને જીતીને બતાવ્યું છે તેવા ધાનેરાના માવજીભાઈ દેસાઈ અને બાયડના ધવલસિંહ ઝાલા છે જ્યારે બરોડાની વાઘોડિયા બેઠક ઉપર દબંગ મધુ શ્રીવાસ્તવને હરાવવા માટે ધર્મેન્દ્ર શ્રી ચૌહાણની આંતરિક ગોઠવણી કરીને પસંદગી કરવામાં આવી હતી અને તેઓ અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને દબંગ મધુ શ્રીવાસ્તવનો દબદબો વાઘોડિયામાંથી રાજકીય રીતે જતા તેમનો પરાજય થયો છે. ગુજરાતના બ્રહ્મ સમાજને ભારતીય જનતા પાર્ટીએ સૌપ્રથમવાર 13 સીટો ફાળવી હતી તેમાંથી 10 ઉમેદવારો જીત્યા છે જ્યારે ત્રણ ઉમેદવારોનો પરાજય થયો છે જેમાં લુણાવાડાના જીગ્નેશ સેવક ખાડિયા જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તેમજ ખંભાતના મયુર રાવલનો સમાવેશ થાય છે. પાટણની સીટમાં જ્યારથી આનંદીબેન પટેલ ચૂંટણી લડ્યા હતા ત્યારથી ભાજપની સીટ જળવાઈ રહી હતી પરંતુ આ વખતે સ્થાનિક પાર્ટીના લોકોના અસંતોષના કારણે બહુ અપરિચિત વ્યક્તિને ભાજપે મહિલા સીટ ફાળવતા ત્યાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસની સીટને જાળવીને કિરીટભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે તેવી રીતે ચાણસ્મામાં પણ પૂર્વ ધારાસભ્ય અને મંત્રી તેવા દિલીપભાઈ ઠાકોરો પણ ભારતીય જનતા પાર્ટીમાં પરાજય પામીને ભાજપે આ પાટણ અને ચાણસ્મા ની બંને સીટો ગુમાવી છે બસ હાલમાં હવે કોણ મંત્રી બનશે તેની અટકણોમાં આ શનિવારને રવિવાર જશે અને સોમવારે નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ જોવા મળશે. અત્યારે સૌના મોઢે એક જ વાત છે કોને મંત્રી પદ મળશે અને કોણ રહી જશે અને કોને પડતા મુકાશે. કેન્દ્રીય ગૃહોને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠામાં ચૌધરી સમાજને મનાવવા ખૂબ ઝહેમદ કરી હતી અને સમાજને કહ્યું હતું કે તમે શંકરભાઈને ચૂંટણીને લાવો તેમને બહુ મોટી જવાબદારી સોંપવામાં આવશે એટલે શંકર ચૌધરીને કેબિનેટ કક્ષાનું કોઈ સારું ખાતું આપવામાં આવે તેવી શક્યતા છે. ઠાકોર સમાજને પણ અમિત શાહ સમજાવવામાં સફળ રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરે સમગ્ર ઠાકોર સમાજની બેઠકો ઉપર પોતાનો પ્રભાવ સાબિત કર્યો હતો અને ગાંધીનગર દક્ષિણની અમિતભાઈ ના નેજા હેઠળ આવતી બેઠક ઉપર પ્રતિસ્પર્ધી સિનિયર કોંગ્રેસના આગેવાન હિમાંશુ પટેલને 43 હજાર થી વધારે ઓટો થી પરાજય આપીને અલ્પેશ ઠાકોરે જીત મેળવી હતી માટે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. આ વખતે સમગ્ર કોળી સમાજમાં પણ પરસોતમ સોલંકી હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાવળીયા અને ઓલપાડના મુકેશ પટેલે ખૂબ જ સારા મતો થી જીત હાંસલ કરી છે જેથી તેમાંથી પણ બે મંત્રીઓને સ્થાન મળવાની શક્યતા છે. કચ્છના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા ને પણ ઉત્કૃષ્ટ દેખાવ અને કચ્છમાં સર્વોચ્ચ છે જીત કહી શકાય જેના બદલામાં મંત્રી પદ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે જ્યારે અમદાવાદમાં અમિત ઠાકર અથવા તો અમિત શાહ ને પણ મંત્રીમંડળમાં સમાવી શકે છે જ્યારે કેશુ બાપા ની વખતના મૂળુભાઈ બેરા અને રમણલાલ વોરા ને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. જોકે રમણલાલ વોરા ને અનુભવ પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ પણ બનાવી શકે અથવા તો સમાજ કલ્યાણના કેબિનેટ મંત્રી પણ બનાવી શકે તેવું ચર્ચા રહ્યું છે. પટેલ સાહેબ ની લોબીના સુરતના હર્ષ સંઘવી પૂર્ણસ મોદી અને 84 બેઠકમાં જંગી બહુમતીથી જીતનાર દેસાઈ ઉમેદવારને પણ મંત્રી પદ ફાળે જાય તેવું લાગે છે જ્યારે મહેમદાવાદમાં પંકજ દેસાઈ અને અર્જુનસિંહ ચૌહાણને પણ મંત્રી પદ ફાળવવામાં આવે તેવું લાગી રહ્યું છે.
જોકે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ જેપી નરોડા તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ….ભેગા મળીને મન મનાવી લીધું હતું કે સૌથી વધારે બેઠકો લેવા માટે તમામ જાતીય સમીકરણો ને એક પછી એક મનાવી લઈને જ્ઞાતિ જનો ને ખુશ કરી દેવા પણ ભાજપ ની પ્રચંડ બહુમતિ માટે એક પણ તક ગુમાવવી નહિ…કેમકે મોદીજી પણ પૂર્ણ સમય ફાળવી સભાઓ અને રોડ શો કર્યા..અમિત શાહ પણ પૂર્ણ સમય ફાળવી ચોધરી.ઠાકોર અને ક્ષત્રિય સમાજ ને સમજાવવામાં સફળ રહ્યા…તેવી રીતે સી.આર પાટીલ પણ મોટા ભાગના નારાજ ભાજપ ના લોકો ને મળી ને સમજાવવામાં સફળ રહ્યા અને ગુનેગારો.દબંગ.પક્ષ પલટો વગેરે બાબતો ને ઘોળી ને પી જઈને પણ આ વખતે પ્રચંડ બહુમત લાવી ઇતિહાસ રચવામાં ભાજપ સફળ રહ્યું…જોકે મણિપુર અને હિમાચલ માં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહ્યું અને દિલ્હી માં ૧૫ વરસ ના પાલિકા ના ભાજપ શાશન નો અંત આવ્યો અને ભાજપ નો રકાસ જોવા મળ્યો તે સ્થાનિક દિલ્હી આમ.આદમી.પાર્ટી સામે ભાજપ સફળ ના થઈ શકયું..
મધુ શ્રીવાસ્તવ અને છોટુ વસાવા જેવા દબાણે નેતાઓ ની શાન ઠેકાણે ભાજપ લાવવામાં સફળ રહ્યું જ્યારે બાયડ અને ધાનેરામાં ભાજપ ના કર્મઠ એવા ધવલ સિંહ ઝાલા અને મલાજી ભાઈ દેસાઈ ભાજપ ટિકિટ ના ફાળવતા અપક્ષ ઉમેદવારી કરતા પ્રચંડ જીત હાસલ કરી ભાજપ અને કોંગ્રેસ ને હરાવી તેમની નેતાગીરી ને ચોંકાવી નાખ્યા હતા ..
જન ફરિયાદ ન્યુઝ પ્રદીપ ગાંધીનગર